Daily Archives: March 27, 2012


આશાદેવી… સ્ટેચ્યુ ઑફ લિબર્ટી – ડૉ. કનક રાવળ 2

ન્યૂયોર્કના બારામાં લિબર્ટી આઈલેન્ડ પર ઉભેલ સ્વતંત્રતાની રોમન દેવી – સ્ટેચ્યુ ઑફ લિબર્ટી મૂળે અમેરિકાને ફ્રાન્સના લોકો તરફથી મળેલ ભેટ છે, તે અમેરિકાની સ્વતંત્રતાનું અનોખું પ્રતીક થઈને ઊભરે છે, વિદેશીઓ માટે એ અમેરિકામાં આવીને વસવાની આશાને બળ આપતું પ્રેરણાધામ છે. તેના અંદરના ભાગે નીચલા સ્તરના ઓટલા પર ૧૮૩૩માં લખાયેલું એમ્મા લઝારસનું સોનેટ તાંબા પર કોતરાઈને ૧૯૦૩માં લગાવવામાં આવેલું, એ રચના એવા અનેક હજાર લોકોની વાત કરે છે જે અમેરિકા સ્થાયી થવા પોતાનું વતન છોડીને આવે છે. આપણા કલાગુરુ શ્રી રવિશંકર રાવળના પુત્ર ડૉ. કનકભાઈ રાવળે અક્ષરનાદને એ જ વિષયને લગતી પ્રસ્તુત સુંદર કૃતિ પાઠવી છે, તેને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.