સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ચુનીલાલ મડિયા


ગ્રંથની ગરબડ – ચુનીલાલ મડિયા 2

કહેવાયું છે કે પુસ્તકો પ્રજાની સંસ્કારિતાનું દર્પણ છે, કોઈએ કહ્યું છે કે કોઈ એક વ્યક્તિના ઘરમાં કેવા પુસ્તકો છે એ મને કહો તો હું તેના ચારિત્ર્ય વિશે કહી શકીશ. આ જ માન્યતાનો છેદ ઉડાડતી શ્રી ચુનીલાલ મડિયાની પ્રસ્તુત કૃતિ એક અનોખી હાસ્યરચના છે. હાસ્યરચનાઓને માણવા માટે પણ એક વિશેષ દ્રષ્ટિકોણ હોવો જરૂરી છે, અને તેમાં રહેલા સૂક્ષ્મ હાસ્યને માણવાની મજા અલગ જ હોય છે. ચુનીલાલ મડિયાની આ અનોખી રચના માણવાલાયક કૃતિ છે.


શરણાઈના સૂર… – ચુનીલાલ મડીયા (ભાગ ૨) 7

ચુનીલાલ મડીયા આપના સર્વદર્શી સાહિત્યકાર છે, નવલકથા, વાર્તા, નાટક, વિવેચન, અનુવાદ, પ્રવાસવર્ણન, સોનેટસર્જન તથા સંપાદન જેવા અનેક ક્ષેત્રોમાં તેમણે સર્જન કર્યું છે. પ્રસ્તુત વાર્તા તેમના વાર્તાસંગ્રહ ‘શરણાઈના સૂર’માંથી લેવામાં આવી છે. શરણાઈવાળા રમઝુ મીરનું પાત્રાલેખન ભાવુક અને પુત્રીવત્સલ પિતાના પાત્રને ભાવકના હ્રદયમાં એક અનોખું સ્થાન અપાવે છે. ભૂધર મેરાઈની દીકરીના લગ્ન પછી વિદાયપ્રસંગ પોતાની પુત્રીની વિદાયનો પ્રસંગ હોય એમ સાનભાન ભૂલીને શરણાઈ વગાડતા મીરની મનોદશાનું અનન્ય આલેખન લેખકે આપ્યું છે. ખરેખર તો તે પોતાની શરણાઈના સૂર થકી પિતૃસ્નેહના સૂરોને જ વહાવી રહ્યો છે, પરંતુ જાનૈયાઓ એ સમજવા અસમર્થ છે – એ પ્રસંગનું વિગતે વર્ણન અને વાર્તાનો અનોખો અંત તેને એક યાદગાર સર્જન બનાવે છે. પ્રસંગમાં કરુણતાનું નિરુપણ લેખકની અનન્ય શૈલીનો પરિચય કરાવે છે અને વાચકના હ્રદયને પણ દ્રવિત કરી દે છે. આ વાર્તા આજે બે ભાગમાં પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત છે તેનો બીજો ભાગ


શરણાઈના સૂર… – ચુનીલાલ મડીયા (ભાગ ૧) 7

ચુનીલાલ મડીયા આપના સર્વદર્શી સાહિત્યકાર છે, નવલકથા, વાર્તા, નાટક, વિવેચન, અનુવાદ, પ્રવાસવર્ણન, સોનેટસર્જન તથા સંપાદન જેવા અનેક ક્ષેત્રોમાં તેમણે સર્જન કર્યું છે. પ્રસ્તુત વાર્તા તેમના વાર્તાસંગ્રહ ‘શરણાઈના સૂર’માંથી લેવામાં આવી છે. શરણાઈવાળા રમઝુ મીરનું પાત્રાલેખન ભાવુક અને પુત્રીવત્સલ પિતાના પાત્રને ભાવકના હ્રદયમાં એક અનોખું સ્થાન અપાવે છે. ભૂધર મેરાઈની દીકરીના લગ્ન પછી વિદાયપ્રસંગ પોતાની પુત્રીની વિદાયનો પ્રસંગ હોય એમ સાનભાન ભૂલીને શરણાઈ વગાડતા મીરની મનોદશાનું અનન્ય આલેખન લેખકે આપ્યું છે. ખરેખર તો તે પોતાની શરણાઈના સૂર થકી પિતૃસ્નેહના સૂરોને જ વહાવી રહ્યો છે, પરંતુ જાનૈયાઓ એ સમજવા અસમર્થ છે – એ પ્રસંગનું વિગતે વર્ણન અને વાર્તાનો અનોખો અંત તેને એક યાદગાર સર્જન બનાવે છે. પ્રસંગમાં કરુણતાનું નિરુપણ લેખકની અનન્ય શૈલીનો પરિચય કરાવે છે અને વાચકના હ્રદયને પણ દ્રવિત કરી દે છે. આ વાર્તા આજે બે ભાગમાં પ્રસ્તુત કરી છે. પ્રસ્તુત છે તેનો પ્રથમ ભાગ.


પાદરનો પીપળો – ચુનીલાલ મડિયા 2

આપણી ભાષાના એક જાણીતા સાહિત્યકાર, શ્રી ચુનિલાલ મડિયાએ અનેક યાદગાર નાટકો, નવલકથાઓ, વાર્તાઓ, કાવ્યો અને વિવેચનો લખ્યાં છે. અહીં પ્રસ્તુત નિબંધમાં પાદરના પીપળાની આત્મકથા આલેખાઈ છે. પીપળો જાણે પોતાની કથા કહે છે. આપણા સમાજજીવનમાં પીપળાનું મહત્વ અહીં સુપેરે આલેખાયું છે. રૂઢિઓ, માન્યતાઓ વગેરેની વચ્ચે એક પીપળાના અસ્તિત્વની મહત્તા અહીં આલેખાઈ છે. જો કે હવેના સમયમાં, ઔદ્યોગિકરણને લીધે વૃક્ષો આડેધડ કપાઈ રહ્યાં છે ત્યારે આ માન્યતાઓ અને રૂઢિઓ ફક્ત નિબંધોમાં જ ન રહી જાય એ જોવું રહ્યું.


(ગુજરાતી ઉચ્ચારોમાં) શુદ્ધ શું ? અશુદ્ધ શું? – ચુનીલાલ મડિયા (હાસ્યનિબંધ) 9

ગુજરાતી ભાષાના ઉચ્ચારો અને તેમાંની અશુદ્ધિઓ વિશે માર્મિક ભાષામાં હાસ્યરસની સાથે તાર્કિક દલીલો સાથે અને ચોટદાર ઉદાહરણો સહિત આ લેખ આપણી ભાષા શુદ્ધિ વિશેની વાતોની ઠેકડી ઉડાડે છે. બહુ વખત પહેલા અક્ષરનાદ પર ડો. શ્યામલ મુન્શીની ‘ ળ ને બદલે ર ‘ એ રચના મૂકેલી એ પછી આ બીજી એ જ પ્રકારની રચના છે, જો કે એ પદ્ય રચના હતી તો આ હાસ્યનિબંધ છે, પરંતુ અહીં ભાષા શાસ્ત્રીઓને દર્પણ દેખાડવાનો પ્રયત્ન છે.

પ્રાંતભાષાઓનું અને એક જ ભાષાના શબ્દોના વૈવિધ્યપૂર્ણ ઉચ્ચારોનું પોતાનું એક સાર્વભૌમત્વ સ્થપાઈ રહ્યું છે ત્યારે સાહિત્યના ક્ષેત્રમાં, લેખનમાં શુધ્ધિકરણ અનિવાર્ય છે જ પરંતુ તેની અતિશયોક્તિ અથવા ઉચ્ચારશુદ્ધિનું તીવ્ર સભાનપણું હાસ્યાસ્પદ સ્થિતિઓ તરફ ન લઈ જાય એ પણ જોવું રહ્યું એમ દર્શાવતો શ્રી ચુનીલાલ મડિયાનો આ હાસ્યનિબંધ ખરેખર માણવાલાયક છે.