Monthly Archives: June 2011


ગોરમા, ગોરમા રે… – લોકગીત 4

ગૌરીવ્રત – ગોરમાની પૂજામાં માત્ર સુંદર વર જ નહીં, સ્વર્ગ સમું સાસરું પણ મંગાય છે, સંયુક્ત કુટુંબ અને તેના સંવાદની ચાહના કન્યાના વ્રત પાછળ છે. સસરો સવાદિયો હોય તો જ ઘરમાં સારી ખાદ્ય વસ્તુઓ બને અને સાસુ ભુખાળવાં હોય તો જ વહુને ખાવાનો આગ્રહ કરે ને? કહ્યાગરો કંથ, દેર દેરાણી, જેઠ જેઠાણી, નણંદ, અને આંગણે દૂઝતી ભગરી ભેંસથી ભર્યો ભાદર્યો સંસાર આપણા મલકની કોડીલી કન્યાઓને જોઈએ છે. ગૌરીવ્રતની પાછળ રહેલી સુંદર ભાવના આ લોકગીતમાં સરળ રીતે અભિવ્યક્ત થાય છે.


ચોમાસું માણીએ ! – કાકા કાલેલકર 7

કાકાસાહેબ કાલેલકર આપણી ભાષાના પ્રથમ હરોળના નિબંધકાર ગણાય છે. નિબંધોના તેમના અનેક પુસ્તકોમાં આપણને રાષ્ટ્રપ્રેમી, પ્રકૃતિપ્રેમી, સંસ્કૃતિચિંતક, સૌંદર્યચાહક, કલા અને સાહિત્યના ચિરંતન પ્રેમી અને પ્રવાસશોખીન કાકાસાહેબના વ્યક્તિત્વનો અનેરો પરિચય થાય છે. પ્રસ્તુત નિબંધમાં ચોમાસાની ઋતુમાં બદલાતી પ્રકૃતિસૃષ્ટિનું ચિત્રાત્મક શૈલીએ નિરૂપણ થયું છે. આકાશના વાદળોની લીલા તથા ઊષા અને સંધ્યાના અવનવા રંગોના સૌંદર્યનું વર્ણન કરી પ્રકૃતિલીલાનું રસપાન કરવાનું સૂચવે છે. વરસાદ પડતાંની સાથે જ સમગ્ર સૃષ્ટિ નવપલ્લવિત થઈ જાય છે. અહીં પ્રકૃતિ, ભૂપૃષ્ઠ અને કીટસૃષ્ટિ – એ ત્રણેયનું કાવ્યાત્મક અને મધુર ભાષામાં નિરૂપણ થયું હોવાથી નિબંધનું ગદ્ય આસ્વાદ્ય બન્યું છે.


જલમભોમકા – રસિક ઝવેરી 3

રસિક ઝવેરી આપણી ભાષાના એક આગવા પ્રવાસલેખક, ઝવેરાતનો વ્યવસાય કરતા કરતાં ‘ગ્રંથાગાર પ્રવર્તક પુસ્તકાલય’ શરૂ કર્યું હતું, તેઓ ગ્રંથાગાર માસિકનું પ્રકાશન કરતાં અને અખંડ આનંદ તથા સમર્પણ જેવા સામયિકોના તંત્રી વિભાગમાં પણ કામ કર્યું હતું. તેમના પુસ્તક ‘અલગારી રખડપટ્ટી’ માંથી આ ખંડ લેવામાં આવ્યો છે. લેખક લંડનના પ્રવાસે જાય છે, અને અચાનક જ થઈ જતી બાળપણના ભેરુની મુલાકાત અને ‘વિલીન થતા જમાનાના અવશેષ’ જેવા એ માણસની ભાવનાઓની વાત લેખકે હ્રદયસ્પર્શી રીતે અહીં આલેખી છે.


કાચી રે નજરુંના ઘેન – જ્યોતિ હિરાણી 1

મુંબઈ વિલેપાર્લે વસતા શ્રી જ્યોતિબેન હિરાણીએ ૧૯૯૮થી કાવ્યો લખવાનું શરૂ કર્યુ, તેમજ ૨૦૦૮ માં “શબ્દો જળના મીન” નામે તેમનો કાવ્યસંગ્રહ પણ પ્રસિદ્ધ થયેલ છે. કવિતા, ધબક, પરબ, ગઝલગરિમા તેમજ અન્ય સામયિકોમાં તેમના કાવ્યો સમયાંતરે પ્રગટ થયા છે. અત્યારે જન્મભૂમિ દૈનિકના ‘કલમ કિતાબ’ વિભાગમાં તેઓ પુસ્તકાવલોકનો લખે છે. સપનાઓની વાતથી ધબકતું અને શમણાઓ અને નિંદર વચ્ચેની કશમકશભરી દશા દર્શાવતું પ્રસ્તુત ગીતકાવ્ય અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી જ્યોતિબેનનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમના સર્જનો આમ જ આપણને આનંદ આપતા રહે તેવી શુભકામનાઓ.


દ્વારકાના મહેલ મહીં જાદવરાય – ભૂપેશ અધ્વર્યું 3

ભૂપેશ અધ્વર્યું એટલે અપાર સંભાવનાઓના કવિ. અકાળે મૃત્યુને ભેટેલા એવા આ કવિમાં ઘણી સંભાવનાઓ પડેલી. પ્રસ્તુત રચનામાં અરીસાને સમયના એક જથ્થા તરીકે કલ્પીને કવિએ કમાલ કરી છે, એ અરીસાની એક તરફ મથુરાના મહારાજ કૃષ્ણ છે તો બીજી તરફ ગોકુળનો ગોવાળ, માખણચોર કાનજી, કા’નો છે. ભૂતકાળમાં સરી પડતા કોઈ અદના માણસની જેમ જ કૃષ્ણના મનમંદિરમાં પણ જમનાના નીર, ગાયોના ધણ અને કદંબડાળ ઝૂલી રહે છે. મથુરાના ઝરૂખેથી ગોકુળને જોવાનો નિષ્ફળ પ્રયત્ન કરતા યાદોના વૃંદાવનમાં ખોવાયેલા કૃષ્ણનું આ સુંદર વ્યક્તિચિત્ર શ્રી ભૂપેશ અધ્વર્યુ રજૂ કરે છે. અને એ જ આ સુંદર રચનાની વિશેષતા પણ છે.


ધીરજકાકા – કનૈયાલાલ મુનશી 7

‘અડધે રસ્તે’, ‘સીધાં ચઢાણ’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ એ શ્રી કનૈયાલાલ મુનશીની ત્રણ ભાગમાં પ્રગટ થયેલી આત્મકથા છે. આ કૃતિ ‘અડધે રસ્તે’ માંથી લેવામાં આવી છે. લેખકના પિતાના મિત્ર એવા ધીરજકાકાના રમૂજી સ્વભાવનો સુંદર પરિચય પ્રસ્તુત પ્રસંગોમાંથી મળે છે. ધીરજકાકાને મન જીવન એક મોટી મજાક હતી; એમાંથી તોફાન ને હાસ્યના અનેક રંગો એ કાઢતા ને બધાને તેનો પાશ લગાડતા, હાસ્યરસ – રમૂજવૃત્તિના દર્શન કરાવતા આ પ્રસંગોની પાછળની ટિખળવૃત્તિનો સરસ પરિચય પણ મળી રહે છે.


શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન – ભજન (Audiocast) 7

“શ્રી રામ ચંદ્ર કૃપાળુ ભજમન…” હોય કે “આંખ મારી ઉઘડે…” કે પછી “મારી ઝૂંપડીએ રામ…” નાનપણમાં માસી અને નાનીના મુખે ક્યારેક વેકેશનના સમયમાં મામાને ઘરે રાત્રે સૂતા પહેલા આ ભજનો સાંભળવાનો લહાવો મળેલો, અને પછી નાની બહેનને હીંચકાવતા એ ગાવાનો લહાવો પણ લીધો હતો એ વાત યાદ આવે છે. સમયની સાથે ઘણી વસ્તુઓ સ્મૃતિપટ પર સદાયને માટે છાપ મૂકી જાય છે, આ ભજનો તેમાંનાં જ છે. આજે તેમાંથી જ સાંભળીએ “શ્રી રામ ચંદ્ર કૃપાળુ ભજમન…”. શ્રી માર્કંડભાઇ દવેના સહયોગથી તેમના કોપીરાઈટ એવા આ રેકોર્ડિંગ અક્ષરનાદને મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


મુનિ અને ઉંદરડી – પંચતંત્રની વાર્તા 19

ભારતીય સાહિત્યમાં કથા સાહિત્યનું મૂલ્ય અદભુત છે. ઇસપની બોધકથાઓ, પંચતંત્રની કથાઓ, હિતોપદેશની કથાઓ, શુક સંહિતા, વેતાળ પચ્ચીસી, બત્રીસ પૂતળીઓની કથાઓ વગેરે ભારતીય સાહિત્યની અમૂલ્ય રચનાઓ છે. પરંતુ સંસ્કૃત નીતી કથાઓમાં પંચતંત્રનું મહત્વ આગવું છે. ત્રીજી સદીની આસપાસ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણ દ્વારા આ તંત્રની રચના થઇ હોવાનું મનાય છે. પચાસથી વધુ વૈશ્વિક ભાષાઓમાં આ પંચતંત્ર કથાઓના બસોથી વધુ રૂપાંતરણો મળે છે. આજે પ્રસ્તુત છે પંચતંત્રની એક સરસ અને બોધપ્રદ બાળવાર્તા.


અમે સસ્તામાં વેચાયા… – કાયમ હઝારી 4

કહેવાય છે કે ઈશ્વરનો કારોબાર તદ્દન પારદર્શક અને સચોટ છે, પણ ગઝલકાર અહીં ખુદાને તેમની એ સચોટતા છતાં કેમ છુપાવું પડે છે એ વિશે સવાલ કરે છે. ખુદાને તથા સનમને એમ બંનેને લાગુ પડતી આ સમરસ ગઝલમાં તેમને શોધવા જતા પોતે ખોવાઈ ગયાનો અહેસાસ ગઝલકારને થાય છે. આ ગઝલમાં ખુદાને વિશે અથવાતો સનમને લઈને કવિને અનેક ફરીયાદો છે, તો માનવની સદાયની કુટેવો પર પણ તેઓ દર્દ વ્યક્ત કરે છે, પ્રીતનો પરોક્ષ ઈઝહાર પણ કરે છે અને અંતે મક્તાના શે’રમાં સર્વસ્વ સમર્પણનો ભાવ ગઝલને શ્રેષ્ઠતાના શિખરે પહોંચાડે છે. કાયમ હઝારી સાહેબની આ ગઝલ આમ એક સર્વાંગસંપૂર્ણ માણવાલાયક ગઝલ છે.


માણસાઈના દીવા – ઝવેરચંદ મેઘાણી (ઈ-પુસ્તક ડાઊનલોડ) 2

અક્ષરનાદ.કોમ આજે એક ઉપયોગી, અનોખી અને પ્રેરણાદાયક ઈ-પુસ્તક સ્વરૂપે જેની પ્રસ્તુતિ કરી રહ્યું છે તે પુસ્તક માણસાઈના દીવા વિશે કયા ગુજરાતીને કહેવાની જરૂર પડે? શ્રી ઝવેરચંદ મેઘાણીએ પુસ્તક પરિચયમાં કહેલું, “માનવી એક જટિલ સર્જન છે, ટપાલના સોર્ટરની અદાથી આપણે માનવીને પણ બે ખાનાઓમાં વહેંચી દઈએ છીએ. સારા અને ખરાબ. રવિશંકર મહારાજે માણસને માણસ તરીકે જોયા છે, એમને આવા ખાનાંઓમાં નથી નાંખ્યા. કોઈ માણસ નથી સારો કે નથી નરસો, માનવી તો અજબ મિશ્રણનો બનેલો પિંડ છે. પ્રસ્તુત પુસ્તક ‘માણસાઈના દીવા’માં એક પ્રકારનું માનવતાદર્શન છે. પણ પુસ્તકોમાં નિરૂપાતુ માનવદર્શન આપણને ગમે છે; જ્યારે એ જ નિરૂપિત માનવી આપણા પ્રત્યક્ષ વ્યવહારમાં આપણી સમક્ષ મૂકાય ત્યારે આપણે એને આપણી દુનિયાથી જુદી દુનિયાનો – ઉતરતી અને અસભ્ય, ગમાર અને ત્યાજ્ય દુનિયાનો ગણીએ છીએ. રેલગાડીના જનરલ ડબામાં બિસ્તર નાખીને આખી પાટલી રોકીને બેઠેલો ભણેલો માણસ આ ‘માણસાઈના દીવા’ ની દુનિયાના માનવીને પોતાની સામે ડરી, લપાઈ, સંકોચાઈ ઉભા રહેલા નિહાળતો હોય છે. છતાં બિસ્તરની કોર પણ વાળતો નથી. ‘માણસાઈના દીવા’ આપણને એના રસાનંદમાંથી એમાં રજૂ થયેલ જનતાના સ્નેહ તરફ લઈ જાઓ.


દરપે તેરે પહોંચના મુશ્કીલ નહીં – જિજ્ઞેશ અધ્યારૂ 7

સવાઈ પીર દરગાહ અને એ નાનકડો બેટ પીપાવાવ પાસેના દરીયાનું મોતી છે. એક સંબંધીને દરગાહ પર લઈ જતાં, પોણા કલાકની એ બોટ સફરમાં ઉપરોક્ત ગીત સવાઈ પીર સંદર્ભે મનમાં આવ્યું. એ પહેલા મનમાં રાગ ઉદભવ્યો અને આપોઆપ શબ્દો મૂકાતા ગયા. બે ત્રણ વખત એ જ પરિસ્થિતિમાં ગાયા પછી તેને ઓફિસ આવીને કાગળ પર ઉતાર્યું. તેના પ્રકાર – શાસ્ત્રીયતા વિશે કોઈ માહિતિ નથી, પરંતુ ફક્ત આ સર્જનને સૌ સાથે વહેંચવાના ઉમંગે જ અહીં પ્રસ્તુત કર્યું છે.


હાય શરમ ! – શેખાદમ આબુવાલા 5

શરમના અંચળા નીચે છુપાયેલી રસિકતાએ પ્રગટ થતી નાયિકાની પ્રણય માધુરીનો સૂક્ષ્મ અને પ્રગાઢ અનુભવ નાયકમુખે વ્યક્ત કરતી આ નમૂનેદાર ગઝલ છે. હાય શરમ ! જેવા સુંદર રદીફ અને ધર્યો, મર્યો, સર્યો, વર્યો જેવા યથાર્થ કાફિયાના ઉપયોગથી આ ગઝલ સાંગોપાંગ બળુકી થઈ છે. આ સફળ પ્રણયની ગઝલ છે. નાયકને પ્રિયતમા તેની સન્મુખ જે લજ્જા પ્રગટ કરે છે તે મૂંઝવે છે. પ્રણયની અભિવ્યક્તિમાં નાયકને નાયિકાની શરમ નડે છે છતાંય એ મીઠી મૂંઝવણને સ-રસ શબ્દો દ્વારા શેખાદમ આબુવાલાની જેમ બીજુ કોણ આમ અભિવ્યક્ત કરી શકે ?


અંધેર નગરી – ભારતેન્દુ હરિશ્ચંદ્ર અનુ. જિજ્ઞેશ અધ્યારૂ 8

સપ્ટેમ્બર ૧૮૫૦માં બનારસમાં જન્મેલા ભારતેન્દુ હરિશ્ચંદ્ર આધુનિક હિન્દી સાહિત્યના જનક કહેવાય છે. તેમના અનેક પ્રખ્યાત નાટકોમાં વૈદિક હિંસા હિંસા ન ભવત્તિ, ભારત દુર્દશા, સત્યવાન હરિશ્ચંદ્ર તથા અંધેર નગરી મુખ્ય છે. આ સિવાય તેમણે પદ્ય તથા નિબંધ અને અનુવાદ ક્ષેત્રે પણ નોંધનીય કામ કર્યું છે. અંધેર નગરી એક ધારદાર વ્યંગ ધરાવતું અને રાજકીય પશ્ચાદભૂમાં રાચતું અનોખું અને સબળ નાટક છે. ૧૮૮૧માં લખાયેલ આ નાટક હિન્દી નાટ્ય જગતનું એક પ્રમુખ અને અત્યંત પ્રચલિત નાટક છે, અનેક ભાષાઓમાં એના અનુવાદો પણ થયા છે. આજે પ્રસ્તુત છે ચુને હુએ બાલ એકાંકી માંથી તેનો અનુવાદ.


વાયદા તું કરે છે – કિંજલગીરી ગોસ્વામી 13

સૂરતના રહેવાસી એવા શ્રી કિંજલગીરી ગોસ્વામી એક અદના કાવ્યરસીયા તો છે જ સાથે એક ખૂબ સારા સર્જક પણ છે તેની ખાતરી તેમની ઉપરોક્ત ગઝલ સુંદર રીતે કરાવી જાય છે. પ્રિયતમાને પ્રેમનો – સતત સાથ અને સહવાસનો તથા સાથે સાથે વિરહની આછી વેદનાનો સંદેશ અહીં કવિ આપવાનો પ્રયત્ન કરે છે. અક્ષરનાદને ઉપરોક્ત રચના મોકલવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ શ્રી કિંજગલીરી ગોસ્વામીનો ખૂબ ખૂબ આભાર.


ઝૂલ, ઝાલાવાડ ! ઝૂલ… – મીનપિયાસી 4

સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોને પ્રાદેશિક વિશિષ્ટતા અને રાજ્યસંસ્થાઓના અસ્તિત્વ વખતનાં અનેરા નામો મળ્યા છે, ગોહિલવાડ હોય કે સોરઠ, હાલાર હોય કે હાલના સુરેન્દ્રનગર જિલ્લાનું નામ ઝાલાવાડ હોય, આ પંથકના વાસીઓ એ વિશેષ નામથી ઓળખાતા અને જ્યાં જાય ત્યાં દેશ પરદેશ સુધી એ પંથકની મહેક નામમાં સાચવીને લઈ જતાં. કવિ શ્રી મીનપિયાસીનું પ્રસ્તુત ગીત પણ ઝાલાવાડની લોકવંદના સમું જ છે. વતન અને તેની ધરતી પ્રત્યેનું વહાલ આ ગીતમાં વહાવ્યું છે. માતૃભૂમી પ્રત્યેનો ગર્વ અને ગૌરવ અહીં અભિવ્યક્ત થાય છે. ઝાલાવાડની ધરતીને કુદરતે આપેલી કુરૂપતાઓ પણ કવિને મન તો મોહિત કરી દે તેવી સુંદરતા જ છે. અને તે જ આ સુંદર ગીતની સાર્થકતા પણ છે.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૮ 7

અવનવી વેબસાઈટ્સ વિશે જણાવવાની આ શૃંખલા સમયની પ્રતિકૂળતાઓ અને કામની અતિવ્યસ્તતાઓ વચ્ચે અટકી પડી હતી, પણ સમયાંતરે તેમાં નવા ઉમેરાઓ થતા રહેશે તેવી સદાય અતૃપ્ત ઈચ્છા સાથે આ શૃંખલા લાંબા સમય પછી આજે ફરી ઉગી છે તે વાતનો આનંદ છે. કેટલીક સરસ વેબસાઈટ્સનો એ ભંડાર લઈને આજે આવી છે ત્યારે આપને આવી અન્ય કોઈ વેબસાઈટ વિશે માહિતિ હોય તો પ્રતિભાવ વિભાગમાં અવશ્ય વહેંચશો.


ટેભા ભરતી સોયની આત્મકથા – રામદરશ મિશ્ર, આસ્વાદ રમેશ પારેખ 1

ઉત્તમ કવિ તરીકે પ્રતિષ્ઠા પામેલા રમેશ પારેખ કવિતાના પ્રેમી અને મરમી પણ છે એની પ્રતીતિ એમની કાવ્યનો આસ્વાદ કરાવવાની પ્રવૃત્તિમાંથી થતી રહે છે. કવિ શ્રી રમેશ પારેખ કાવ્યસર્જનની સમાંતરે વર્તમાનપત્રોમાં કાવ્યાસ્વાદના સ્તંભના પણ નિયમિતપણે અન્ય કવિઓની રચનાઓના સંપર્કમાં રહ્યા છે. એ પ્રતીતિ કરાવવા તેમના પુસ્તકો ‘શબ્દની જાતરા સત્ય સુધી…’ અને ‘કવિતા એટલે આ…’ આપણને મળ્યા છે. એક સહ્રદય સર્જકની હેસિયતથી કરાવાયેલા તેમના આ આસ્વાદ કાવ્યને લઈને તેને સમજવા મથતા – પૂર્ણપણે તેના સત્વ સુધી પહોંચવા માંગતા ભાવકના મનોવિસ્તારમાંના અસ્પષ્ટ સ્થાનોને પણ ઉજાળે છે. કાવ્યના સંગોપિત રહસ્યોનું ઉદઘાટન પણ કરે છે. પ્રસ્તુત કાવ્યનો આસ્વાદ મને ખૂબ ગમ્યો છે, અને એથી ભાવકો સાથે અહીં વહેંચવાની લાલચ રોકી શક્તો નથી.


શ્રી જશવંત મહેતા દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૧ (Audiocast) 2

શ્રી જશવંતભાઈ સાથે સંપર્ક કરાવી આપવાનું સંપૂર્ણ શ્રેય શ્રી સૉલિડ મહેતાને જાય છે. જેટલી સબળ અને સુઘડ ગઝલ તેમણે પ્રસ્તુત કરી છે એટલું જ અર્થગાંભીર્ય તેમના શે’રમાં ઝળકે છે. અક્ષરપર્વમાં કવિ સંમેલનને શોભાવવા ઉપસ્થિત રહીને સૌને તેમના ગઝલરસમાં તરબોળ કરી મૂકવા બદલ શ્રી જશવંત મહેતાનો ખૂબ ખૂબ આભાર. આવો, આજે વાંચીએ અને સાંભળીએ તેમની એ ત્રણ ગઝલો તેમના જ સ્વરમાં


શ્રી તાહા મન્સૂરી દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૦ (Audiocast) 16

આમંત્રણને માન આપીને અક્ષરપર્વને શોભાવવા ઉપસ્થિત થયેલ તાહાભાઈ સરસ રચનઓ લઈને છવાઈ ગયેલા. હાર્દિકભાઈએ જેમને પોતાના સંચાલન દરમ્યાન શ્રી આદિલ મન્સૂરી સાહેબના કાવ્યવંશજ કહ્યા છે તેવા તાહાભાઈ શ્રી આદિલ મન્સૂરી સાહેબના ભત્રીજા છે. તેમણે શુદ્ધ ઉર્દુમાં રણકતા સ્વરમાં સંભળાવેલી બે સુંદર ગઝલો હોય કે પરીક્ષા વખતની હાલતની બયાન કરતી કૃતિ, તાહાભાઈને ખૂબ દાદ મળી. અક્ષરપર્વમાં ઉપસ્થિત રહેવા બદલ અને આવી સુંદર રચનાઓ પ્રસ્તુત કરવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે અનેક જાનદાર રચનાઓ આપણને મળતી રહે તેવી આશા સાથે આવો સાંભળીએ અક્ષરપર્વમાં તેમણે રજૂ કરેલી ત્રણેય રચનાઓ તેમના જ સ્વરમાં.


શ્રી વિમલ અગ્રાવત દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૯ (Audiocast) 10

શ્રી વિમલભાઈ અગ્રાવત સાથે સંપર્ક આમ તો ઘણા સમયથી, ફોન પર ક્યારેક વાતો પણ થયેલી અને રાજુલા અને પીપાવાવ વચ્ચે પચીસેક કિલોમીટરનું અંતર હોવા છતાં રૂબરૂ મળવાનો પ્રસંગ અક્ષરપર્વને લીધે મળ્યો. પીપાવાવ ચોકડીથી વડોદરા સુધીની અમારી સફર અનેરી મજા કરાવી યાદગાર થઈ તો અક્ષરપર્વમાં તેમની એક્કેક રચનાઓને શ્રોતાઓએ ખૂબ દાદ આપી. સ્વભાવે તદ્દન સરળ, રચનાઓની રીતે પૂરેપૂરા સબળ અને નિખાલસ એવા વિમલભાઈને મળ્યા પછી આટલો વખત ન મળ્યાનો અફસોસ થયો. રાજુલા – જાફરાબાદ – મહુવા વિસ્તારમાં સમયાંતરે કાવ્યપઠન અથવા ફક્ત સમરસીયા મિત્રોના મિલનનો કાર્યક્રમ ગોઠવવાની ઈચ્છાનો પડઘો પણ તેમણે એ સફર દરમ્યાન જ પાડ્યો. આજે પ્રસ્તુત છે તેમની જ ત્રણ રચનાઓ તેમના અવાજમાં.


શ્રી જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૮ (Audiocast) 8

શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિની ગઝલો જ્યારે પ્રથમ વખત અક્ષરનાદ માટે મળી ત્યારે એમ થયું કે આ સાહેબ કોઈક પ્રસ્થાપિત ગઝલકાર હશે, અને તેમના સંગ્રહ સુધી આપણા હાથ પહોંચી શક્યા નહીં હોય. પરંતુ તે પછી ખબર પડી કે તેમની ગઝલો હજુ સુધી ક્યાંય પ્રસિદ્ધ નથી થઈ, ત્યારે એક સુઘડ, અર્થસભર અને છતાંય સિદ્ધહસ્ત લાગે તેવી રચાયેલી ગઝલોના એક સર્જકને રજૂ કર્યાનો આનંદ થયો. અક્ષરનાદ પર આ પહેલા પણ તેમની ગઝલો રજૂ થતી જ રહી છે. પણ અક્ષરપર્વમાં તેમની ઉપસ્થિતિ એક અનોખો પ્રસંગ ઉભો કરી ગઈ છે. તા. ૨૦ મે ના રોજ તેમણે પ્રભુતામાં પગલાં પાડ્યા. તેમની પ્રેમભરી ગઝલોને એક નવું પ્રેરકબળ મળે, તથા તેમના બંનેના જીવનમાં પ્રેમ, આનંદ તથા ઉલ્લાસની છોળો ઉડે તેવી શુભેચ્છાઓ સાથે અક્ષરનાદના સર્વે વાચકો તરફથી બંનેને સહજીવનની અનેક શુભેચ્છાઓ. અનેક સીમાડાઓને અવગણીને અક્ષરપર્વને તેમની ગઝલરચનાઓથી શોભાવવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.