સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : વિચારોનું વન


નમનીય નોરતા – હર્ષદ દવે 1

નોરતાની નવરાત્રીઓ શરુ થઇ ગઈ છે. આ શારદીય તહેવાર ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતભરમાં લોકપ્રિય છે. તેમાં આપણી ધાર્મિક ભાવના અને હિંદુ સંસ્કૃતિ વણાયેલી છે. તેમાં શક્તિને પ્રણામ કરવામાં આવે છે. એના જ એક ભાગ રૂપે ગર્ભદીપ શબ્દ ‘ગરબે’ ઘૂમતો થયો. તેમાં ભાળ્યો રાસ જેમાં લહેકાવીને લાસ્ય સાથે અંગમરોડનું લચકદાર લાલિત્ય પ્રકટતું હોય છે. સ્ત્રીપ્રધાન ગરબામાં લાસ્ય-લચક અને સૌન્દર્ય વધારે હોય છે.


અમદાવાદી ટ્રૅફિક – મિહિર શાહ 22

સરકારી ઈજનેરી કોલેજ, ચાંદખેડા (અમદાવાદ) ખાતે, એસોસિએટ પ્રોફેસર (ઈલેકટ્રોનિક અને કોમ્યુનિકેશન) તરીકે ફરજ બજાવતા શ્રી મિહિરભાઈ શાહનો અક્ષરનાદ પર આ બીજો લેખ છે. આજે પ્રસ્તુત લેખ અમદાવાદના વાહનવ્યવહાર અને તેને લગતી સમસ્યાઓ વિશેના તેમના વિચારોનો પડઘો અહીં પ્રસ્તુત કરે છે. આ પહેલા અમદાવાદના ઈશ્વરભવન પાસે આવેલા જોગર્સપાર્કની વાત મૂકનાર મિહિરભાઈએ આજે અમદાવાદના ટ્રૅફિકની વાત વિગતો અને અનુભવોક્તિઓ સહિત અહીં મૂકી છે. તેમનો અંદાઝ સરસ છે અને વાંચનારને એ સમસ્યાઓથી બચવા અને બીજાઓને બચાવવાની પ્રેરણા આપે એવો છે. પ્રસ્તુત કૃતિ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી મિહિરભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


૨૬ જાન્યુઆરીની ભારતીયોમાં પરિભાષા… 8

આટલા વિશાળ દેશની વિવિધતાઓમાં એક દુઃખની વાત એ પણ છે કે ભારતીય હોવા કરતા આપણે ગુજરાતી, તમિલ, મલિયાલી, બિહારી, કાશ્મીરી જેવા અનેક વિભાગોમાં વહેંચાયેલા છીએ. પ્રસાશનની સરળતા માટે બનાવાયેલ વિભાગો માણસથી માણસને અલગ કરી રહ્યા છે. ગુજરાતની વાત કરો તો એમાં પણ કાઠીયાવાડી, અમદાવાદી, સૂરતી, કચ્છી… આપણને ગમે તેટલો મોટો સમુદ્ર મળે – ખાબોચીયું જ આપણું સ્વર્ગ હોય એમ લાગે છે. અને ખાબોચીયાના રાજા સમુદ્રને કદી સન્માન બક્ષી શકે એવી આશા કે અપેક્ષા રાખવી અસ્થાને છે. સ્વાર્થમાં લિપ્ત અને કૂપમંડુક રાજનેતાઓ, સતત પૈસાદાર અને સમૃદ્ધ થવા ગરીબોને વધુ ગરીબ કરી રહેલ ઉદ્યોગપતિઓ, ભ્રષ્ટ તંત્ર અને સ્વકેન્દ્રિત મનોસ્થિતિવાળા સમાજથી આગળ વધીને આપણા સ્વતંત્રતા સેનાનીઓએ જોયેલ સ્વપ્નના ભારતની આપણે પ્રાપ્તિ કરી શકીએ એવી અપેક્ષા આજે વ્યક્ત કરવાની જરૂર સૌથી વધુ છે.


પ્રથમ મિત્ર પોતે… – આનંદ રાજ્યગુરૂ 8

“મને કોઇ સમજતું નથી” , “મનેકોઇ સમજવા પ્રયત્ન કરતું નથી.” આવા વાક્યો સાથે પોતાની હતાશા ને વ્યક્ત કરનારા લોકો સમાજમાં ઠેરઠેર જોવા મળે છે. અને આપણે ખુદ પણ એમાંના એક જ હોઇએ છીએ. હંમેશા સામેની વ્યક્તિ જ મને સમજવાનો પ્રયત્ન કરે એવી અપેક્ષા હર કોઇની હોય છે. કારણકે પોતે તો સર્વગુણ સંપન્ન હોય છે ને! સામેની વ્યક્તિ મને સમજતી નથી એ કેવી રીતે ખબર પડી? કેમકે એના મનમાં તો આપણે ઘૂસ્યા જ નથી. અને વળી કદાચ એમના દૃષ્ટિકોણથી જોઇએ તો એ પણ આપણા જેવું જ વિચારતા હશે. તો વાંક કોનો? હર કોઇ પોતાની છબીને આદર્શ ગણીને સમાજમાં મૂકવા ઇચ્છશે તો આવી જ બન્યું ! એ તો એવું બનશે કે શ્રોતા વગરના વક્તા. કેમકે જે વ્યક્તિ પોતે જ પોતાને ઉત્તમ માને છે તેને સામેવાળાને મહત્ત્વ આપવું શું કામ ગમે? અને આ પ્રશ્ન જીવન પર્યંત વારંવાર ઉપસ્થિત થયા કરે કે મને કોણ સમજશે?


સંબંધોમાં સ્પામ ફિલ્ટર… – ડૉ. જગદીશ જોશી 2

સંબંધોના ગહન વિષયને સમજવા માટેનો એક સરળ પ્રયાસ ચાલી રહ્યો છે – જે અંતર્ગત ડૉ. જગદીશભાઈ જોશીના લેખન મણકાઓ આપણે માણી રહ્યા છીએ. આ પહેલા આપણે આ જ વિષય પર ત્રણ લેખ જોઈ ગયા છીએ. એ જ અનુસંધાનને આજે આગળ ધપાવી રહ્યા છીએ. સેન્ટર ફોર ઑન્ટ્રપ્રનર ડૅવલપમેન્ટમાંથી સેવાનિવૃત્ત થયેલા ડૉ. જોશીએ તેમના વ્યવસાયકાળમાં મેનેજમેન્ટ ટ્રેઈનર અને બિહેવીયર કાઉન્સીલર તરીકે કામ કર્યું છે એટલે પ્રસ્તુત વિષય પર લેખવા માટે તેઓ અધિકૃત વ્યક્તિ તો ખરાં જ, સાથે સાથે યુવાનોને જીવનમાં સંબંધોને લઈને અનુભવાતી અનેક તકલીફોનું તેમણે અધ્યયન અને વિશ્લેષણ કર્યું છે. તેમના વ્યવસાય દરમ્યાન અચિવમેન્ટ મોટીવેશન ટ્રેઈનીંગ દરમ્યાન અનેક યુવાનોએ તેમને સંબંધો વિશે, પતિ પત્ની વગેરે જેવા સંબંધોમાં ઉભી થતી તકલીફો દૂર કરવા માટે માર્ગદર્શન માંગ્યુ હતું. સંબંધોના અનેક પાસાઓ અને પરિમાણો ચર્ચતી આ વાત એક શ્રેણી બનવા જઈ રહી છે. ગુજરાતી બ્લોગ જગત માટે આ એક અનોખો અને નવલો પ્રયત્ન છે જેમાં ઑનલાઈન બિહેવીયર કાઉન્સેલિંગ અને સંબંધોના આટાપાટાને સરળ રીતે સમજાવતી ફિલસૂફી ચર્ચાઈ રહી છે. આ વિષયમાં તેમના વિચારો અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે ચર્ચાના માધ્યમથી વિશદ બને અને તેનો અનેક મિત્રો લાભ લઈ શકે એ હેતુથી આ શ્રેણી પ્રસ્તુત થઈ રહી છે.


ધન અને સત્તાનો મોહ કે સંતોષનો આનંદ? – ભરત રાજ્યગુરૂ 3

વિરાણીચોક, રાજકોટ ખાતે રહેતા શ્રી ભરતભાઈ રાજ્યગુરૂની કૃતિ વંદિતાબેન રાજ્યગુરૂએ અક્ષરનાદને પાઠવી છે, લાંબા સમયથી તેની પ્રસ્તુતિ અપેક્ષિત હતી જે આજે શક્ય બની છે. પ્રસ્તુત વિચારધારામાં તેઓ સત્તા અને ધનને મનના વિકેન્દ્રીકરણનું કેન્દ્ર બતાવતા સંતોષ અને આનંદના વિરોધમાં મૂકે છે. સમ્યક અને જરૂર પૂરતું ધન ઉપયોગી વસ્તુ છે, પરંતુ અમર્યાદ ધન અને સત્તાની લાલસા કદી પૂર્ણ થતી નથી એવું તેઓ દ્રઢપણે માને છે. તેમના સ્પષ્ટ વિચારો અને ઉદાહરણ સાથે વાત કરવાની શૈલી સુંદર પ્રસ્તુતિ કરી જાય છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પાઠવવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


સંબંધોમાં સમજણની ઉલઝન – ડૉ. જગદીશ જોશી. 4

ડૉ. જગદીશભાઈ જોશીનો અક્ષરનાદ પર સંબંધો વિશેનો આ ત્રીજો લેખ છે. આ પહેલા પણ ‘તમે સંબંધોને નજીકથી નિહાળ્યા છે?’ અને ‘રણમાં મીઠી વીરડી એટલે પ્રેમ’ એ શીર્ષક હેઠળ તેમના બે લેખ પ્રસ્તુત થયેલા, એ જ અનુસંધાનને આજે આગળ ધપાવી રહ્યા છીએ. સેન્ટર ફોર ઑન્ટ્રપ્રનર ડૅવલપમેન્ટમાંથી સેવાનિવૃત્ત થયેલા ડૉ. જોશીએ તેમના વ્યવસાયકાળમાં મેનેજમેન્ટ ટ્રેઈનર અને બિહેવીયર કાઉન્સીલર તરીકે કામ કર્યું છે એટલે પ્રસ્તુત વિષય પર લેખવા માટે તેઓ અધિકૃત વ્યક્તિ તો ખરાં જ, સાથે સાથે યુવાનોને જીવનમાં સંબંધોને લઈને અનુભવાતી અનેક તકલીફોનું તેમણે અધ્યયન અને વિશ્લેષણ કર્યું છે. તેમના વ્યવસાય દરમ્યાન અચિવમેન્ટ મોટીવેશન ટ્રેઈનીંગ દરમ્યાન અનેક યુવાનોએ તેમને સંબંધો વિશે, પતિ પત્ની વગેરે જેવા સંબંધોમાં ઉભી થતી તકલીફો દૂર કરવા માટે માર્ગદર્શન માંગ્યુ હતું. સંબંધોના અનેક પાસાઓ અને પરિમાણો ચર્ચતી આ વાત એક શ્રેણી બનવા જઈ રહી છે. ગુજરાતી બ્લોગ જગત માટે આ એક અનોખો અને નવલો પ્રયત્ન છે જેમાં ઑનલાઈન બિહેવીયર કાઉન્સેલિંગ અને સંબંધોના આટાપાટાને સરળ રીતે સમજાવતી ફિલસૂફી ચર્ચાઈ રહી છે. આ વિષયમાં તેમના વિચારો અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે ચર્ચાના માધ્યમથી વિશદ બને અને તેનો અનેક મિત્રો લાભ લઈ શકે એ હેતુથી આ શ્રેણી પ્રસ્તુત થઈ રહી છે.


રણમાં મીઠી વીરડી એટલે પ્રેમ – જગદીશ જોશી 5

આંખ બંધ કરી તમને કોઈએ આપેલી ‘જાદુની ઝપ્પી’ને યાદ કરો, એ સમયે હ્રદયનો કોઈ છેડો ભીનો થઈ ગયો હશે અને એ ભીનાશ આંખમાં રેલાઈને ટપકી પડી હશે ગળામાં શ્વાસ અટકી ગયો હશે, જગત અને જીવનનું અસ્તિત્વ જ ઓગળી ગયું હશે. પણ આવું આલિંગન ક્યારેક અને કોઈકે જ આપેલું હોય છે. એમાં કોઈ લેતી દેતીનો વ્યવહાર નથી, બન્ને પક્ષોએ બસ આપવાનું જ છે. આ જોડાણ – સંબંધ એ પ્રેમસંબંધની ઝલક માત્ર છે. નાના બાળકના માથા પર ફરતો માંનો પ્રેમાળ હાથ બાળક માટે આનંદનું નિમિત્ત બને છે. કેડબરીની મીઠાસની અપેક્ષા વગર બહેનના હાથે ભાઈને બંધાતી રાખડી પ્રેમસંબંધનું પ્રતીક છે. પ્રશ્નોથી થાકી હારીને બેઠા હોઈએ ત્યારે ખભા પર મૂકાયેલો મિત્રનો હાથ એ પ્રેમસંબંધની અનુભૂતિ છે…..


તમે સંબંધોને નજીકથી નિહાળ્યા છે? – ડૉ. જગદીશ જોશી 9

સેન્ટર ફોર ઑન્ટ્રપ્રનર ડૅવલપમેન્ટમાંથી સેવાનિવૃત્ત થયેલા ડૉ. જગદીશભાઈ જોશીએ તેમના વ્યવસાયકાળમાં મેનેજમેન્ટ ટ્રેઈનર અને બિહેવીયર કાઉન્સીલર તરીકે કામ કર્યું છે. યુવાનોને જીવનમાં સંબંધોને લઈને અનુભવાતી અનેક તકલીફોનું તેમણે અધ્યયન અને વિશ્લેષણ કર્યું છે. તેમના વ્યવસાય દરમ્યાન અચિવમેન્ટ મોટીવેશન ટ્રેઈનીંગ દરમ્યાન અનેક યુવાનોએ તેમને સંબંધો વિશે, પતિ પત્ની વગેરે જેવા સંબંધોમાં ઉભી થતી તકલીફો દૂર કરવા માટે માર્ગદર્શન માંગ્યુ હતું. સંબંધો વિશેની પ્રારંભિક વાત તેઓ આજે આપણી સમક્ષ મૂકી રહ્યા છે. આ વિષયમાં તેમના વિચારો અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે ચર્ચાના માધ્યમથી વિશદ બને અને તેનો અનેક મિત્રો લાભ લઈ શકે એ હેતુથી આજે આ અનોખી વાત રજૂ કરી રહ્યા છીએ. અક્ષરનાદને આ પ્રયોગ માટે ઉપર્યુક્ત માધ્યમ માનવા અને પ્રસ્તુત લેખ પાઠવી પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ ડૉ. જગદીશભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર.


આજનું ખર્ચાળ શિક્ષણ -પ્રશિક્ષણ – અશિક્ષણ – જિજ્ઞેશ અધ્યારૂ 11

શિક્ષણનો મૂળભૂત અર્થ શું છે? સામાન્ય અર્થ જોઈએ તો શિક્ષણ એટલે શિક્ષા આપવી તે; ભણાવવું; આચાર વિચાર, રીતભાત અને કલા વગેરેનું જ્ઞાનદાન; બૃહદ અર્થમાં શિક્ષણ એ વિદ્યાર્થીને જ્ઞાન પીરસવાની પદ્ધતિ છે, વિદ્યાર્થીની ગ્રહણશક્તિ, સમજણ, વૈચારીક ક્ષમતા અને અંતે આવડતને અસરકારક બનાવવાની અને વિકસાવવાની પદ્ધતિ. પણ આપણા સમાજનો આ વરવો ચહેરો છે કે અહીં બે સરખા બાળકો – એક આર્થિક રીતે સદ્ધર માતાપિતાનું બાળક અને એક ગરીબનું બાળક – એક સરખી તક લઈને ઉભા હોય તો ……


લંડનની બસના ઉપલા માળેથી મુસાફરી કરવી એટલે જીવવું – ભદ્રા વડગામા 4

પૂર્વ આફ્રિકાના ઝાંઝીબાર ટાપુમાં મુસ્લિમ સલ્તનત, બ્રિટિશ શાસન અને હિંદુ સંસ્કૃતિના સંમિશ્રિત વાતાવરણ વચ્ચે ઉછરી, ભદ્રા વડગામાએ પોતાનું વ્યક્તીત્વ વિકસાવ્યું. મકેરેરે યુનીવર્સીટી કંપાલામાં બી.એ.ની ડીગ્રી મેળવી. લગ્ન પછી એડ્યુકેશન ડીપ્લોમા કરીને કેન્યામાં નવેક વરસ શીક્ષિકા રહ્યા બાદ તેઓ ૧૯૭૩માં યુ.કે. આવી વસ્યાં. અહીં તેમણે લાઈબ્રેરી સાયન્સનો અભ્યાસ કર્યો, લંડનમાં લઘુમતી પ્રજા માટે એક અનોખી લાઈબ્રેરી–સેવા શરુ કરી અને તે ક્ષેત્રે ત્રેવીસ વરસ કામ કરી એવોર્ડ પણ મેળવ્યો. પ્રસ્તુત પ્રસંગકૃતિમાં સર્જક એક નાનકડી ઘટનાને લઈને ઉપસતા તેમના વિચારોને બૃહદ પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. લંડનની બસના ઉપલા માળેથી મુસાફરી દરમ્યાનના નાનકડા અનુભવને એક અનોખો વિચાર વિસ્તારનો આયામ તેઓ આપે છે.


લક્ષ્મીનું વેપારી-ચક્ર કે વિપરીત ચક્કર? – મુર્તઝા પટેલ 13

જો પોતાની માતૃભાષામાં લખવાની ઈચ્છા હોય તો વિશ્વના કોઈ પણ ખૂણેથી હવે નેટજગતમાં હાજરી પૂરાવી શકાય છે, અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા, દુબઈ જેવી જગ્યાઓથી તો અનેક ગુજરાતી બ્લોગર મિત્રો છે જ, ઈજીપ્તના પાટનગર કેરોથી શ્રી મુર્તઝાભાઈ પટેલ તેમનો “નેટવેપાર” નામનો સરસ બ્લોગ ચલાવી રહ્યા છે. સાહિત્ય સિવાયના વિષય પીરસતો બ્લોગ પણ ધમધોકાર ચાલી શકે છે તેમના બ્લોગથી એ વાત સાબિત કરી રહ્યા છે. શુદ્ધ સાહિત્ય પીરસવાનો તેમનો પ્રયત્ન નથી, પરંતુ ફક્ત માતૃભાષાના આશ્રયે વેપારી ગણાતા ગુજરાતીઓને પોતીકી ભાષામાં વેપાર અને મેનેજમેન્ટ વિષયે તેઓ ઘણું કહી રહ્યા છે. આજની આ કૃતિ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


ગાંધી વિરુદ્ધ મોહન – ફિલ્મમાં અદાકારીનો મારો પ્રથમ અનુભવ 18

અક્ષરનાદની આ સફર દરમ્યાન અનેક આનંદસભર અને અવનવા અનુભવો થતાં રહે છે, નવા મિત્રો મળતા રહે છે. ઘણી વખત અનોખા અવસર અનાયાસ આંગણે આવીને આમંત્રે છે. ફેબ્રુઆરી ૨૦૧૧ દરમ્યાન એક વાચકમિત્ર ગૌરાંગીબેન પટેલનો પ્રતિભાવ મળ્યો હતો, જે અંતર્ગત તેમણે તેમની નાની ફિલ્મમાં ‘ગાંધીજીનું પાત્ર ભજવતા અદાકાર’નું પાત્ર ભજવવા માટે પૂછેલું. પરંતુ મેં માન્યું કે એ ખૂબ મોટી વાત છે, આપણા ક્ષેત્ર બહારની વાત છે અને વધુ તો સમય માંગી લેતી પ્રક્રિયા, એટલે એની સાથે જોડાવું લગભગ અશક્ય છે. પણ મારા પોતાના આશ્ચર્ય વચ્ચે એ ભૂમિકા મેં ભજવી છે, દિવસ પણ ઘણો વિશેષ થઈ રહ્યો અને અનુભવ પણ ખૂબ સરસ રહ્યો, એ અનુભવની થોડીક ઝાંખી આજે પ્રસ્તુત કરી છે.


વાનરો વેચવાનો વેપાર એટલે… 17

જો પોતાની માતૃભાષામાં લખવાની ઈચ્છા હોય તો વિશ્વના કોઈ પણ ખૂણેથી હવે નેટજગતમાં હાજરી પૂરાવી શકાય છે, અમેરીકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા, દુબઈ જેવી જગ્યાઓથી તો અનેક ગુજરાતી બ્લોગર મિત્રો છે જ, ઈજીપ્તના પાટનગર કેરોથી પણ શ્રી મુર્તઝાભાઈ પટેલ તેમનો “નેટવેપાર” નામનો સરસ બ્લોગ ચલાવી રહ્યા છે. સાહિત્ય સિવાયના વિષય પીરસતો બ્લોગ પણ ધમધોકાર ચાલી શકે છે તેમના બ્લોગથી એ વાત સાબિત કરી રહ્યા છે. શુદ્ધ સાહિત્ય પીરસવાનો તેમનો પ્રયત્ન નથી, પરંતુ ફક્ત માતૃભાષાના આશ્રયે વેપારી ગણાતા ગુજરાતીઓને પોતીકી ભાષામાં વેપાર અને મેનેજમેન્ટ વિષયે તેઓ ઘણું કહી રહ્યા છે.


દેશ માટે કોણ વિચારે ? – જિજ્ઞેશ અધ્યારૂ 13

છેલ્લા કેટલાક દિવસો – મહીનાઓથી વિવિધ દેશોમાં જેમ પ્રજામાં જાગૃતિની અનોખી જ્યોતિ ઝળહળવાની શરૂઆત થઈ છે તેનો ભારતનો હિસ્સો અન્ના હજારે પ્રગટાવી ચૂક્યા છે. વિશ્વકપ વિજયને લઈને આખાય દેશમાં જે દેશભક્તિનો અને એકતાનો અનોખો જુવાળ ઉઠ્યો હતો એ વખતે દેખાયેલ તણખો હવે મશાલ બની ચુક્યો છે. ભ્રષ્ટાચારની સામે ખુલ્લો પડકાર લઈને, સરકાર, વિરોધપક્ષથી લઈને આખા દેશના એકે એક અદના નાગરીકને પણ લોકશાહી / સ્વતંત્રતા માટે જેમણે વિચારવા મજબૂર કર્યા છે એવા અન્ના હજારે વિશે, તેમના હેતુ અને લક્ષ્ય વિશે તો હવે લગભગ બધાને ખબર છે જ, મારે ફક્ત એ વિશે મારા વિચાર અહીં મૂકવા છે.


એકવીસમી સદી લાવી રહી છે ઉજ્જ્વળ ભવિષ્ય – પં. શ્રીરામ શર્મા આચાર્ય 3

એકવીસમી સદી સુખદ સંભાવનાઓનો સમય છે. વીસમી સદીમાં ઉ૫લબ્ધિઓ ઓછી અને વિભીષિકાઓ વધારે પેદા થઈ છે. હવે એમાં ક્રાંતિકારી ૫રિવર્તન થશે. સવાર-સાંજના સંધિકાળની જેમ વીસમી સદીના અંત અને એકવીસમી સદીના આરંભનો આ સમય યુગસંધિનો છે. આ દરમિયાન મધ્યમ કક્ષાનાં સ્થૂળ અને સૂક્ષ્મ ૫રિવર્તનોની ક્રાંતિકારી તૈયારી થશે. એકવીસમી સદી સતયુગ લઈને આવી રહી છે. પ્રસ્તુત છે પં. શ્રીરામ શર્મા આચાર્યની કલમે આજે ગઇ સદીમાં લખાયેલ આજના સમય વિશેનું હકારાત્મક લેખન.


સદવિચારોની ગંગોત્રી – સંકલિત 6

કેટલાક વિચારો એક નાનકડા બીજ રૂપે હોય છે, એક વિચારબીજ અનેક વિચારમંથનોને પ્રેરે છે, અને તેમાંય સદવિચારો તો અમૃતસ્વરૂપ હોય છે. મન માટે તે એક સફાઈ કામદારની ગરજ સારે છે, પ્રસ્તુત છે એવા જ કેટલાક વિચારો.


(હતાશા) ખંખેરી નાંખો અને ઉપર ચઢો… – અજ્ઞાત 10

હતાશા અને નિરાશાનો સમય હોય, ધારેલી કોઈ વાત, કોઈ લક્ષ્ય સિદ્ધ ન થઈ રહ્યું હોય અને નાસીપાસ થઈ જવાય એવા સંજોગો ઉભા થાય એવા સમયે સૌથી શ્રેષ્ઠ મિત્ર એટલે સાહિત્ય, સાહિત્યની હકારાત્મકતા માણસની અંદર રહેલી હિંમત અને ધૈર્યને જીવંત રાખે છે, મુસીબતો સામે લડવાની પ્રેરણા આપે છે. આવી જ એક દ્રષ્ટાંત કથા અત્રે પ્રસ્તુત છે.


ગુજરાતી (ઇન્ટરનેટ) સાહિત્ય વિશે એક દ્રષ્ટિકોણ – ડૉ. નિરંજન રાજ્યગુરૂ 4

શબ્દસૃષ્ટિ સામયિકનો ડિસેમ્બર ૨૦૧૦નો અંક વાંચી રહ્યો હતો ત્યારે તેના છેલ્લા થોડાંક પૃષ્ઠો પર ‘સંવાદ – વિવાદ’ ના વિભાગ તરફ નજર ગઈ. વાંચકો ને ભાવકોના પ્રતિભાવો – પ્રત્યાઘાતો દર્શાવતા આ વિભાગમાં પ્રસ્તુત અંકમાં દીપોત્સવી વિશેષાંક ‘પાંચ દાયકાનું પરિદર્શન’ ના લેખો વિશે અનેક પ્રતિભાવો વડે સમૃદ્ધ હતો. સાહિત્યના અનેક સ્વરૂપો અને તેની ક્ષમતાઓ વિશે ચર્ચા કરતો પ્રસ્તુત પ્રતિભાવ શ્રી નિરંજનભાઈ રાજ્યગુરૂનો છે. ઈન્ટરનેટના-ગુજરાતી બ્લોગ વેબસાઈટ જગતના સાહિત્ય વિશે પણ અહીં વાત કરાઈ છે. એ પ્રતિભાવ અહીં પ્રસ્તુત કર્યો છે.


શહેરમાં વસતો માણસ અને માણસમાં વસતું નગર – અખંડ વ્યાસ 16

અખંડ વ્યાસના બે સુંદર પુસ્તકો ‘છાંયડી’ તથા ‘શહેરમાં વસતો માણસ અને માણસમાં વસતું નગર’નું વિમોચન રવિવાર તા. ૨૬ ડિસેમ્બરે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. શ્રી ચિનુભાઈ મોદી, શ્રી ના હસ્તે પુસ્તકનું વિમોચન થયું આ પ્રસંગે ત્રણેય મહાનુભાવોએ ભાવકોને પુસ્તકનો રસાસ્વાદ તથા વિવિધ પાસાઓનું આલેખન કર્યું. આ સુંદર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટેના આમંત્રણ તથા પુસ્તકો બદલ શ્રી અખંડ વ્યાસ અને શ્રીમતિ બિનીતા વ્યાસનો ખૂબ ખૂબ આભાર. કલાકૃતિઓ જેવા સાદ્યાંત સુંદર બંને પુસ્તકોની અપાર સફળતા માટે ખૂબ શુભકામનાઓ.


૧૭મી સદીના અગ્રગણ્ય વિચારક બેનેડિક્ટ સ્પિનોઝાની કલમે…

બારૂચ સ્પિનોઝા (૧૬૩૨-૧૬૭૭) અથવા બેનેડિક્ટ સ્પિનોઝા નેધરલેન્ડ મૂળના યહુદી તત્વચિંતક હતાં. આજથી સાડા ત્રણસો વર્ષ પહેલાના એ સમયમાં તેમણે ચર્ચનો, પાદરીઓની અમર્યાદ સત્તાનો અને ઈશ્વરના દૂત બની બેઠેલા કહેવાતા ગુરૂઓનો ભારે વિરોધ કર્યો. તેમના વિચારો અન્ય લોકોને પચાવવા મુશ્કેલ હતાં. ઈશ્વર સિવાય બીજા કોઈની પણ સત્તા સ્વીકારવાનો તેમણે ઈનકાર કર્યો. વૈજ્ઞાનિક તથ્યોથી ભરપૂર તેમના રેશનાલિસ્ટ વિચારોનો આજથી લગભગ સાડા ત્રણસો વર્ષ પહેલાના રૂઢિચુસ્ત અને બંધીયાર સમાજજીવનવાળા એ સમયમાં ભરપૂર વિરોધ થયો, યહૂદીઓએ તેમના વિરુદ્ધ ફરમાન જાહેર કરી તેમને અલગ કર્યા તો કેથલિક ધર્મપંથે તેમના પુસ્તકોને પ્રતિબંધિત કર્યા. તેમના વિચારો તલસ્પર્શી, માર્ગદર્શક અને વિવેચનાત્મક તથા સંશોધનાત્મક તથ્યોથી ભરપૂર રેશનાલિસ્ટ વિચારો હતાં. ડચ વિરોધીઓએ તેમના કેટલાક પુસ્તકોને બાળી મૂકેલા, તેમના મૃત્યુ પછીના કેટલાય વર્ષો સુધી પણ તેમના લખાણોનો જોઈએ તેવો પ્રચાર થયો નહીં. આજે તેમને ૧૭મી સદીના રેશનાલિસ્ટોમાં અગ્રગણ્ય માનવામાં આવે છે. આજે તેમના પુસ્તક ‘એથિક્સ’ ના અંશોના ભાવાનુવાદનો પ્રયત્ન કર્યો છે.


દેશ માટે બળતરા અને ચચરાટ… – પ્રવીણ ઠક્કર 6

કવિવર રવિન્દ્રનાથ ટાગોરે ઇશ્વરને સંબોધીને પ્રાર્થના કરી છે. પ્રાર્થના કોઇ અંગત સ્વાર્થ માટેની નથી. ભારત દેશ કેવો હોવો જોઇએ; તે માટે તેમના મનમાં એક ચિત્ર છે, દેશ માટે દિલમાં અરમાન છે. દેશ માટે ગૌરવ હોવાની વાત છે. પોતાનો દેશ પોતાને ગમે તેવો તો હોવો જોઇને? માતૃભૂમિ પ્રત્યેના અનેરા પ્રેમે કરીને આ મહર્ષિએ ઇશ્વર સમક્ષ માંગણી કરી છે. દેશ વિશે કવિવરને જે અપેક્ષા છે; તેની પ્રાર્થના પ્રયોજીને મહર્ષિએ ઇશ્વરને તે સંભળાવી છે. દુનિયાએ તે પ્રાર્થનાને કવિતા તરીકે ઓળખી છે. ક્યાં આ આશા અને સોનેરી સ્વપ્ન !! પરંતુ આજે વાસ્તવિક સ્થિતિ…. થોડુંક મનોમંથન કરાવતી અને ચચરાટ ઠાલવતી પ્રવીણભાઈની કલમે વિચારધારા.


યુવાની એટલે… – મનોજ ખેની 5

યુવાન કોને કહેશો? યુવાન અને તરવરાટ અથવા યુવાન અને હદોને તોડીને સમગ્રમાં વ્યાપી જવાની આવડત એટલે યુવાની એવી જડ થઈ ગયેલી માન્યતા બધે વ્યાપેલી છે, પણ શું ફક્ત આ જ યુવાની છે? તો આપણી આસપાસ પચ્ચીસ વર્ષના વૃદ્ધો અને પંચોતેર વર્ષના યુવાનોને કઈ વ્યાખ્યામાં બાંધીશું? યુવાની વિશેનો અનોખો અને એક સરસ વિચાર પ્રસ્તુત લેખમાં સાદ્યાંત જોવા મળશે. સૂરતથી દર મહીને પ્રકાશિત થતા માસિક જીવનયાત્રીના એક અંકમાંથી આ તંત્રીલેખ લીધો છે, શ્રી મનોજ ખેની આ માસિકના માલિક, મુદ્રક પ્રકાશક અને તંત્રી છે. નવા વિષયો, ઉગતા લેખકો અને સૌથી વધુ એક સચોટ વિચાર સાથે ચાલતું આ માસિક એ વાતનો પુરાવો છે કે સાહિત્યમાં રૂઢીગત માસિકો – સામયિકોથી આગળ જઈને કાંઈક નવું કરવાની પ્રેરણા ધરાવતા લોકો હજી સમાજમાં બચ્યાં છે. જીવનયાત્રી સામયિકના સળંગ પચીસ અંક નવેમ્બર ૨૦૧૦માં પૂર્ણ થયાં છે એ નિમિતે મનોજભાઈને ખૂબ શુભેચ્છાઓ અને આ માસિક લોકોના જીવનને પ્રેરણા આપી શકે તેવા સદવિચારનો સતત ફેલાવો કરતું રહે, વિચારજ્યોતને પ્રગટાવતું રહે તેવી શુભેચ્છાઓ.


દરીયા અને નદીની વાત – અજ્ઞાત 1

વૃક્ષને જીવંત રાખવા તેના મૂળને જ પાણીનું સિંચન કરવું પર્યાપ્ત છે. જે એક મૂળનું સિંચન કરે છે તે આખા વૃક્ષનું સિંચન કરે છે. કદાચ કોઈ તેના ફળ ફૂલ પાંદડા વગેરેને પાણી પાવાનો પ્રયાસ કરે તો તેને લોકો મૂર્ખ કહેશે, આવી મૂર્ખાઈ આપણે તો નથી કરતાંને? આત્મા જીવન વૃક્ષનું મૂળ છે, ધન, મિલકત, ઘર, પરિવાર, સગવડો વગેરે ફળ ફૂલ પાંદડાસમ છે. આત્માના મૂળને જ્યાં સુધી સદગુણો અને પુણ્યોના પાણીનું સિંચન મળતું રહે, ત્યાં સુધી જીવન વૃક્ષ જીવંત છે, કુટુંબ પરિવાર, સગવડો અને મિલકત પર સિંચન કરવાથી, મહેનત કરવાથી કાંઈ નહીં મળે. આવા જ એક સદગુણ નમ્રતાની વાત કરતો એક પ્રસંગ જોઈએ.


પ્રવાસ ચિંતન તિર્થાટન યાત્રા – હરસુખરાય જોશી 2

વ્યસ્ત જીવનમાં સંજોગો અનુકુળ હોય તો સમય કાઢી પ્રવાસ, યાત્રા અવશ્ય કરવા જોઈએ. જીવ્યા કરતાં જોયું ભલું, અલગ અલગ સ્થળ દર્શન ધાર્મિક, ઐતિહાસિક સ્થળો અને તેની સાથે સંલગ્ન કથાઓ ક્યાંક અનુકુળતાઓ તો કયાંક પ્રતિકુળતાઓ, જીવનમાં થોડા સમય માટે આવતું પરિવર્તન તાજગી આપે છે. ભવિષ્યમાં તેના સંસ્મરણો વાતચિત વગેરે માનસિક આનંદ આપે છે. આ બધી અનુભૂતિ જીવન ઘડતરમાં ખૂબ મદદરૂપ થાય છે. ચાલે આપણે આપણી જન્મભૂમી ભાર્તદેશનું વિહંગાવલોકન કરીએ.


નવી આશાઓ સાથેનું મંગળ પ્રભાત….. – સંપાદકીય 2

સર્વે વાચકમિત્રોને અક્ષરનાદ તરફથી નવા વર્ષના સાલમુબારક. દિવાળીનું પર્વ આવ્યું અને સમયના વહેણમાં એ પણ ભૂતકાળમાં, વીતેલા સમયની યાદગીરી રૂપે સચવાઈ ગયું. અનેક ખુશીઓ સાથે આપણે સૌએ વિક્રમ સંવત ૨૦૬૭નું, નવા વર્ષનું સ્વાગત કર્યું. તહેવારો અને ઉજાણીનો એ માહોલ હવે લગભગ પૂર્ણ થવાના આરે છે. આજે લાભપાંચમથી બજારો ફરીથી ધમધમતા થઈ જશે, અને એમ એમ નવા વર્ષના શ્રીગણેશ થશે. ગત વર્ષની વાતો કરવાનું આમ તો કોઈ પ્રયોજન નથી, પરંતુ બધાંય આયોજનો, બધા લક્ષ્યાંકો આપણી નજર સમક્ષ કરવા ભૂતકાળને પણ સંસ્મરણમાં રાખવો જોઈએ. એ જ પ્રયત્ન અંતર્ગત આજે થોડીક વાતો…


પ્રસંગોના અમૃતબિંદુઓ – ડૉ. આઈ કે વીજળીવાળા 13

અનેકો વૈવિધ્ય ધરાવતો ઈન્ટરનેટનો મહાસાગર ખૂંદીને મેળવેલા અમૃતના બિંદુઓ જેવા આ પ્રસંગો ડૉ. આઈ કે વીજળીવાળાએ તેમના પુસ્તક અમૃતનો ઓડકાર અંતર્ગત સંકલિત કર્યા છે. મોતીચારો શ્રેણી અંતર્ગતનું આ તેમનું ચોથું પુસ્તક છે. હ્રદયને શાતા આપે, લાગણી આડેના બંધ ખોલી નાંખે અને ઈશ્વર પરની શ્રદ્ધા બેવડાઈ જાય એવા અદભુત પ્રસંગો વાંચતા જ હ્રદય તરબોળ થઈ જાય. નાનકડા પરંતુ ખૂબ જ સુંદર, પ્રત્યક્ષ બોધ ન હોવા છતાં સચોટ સંદેશ આ પ્રસંગોની ખૂબી છે. આજે એ જ પુસ્તકમાંથી બે પ્રસંગો અહીં પ્રસ્તુત કર્યા છે.


ઉમર ખય્યામની ત્રણ રુબાઈ, હરિન્દ્ર દવેનો આસ્વાદ 1

ખય્યામ મનનો કવિ છે. એની એક રુબાઈ તમે મનમાં ગુંજો, અને અપાર અર્થો તમારી સમક્ષ ઉઘડશે. જિંદગીની કિતાબના જે પૃષ્ઠોને આપણે ઉતાવળમાં કોરા માનીને ઉથલાવી જઈએ છીએ, તેનો મર્મ ખય્યામ ઉકેલે છે. પ્રથમ રુબાઈમાં ચિત્રણ, બીજીમાં ઉપાલંભ, ત્રીજીમાં કવિ હ્રદયદ્રષ્ટિ પર ઝોક આપે છે. ખય્યામ આમ મૃત્યુના સંદર્ભમાં જીવનને મૂકી દે છે, અને જીવનની નિરર્થકતા, તકલાદીપણું, ક્ષણભંગુરતા – આ બધું જ આપણને સમજાવે છે. અને આ ત્રણેય રુબાઈઓના શૂન્ય પાલનપુરીના અનુવાદનો આસ્વાદ હરિન્દ્ર દવે કરાવે ત્યારે કેવો અનેરો સંગમ થાય?


ચિંતન કણિકાઓ – સંકલિત 10

ચિંતનકણિકાઓ મનનો મુખવાસ છે, એકાદ વાક્ય ક્યાંક વાંચવામાં આવ્યું હોય અને તે પછી સમયાંતરે મનમાં પડઘાયા કરે, દરેક વિચાર વખતે તેના વધુ ગહન અર્થો સમજાવે ત્યારે એ વિચારમોતીઓનું મૂલ્ય સમજાય છે. આજે પ્રસ્તુત છે કેટલાક સંકલિત આવાં જ વિચારમોતીઓ. ઈન્ટરનેટ પરથી વિવિધ માધ્યમો દ્વારા મળેલા આ સુ-વાક્યો અનુવાદ કરીને અહીં મૂક્યાં છે. એક એક કણિકા એક સાથે ન વાંચતા સમયાંતરે તેની મજા લેવામાં આવે તો વિચારરસ વધુ ઘેરો બનશે એ નિશ્ચિત છે.


બાણશૈય્યા પર ભીષ્મ – યુધિષ્ઠિર સંવાદ – નાનાલાલ ભટ્ટ 3

મહાભારતના પાત્રો શ્રી નાનાલાલ ભટ્ટનું અમર સર્જન છે. આ કૃતિના ત્રીજા ભાગમાં બાણશૈય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ અને તેમની પાસેથી ધર્મની વિવિધ વાતો વિશેનું જ્ઞાન લેવા આવેલા યુધિષ્ઠિર વચ્ચેનો સુંદર ગહન સંવાદ પ્રસ્તુત થયેલો છે. આ સંવાદનો એક નાનકડો ભાગ અહીં લેવામાં આવ્યો છે. એક રાજાના માનવ ધર્મ વિશેની વાતો, વર્ણ વ્યવસ્થા અને ધર્મ સાથે પ્રભુપ્રાપ્તિની રીતો તથા આશ્રમવ્યવસ્થા વિશે વિશદ વાતો આ સંવાદના માધ્યમથી અભિવ્યક્ત થઈ છે. જો કે સમયની સાથે તેના અર્થ તારવવામાં ભેદ હોઈ શકે, પરંતુ તેનો તાત્વિક અર્થ સમાન જ રહે છે. આજના સમયમાં પણ તેની ઉપયોગીતા પ્રસ્તુત છે.