Daily Archives: March 23, 2012


અપાઈ મુજથી ગયું… – મનસુખલાલ ઝવેરી 3

એક નાનકડી ક્ષણમાંજ કવિહ્રદયને મળેલી અનુભૂતિની સુંદર વાત પ્રસ્તુત સોનેટ બખૂબી વર્ણવે છે. લાખો લોકો મહેનતના જોરે – મજૂરી દ્વારા પોતાના પેટની ભૂખ ભાંગવાનો પ્રયત્ન કરે છે અને ઘણાંય તે છતાં સફળ થતાં નથી, જ્યારે સામે પક્ષે ભિખારીઓ સમાજ માટે ભારરૂપ છે – વગર મહેનતે પ્રાપ્ત કરવાની લાલસા તેમને આવું કાર્ય કરાવે છે. એટલે કવિ ભિખારીની દયા ખાતા નથી, તેના વિકારને – આળસને તેઓ પોષવા માંગતા નથી. પણ ભિખારણની કાંખમાં બેઠેલ પેલા નિર્દોષ અબૂધ બાળકની સામે તેમનાથી જોવાઈ જાય છે ત્યારે એ બાળકે આપેલા નિર્ભેળ સ્મિતે તેઓ પીગળી જાય છે – અને ભીખ ન આપવી હોવા છતાં અપાઈ જાય છે એ અર્થનું સુંદર કાવ્ય કવિએ સર્જ્યું છે.