Daily Archives: April 11, 2012


અક્ષરનાદ તરફથી પ્રથમ પુસ્તક…. 52

વ્યવસાયની વ્યસ્તતાઓ, પારિવારીક કાર્યો અને અક્ષરનાદ પર રોજની પોસ્ટ, એમ ત્રિપાંખીયા વ્યૂહની વચ્ચે એક નવી વાત – કહો કે સ્વપ્ન શક્ય થવા જઈ રહ્યું છે જેનો મને ખૂબ ઉત્સાહ છે – અને આશા છે કે આપ સૌનો પણ એવો જ આશિર્વાદ, શુભેચ્છાઓ અને પ્રતિસાદ હશે. પ્રસ્તુત થવા જઈ રહ્યું છે અક્ષરનાદ તરફથી પ્રથમ પુસ્તક ‘૨૫૧ ઉપયોગી અને અનોખી વેબસાઈટ્સ – સંકલન : જીજ્ઞેશ અધ્યારૂ’ – પુસ્તક હજુ તૈયાર કરાઈ રહ્યું છે અને ટૂંક સમયમાં આપ સૌ સમક્ષ ઉપલબ્ધ થશે. વધુ વિગતો પ્રસ્તુત લેખમાં સમાવિષ્ટ છે.