Yearly Archives: 2012


પ્રેરક કથાઓ (વાંચનયાત્રાનો પ્રસાદ) – ‌સંકલિત 5

આજે પ્રસ્તુત છે શ્રી મહેન્દ્ર મેઘાણી દ્વારા સંપાદિત ‘વાંચનયાત્રાનો પ્રસાદ’માંથી કેટલાક નાનકડા પરંતુ પ્રેરણાદાયક પ્રસંગો. આ પ્રસંગોમાં સમાવિષ્ટ છે વિનોબા ભાવેની સાથે થયેલ એક હ્રદયસ્પર્શી ઘટના અને ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી બાબુભાઈ વિશેના મણિભાઈ પટેલના કેટલાક પ્રેરણાદાયક અનુભવો. ક્યારેક નાનકડી વાત હ્રદય પર ચોટ કરતી હોય છે, એ જ આશા સાથે આજના આ ટૂંકા પ્રસંગો પ્રસ્તુત છે.


ઓતરાતી દીવાલો – કાકાસાહેબ કાલેલકર 4

જેલના અનુભવ એટલે શું હોય? જેલના અમલદારો સાથેના પ્રસંગો, ત્યાંણો ખોરાક, મજૂરી કરતાં પડેલા કષ્ટો, બીજા કેદીઓ સાથેની વાતચીત, અથવા તો જેલમાં મળતા આરામના વખતમાં વાંચેલી ચોપડીઓ અને લખેલા લખાણો એટલો જ ખ્યાલ સામાન્યપણે રખાય છે. પણ જેમાં માણસનો સંબંધ જ ન હોય એવો પશુપક્ષી, ઝાડપાન, ટાઢતડકા, વરસાદ ને ધુમ્મસનો અનુભવ કંઈ જેલમાં ઓછો નથી હોતો. જિંદગીનો મોટો ભાગ જેણે શહેર બહાર કુદરતના ખોળામાં ગાળ્યો છે, નવરાશના મહિનાઓ રખડુ મુસાફર થઈ ગાળવામાં જેણે આનંદ માણ્યો છે એવા મારા જેવાને જેલની ચાર દીવાલની અંદર પ્રકૃતિ માતાનો એવો અનુભવ ન મળે તો તેની શી વલે થાય? મારી દ્રષ્ટિએ આ વિભાગનો જેલનો અનુભવ જેટલો મહત્વનો તેટઓ જ રમણીય છે. આ અનુભવમાં ઈર્ષા દ્વેષ કશું ન મળે, દયા ખાવાપણું કે દયા માગવાપણું બહુ ઓછું હોય અને છતાં એમાંથી હ્રદયને જોઈતો ખોરાક પૂરેપૂરો મળે.


મહેતાબ – નિમિષા દલાલ 8

નિમિષાબેન દલાલની આ પહેલા ચાર વાર્તાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. ગૂંચવણો વગરની અને સામાન્ય જીવનઘટનાઓને સહજતાથી સ્પર્શતી અને એવી જ સરળ પ્રવાહી શૈલી અને ભાષા ધરાવતી તેમની વાર્તાઓમાં આપણા સમાજજીવનની સરળતા ઝળકે છે. ઘરકામમાંથી નવરાશ મેળવીને એક ગૃહિણી આમ સતત સાહિત્યસર્જનના પ્રયત્નમાં રત રહે તે ખરેખર એક પ્રશંશાપાત્ર વાત કહેવાય. આજે પ્રસ્તુત છે તેમની એક વધુ વાર્તા તેમના આગવા અંદાઝમાં. અક્ષરનાદને પ્રસ્તુત વાર્તા પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


હીરાની ખાણ (અધ્યાત્મ-કથાઓ) – ભાણદેવ 8

‘કસ્તુરી કુંડલ બસે મગ ખોજે બન માંહી’ મૃગની નાભિમાં કસ્તુરી છે, તે કસ્તુરીની સુગંધ લઈને સુગંધના કેન્દ્રની શોધ માટે વનમાં ભટકી રહ્યો છે. અરે ! તેને કોઈ તો સમજાવો કે જે વસ્તુની શોધમાં તે જંગલમાં ભટકી રહ્યો છે તે તેની પોતાની નાભિમાં જ છે – એ સુગંધ તેની નાભિમાંથી જ આવી રહી છે. માણસનું પણ આવું જ નથી? જે પરમતત્વને, પરમ આનંદને, શાંતિને શોધવા માટે આપણે અહીં ત્યાં સર્વત્ર ભટકીએ છીએ તે પરમાનંદનું કેન્દ્ર સચ્ચિદાનંદ આત્મા તો આપણી અંદર જ છે. અરે, તે આપણું પોતાનું નિજ સ્વરૂપ જ છે. આંખ ખોલો અને જુઓ – તમે જે શોધો છો તે તો તમારી અંદર – તમારી પાસે જ સદા સર્વદા છે. આ જ વાતને સુંદર કથાનક ઉદાહરણ દ્વારા અહિં પ્રસ્તુત કરાઈ છે.


કચ્છી સાહિત્યમાળાના મોતી – સંકલિત 4

કચ્છી ભાષાસાહિત્યમાં રચનાકારો તો અનેક છે, અસાધારણ અને અનોખા છે. પણ ગુજરાતી સાહિત્યના વાચકો એમાંથી કયા નામો ગણાવી શકે? અસ્મિતાપર્વને લીધે શ્રી દુલેરાય કારાણીનું ફક્ત નામ મેં જાણ્યું, પણ આપણી કહી શકાય એવી કચ્છી ભાષાની મોંઘેરી મીરાંત – કચ્છી ભાષા સાહિત્ય વિશે વિગતે જાણવાની તક મળી શ્રી પ્રભાશંકર ફડકેના પુસ્તક ‘શબ્દને સથવારે’ વાંચતા વાંચતા. પ્રસ્તુત સુંદર અને અલભ્ય પુસ્તક કચ્છી ભાષા સાહિત્યના વિકાસક્રમ, સર્જકો તથા સર્જન વિશે અલગ અલગ લેખના માધ્યમથી ખૂબ વિસ્તૃત પરંતુ મુદ્દાસર વાત કરે છે. લેખક સાથે સાથે કૃતિઓનો રસાસ્વાદ કરાવવાનું પણ ચૂક્યા નથી, અને એ આપણા માટે તો આશિર્વાદ સમાન જ છે. પ્રસ્તુત પુસ્તકની વધુ માહિતિ તથા તેની સમીક્ષા તો રજૂ કરવામાં આવશે જ, પરંતુ આજે પ્રસ્તુત છે કચ્છી ભાષા સાહિત્યના કેટલાક રત્નો – પદ્યકણિકાઓ જે શ્રી પ્રભાશંકર ફડકેના પુસ્તક ‘શબ્દને સથવારે’માંથી સાભાર લીધી છે. અક્ષરનાદને આ પ્રસ્તુતિ કરવાની પરવાનગી આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


મારા મનપસંદ શે’ર – સંકલિત 12

આજે પ્રસ્તુત છે કેટલાક ગમતીલાં સંકલિત શે’ર. આ પંક્તિઓ ફક્ત શબ્દોનો માળો નથી, એમાં તો અર્થના પંખીઓ અંતરનાદનો ચહેકાટ રેલાવે છે. એક એક પંક્તિ મનની વાત કહે છે, હ્રદયને સ્પર્શે છે. આશા છે આપને આ સંકલન ગમશે.


પંખી તો ઉડતાં ભગવાન છે… – જીજ્ઞા ત્રિવેદી 6

જિજ્ઞા બહેનના ગઝલસંગ્રહ ‘અર્થના આકાશમાં’ માંથી એક ગઝલ આપણે ગત અઠવાડીએ માણી અને તેમના અવાજમાં સાંભળી પણ ખરી. આજે તેમની વધુ એક સુંદર રચના પ્રસ્તુત કરવાની લાલચ રોકી શક્તો નથી. જો કે આજની રચના તેમના સંગ્રહમાંથી નથી લીધી, એ તેમનું ગઝલોપરાંતનું સર્જન છે – એ એક સુંદર મજાનું ગીત છે. એક એવું ગીત જેમાં તેમણે સજીવ ઈશ્વરની કલ્પના કરી છે, પંખીને તેમણે ઉડતા ભગવાન ગણાવ્યા છે અને એ પછી પોતાની વાતના પુરાવા રૂપે તેઓ અનેક તર્કસંગત કારણો આપે છે, માણીએ આ સુંદર ગીત. પ્રસ્તુત રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જિજ્ઞાબેનનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમે આવા સુંદર સર્જનો સતત થતાં રહે તેવી અનેક શુભકામનાઓ.


ફેસબુકમાં લોગ ઈન વેળાએ… – જીજ્ઞેશ અધ્યારૂ 25

ફેસબુક વિશે અનેક લોકોનું ગાંડપણ આજકાલ જોઈ રહ્યો છું. એમાંથી ઘણાને તો ખબર પણ નથી કે એમ કરવાથી શું મળશે… મારી કંપનીની ગાડીમાં ડ્રાઈવર તેના મોબાઈલમાં દર મહીને સો રૂપિયાનું રીચાર્જ ફેસબુક માટે કરાવે છે, ચાલુ વાહને તે સ્ટેટસ અપડેટ કરે છે. બીજા ડ્રાઈવરને કહે છે કે મને ફ્રેન્ડ લિસ્ટમાં ઍડ કર. મારો એક પિત્રાઈ ભાઈ ભણવાનું છોડીને સતત મોબાઈલ અથવા સાઈબર કૅફેમાં જઈને કોમ્પ્યુટર દ્વારા ફેસબુક પર મંડ્યો રહે છે. ફેસબુક એવી તે કઈ વસ્તુ છે કે તેના માટે ગાડપણની સીમાઓ પાર કરાઈ રહી છે? આ વિશે લખવાની ઈચ્છા ઘણા વખતથી હતી, અને અચાનક ખલિલ જિબ્રાનનું “વિદાય વેળાએ’ હાથમાં આવ્યું, પછી શું? અને તે પછી મોબાઈલ હાથમાં લઈ કીપેડથી સતત ટાઈપ કરતી એક યુવતી બોલી, અમને ફેસબુક વિશે કંઈ કહો…..


દેવલાલીના સંભારણાં – ગોપાલ પારેખ 8

શ્રી ગોપાલભાઈ પારેખનો પરિચય નેટજગતના વાચકોને આપવાની જરૂર જ નથી. ગુજરાતી નેટવિશ્વના વૃદ્ધ યુવાન કાર્યકર એવા ગોપાલભાઈ હમણાં થોડા દિવસો માટે મહારાષ્ટ્રના દેવલાલી ખાતે હવાફેર માટે ગયેલા, ત્યાં રહીને આવ્યા બાદ તેમને થયેલ અનેક સુંદર અનુભવો વિશે તેમણે વાત કરી. આજના વિશ્વમાં જ્યાં એક તો આવા અનુભવો જૂજ છે અને બીજું કે તેમને અનુભવવાવાળાની નકારાત્મકતા એ અનુભવને શંકાની જ નજરોથી જુએ છે ત્યાં ગોપાલભાઈની અનુભૂતિ મને ખૂબ ગમી. તેમના જ શબ્દોમાં આજે તેમના ત્રણ અનુભવો પ્રસ્તુત છે.


ખણખોદ…. ફરી એક વાર (૧૨) – સંકલન : જીજ્ઞેશ અધ્યારૂ 10

મિત્રો, આજે ફરીથી એક વખત પ્રસ્તુત છે કેટલીક સંકલિત ખણખોદ – અવનવી વાતો, ક્યાંક સ્મિત છે, ક્યાંક મરકાટ તો ક્યાંક ચળકાટ. કોઈક માથું દુખાડશે તો કોઈક હસાવશે. આશા છે આપ સૌને આ સંકલન ગમશે.


નરસિઁહ મહેતાનાં જીવન કવન વિષયક પદો – તરુણ મહેતા (Audiocast) 13

શ્રી તરુણ મહેતાની કલમે લખાયેલ નરસિંહના જીવન કવન વિશેનો આ પૂર્વે એક લેખ પ્રસ્તુત થયેલો, આજની પ્રસ્તુતિ એ જ શૃંખલાની બીજી કડી છે. આ વિસ્તૃત લેખ એક સુંદર અને માહિતિપ્રદ કૃતિ સમ બની રહેશે એ વાતમાં તો કોઈ શંકાને સ્થાન નથી, પણ આ લેખની પ્રેરણાએ તરુણભાઈના જ અવાજમાં લેપટોપ પર હેડફોન અને માઈકના સહારે આ સમગ્ર કૃતિને રેકોર્ડ કરી અને પછી તેને ઍડીટ કરવામાં અનેક મિત્રોનો સુઝાવ રૂપ સહયોગ મળતો રહ્યો છે. વાંચો અને સાંભળો…. પ્રસ્તુત છે ગુજરાતી બ્લોગ જગતની પ્રથમ ઑડીયો પોસ્ટનો બીજો ભાગ…. આજે આપણે વાત કરી રહ્યા છીએ ફક્ત નરસિંહ મહેતાના સર્જન વિશે.


અનોખું મિલન – નિમિષા દલાલ 7

અમદાવાદની શેઠ સી.એન વિદ્યાલયમાં ફક્ત દસમા ધોરણ સુધી ભણેલા અને હાલ સૂરત સ્થિત ગૃહિણી શ્રીમતિ નિમિષાબેન દલાલ વાંચનના શોખીન છે, ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’ની વાતો સાંભળવાનો અલભ્ય અવસર જેમને શાળા સમયમાં મળેલો એવા નિમિષાબેનને સાહિત્યસર્જનમાં પણ આનંદ આવે છે. ઘરકામમાંથી નવરાશ મળતાં જ તેઓ વાંચન અને લેખનના શોખને આગળ ધપાવે છે. વાચકોના પ્રસ્તુત વાર્તા માટેના પ્રતિભાવ તેમને વધુ સર્જન માટે પ્રોત્સાહન આપશે. અક્ષરનાદને વાર્તા મોકલવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


શબ્દનું ફૂટ્યું કિરણ, અજવાસ જેવું છે બધે… – જીજ્ઞા ત્રિવેદી (Audiocast) 14

ભાવનગરની ‘સ્કૂલ ઑફ ગુજરાતી ગઝલ’માંથી ગઝલરચના વિશેનું વિધિવત શિક્ષણ લઈને ગઝલરચનાના ક્ષેત્રમાં પગ માંડનાર શ્રીમતિ જીજ્ઞા ત્રિવેદી એ પછી લગભગ એક વર્ષના ખૂબ જ ટુંકા સમયમાં તેમનો પ્રથમ ગઝલસંગ્રહ “અર્થના આકાશમાં” લઈને ઉપસ્થિત થયા છે. વ્યવસાયે શિક્ષિકા એવા શ્રી જીજ્ઞાબહેન સર્જક જીવ છે, એંશી જેવી સુંદર ગઝલો ધરાવતા આ સંગ્રહને સુંદર આવકાર આપીએ અને જીજ્ઞાબહેનની કલમે આપણને આવી સુંદર – માતબર રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ. ગઝલસંગ્રહ સાથે તેમણે એ ગઝલોને સ્વર પણ આપ્યો છે અને એ ગાયકી ધરાવતી સી.ડી તેમણે અક્ષરનાદને સંગ્રહની સાથે પાઠવી છે. આજે માણીએ તેમના સંગ્રહની પ્રથમ ગઝલ, વાંચવાની સાથે સાથે સાંભળીએ તેમના જ સ્વરમાં, સંગીત સંચાલન અને રેકોર્ડિગ ભદ્રાયુ રાવળનું છે. સંગ્રહ તથા ઑડીયો સીડી અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ જીજ્ઞાબહેનનો ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.


સોળાક્ષરી પદ્ય રચનાઓ…. – ધવલ સોની 5

ધવલભાઈ સોની આ પહેલા પણ અક્ષરનાદ પર અક્ષરદેહે આવી ચૂક્યા છે, આજે પ્રસ્તુત છે તેમની પદ્યરચનાઓમાંની વિશેષ – દસ રચનાઓ જેમાંની પ્રત્યેક છે સોળાક્ષરી. ખરેખર તો એ પદ્ય રચનાઓ સોળાક્ષરી નહીઁ, સોળ શબ્દીય રચનાઓ છે, તેઓ કહે છે “સોળાક્ષરી નામ એટલા માટે રાખ્યું છે કે માત્ર સોળ શબ્દોમાં દર્દ, આનંદ, કટાક્ષ કે વ્યંગ, ભાવનાઓ કે લાગણીઓનો સહારો લઈને ઘણું બધું કહી દેવાનો એક પ્રયાસ માત્ર કર્યો છે… તો આશા છે કે વાચકોને પણ ગમશે કેટલીક મને ગમતી રચનાઓ…


સંબંધોમાં સ્પામ ફિલ્ટર… – ડૉ. જગદીશ જોશી 2

સંબંધોના ગહન વિષયને સમજવા માટેનો એક સરળ પ્રયાસ ચાલી રહ્યો છે – જે અંતર્ગત ડૉ. જગદીશભાઈ જોશીના લેખન મણકાઓ આપણે માણી રહ્યા છીએ. આ પહેલા આપણે આ જ વિષય પર ત્રણ લેખ જોઈ ગયા છીએ. એ જ અનુસંધાનને આજે આગળ ધપાવી રહ્યા છીએ. સેન્ટર ફોર ઑન્ટ્રપ્રનર ડૅવલપમેન્ટમાંથી સેવાનિવૃત્ત થયેલા ડૉ. જોશીએ તેમના વ્યવસાયકાળમાં મેનેજમેન્ટ ટ્રેઈનર અને બિહેવીયર કાઉન્સીલર તરીકે કામ કર્યું છે એટલે પ્રસ્તુત વિષય પર લેખવા માટે તેઓ અધિકૃત વ્યક્તિ તો ખરાં જ, સાથે સાથે યુવાનોને જીવનમાં સંબંધોને લઈને અનુભવાતી અનેક તકલીફોનું તેમણે અધ્યયન અને વિશ્લેષણ કર્યું છે. તેમના વ્યવસાય દરમ્યાન અચિવમેન્ટ મોટીવેશન ટ્રેઈનીંગ દરમ્યાન અનેક યુવાનોએ તેમને સંબંધો વિશે, પતિ પત્ની વગેરે જેવા સંબંધોમાં ઉભી થતી તકલીફો દૂર કરવા માટે માર્ગદર્શન માંગ્યુ હતું. સંબંધોના અનેક પાસાઓ અને પરિમાણો ચર્ચતી આ વાત એક શ્રેણી બનવા જઈ રહી છે. ગુજરાતી બ્લોગ જગત માટે આ એક અનોખો અને નવલો પ્રયત્ન છે જેમાં ઑનલાઈન બિહેવીયર કાઉન્સેલિંગ અને સંબંધોના આટાપાટાને સરળ રીતે સમજાવતી ફિલસૂફી ચર્ચાઈ રહી છે. આ વિષયમાં તેમના વિચારો અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે ચર્ચાના માધ્યમથી વિશદ બને અને તેનો અનેક મિત્રો લાભ લઈ શકે એ હેતુથી આ શ્રેણી પ્રસ્તુત થઈ રહી છે.


અક્ષરનાદ તરફથી પ્રથમ પુસ્તક…. 52

વ્યવસાયની વ્યસ્તતાઓ, પારિવારીક કાર્યો અને અક્ષરનાદ પર રોજની પોસ્ટ, એમ ત્રિપાંખીયા વ્યૂહની વચ્ચે એક નવી વાત – કહો કે સ્વપ્ન શક્ય થવા જઈ રહ્યું છે જેનો મને ખૂબ ઉત્સાહ છે – અને આશા છે કે આપ સૌનો પણ એવો જ આશિર્વાદ, શુભેચ્છાઓ અને પ્રતિસાદ હશે. પ્રસ્તુત થવા જઈ રહ્યું છે અક્ષરનાદ તરફથી પ્રથમ પુસ્તક ‘૨૫૧ ઉપયોગી અને અનોખી વેબસાઈટ્સ – સંકલન : જીજ્ઞેશ અધ્યારૂ’ – પુસ્તક હજુ તૈયાર કરાઈ રહ્યું છે અને ટૂંક સમયમાં આપ સૌ સમક્ષ ઉપલબ્ધ થશે. વધુ વિગતો પ્રસ્તુત લેખમાં સમાવિષ્ટ છે.


પંઢરીબાઈ – બકુલેશ ભટ્ટ 8

ભાવનગર ખાતે રહેતા શ્રી બકુલેશભાઈ ભટ્ટ એક ફ્રિલાન્સ લેખક અને કૉલમિસ્ટ છે, જન્મભૂમીમાં તેઓ લઘુનવલો આપી ચૂક્યા છે, ૬૭ – ૬૮ વર્ષની ઉંમરે પણ તેઓ સતત લેખનરત છે. સત્યઘટના પર આધારિત પ્રસ્તુત હ્રદયસ્પર્શી પ્રસંગ આજના સમયમાં પણ ટકી રહેલી પ્રમાણિકતાનો પરિચાયક છે, ઘરકામ કરનારી પંઢરીબાઈનું મૂઠી ઉંચેરુ સ્વરૂપ દર્શાવીને ભાવકના મનમાં તેમના વિશેનું સ્પષ્ટ ચિત્ર લેખક ઉપસાવી શક્યા છે. મોટા મોટા કૌભાંડો અને કરોડોના ગોટાળાઓ વચ્ચે કામદાર વર્ગના લોકોની માનવતાના આવા પ્રસંગો નોંધવા આજના સમયમાં વધુ જરૂરી છે, તેમની પ્રમાણિકતા કોઈ નોંધની મોહતાજ નથી પણ તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે – ધનવાનોની લાલસા આવા ગરીબોની ઉદારતાની સામે પાણી ભરે છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી બકુલેશભાઈ ભટ્ટનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.


એક નાસ્તિકતાભર્યો આસ્તિક લેખ….. 19

હાર્દિકભાઈ યાજ્ઞિક આમ તો અક્ષરનાદ પર વાર્તાઓ અને પદ્યરચના રૂપે ઘણી વાર ઉપસ્થિત થયા છે, તેમનો અવાજ પણ ઑડીયોકાસ્ટ વિભાગમાં આપણે માણ્યો જ છે, પરંતુ આજે વિચારમંથન અથવા તો કહો કે આત્મમંથન રૂપે એક નાનકડો પરંતુ ચોટદાર મુદ્દો તેઓ ઉપસ્થિત કરી રહ્યા છે. નાસ્તિકતા અને આસ્તિકતા વચ્ચે, ઈશ્વરને પામવાની, ભજવાની અને તેના અસ્તિત્વને સમજવાની મથામણો વચ્ચે જે સવાલ લગભગ દરેકને કોઈકને કોઈક ક્ષણે થતો હશે એવો સવાલ અને તેનો જવાબ શોધવાની મથામણ તેઓ પ્રસ્તુત લેખમાં કરે છે. તેમની મથામણને અંતે જવાબ તો સૌએ પોતે જ શોધવાનો છે, પરંતુ આ એક આંગળીચીંધણ છે, આત્મમંથન માટેની શરૂઆત છે. અક્ષરનાદને પ્રસ્તુત લેખ પાઠવવા બદલ હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ. આપના નિખાલસ પ્રતિભાવોનું હાર્દિક સ્વાગત છે.


ધન અને સત્તાનો મોહ કે સંતોષનો આનંદ? – ભરત રાજ્યગુરૂ 3

વિરાણીચોક, રાજકોટ ખાતે રહેતા શ્રી ભરતભાઈ રાજ્યગુરૂની કૃતિ વંદિતાબેન રાજ્યગુરૂએ અક્ષરનાદને પાઠવી છે, લાંબા સમયથી તેની પ્રસ્તુતિ અપેક્ષિત હતી જે આજે શક્ય બની છે. પ્રસ્તુત વિચારધારામાં તેઓ સત્તા અને ધનને મનના વિકેન્દ્રીકરણનું કેન્દ્ર બતાવતા સંતોષ અને આનંદના વિરોધમાં મૂકે છે. સમ્યક અને જરૂર પૂરતું ધન ઉપયોગી વસ્તુ છે, પરંતુ અમર્યાદ ધન અને સત્તાની લાલસા કદી પૂર્ણ થતી નથી એવું તેઓ દ્રઢપણે માને છે. તેમના સ્પષ્ટ વિચારો અને ઉદાહરણ સાથે વાત કરવાની શૈલી સુંદર પ્રસ્તુતિ કરી જાય છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


ખણખોદ…. ફરી એક વાર (૧૧) – સકલન. જીજ્ઞેશ અધ્યારૂ 15

ઘણા વખત પહેલા સુધી અક્ષરનાદ પર સતત નિયમિત રીતે ‘શું તમે આ ખણખોદ વાંચી’ શીર્ષક હેઠળ સંકલિત કરીને મૂકાતી હતી. આજે ઘણા વખત પછી ફરીથી એ જ શૃંખલાને આગળ વધારી રહ્યો છું. પ્રસ્તુત છે થોડાક ટૂચકાઓ અને હાસ્યસભર વાક્યો. આશા છે વાંચકમિત્રોને પસંદ આવશે.


વાચકોની પદ્યરચનાઓ – સંકલિત 2

અક્ષરનાદનું એ સદભાગ્ય છે કે ઘણા વાચકમિત્રો તેમની કાવ્યસર્જનની યાત્રા અક્ષરનાદની સાથે કરી રહ્યા છે, ઘણા મિત્રો નિયમિતપણે તેમની પદ્યરચનાઓ અક્ષરનાદને પાઠવતા રહે છે. એ મિત્રોની રચનાઓ સતત પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરતો રહું છું, જે દર વખતે શક્ય થતું નથી. છતાંય સમયાંતરે એ રચનાઓ પ્રસ્તુત થવી જ જોઈએ એ ઇચ્છાને અનુસરીને આ કૃતિઓ ઘણી વાર મૂકાઈ છે અને આજે પણ મૂકી છે. એ સર્વે મિત્રોનો ખૂબ આભાર જેઓ અક્ષરનાદને નિયમિત તેમની રચનાઓ પાઠવવા યોગ્ય સમજે છે. કાવ્યસર્જનની પ્રક્રિયા સાથે સંકળાવા ઈચ્છતા દરેક રચનાકારને કોઈ માર્ગદર્શક કે ગુરુ મળતા નથી – અક્ષરનાદના માધ્યમથી આપ સર્વે સુજ્ઞ વાચકો આવા મિત્રોને આપના સાચા પ્રતિભાવ દ્વારા રસ્તો બતાવી શકો છો. આજે શ્રી કુસુમ પટેલ, શ્રી જનક ઝીંઝુવાડીયા, શ્રી રમેશભાઈ ચાંપાનેરી અને શ્રી વિજય જોશીની પદ્ય રચનાઓ પ્રસ્તુત છે.


સરળ, છતાં રસપ્રદ જીવન… – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 8

જીવનને સરળ બનાવવું એટલું સરળ નથી. લિયોની વેબસાઈટની મદદથી છેલ્લા કેટલાક સમયથી ઝેન વિચારસરણી સાથે પરિચિત થયો. કેટલું આશ્ચર્યજનક છે કે ઝેન શબ્દ આપના સંસ્કૃતના શબ્દ ‘ધ્યાન’ પરથી જ ઉતરી આવેલો છે – ઝેન ફીલસૂફી એ કોઈ પણ ક્રિયાને ધ્યાનપૂર્વક કરવાની પદ્ધતિ છે, સરળતાપૂર્વક અને સહજતાથી તેનો પૂરો આનંદ લઈને કરવાની પદ્ધતિ છે. આજે જીવનમાં મોટા ફેરફારો નહીં પણ નાનકડા બદલાવોની જરૂર છે અને એવી જ કેટલીક સામાન્ય પણ ઉપયોગી વાતો અહીં મૂકી છે. પ્રેરણા લીધી છે લિયોના બ્લોગ પરથી જ પણ તેમાં મારા અનુભવો અને વાતો ઉમેર્યા છે. આશા છે વાંચકમિત્રોને પસંદ આવશે.


સંબંધોમાં સમજણની ઉલઝન – ડૉ. જગદીશ જોશી. 4

ડૉ. જગદીશભાઈ જોશીનો અક્ષરનાદ પર સંબંધો વિશેનો આ ત્રીજો લેખ છે. આ પહેલા પણ ‘તમે સંબંધોને નજીકથી નિહાળ્યા છે?’ અને ‘રણમાં મીઠી વીરડી એટલે પ્રેમ’ એ શીર્ષક હેઠળ તેમના બે લેખ પ્રસ્તુત થયેલા, એ જ અનુસંધાનને આજે આગળ ધપાવી રહ્યા છીએ. સેન્ટર ફોર ઑન્ટ્રપ્રનર ડૅવલપમેન્ટમાંથી સેવાનિવૃત્ત થયેલા ડૉ. જોશીએ તેમના વ્યવસાયકાળમાં મેનેજમેન્ટ ટ્રેઈનર અને બિહેવીયર કાઉન્સીલર તરીકે કામ કર્યું છે એટલે પ્રસ્તુત વિષય પર લેખવા માટે તેઓ અધિકૃત વ્યક્તિ તો ખરાં જ, સાથે સાથે યુવાનોને જીવનમાં સંબંધોને લઈને અનુભવાતી અનેક તકલીફોનું તેમણે અધ્યયન અને વિશ્લેષણ કર્યું છે. તેમના વ્યવસાય દરમ્યાન અચિવમેન્ટ મોટીવેશન ટ્રેઈનીંગ દરમ્યાન અનેક યુવાનોએ તેમને સંબંધો વિશે, પતિ પત્ની વગેરે જેવા સંબંધોમાં ઉભી થતી તકલીફો દૂર કરવા માટે માર્ગદર્શન માંગ્યુ હતું. સંબંધોના અનેક પાસાઓ અને પરિમાણો ચર્ચતી આ વાત એક શ્રેણી બનવા જઈ રહી છે. ગુજરાતી બ્લોગ જગત માટે આ એક અનોખો અને નવલો પ્રયત્ન છે જેમાં ઑનલાઈન બિહેવીયર કાઉન્સેલિંગ અને સંબંધોના આટાપાટાને સરળ રીતે સમજાવતી ફિલસૂફી ચર્ચાઈ રહી છે. આ વિષયમાં તેમના વિચારો અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે ચર્ચાના માધ્યમથી વિશદ બને અને તેનો અનેક મિત્રો લાભ લઈ શકે એ હેતુથી આ શ્રેણી પ્રસ્તુત થઈ રહી છે.


શરણાઈના સૂર… – ચુનીલાલ મડીયા (ભાગ ૨) 7

ચુનીલાલ મડીયા આપના સર્વદર્શી સાહિત્યકાર છે, નવલકથા, વાર્તા, નાટક, વિવેચન, અનુવાદ, પ્રવાસવર્ણન, સોનેટસર્જન તથા સંપાદન જેવા અનેક ક્ષેત્રોમાં તેમણે સર્જન કર્યું છે. પ્રસ્તુત વાર્તા તેમના વાર્તાસંગ્રહ ‘શરણાઈના સૂર’માંથી લેવામાં આવી છે. શરણાઈવાળા રમઝુ મીરનું પાત્રાલેખન ભાવુક અને પુત્રીવત્સલ પિતાના પાત્રને ભાવકના હ્રદયમાં એક અનોખું સ્થાન અપાવે છે. ભૂધર મેરાઈની દીકરીના લગ્ન પછી વિદાયપ્રસંગ પોતાની પુત્રીની વિદાયનો પ્રસંગ હોય એમ સાનભાન ભૂલીને શરણાઈ વગાડતા મીરની મનોદશાનું અનન્ય આલેખન લેખકે આપ્યું છે. ખરેખર તો તે પોતાની શરણાઈના સૂર થકી પિતૃસ્નેહના સૂરોને જ વહાવી રહ્યો છે, પરંતુ જાનૈયાઓ એ સમજવા અસમર્થ છે – એ પ્રસંગનું વિગતે વર્ણન અને વાર્તાનો અનોખો અંત તેને એક યાદગાર સર્જન બનાવે છે. પ્રસંગમાં કરુણતાનું નિરુપણ લેખકની અનન્ય શૈલીનો પરિચય કરાવે છે અને વાચકના હ્રદયને પણ દ્રવિત કરી દે છે. આ વાર્તા આજે બે ભાગમાં પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત છે તેનો બીજો ભાગ


શરણાઈના સૂર… – ચુનીલાલ મડીયા (ભાગ ૧) 7

ચુનીલાલ મડીયા આપના સર્વદર્શી સાહિત્યકાર છે, નવલકથા, વાર્તા, નાટક, વિવેચન, અનુવાદ, પ્રવાસવર્ણન, સોનેટસર્જન તથા સંપાદન જેવા અનેક ક્ષેત્રોમાં તેમણે સર્જન કર્યું છે. પ્રસ્તુત વાર્તા તેમના વાર્તાસંગ્રહ ‘શરણાઈના સૂર’માંથી લેવામાં આવી છે. શરણાઈવાળા રમઝુ મીરનું પાત્રાલેખન ભાવુક અને પુત્રીવત્સલ પિતાના પાત્રને ભાવકના હ્રદયમાં એક અનોખું સ્થાન અપાવે છે. ભૂધર મેરાઈની દીકરીના લગ્ન પછી વિદાયપ્રસંગ પોતાની પુત્રીની વિદાયનો પ્રસંગ હોય એમ સાનભાન ભૂલીને શરણાઈ વગાડતા મીરની મનોદશાનું અનન્ય આલેખન લેખકે આપ્યું છે. ખરેખર તો તે પોતાની શરણાઈના સૂર થકી પિતૃસ્નેહના સૂરોને જ વહાવી રહ્યો છે, પરંતુ જાનૈયાઓ એ સમજવા અસમર્થ છે – એ પ્રસંગનું વિગતે વર્ણન અને વાર્તાનો અનોખો અંત તેને એક યાદગાર સર્જન બનાવે છે. પ્રસંગમાં કરુણતાનું નિરુપણ લેખકની અનન્ય શૈલીનો પરિચય કરાવે છે અને વાચકના હ્રદયને પણ દ્રવિત કરી દે છે. આ વાર્તા આજે બે ભાગમાં પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત છે તેનો પ્રથમ ભાગ.


મારો ખુદાતાલા… – ડૉ. પ્રફુલ્લ શાહ 6

સાવરકુંડલામાં એક અનોખા ડૉક્ટર વસે છે, એમનું નામ છે ડૉ. પ્રફુલ્લભાઈ શાહ. સદગત દીકરી સોનલના નામે સ્થાપેલા ફાઉન્ડેશન દ્વારા બહેનોને સ્વાવલંબી બનાવવાની સાથે કેળવવાના પ્રયત્નો, રક્તપિત, પોલીઓ જેવા રોગોનો વ્યાપક પ્રતિકાર, કિડનીના રોગોની સારવાર, ક્ષયનિવારણ, બાળ-પુસ્તકાલય, શિષ્યવૃત્તિઓની જોગવાઈ, વૃક્ષ ઉછેર, કલાઓની તાલીમ જેવી પ્રવૃત્તિઓમાં ડૉક્ટર સાહેબ અને તેમના ધર્મપત્નિ – આ બંનેએ સક્રિય રસ લીધો છે. જીવનના વિવિધ ક્ષેત્રો સાથે જોડાતા ગયેલા નાતાને પરિણામે જે અનુભવો પ્રાપ્ત થયા એ સાચવીને શબ્દમાં મૂક્યા. એ અનુભવોનું ભાથું એટલે ‘શબરીના બોર’ ઈ પુસ્તક – એ અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે જ, તે પછી એ જ અનુભવોનું વધુ વિશદ ભાથું ‘મનેખ નાનું મન મોટું’ એ નામે પ્રસિદ્ધ થયું, એમાંથી જ એક વાત આજે અહીં ટાંકી છે. જીવનમાં મોટી નકારાત્મક બાબતોની સામે ફક્ત એક જ હકારાત્મક વાત ઘણી પ્રેરણા આપતી જાય છે. અક્ષરનાદને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ. પ્રફુલ્લ શાહનો ખૂબ ખૂબ આભાર.


આશાદેવી… સ્ટેચ્યુ ઑફ લિબર્ટી – ડૉ. કનક રાવળ 2

ન્યૂયોર્કના બારામાં લિબર્ટી આઈલેન્ડ પર ઉભેલ સ્વતંત્રતાની રોમન દેવી – સ્ટેચ્યુ ઑફ લિબર્ટી મૂળે અમેરિકાને ફ્રાન્સના લોકો તરફથી મળેલ ભેટ છે, તે અમેરિકાની સ્વતંત્રતાનું અનોખું પ્રતીક થઈને ઊભરે છે, વિદેશીઓ માટે એ અમેરિકામાં આવીને વસવાની આશાને બળ આપતું પ્રેરણાધામ છે. તેના અંદરના ભાગે નીચલા સ્તરના ઓટલા પર ૧૮૩૩માં લખાયેલું એમ્મા લઝારસનું સોનેટ તાંબા પર કોતરાઈને ૧૯૦૩માં લગાવવામાં આવેલું, એ રચના એવા અનેક હજાર લોકોની વાત કરે છે જે અમેરિકા સ્થાયી થવા પોતાનું વતન છોડીને આવે છે. આપણા કલાગુરુ શ્રી રવિશંકર રાવળના પુત્ર ડૉ. કનકભાઈ રાવળે અક્ષરનાદને એ જ વિષયને લગતી પ્રસ્તુત સુંદર કૃતિ પાઠવી છે, તેને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


સિક્કાની બીજી બાજુ… – નિમિષા દલાલ 10

દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. જ્યારે કોઇ બે વ્યક્તિઓ વચ્ચે મતભેદ થાય કે નિર્ણય લેવામાં તકલીફ થાય ત્યારે એ બંનેને સિક્કો ઉછાળી નિર્ણય લેતાં તમે સાંભળ્યા હશે. જીવનરૂપી સિક્કાની પણ બે બાજુઓ હોય છે. સારું-નરસું, સુખ-દુઃખ, હાસ્ય-રૂદન, ચડતી-પડતી, ખુશી-ગમ, અંધારું-અજવાળુ… આ બધી એકજ સિક્કાની બે બાજુઓ છે પણ બંને એકબીજાની વિરોધાભાસી. જીવનના દરેક બનાવોની પણ બે બાજુ હોય છે. એક સારી અને બીજી નરસી. દરેક બનાવોના પરિણામોને પણ બે નજરથી જોવાય છે. એક સારુ અને નરસું. વરસોથી સ્ત્રીને પુરુષની દાસી માનવામાં આવતી હતી. પણ હમણાં થોડાક વર્ષોથી એને શિક્ષિત બનાવવામાં આવી છે. એના હકમાં કાયદાઓ ઘડવામાં આવ્યાં છે. પુરુષ સ્ત્રીને મારે તો સ્ત્રીની દયા ખાઈને પુરુષને દોષી માનવામાં આવે છે અને જો સ્ત્રી પુરુષને મારે તો એમ ચર્ચા થાય છે કે જરુર પુરુષે કંઈ અઘટીત કર્યું હશે. આમ દરેક બાબતમાં દોષી તો પુરુષજ બને છે. કાયદાઓ પણ સ્ત્રીનોજ સાથ આપે છે એટલે સ્ત્રી દ્વારા ઘણી જગ્યાએ એ કાયદાઓનો દુરુપયોગ થાય છે. અને એ કારણે પુરુષોને અન્યાય થઈ રહ્યો છે. કાયદા ઘડનારનો સ્ત્રીલક્ષી કાયદાઓ બનાવીને સમાજમાં સ્ત્રી-પુરુષને એક સરખો સામાજિક દરજ્જો મળે એ શુભ હેતુ હોઈ શકે છે પણ આગળ આપણે વાત કરી એમ સિક્કાની બીજી બાજુ રૂપે કેટલીક સ્ત્રીઓ એનો ઘણી જગ્યાએ દુરુપયોગ કરે છે. પ્રસ્તુત છે આવો જ એક પ્રસંગ અને વિચાર….


‘ઇશ્વર પરમાર – બહુઆયામી સર્જક’ (પુસ્તકસમીક્ષા) – અશોક વૈષ્ણવ 1

મૂળ રેવા, કચ્છના પણ વ્યવસાયને કારણે – જો કે ખરેખર તો એમ કહેવું જોઇએ કે ભેખ લઇને – દ્વારકા સ્થિર થયેલા ડૉ. ઇશ્વર પરમારનાં સાહિત્ય સર્જનને સંક્ષિપ્તમાં દસ્તાવેજીકરણ કરવાની દ્રષ્ટિએ ઇન્સ્ટીટ્યુટ ઑફ યુથ ડેવલપમૅન્ટ, ભુજ (કચ્છ) દ્વારા પ્રકાશીત અને શ્રી હરેશ ધોળકિયા દ્વારા સંકલિત પુસ્તિકા ‘ઇશ્વર પરમારઃ બહુઆયામી સર્જક’ ને વામન પગલાં સાથે સરખાવી શકાય. ડૉ.પરમાર જેવા સાધુચરીત સાંસારીક વ્યક્તિનાં તેમનાં ક્ષેત્રમાંનાં યોગદાનને એક જ છત્ર હેઠળ એકઠું કરવું તે દસ્તાવેજીકરણની દ્રષ્ટિએ મહત્વનું છે તેમાં તો બે મત ન હોઇ શકે. પરંતુ તેનું તેથી પણ વધારે મૂલ્ય એ વાતમાં રહેલું છે કે આ પુસ્તિકા, આવા ‘ખૂણે બેસીને કામ કરતા સર્જકો’નાં કામનો સીધો સંપર્ક સામાન્યતઃ તેની સાથે જેમનો સીધો સંપર્ક શક્ય નથી તેવા સમાજ સાથે, સાધી આપે છે.


અપાઈ મુજથી ગયું… – મનસુખલાલ ઝવેરી 3

એક નાનકડી ક્ષણમાંજ કવિહ્રદયને મળેલી અનુભૂતિની સુંદર વાત પ્રસ્તુત સોનેટ બખૂબી વર્ણવે છે. લાખો લોકો મહેનતના જોરે – મજૂરી દ્વારા પોતાના પેટની ભૂખ ભાંગવાનો પ્રયત્ન કરે છે અને ઘણાંય તે છતાં સફળ થતાં નથી, જ્યારે સામે પક્ષે ભિખારીઓ સમાજ માટે ભારરૂપ છે – વગર મહેનતે પ્રાપ્ત કરવાની લાલસા તેમને આવું કાર્ય કરાવે છે. એટલે કવિ ભિખારીની દયા ખાતા નથી, તેના વિકારને – આળસને તેઓ પોષવા માંગતા નથી. પણ ભિખારણની કાંખમાં બેઠેલ પેલા નિર્દોષ અબૂધ બાળકની સામે તેમનાથી જોવાઈ જાય છે ત્યારે એ બાળકે આપેલા નિર્ભેળ સ્મિતે તેઓ પીગળી જાય છે – અને ભીખ ન આપવી હોવા છતાં અપાઈ જાય છે એ અર્થનું સુંદર કાવ્ય કવિએ સર્જ્યું છે.