Yearly Archives: 2012


ફૂંક વાગશે ફરી…. – પુષ્પાબેન વ્યાસ 6

કોઈ ગીત કે ગઝલ એટલી સુંદર કૃતિ હોય કે તેને વાંચતા વાંચતા ગાવાની ઈચ્છા થઈ આવે, એ મનમાં આપમેળે ગણગણાવા લાગે ત્યારે એટલું તો ચોક્કસ કે મનના વણજોયા તારને સ્પર્શતું એ ગીત કોઈક તો વિશેષતા ધરાવતું હશે જ. ગીતમાં કવયિત્રી સર્જનહાર પ્રત્યેની શ્રદ્ધાની વાત કહે છે. પ્રસ્તુત કૃતિમાં ક્યાંક રચનાકારને આધ્યાત્મિક જગત સાથે સીધો તર સંધાયો હોય એવી સંવેદના વાચકને થાય છે. પોતાના ભાવજગતમાં રહીને જે રચનાકારોની કૃતિઓ આપોઆપ ઉતરે છે તેમનો કૃત્રિમ રીતે કારખાનામાં બનતી વસ્તુઓની જેમ સર્જન કરતા સર્જકો કરતાં અંદાઝ સમૂગળો અલગ જ અનુભવાય છે. પ્રસ્તુત કૃતિ પણ જાણે આખેઆખી રચનાકારના માનસમાં ઉપસી હોય એવી સુંદર અને શ્રદ્ધાસભર છે.


હું અંધકાર : એક રહસ્ય – ગોપાલ સહર, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 5

શ્રી ગોપાલ સહર ભીલવાડા, રાજસ્થાનના વતની છે, સુખડીયા વિશ્વવિદ્યાલય ઉદયપુરથી એમ.એ અને પીએચ.ડી કર્યા પછી તેઓ કપડવંજની શાહ કે. એસ. આર્ટ્સ અને વી. એમ. પારેખ કોમર્સ કોલેજમાં આચાર્ય છે. જેમ મૃત્યુ જીવનને પ્રતિષ્ઠિત કરે છે તેમ અંધકાર પ્રકાશને – શ્રી ગોપાલ સહર તેમના પુસ્તક “अंधेरे में चुपके से चांद” દ્વારા અંધકારનો પક્ષ મૂકે છે, પરંતુ એ તો ફક્ત પુસ્તકનો બાહ્ય પરિચય છે, આ પુસ્તક દ્વારા તેઓ માનવીય સંવેદના, સ્મૃતિ અને સ્વપ્નોને પ્રતિષ્ઠાપિત કરે છે. સર્જનના ક્ષેત્રમાં અભિવ્યક્તિનું આ અનોખું સ્વરૂપ છે તો એક ગદ્ય કવિતા તરીકે પણ શ્રી ગોપાલ સહરની પ્રસ્તુત રચનાઓનું સ્વાગત થવું જોઈએ. અક્ષરનાદને પ્રસ્તુત પુસ્તક ભેટ આપવા બદલ અને આ રચનાઓનો અનુવાદ કરી પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


તનુ ડોશી (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 6

અક્ષરનાદના કતાર (દોહા)થી વાચક મિત્ર શ્રી રીતેશભાઈ મોકાસણા મૂળ સાયલાના વતની છે, વિજ્ઞાનના વિદ્યાર્થી પણ સાહિત્ય પ્રત્યે પ્રીત અને કલમ ચલાવવાનો આનંદ. લખવાનો તેમનો પ્રયત્ન આજે ફરી એક વાર આપણી સાથે તેઓ વહેંચી રહ્યા છે. આ પહેલા અક્ષરનદ પર તેમની એક વાર્તા આવી ચૂકી છે. આજની તેમની કૃતિ વર્ણવે છે એક યુવતીની વાતને, એક ઉંમરલાયક – જેલમાં જ જીવન વીતાવીને વૃદ્ધત્વ પામેલી વૃદ્ધાની લાગણીઓ. અક્ષરનાદને તેમની કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે વધુ કૃતિઓ ઝરતી રહે એવી શુભકામનાઓ.


એક લાખથી વધુ ઈ-પુસ્તક ડાઉનલોડ… 25

અક્ષરનાદ આજે એક અનોખા સીમાચિહ્ન પર આવીને આપ સૌની સમક્ષ ઉભી છે. ઈ-પુસ્તકની ડાઉનલોડ સંખ્યા એક લાખને પાર કરી ગઈ છે. એ અંગે અમારો રાજીપો અને ધન્યવાદ વ્યક્ત કરવાની આ તક ઝડપી લઈએ છીએ.


પરમાત્માની ભક્તિનું સાચુ સ્વરૂપ – વિનોદ માછી 2

ઘણા લોકો કહે છે કેઃ પરમાત્મા તો નિર્ગુણ-નિરાકાર છે તેથી તેમને જોઇ શકાતા નથી, પરંતુ આ વાત ઉચિત નથી.જેમ સાકાર શરીરમાં નિરાકાર તાવ થર્મોમીટરની આંખથી જોઇ શકાય છે, ન્યૂમોનિયા સ્ટેથોસ્કોપની આંખથી જોઇ શકાય છે..તેવી જ રીતે સદગુરૂ દ્વારા આપવામાં આવેલ જ્ઞાનથી કણ કણમાં પ્રભુ-૫રમાત્માને જોઇ શકાય છે. જોયા બાદ જ મનમાંની તમામ શંકાઓ સમાપ્તવ થાય છે અને વિશ્વાસ ઉત્પન્ન થઇ પ્રેમ પેદા થાય છે. શંકા અને અવિશ્વાસ પ્રેમના શત્રુઓ છે.તેના રહેતાં પ્રેમ સંભવ નથી.શંકા અને અવિશ્વાસની સમાપ્તિે પ્રભુ દર્શનથી જ થાય છે.પ્રભુના વિશેની શંકાઓ દૂર થતાં વિશ્વાસ વધવા લાગે છે અને પછી પ્રેમના શ્રીગણેશ થાય છે. આ પ્રેમ જ પ્રગાઢ બની ભક્તિ બને છે અને આ ભક્તિ દ્વારા જ માનવ પોતાના લક્ષ્ય્ને પ્રાપ્તક કરી લે છે.આનાથી સિધ્ધ થાય છે કેઃભક્તિનો આધારસ્તંભ સદગુરૂ જ છે.


કમાલની ત્રણ દીકરીઓ… – મનોહર ત્રિવેદી 5

ગઈકાલે ફાધર્સ ડે હતો. અત્યાર સુધી એક પુત્ર તરીકે જ આ દિવસને વિચારતા એ અનોખી વાતનો અહેસાસ જ ન થયો – ગઈકાલે મારી પુત્રીએ જ્યારે તેની મમ્મીના શીખવ્યા મુજબ ‘હેપ્પી ફાધર્સ ડે પપ્પા’ કહ્યું ત્યારે લાગણીઓની વાત અનોખી થઈ રહી. ‘તો પપ્પા હવે ફોન મૂકું’ જેવી સુંદર અને હ્રદયસ્પર્શી રચના આપનાર આપણા કવિ શ્રી મનોહર ત્રિવેદીની એક અનોખી રચના દીકરીઓ વિશે જ છે… કમાલુદ્દીન બદરુદ્દીન કાચવાલા અને તેની ત્રણ દીકરીઓ વિશેની આ રચના હ્રદયસ્પર્શી તો છે જ – પિતા માટે એ લાગણીની સફર છે…. અને આજે પ્રસ્તુત છે એ જ સફર મનોહરભાઈના શબ્દો સાથે અને આપણી લાગણીના ઉંડાણે.


ભિખારણનું ગીત – ‘ગની’ દહીંવાલા

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા એટલે આપણી ભાષાના સિદ્ધહસ્ત ગઝલકાર – ગીતકાર અને સાચા અર્થમાં એક ખુમારીસભર, અભિજાત્ય ટકાવી જીવનાર રચનાકાર. ગનીભાઈની ગઝલો તેમના ગીતો કરતાં વધુ પ્રચલિત થઈ, પરંતુ તેથી તેમના રચેલા ગીતોનું મૂલ્ય જરાય ઓછુ આંકી શકાય તેમ નથી. ભિખારણનું પ્રસ્તુત ગીત તેમના ઋજુ હ્રદય અને ઉંડી સહ્રદયતાની સાથે સાથે જમીનથી જોડાયેલ, વિટંબણાઓ વચ્ચેથી પસાર થઈને સર્જનની સરિતા વહેતી રાખનાર રચનાકાર તરીકેની તરીકેની તેમની છબીને વધુ પુષ્ટ કરે છે. ભિખારણની આંખના ઝળઝળીયાં અને તેના મુખેથી નીકળતાં ગીતના અમૃતનું સાયુજ્ય સુમ્દર ભાવચિત્ર ઊભું કરી આપે છે. એક બાજુ ભિખારણનું દારિદ્રય છે તો બીજી બાજુ ચિત્તનું સૌંદર્ય છે, એક તરફ ગરીબાઈની વાસ્તવિકતા છે તો બીજી તરફ ગગનગામી કલ્પનાનું ઉડ્ડયન છે. કવિએ બંને તથ્યોને જોડાજોડ મૂકીને આ ગીત રચ્યું છે.


કવિનું જાહેરનામું – ઉશનસ 1

એક કવિનું ગદ્ય પણ કવિતાસમું સુંદર અને મનોહર હોઈ શકે છે એ વાત પ્રસ્તુત કૃતિને વાંચતા જ સાબિત થઈ જાય છે, એ ગદ્ય હોય આપણા સિદ્ધહસ્ત કવિ શ્રી ઉશનસનું સર્જન જેનું માળખું કવિતાને લગતું હોય, વળી પાછો તેનો વિષય હોય એક કવિનું જાહેરનામું – તો તેની સુઘડતા, વિષય સંગતતા અને સુંદરતા વિશે કહેવુ જ શું? એક કવિ વિશ્વને પોતાનું જાહેરનામું સંભળાવે છે, તેની ઈચ્છાઓ અને આકાંક્ષાઓનું એ મૂર્ત સ્વરૂપ છે તો તેમાં કવિની સર્જન પ્રત્યેની સંતૃપ્તતા પણ સુપેરે ઝળકે છે.


હઝલાયન… – સંકલિત 7

હઝલ એ આપણો આગવો કાવ્યપ્રકાર છે, હાસ્યની સાથે ગઝલનું માપસરનું સંમિશ્રણ એક અનોખો આનંદ, મરકતું હાસ્ય અને છતાંય ગઝલની આભા અર્પે છે. હઝલરચના એક ખૂબ કુશળતા માંગી લેતી પ્રક્રિયા છે. ફુલછાબની દૈનિક રવિવારીય મધુવન પૂર્તિમાં ‘મહેકનો અભિષેક’ નામે પદ્યના માધ્યમથી ઝીલતાં અને એ ફોરમ ફેલાવતાં, સુંદર કટાર આપતાં કવિ શ્રી હર્ષદ ચંદારાણાની એ કટારના સુંદર લેખોનો સંગ્રહ ‘મહેકનો અભિષેક’ નામે પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થયો છે. આ સુંદર પુસ્તક અચૂક વસાવવા જેવો સંગ્રહ છે જેમાં અનેકવિધ ભાવોને સાંકળતી પદ્ય રચનાઓ અને તેમાંથી ઘણાંનો આસ્વાદ તેમણે કરાવ્યો છે. આજે પ્રસ્તુત છે તેમાંથી કેટલાક શે’ર જે અનેક ભિન્ન હઝલોમાંથી લેવાયા છે.


માતાનું ઋણ – સુરેશ દલાલ 18

આદરણીય શ્રી મફતકાકાએ તેમના દિવંગત માતુશ્રી દિવાળીબહેન મોહનલાલ મહેતાને અંજલિ આપવા યોજેલ કાર્યક્રમમાં પૂજ્ય મોરારિબાપુના સાન્નિધ્યમાં શ્રી.હરીન્દ્ર દવે, શ્રી.સુરેશ દલાલ અને શ્રી.ગુણવંત શાહે આપેલ વકતવ્યમાંથી આજે પ્રસ્તુત છે શ્રી સુરેશ દલાલનું ‘મા’ વિશેનું સુંદર વક્તવ્ય.


થોડાક શે’ર… – સંકલિત 3

ફુલછાબ દૈનિકની રવિવારીય મધુવન પૂર્તિમાં ‘મહેકનો અભિષેક’ નામે પદ્યના માધ્યમથી ઝીલતાં અને એ ફોરમ ફેલાવતાં, સુંદર કટાર આપતાં કવિ શ્રી હર્ષદ ચંદારાણાની એ કટારના સુંદર લેખોનો સંગ્રહ ‘મહેકનો અભિષેક’ નામે પુસ્તક સ્વરૂપે પ્રસિદ્ધ થયો છે. આ સુંદર પુસ્તક અચૂક વસાવવા જેવો સંગ્રહ છે જેમાં અનેકવિધ ભાવોને સાંકળતી પદ્ય રચનાઓ અને તેમાંથી ઘણાંનો આસ્વાદ તેમણે કરાવ્યો છે. આજે એ પુસ્તકમાંથી મને ગમી ગયેલા કેટલાક બેનમૂન શેર અત્રે પ્રસ્તુત કર્યા છે.


ભોળાભાઈ પટેલ અને ‘ચિલિકા’નું વર્ણન – પ્રવીણભાઈ ઠક્કર

આપણી ભાષાના એક આગવા સર્જક, નિબંધકાર, વિવેચક અને અનુવાદક એવા શ્રી ભોળાભાઈ પટેલનું ગત અઠવાડીયે નિધન થયું, તેમના અનેક સર્જનોમાં વિદિશા (૧૯૮૦) એ તેમનો પ્રવાસનિબંધોનો આગવો સંગ્રહ. આ પુસ્તકનું મુખ્ય ક્લેવર પ્રવાસ નિબંધોનું છે. ‘વિદિશા’, ‘ભૂવનેશ્વર’, ‘માંડું’, ‘ઈમ્ફાલ’, ‘જેસલમેર’, ‘ચિલિકા’, ‘બ્રહ્મા’, ‘ખજુરાહો’, ‘કાશી’, ‘રામેશ્વરમ્’- એમ દસ સ્થળોનાં પ્રવાસ ઉપરાંત લેખકે પોતાના ગામનું ભ્રમણ પણ અહીં વર્ણવ્યું છે. વર્ણનોમાં અનેરુ તત્વ છે જે ચિત્રને આંખો સામે ખડું કરી દે છે. તેમના વર્ણનોમાં સૂક્ષ્મતા અને સૌંદર્ય ભારોભાર છે. તેમાંથી ચિલિકા’ ના વર્ણન અંગેની વાત શ્રી પ્રવીણભાઈ ઠક્કરે અહીં કરી છે. સદગતના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એ પ્રાર્થના સાથે આવો તેમને શબ્દરૂપી શ્રદ્ધા સુમન અર્પીએ.


બાળકોમાં શિક્ષણ દ્વારા સંસ્કાર – પી. કે. દાવડા 11

શ્રી પી. કે. દાવડા એક રીટાયર્ડ સીવિલ એંજીનીયર છે અને હાલમા અમેરિકાના કેલીફોર્નિયામાં ફ્રીમોન્ટમાં રહે છે. ૭૬ વર્ષની ઉંમર હોવા છતાં અભિવ્યક્તિની તેમની ધગશને લઈને તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી લખે છે. અક્ષરનાદ પર આ તેમનો પ્રથમ લેખ છે, છેલ્લા થોડાક વર્ષોના લેખનના મહાવરાએ તેમની કલમને ઔદાર્ય મળ્યું છે જે તેમના પ્રસ્તુત લેખમાંથી સુપેરે અભિવ્યક્ત થાય છે. શિક્ષણ પદ્ધતિના બદલાવના મૂળમાં રહેલ ખૂબ સામાન્ય પરંતુ અગત્યના ફેરફારો તેમણે સાવ બાળસહજ અને જાણીતા ઉદાહરણ દ્વારા સમજાવ્યા છે. ગુજરાતી ભાષાના શિક્ષણથી મળતી માટીની સુગંધ અંગ્રેજીના વ્યાપક પ્રભાવને લઈને નામશેષ – લુપ્ત થઈ રહી છે એ વાતની પ્રતીતી તેમના આ લેખને વાંચ્યા પછી, થયા વગર રહેતી નથી. આવો સુંદર લેખ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી દાવડા સાહેબનો આભાર અને અનેક શુભકામનાઓ.


મરીઝની ગઝલ… (ટૂંકી વાર્તા) – હાર્દિક યાજ્ઞિક 15

હાર્દિકભાઈની અક્ષરનાદના વાચકોને સુપેરે ઓળખાણ છે, તેમની કૃતિઓને મળતા પ્રતિભાવ એ વાત સાબિત કરે છે કે તેમની કલમના અમારી જેમ અનેકો પ્રસંશકો છે. આજે પ્રસ્તુત છે હાર્દિકભાઈની કલમેથી નીતરેલી વધુ એક સુંદર વાર્તા, તેમની રચનાઓમાં બંધિયારપણું નથી હોતુ, વાર્તાના વિષયવસ્તુ પણ ચીલાચાલુ અને સામાન્ય ન હોતા અનોખુ હોય છે. મને લાગે છે ત્યાં સુધી તેમની વાર્તાઓ એક અનોખુ સ્થાન બનાવી શકે એટલી સદ્ધર અને સુઘડ હોય છે. આજે પ્રસ્તુત છે તેમની એક નવી રચના, અને વાર્તાનું નામ કદાચ તમને ગેરમાર્ગે ન દોરે એ માટે સ્પષ્ટતા કરી દઉં, કે મરીઝની ગઝલ શીર્ષક ધરાવતી આ એક ટૂંકી વાર્તા છે.


ભજનયોગ (ભાગ ૨) – સંકલન : સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ)

આજે આપના ડાઊનલોડ માટે પ્રસ્તુત છે ‘ભજનયોગ’ પુસ્તકનો બીજો ભાગ. ‘ભજનયોગ’, એ શ્રી સુરેશ દલાલ દ્વારા સંકલન પામેલ ભક્તિગીતોનું, એ અંગેના ચિંતન વિશેનું સુંદર આચમન છે. કેટલાક પુસ્તકો રોજે રોજ આચમન કરી શકાય એવું પવિત્ર વાતાવરણ ખડું કરી આપે છે, પ્રસ્તુત પુસ્તક એવી જ મનનીય અને ચિંતનસભર સામગ્રીથી ભરપૂર છે. અક્ષરનાદ પર આ સુંદર પુસ્તક મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશ દલાલ અને તેની સોફ્ટ યુનિકોડ કોપી ઉપલબ્ધ કરાવી આપવા બદલ શ્રી અપૂર્વભાઈ આશરનો આભાર શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. અક્ષરનાદની ઈ-પુસ્તક પ્રવૃત્તિને મળેલું આ આગવું પીઠબળ છે. આર્થિક હિતો ધ્યાનમાં લીધા વગર ફક્ત સતસાહિત્યનો – પ્રેરણાદાયક અને બોધપ્રદ આ ભજનમિમાંસાના સુંદર સંકલનનો પ્રસાર થાય એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.


રે મન ! (ટૂંકી વાર્તા) – રીતેશ મોકાસણા 10

અક્ષરનાદના કતાર (દોહા)થી વાચક મિત્ર શ્રી રીતેશભાઈ મોકાસણા મૂળ સાયલાના વતની છે, વિજ્ઞાનના વિદ્યાર્થી પણ સાહિત્ય પ્રત્યે પ્રીત ખરી. લખવાનો તેમનો પ્રયત્ન આજે સૌ મિત્રો સાથે તેઓ વહેંચી રહ્યા છે. તેમની કૃતિ વર્ણવે છે એક યુવતી પોતાના લગ્નની પહેલી રાત્રે પતિની રાહ જોવા દરમ્યાન મળેલી થોડીક ક્ષણોની વિચારધારા, એ પળોની લાગણીનું મિશ્રણ. અક્ષરનાદને તેમની કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રીતેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ. તેમની કલમે વધુ કૃતિઓ ઝરતી રહે એવી શુભકામનાઓ.


બે અછાંદસ – વિજય જોશી 1

વિજયભાઈનો પરિચય અક્ષરનાદના વાચકોને આપવાની કોઈ આવશ્યકતા નથી. અક્ષરદેહે આ પહેલા પણ તેઓ અક્ષરનાદ પર ઉપસ્થિત થયેલા છે જ, આજે ફરી એક વાર બે સુંદર અછાંદસ લઈને તેઓ આપણી સમક્ષ ઉપસ્થિત થયાં છે. પ્રથમ અછાંદસમાં જ્યાં તેઓ જો – તો ની વાતને એક અનોખા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે ત્યાં બીજી રચનામાં જીવનના મર્મને, તેની સાચી મહત્તાને સમજવાનો પ્રયત્ન કરતા જણાય છે. આવી સબળ કૃતિઓ તેમનું મોટું જમાપાસું છે. પ્રસ્તુત રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવાબદલ શ્રી વિજયભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


મીરાંબાઈ – લીલાવતી મુનશી 1

મીરાંનું જીવન અને કવિતા એ એક મહાપ્રયત્નનું પરિણામ છે. બાળપણથી જ મીરાંનું મન સંસારમાં રાચેલું નહોતું. અત્યંત પ્રેમભાવના વેગથી એની આંતરવૃત્તિ રંગાયેલી હતી. આ વૃત્તિ ભક્ત પિતામહને ત્યાં બાળપણમાં પોષાઈ. વૈધવ્યે એને જીવનમાં વણવાની તક આપી. મહારાણીપદ અને રાજકુળે એના સંસ્કારો વિકસાવ્યા અને પ્રતિકૂળતાઓ સામે ઝઝૂમતા ટકવાની તાકાત અને માનેલા આદર્શનો સાક્ષાત્કાર કરવાનો ઉત્સાહ આવ્યાં અને આ બધાના પરિણામે એના વિકાસ પામેલા વ્યક્તિત્વે આદર્શની પાછળ આત્મસમર્પણ કરી ચિરંજીવતા મેળવી. મીરાંની કવિતા અને જીવનને એકબીજાથી જુદાં ન પાડી શકાય. એના જીવનરસના નિર્ઝરણમાંથી એની કવિતા બની છે. એના કવિતાના રસપ્રવાહમાંથી એનું જીવન રચાયું છે. અને એ બંને, એનું જીવન અને એની કવિતા એક બીજાથી એતલાં અભિન્ન છે કે એમને છૂટાં પાડતાં બંને સામાન્ય થઈ રહે. મીરાં વિશેની આવી જ વાત વિગતે શ્રીમતી લીલાવતી મુનશીએ કરી છે.


વાચકોની પદ્ય રચનાઓ – સંકલિત 2

આજે વાચકમિત્રો શ્રી જનકભાઈ ઝીંઝુવાડીયા, શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન’ અને શ્રી રાહુલભાઈ શાહની પદ્યરચનાઓ પ્રસ્તુત કરી છે. વાચકોને આવી કૃતિઓના સર્જનની પ્રેરણા મળે, કેટલાક સિદ્ધહસ્ત વાચકોના સર્જનો પણ નવલોહીયા રચનાકારોને પ્રેરણા આપે અને તેમના સર્જનો વધુ ને વધુ પ્રાણવાન અને સત્વશીલ બને એવી આશા સાથે ત્રણેય સર્જકોને અનેક શુભકામનાઓ અને અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર.


પત્રકારની કબર ઉપર – ઝવેરચંદ મેઘાણી 6

‘ઘણી સહેલાઈથી એ પૈસાદાર બની શક્યો હોત ! પોતાના અખબારનું ધોરણ જરીક નીચું ઉતારે એટલી જ વાર હતી, પરંતુ એ લાલચની સામે થવા જેટલીય જરૂર એને નહોતી પડી; કેમકે ધક્કો મારીને કાઢવો પડે તેટલો એની નજીક જ એ કમાવાનો વિચાર નહિં આવેલો ને ! સળગતી પ્રામાણિકતાને સેવનારો એ માનવ હતો એટલું કહેવું બસ નથી. એનામાં તો ઈજ્જતની વીરતા હતી.’ જેઓની મૃત્યુખાંભી ઉપર બેધડક આટલી પંક્તિઓ લખી શકીએ, એવા પુરુષો આજની અખબારી દુનિયામાં ક્યાં છે? કેટલાક છે ? થઈ ગયા છે કોઈ?


હોંશે હોંશે – ગોપાલ પારેખ 5

અક્ષરનાદ ઇ પુસ્તક વિભાગના સંચાલક અને અદના ગુજરાતી બ્લોગર ગોપાલભાઈ પારેખ સ્વભાવે મોજીલા માણસ, મનમાં ઉગી જાય તો ક્યારેક સુંદર રચનાઓનું સર્જન પણ કરે છે, આજે પ્રસ્તુત છે તેમની જ એક રચના. પ્રેમ કોઈ એક વ્યાખ્યામાં બંધાતો નથી, કોઈ એક ક્ષેત્રમાં જકડાઇને રહેતો નથી. પ્રેમને મેળવવા હોંશે હોંશે અનેક કામો કરવાની તૈયારી દેખાડનાર એ પ્રેમાળ વ્યક્તિની વાત અહીં ખૂબ સરળ શબ્દોમાં અભિવ્યક્ત થાય છે.


અક્ષરનાદનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ 13

અક્ષરનાદ.કોમ વેબસાઈટ આજે પાંચ વર્ષ પૂર્ણ કરીને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ભાષા, સાહિત્ય અને પ્રેરણાદાયક તથા મનનીય વાંચન નિઃશુલ્ક, સરળતાથી અને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવાના ધ્યેય સાથે શરૂ કરેલ આ સાહસ આપ સૌના આશિર્વાદ, શુભેચ્છાઓ અને સહકારથી સતત અને અવિરત આગળ વધી રહ્યું છે એ અમારા માટે એક ચમત્કારથી વિશેષ કાંઈ નથી.


ભજનયોગ (ભાગ ૧) – સંકલન : સુરેશ દલાલ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 6

પ્રસ્તુત પુસ્તક ‘ભજનયોગ’, એ શ્રી સુરેશ દલાલ દ્વારા સંકલન પામેલ ભક્તિગીતોનું, એ અંગેના ચિંતન વિશેનું સુંદર આચમન છે. કેટલાક પુસ્તકો રોજે રોજ આચમન કરી શકાય એવું પવિત્ર વાતાવરણ ખડું કરી આપે છે, પ્રસ્તુત પુસ્તક એવી જ મનનીય અને ચિંતનસભર સામગ્રીથી ભરપૂર છે. અક્ષરનાદ પર આ સુંદર પુસ્તક મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશ દલાલ અને તેની સોફ્ટ યુનિકોડ કોપી ઉપલબ્ધ કરાવી આપવા બદલ શ્રી અપૂર્વભાઈ આશરનો આભાર શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. અક્ષરનાદની ઈ-પુસ્તક પ્રવૃત્તિને મળેલું આ આગવું પીઠબળ છે. આર્થિક હિતો ધ્યાનમાં લીધા વગર ફક્ત સતસાહિત્યનો – પ્રેરણાદાયક અને બોધપ્રદ આ ભજનમિમાંસાના સુંદર સંકલનનો પ્રસાર થાય એવા શુભ હેતુથી પુસ્તક તદ્દન નિઃશુલ્ક પ્રસ્તુત કરી વહેંચવાની આવી તક આપવા બદલ અક્ષરનાદના સમગ્ર વાચક પરિવાર વતી શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.

Read Free Gujarati Ebook Bhajanyog by Suresh Dalal

મામેકં શરણં વ્રજ… – વિનોદભાઈ માછી 5

મનને વિકારોમાંથી છોડાવવાની બે રીતો છે – એક જ્ઞાન અને વૈરાગ્ય દ્રારા તેનું શમન કરીને, અને બીજી આ૫ણે જેવા છીએ તેવા પોતે પોતાને ૫રમાત્માને સમર્પિત કરી દઇએ.૫રમાત્મા સ્વયમ્ આ૫ણા દોષો દૂર કરી દેશે. આ૫ણે તેના માટે ચિંતા કરવાની જરૂરત નથી. ૫હેલી રીત ખુબ જ સુંદર છે તેને કરવી જ જોઇએ ૫ણ તે ખૂબ જ કઠિન છે. બીજી રીત સામાન્ય લાગે છે ૫ણ તે અમોઘ છે. દા.ત. એ આ૫ણી પાસે એક મકાન છે આ૫ણે તે મકાન કોઇને વેચી દીધું તો તે મકાન તે રાખનારનું થઇ ગયું. હવે તે મકાનમાં કચરો ભરાય, કોઇ તૂટફાટ થાય તો તેનું મરામત કામ કોણ કરાવશે? તેની જવાબદારી મકાન જેને રાખ્યું છે તેની છે, તેવી જ રીતે આ૫ણે જયારે ૫રમાત્માને સમર્પિત થઇ જઇએ, આ૫ણી પાસે જે તન મન ધન પ્રભુ ૫રમાત્માનું જ છે તે પ્રભુ ૫રમાત્માને જ સમર્પણ કરી દઇએ છીએ ત્યારે આ૫ણા ગુણ દોષ, ભૂલો, ખામીઓ, તન મન ધન ઇન્દ્રિયો, બુધ્ધિ આ બધું પ્રભુ ૫રમાત્માનું થઇ જાય છે. હવે તેને સ્વુચ્છ અને નિર્મળ રાખવું એ પ્રભુ ૫રમાત્માની જવાબદારી છે.


રાજકારણીઓ માટે એક મૅનેજેબલ કૉમોડીટી : જનતા – હરિન્દ્ર દવે 7

ગાંધીની કાવડ લઘુનવલ સાદ્યાંત રાજકારણનું કથાવસ્તુ ધરાવે છે તે કારણે તેને રાજકીય કથાવસ્તુ વાળી નવલકથા કહી શકાય, પણ આખરે તો નવલકથા ગમે તે વિષયને અનુલક્ષીને હોય, એનું હાર્દ સ્પર્શવું જોઈએ, લાલચુ, અપરાધી અને બદમાશ રાજકારણીઓ પાસે સત્તા મેળવવાની, મેળવીને ટકાવી રાખવાની ને બને તો વધારતા જવાની અનેક તરકીબો છે એમાંની એક આ નવલમાં આલેખાઈ છે તે છે શુદ્ધ માનવીને નિષ્કલંક પ્રતિભા અને પ્રતિમાને હાથો બનાવવાની. કરુણાશંકર માસ્તર ગાંધીજીના નિકટના સાથી અને સ્વાતંત્ર્યસેનાની છે તેમને હાથો બનાવવામાં બે લાભ, એક તો તેઓ સરકારની ટિકા કરતાં અટકે અને બીજો પક્ષના -સરકારના પક્ષમાં તેમનો ઉપયોગ કરી શકાય. રાજકારણીઓ માનવીને પણ મૅનેજેબલ કૉમોડીટી માને છે તે આ કૃતિમા ફલિત થાય છે. ગાંધીની કાવડ આપણી પ્રવર્તમાન વ્યવસ્થાનો આયનો પણ કહી શકાય, એ જ નવલકથાનો મને ગમતો એક નાનકડો ભાગ આજે પ્રસ્તુત છે.


હરખ શોકની હેડકી નહીં…. – સુરેશ દલાલ 3

ગંગાસતીનું આ પ્રસિદ્ધ ભજન છે, એવા પણ લોકો હશે કે જેમને આમાંની કેટલીક પંક્તિઓ યાદ હશે, પણ ખબર નહીં હોય કે આ ભજન કોનું છે. કવિનું કામ આ રીતે ભાષામાં ઊપસતું હશે અને કવિનું નામ આજ રીતે ભાષામાં ભૂંસાઇ જતું હશે, ગંગાસતી અને પાનબાઇ, સાસુ અને વહુ, આજે 2012માં પણ આ સંબંધ સકારણ વગોવાય છે. મધ્યકાલિન યુગમાં ગંગાસતી અને પાનબાઇની જોડી આદર્શ સાસુવહુ તરીકે, ગુરુશિષ્યા તરીકે પ્રખ્યાત, એમ કહેવાય છે કે ગંગાસતીએ જે કાંઇ ગાયું તે પાનબાઇના અંતરાત્માને ઉછેરવા માટે. માં તો ગર્ભ ધારણ કરે અને શરીર આપે. પણ વહુની આવી માવજત આખા જગતમાં વિરલ કહી શકાય. સાસુ મહેણાં માટે જાણીતી છે, ગાણાં માટે નહીં. ગંગાસતીનું ગીત આત્માને જ્ઞાનથી અજવાળે એવું છે, આ બધા સંસારી સંતોને પોતે વિરલ કવિતા કરે છે એની કોઇ સભાનતા નહોતી. એક એક વ્યક્તિ વિદ્યાપીઠ જેવી, અનુદાન(ગ્રાંટ) નો પ્રશ્ન જ નહોતો. જે કાંઇ હતું તે ઇશ્વરનો અનુગ્રહ, પરમની કૃપા અને ગ્રેસ. આ જ વિષય પરત્વે – ભજન વિશે શ્રી સુરેશ દલાલે કરેલ ચિંતન આજે પ્રસ્તુત છે. પ્રસ્તુત લેખ અક્ષરનાદને પ્રસ્તુત કરવાની પરવાનગી આપવા બદલ શ્રી સુરેશભાઈ દલાલનો ખૂબ ખૂબ આભાર.


મૂળ સોતો ઉછર્યો તે હું જ – જિતેન્દ્ર પ્રજાપતિ 6

જીતેન્દ્રભાઈ પ્રજાપતિ આપણા એક સિદ્ધહસ્ત ગઝલકાર છે એ વાત તેમની ગઝલો સુપેરે સાબિત અકરી આપે છે અને અક્ષરનાદની સાથે તેમની વિકાસયાત્રા આગળ વધી છે તે વાતનો અત્યંત આનંદ પણ ખરો. અનેક પ્રચલિત સામયિકો જેમ કે કવિતા, શહીદે ગઝલ, છાલક વગેરેમાં તેમની ગઝલો છપાઈ રહી છે એ તેમની નિપુણતાની સાક્ષી પૂરે છે. આજે પ્રસ્તુત છે તેમની એક એવી જ સુંદર ગઝલ.


માનવતાના વેરી – સ્વામી આનંદ 4

વિશ્વ જે ઝડપે અણુયુદ્ધ તરફ આગળ વધી રહ્યુ છે, અણુશસ્ત્રો અને તેમના માટેના મિસાઈલ વગેરેની જે દોડ આજે ચાલી રહી છે તેમાં વિકાસ માટે વપરાવાના કરોડો અબજો રૂપિયા હોમાઈ રહ્યા છે. લોકો એક તરફ ગરીબ થઈ રહ્યા છે તો બીજી તરફ સુરક્ષાને નામે રાષ્ટ્રો અણુસત્તા બનવા તરફ આંધળી દોડ લગાવી રહ્યા છે. આ જ વિષય પરત્વે એક સ્વામી આનંદે વર્ષો પહેલા લખેલ લેખ આજે પ્રસ્તુત છે જે ‘માનવતાના વેરી’ માંથી લેવામાં આવ્યો છે.


બસ એટલું કે એના ઉપર મારો હક નથી… – બરકત વીરાણી ‘બેફામ’ 9

આજે પ્રસ્તુત છે બેફામ સાહેબની મારી મનગમતી ગઝલોમાંની એક અગ્રગણ્ય ગઝલ. આ ગઝલ મને ખૂબ ગમે છે તેના અનેક કારણો છે, એક તો તેનો ભાવ, પ્રથમ શેરથી જ એ સૂચવી દે છે કે આ વિરહ પછીની ગઝલ છે, એમાં જુદાઈ છતાંય પ્રગટ થતી પ્રેમની ખુમારી અનોખી છે, પોતાના અને પ્રેમીકાના ચૈતસિક જોડાણની વાત ગઝલકાર અહીં કહે છે. આજે ઘણા વખતે બેફામ સાહેબની ગઝલ મૂકવાનો અવસર મળ્યો છે, આશા છે મારી આ પસંદ આપ સૌને પણ ગમશે.


રાઘવ, એક દ્રષ્ટાંત… – ઋત્વિ વ્યાસ મહેતા 11

આજ ના જમાના માં જ્યારે લોકો ફેરિયા અને બીજા સ્વાંગ ધરીને ઘરોમાં ચોરીઓ કરે છે એ લોકો નથી જાણતા કે આવા કૃત્ય થી સાચે જ એ વ્યવસાય પર નભનારા લોકોની રોજી રોટી છીનવાઈ જાય તેવું જોખમ તેઓ ઉભું કરતા જાય છે ત્યારે પ્રસ્તુત પ્રસંગ લોકોની આંખો ઉઘાડી આપવા સક્ષમ છે. આપણી આસપાસ થતી આવી ઘટનાઓ ચટપટી અથવ મસાલેદાર કહાનીઓ જેવી ન હોય તો પણ જીવન પર તેની અસર વધુ થાય છે કારણકે આ આપણી હકીકતની દુનિયા છે. આવો જ એક પ્રસંગ આજે ઋત્વિબેન વ્યાસ મહેતા લઈને આવ્યા છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને સર્જનની આ સફર માટે તેમને અનેક શુભકામનાઓ.