સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડૉ. પ્રફુલ્લ શાહ


મારો ખુદાતાલા… – ડૉ. પ્રફુલ્લ શાહ 6

સાવરકુંડલામાં એક અનોખા ડૉક્ટર વસે છે, એમનું નામ છે ડૉ. પ્રફુલ્લભાઈ શાહ. સદગત દીકરી સોનલના નામે સ્થાપેલા ફાઉન્ડેશન દ્વારા બહેનોને સ્વાવલંબી બનાવવાની સાથે કેળવવાના પ્રયત્નો, રક્તપિત, પોલીઓ જેવા રોગોનો વ્યાપક પ્રતિકાર, કિડનીના રોગોની સારવાર, ક્ષયનિવારણ, બાળ-પુસ્તકાલય, શિષ્યવૃત્તિઓની જોગવાઈ, વૃક્ષ ઉછેર, કલાઓની તાલીમ જેવી પ્રવૃત્તિઓમાં ડૉક્ટર સાહેબ અને તેમના ધર્મપત્નિ – આ બંનેએ સક્રિય રસ લીધો છે. જીવનના વિવિધ ક્ષેત્રો સાથે જોડાતા ગયેલા નાતાને પરિણામે જે અનુભવો પ્રાપ્ત થયા એ સાચવીને શબ્દમાં મૂક્યા. એ અનુભવોનું ભાથું એટલે ‘શબરીના બોર’ ઈ પુસ્તક – એ અક્ષરનાદ પર ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે જ, તે પછી એ જ અનુભવોનું વધુ વિશદ ભાથું ‘મનેખ નાનું મન મોટું’ એ નામે પ્રસિદ્ધ થયું, એમાંથી જ એક વાત આજે અહીં ટાંકી છે. જીવનમાં મોટી નકારાત્મક બાબતોની સામે ફક્ત એક જ હકારાત્મક વાત ઘણી પ્રેરણા આપતી જાય છે. અક્ષરનાદને આ પુસ્તક ભેટ આપવા બદલ ડૉ. પ્રફુલ્લ શાહનો ખૂબ ખૂબ આભાર.