Yearly Archives: 2014


ભાષાના પ્રશ્નો, લિપિના પ્રશ્નો – કિશોરલાલ મશરૂવાળા 4

આર્થિક, સામાજિક, સાહિત્યિક, કળાત્મક, સાંસ્કારિક વગેરે જીવનની કોઈ પણ બાજુ આપણે તપાસીશું તો આપણો આ સ્વભાવ દેખાઈ આવશે. તે પૈકી આ પ્રકરણમાં ભાષાનો પ્રશ્ન વિચારવો છે. આપણી હાલની પ્રાન્તીય ભાષાઓ બહુ મોટે ભાગે સંસ્કૃત ભાષાનું ખાતર ચૂસીને ઊછરેલી વિવિધ વેલીઓ છે એમાં શંકા નથી. પણ સંસ્કૃત ખાતરનો ભાગ બહુ મોટો હોય તોય તેમાં બીજી ભાષાનાં ખાતરોપણ છે જ. સાચી વાતતો એ છે કે આપણી પ્રચલિત ભાષાઓ સંસ્કૃત + સ્થાનિક તેમ જ પુરાણી કે નવી આવેલી પ્રજાઓની ભાષાઓથી સરી પેઠે મિશ્રિત છે. ભાષા કરતાંયે લિપિ વધારે બાહ્ય વસ્તુ છે. ભાષાને લખાણમાં પ્રગટ કરવાનું એ સાધન છે. એને લખનારા કે બોલનારાની ન્યાત, જાત, ધર્મ, પ્રાન્ત, રાષ્ટ્ર વગેરે સાથે સંબંધ નથી.


રૂપ રૂપનો અંબાર : કોથમીર ! – અરુણા જાડેજા 10

મીઠામરચાના સિંહાસને સદા બિરાજમાન કાંગરિયાળા અને ઝાલરિયાળા, હર હાઈનેસ બાશ્રી કોથમીરબા, રસોઈના રાજરાણીસાહેબા પધાર રહે હૈઁ ! બા મુલાયજા હોંશિયાર ! કોથમીરની આ સવારી નીકળી છે શ્રી અરુણાબેન જાડેજાની કલમે, ભલભલા રસોઈયા કે ભલભલી રસોઇયાણીનું પાંદડું જેના વગર હાલે નહીં તે આ રૂપ રૂપના અંબાર સમી કોથમીરનું પાંદડ઼ું. નાજુકાઈ અને નમણાશની વ્યાખ્યા જેના થકી ધન્યધન્ય થાય તે આ કોથમીર. લીલા રંગનું જીવતર સાર્થક થાય તે આ કોથમીર થકી. જેની હાજરી વગર કોઈ પણ મરીમસાલો બિચારો તે આ કોથમીર. કોથમીરના મહાત્મય વિશેનો આજનો આ લીલોછમ્મ કૂણો લેખ આપ સૌને સાદર.. અક્ષરનાદને પ્રસ્તુત રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી અરુણાબેન જાડેજાનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


કેવડિયાનો કાંટો – ધીરુબહેન પટેલ 4

દિવાળીની સાફસફાઈ કરતાં પુસ્તકો માટે એક કબાટ લેવામાં આવ્યું, તેમાં પુસ્તકો – સામયિકો વગેરે ગોઠવતા નવનીત સમર્પણનો નવેમ્બર ૨૦૦૬નો અંક હાથમાં આવ્યો. ધીરુબહેન પટેલની વાર્તા પુસ્તકોના ઢગલાની વચ્ચે બેસીને વાંચી અને આપણા અસ્તિત્વના, હોવાપણા અને નહીં હોવાપણા વચ્ચેની ભેદરેખાના સવાલને સ્પર્શવાનો પ્રયત્ન કરતી આ સુંદર વાત ગમી ગઈ. ધીરુબહેન પટેલના આગોતરા આભાર સાથે આજે પ્રસ્તુત છે એ વાર્તા…


નવા વર્ષના સાલમુબારક, શુભેચ્છાઓ… – સંપાદકીય 16

સૌ વાચકમિત્રો, સર્જકમિત્રો – સ્નેહીજનોને દિવાળીની શુભેચ્છાઓ.. નવા વર્ષના ઘણાં સાલમુબારક. આવનારું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંતોષ, જ્ઞાન અને પ્રગતિ પામી જીવનના સાચા મર્મને સમજવામાં સીમાચિહ્નરૂપ બની રહો તેવી શુભેચ્છાઓ.


ચાર ગઝલ – યાકૂબ પરમાર 4

યાકૂબભાઈ પરમારની કૃતિઓ સતત અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહે છે અને વાચકોના પ્રેમને પામે છે. આજે પ્રસ્તુત છે તેમની કલમે વધુ ચાર ગઝલરચનાઓ. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


ખણખોદ…. ફરી એક વાર (૧૪) – સંકલિત 11

અક્ષરનાદ પર ખણખોદ શીર્ષક હેઠળ હાસ્યપ્રેરક ટૂચકાઓ મૂક્યાને લાંબો સમય થઈ ગયો છે. આજે પ્રસ્તુત છે કેટલાક મજેદાર જોક્સ. આશા છે એમાંથી એકાદ બે તો તમને મરકાવી જ શક્શે. તહેવારોની શરૂઆત થઈ રહી છે. સતત તણાવભર્યા જીવનમાં હાસ્ય અને આનંદ એ પણ આજના સમયનું ધન જ ગણાય ત્યારે આપ સૌને હાસ્યસભર ધનતેરસ મુબારક.


નિષ્ઠાનું મોતી : શ્રી ઉમાશંકર જોષી – કિશનસિંહ ચાવડા 2

ગુજરાત સાહિત્ય પરિષદનું સંમેલન જ્યારે છેલ્લું નડીયાદમાં મળ્યું ત્યારે ગોવર્ધનરામ શતાબ્દીનો ઉત્સવ પણ એની સાથે સાંકળી લેવામાં આવ્યો હતો. એ સંમેલનના પ્રથમ દિવસના સવારનું કામકાજ પૂરું થયું અને અધિવેશન વિખરવા માંડ્યું ત્યારે મુખ્ય દરવાજા આગળ શ્રી ઉમાશંકર જોષી એક સૂચનાપત્ર વહેંચતા હતા. એ દરવાજેથી પરિષદના સૂત્રધાર અને ચક્રવર્તી શ્રી કનૈયાલાલ મુનશી નીકળ્યા. તેમના હાથમાં પણ ઉમાશંકરે એ સૂચનાપત્ર આપ્યું. એ સૂચનાપત્રમાં ગુજરાતના પ્રસિદ્ધ વર્તમાન સાહિત્યકારોનાં નામની લગભગ પોણોસો સહીથી શ્રી મુનશીની સામે એક ફરિયાદ અને એક પડકાર હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદનું બંધારણ અને માળખું જે સરમુખત્યારશાહીના ચોકઠામાં જકડાયેલું હતું તેમાંથી તેને મુક્ત કરીને, લોકશાહી સ્વરૂપ આપવાની એમાં જોરદાર માંગણી હતી. મુનશી પરિષદના સર્વસ્વ હતા. જે કરતા તે થતું. જે ચાહતા તે બનતું. એમના સત્તાના મુગટમાં પરિષદ એક શોભાનું પીંછું હતું. આ અવસ્થા અને વ્યવસાયની સામે પેલા સૂચનાપત્રમાં રોષભરી ફરિયાદ હતી અને એનું સ્વરૂપ સુધારવાની જોરદાર માગણી હતી.


ઇન્ટરનેટની સમૃદ્ધિના ત્રણ નેટયોગીઓ.. 11

નેટવિશ્વ અનેક નવી શરૂઆતો, અનેક અવનવા પ્રયત્નો અને વિચારશીલ લોકોના ઉપયોગી પ્રયત્નોનો ભંડાર છે. આજે આવા જ ત્રણ ભિન્ન લોકોનો પરિચય અહીં મૂક્યો છે. વૈશ્વિક, રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે તેમના અલભ્ય યોગદાન બદલ સલમાન ખાન, અમિત અગ્રવાલ અને ડૉ. નિરંજન રાજ્યગુરૂના પરિચય સાથે કાંઈક અલગ કરીને ઇન્ટરનેટને તેની મહત્તમ ક્ષમતા સુધી સમાજ માટે ઉપયોગ કરનાર આ નેટવીરો અને તેમના કાર્ય વિશે જાણીએ.


હિંમતે મર્દા તો મદદે ખુદા : રુસિદા બડાવી – ડૉ. જનક શાહ 6

કોઈ વ્યક્તિના બાવડા કોણી નીચેથી કાપાઈ ગયેલા હોય અને એક ફોટોગ્રાફર તરીકે કામ કરે તો નવાઈ લાગે કે કેમ? ઈન્ડોનેશિયાની ૪૪ વર્ષની રુસિદા બડાવી આવી એક મહિલા છે જે બાર વર્ષની હતી ત્યારે એક કાર અકસ્માતમાં તેના હાથને કાપવા પડ્યા હતા. આજે તે કેમેરો લઈને પ્રોફેશનલ ફોટોગ્રાફર તરીકે ૨૦ વર્ષથી કામ કરી રહી છે. ઈન્ડોનેશિયાના નાના ગામમાં વીસ વર્ષથી ફોટોગ્રાફી કરી મગરૂરીભર્યુઁ જીવન વિતાવતી મહિલાએ સાચા અર્થમાં સર્જનાત્મકતા શું કહેવાય તે બતાવી આપ્યું છે. હાથની કમી તેના માટે કોઈ સમસ્યા નથી.


ઇઝરાઈલ ડાયરી – મનુભાઈ પંચોળી ‘દર્શક’ 2

દેશવિદેશે’માં મનુભાઈ પંચોળી ‘દર્શક’ તેમના ઇઝરાઈલની પ્રવાસ ડાયરીમાં નોંધે છે તેમ, “ઈસીહા પાસેથી જાણ્યું કે ધર્મનું પરિબળ નવી પેઢીમાં ઘટતું જાય છે, પણ બાઈબલ તરફની એક પ્રકારની અહોભાવની લાગણી છે જ અને અરબો સામે દેશને બચાવવાની સરફરોશી છે. આ લોકોએ પણ ઇઝરાઈલ બાબતની ભારતની નીતિની ચર્ચા કરી. મેં તેમને મુસ્લિમ લોકોના પ્રત્યાઘાતો તેમ જ મુસ્લિમ દેશો સાથે બસો કરોડ રૂપિયનો ભારતનો વેપાર છે તેનો ખ્યાલ આપ્યો. ઈઝરાઈલ વિશે સહાનુભૂતિ છે છતાં ઉપરની હકીકતને લીધે કોકડું ગૂંચવાયેલું રહે છે – કે રાખે છે, તેમ સમજાવવા મહેનત કરી. ઇસીહાએ મને માહિતી આપી કે જોર્ડન તો ઈઝરાઈલ જોડે યુદ્ધની સ્થિતિમાં રહ્યું છે છતાં તે ઈઝરાઈલમાંથી લાખો રૂપિયાનાં સીમેન્ટ, શાકભાજી, માખણ લઈ જાય છે. જોર્ડન જો ચાલુ લડાઈએ આ કરે તો ભારતથી કેમ ન બને? તેણે માહિતી આપી કે ઇઝરાઈલે ફોસ્ફેટનાં ખાતરો બીજા કોઈનાં કરતાં દસ ટકા ઓછા ભાવે મુંબઈ કિનારે પહોંચાડવાની તૈયારી બતાવેલી છતાં ભારતે તે ખાતરો ન લીધાં. તે વખતે પોતે ફોસ્ફેટ ખાતરોનાં કારખાનામાં મદદનીશ ઈજનેર હતા.” સ્વ.મનુભાઈ પંચોળી ‘દર્શક’ની જન્મ શતાબ્દી નું આ વર્ષ છે. ૧૯૭૦માં તેમના પ્રવાસની ડાયરીમાં ઘણું રસપ્રદ અને અવનવું તેમણે અનુભવસરવાણી રૂપે નોંધ્યું છે, એમાંથી થોડા ભાગ અહીં ઉદધૃત કર્યા છે.


તહેવારોનું સ્નેહ સંમેલન.. દિવાળી – વિનોદ માછી 4

દિવાળી એટલે આનંદનો ઉત્સવ, ઉલ્લાસનો ઉત્સવ, પ્રસન્નતાનો ઉત્સવ,પ્રકાશનો ઉત્સવ.. દિવાળી એ ફક્ત એક તહેવાર નથી પરંતુ તહેવારોનું સ્નેહ સંમેલન છે. ધનતેરસ.. કાળીચૌદશ.. દિવાળી.. નૂતન વર્ષ અને ભાઇબીજ – આ પાંચ તહેવારો પાંચ અલગ અલગ વિચારધારાઓ લઇને આવે છે.


કાબુલીવાળો – રવિન્દ્રનાથ ઠાકુર, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 13

રવિન્દ્રનાથ ઠાકુરની કલમે સર્જાયેલ કાબુલીવાલા એક સુંદર વાર્તા છે, વર્ષો પહેલા શાળા શરૂ થતાં પહેલા હિન્દી અને ગુજરાતીના પાઠ્યપુસ્તકોની વાર્તાઓ હું વાંચી જતો, અને પછી શાળામાં અભ્યાસ દરમ્યાન એ ટેવ મદદરૂપ થઈ રહેતી. કાબુલીવાલા વાર્તાની વિશેષતા છે તેનું કથાનક, એક કાબુલી અને નાનકડી છોકરી મિની વચ્ચેની દોસ્તીની વાત, એ છોકરીમાં પોતાની દીકરીને જોતા કાબુલીના મનોભાવ અને મિનીના પિતા દ્વારા આલેખાતી આ વાત એટલી તો સુંદર થઈ કે તેના પર બંગાળીમાં (૧૯૫૭માં), હિન્દીમાં (૧૯૬૧માં) અને મલયાલમમાં (૧૯૯૩માં) ફિલ્મ પણ બની. કાબુલીવાળાનું પાત્ર સ્વદેશથી દૂર કામ કરતા એવા દરેકના સંવેદનોને વાચા આપે છે જેઓ પોતાના સ્વજનોથી દૂર રહીને રોજગાર માટે મજબૂર છે. પ્રસ્તુત છે આ સુંદર વાર્તાનો અનુવાદ. હિન્દીમાં મળેલ કાબુલીવાલામાંથી કર્યો છે.


પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૬) 13

પૂર્ણિમાબેનનો ૯ વર્ષનો દીકરો પથિક કોઈપણ કામ લાંબા સમય સુધી કરી નથી શકતો. કોઈ રમત રમતો હોય તો થોડા જ સમયમાં એ રમત મૂકીને કંઈક બીજું કરવા માંડે. વળી તરત જ કંઈક ત્રીજું જ કરે…..! જે પણ કંઈ કરતો હોય તે પૂરું પણ ન કરે. પૂર્ણિમાબેન એની સાથે બેસીને ઘણી વખત હાથમાં લીધેલી એક રમત અથવા કામ પૂરું કરાવવાની કોશિશ કરે પણ એમાં ભાગ્યે જ સફળતા મળે. જ્યારે સફળતા મળે ત્યારે પણ કાર્ય પૂરું કરવાની જવાબદારી અને ગરજ પૂર્ણિમાબેનની જ રહેતી, પથિકની નહિ. જમવામાં પણ પથિક વ્યવસ્થિત થાળી પીરસી બધી રીતે સંતુલિત હોય તેવું જમવાનું જમવા ક્યારેય બેસતો નહીં. પથિકને પેકેટમાં મળતું ખાવાનું ખૂબ ગમતું. બીસ્કીટ, વેફર, કૂરકૂરે, જેલી, મેગી, કેન્ડી, કેક વિગેરે વધુ ભાવતું અને તે પણ પેકેટમાંથી સીધું જ લઈને ખાવાનું. આ ઉપરાંત જંક ફૂડ હોય તો પથિક પેટ ભરીને ખાતો.


તેજસ્વી, પ્રયોગશીલ શિક્ષકો અને શિક્ષણનું તંત્ર – ડૉ. સંતોષ દેવકર 4

ડૉ. સંતોષ દેવકરની આજની વાત આપણા શિક્ષણતંત્રની કરોડરજ્જુ એવા પ્રયોગશીલ સમર્પિત શિક્ષકો વિશેની વાત કહે છે. તેમના માટે કેળવણીકારો પ્રયોગશીલ શબ્દ વાપરતાં હોય છે, એવા શિક્ષકો જેઓ પરિપત્રો, સમય અને પુસ્તકોથી ઉપર વિદ્યાર્થીઓના જ્ઞાનસમૃદ્ધિ માટે કામ કરે છે. આપણે દરેકે આપણા શાળાજીવનમાં આવા અમુક શિક્ષકો તો જોયા જ હશે. આજની ડૉ. દેવકરની વાત સમર્પિત છે એવા જ આદરપાત્ર ‘ગુરુ’ને. અક્ષરનાદને આ સુંદર વિચારશીલ લેખ પાઠવવા બદલ ડૉ. દેવકરનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


ત્રણ લઘુકથાઓ – ધવલ સોની 14

નાનકડી વાર્તાઓમાં છુપાયેલ અદ્રુત વાર્તાતત્વ અને વાચકના મનમાં તેના દ્વારા ઉત્પન્ન થતી અનેક શક્ય વાર્તાઓ, અનેક શક્યતાઓથી સભર સર્જનપ્રક્રિયાની શરૂઆત એક નાનકડી વાર્તા કરી શકે છે. આજે પ્રસ્તુત છે ધવલભાઈ સોની પ્રસ્તુત ત્રણ લઘુકથાઓ. એકથી એક અનોખી વાર્તાઓ સાથે આજની સવારે તેમની આ વાર્તાઓ તેના શક્ય વિસ્તાર વિશેનું વિચારવલોણું શરૂ કરી જાય છે. ધવલભાઈ સોનીનો અક્ષરનાદને આ વાર્તાઓ મોકલવા બદલ આભાર અને શુભકામનાઓ.


જો બકા! ભાઇબંધી એટલે ભાઇબંધી – ડૉ. હાર્દિક યાજ્ઞિક 11

નડીયાદથી શરૂ થયેલ સાપ્તાહિક ક્વોલિટી સક્સેસમાં મારી ટેકનોલોજીને લગતી કૉલમ ‘ઇન્ટરનેટની હકારાત્મક બાજુ’ પ્રસ્તુત થાય છે. દર રવિવારે પ્રસિદ્ધ થતાં આ સાપ્તાહિકમાં હાર્દિકભાઈ યાજ્ઞિકની સરસ નિયમિત કૉલમ ‘હું, તમે અને વાતો’ પ્રસ્તુત થાય છે. તેના ગતાંકની મિત્રતા વિશેની આ વાત આજે પ્રસ્તુત છે. ચોવીસ કૅરેટની શુદ્ધતાનો હોલમાર્ક ભલે ન હોય, પણ સો ટચની લાગણીઓથી તરબરતર થયેલો ખાલી એક દોસ્ત તમારી જોડે હોય ને, એટલે દુનિયાભરના સૌથી ધનવાન વ્યક્તિઓના લિસ્ટમાં તમારું નામ જાતે જ ઉમેરી દેવાની તમને પૂરેપૂરી છૂટ છે. આજની રીતે કહેવું હોય તો કહી શકાય કે ‘જો બકા, ભાઇબંધ એટલે…’


પાન ઘરડું થયું, ને તમે યાદ આવ્યા…! – રમેશભાઈ ચાંપાનેરી 13

રમેશભાઈ તેમના આજના લેખમાં કહે છે એ હું ટાંકુ, “આ સિનીયર સિટીઝન થવામાં એક મોટામાં મોટો ફાયદો પણ છે. આખી જીંદગી ભલે આપણે રાવણની વિચારધારામાં કાઢી હોય, પણ સિનીયર સિટીઝન થયાં પછી, એ બિલકુલ મહાત્મા ગાંધીની નજીક આવી જાય. કઈ રીતે બોલ બકા. કારણ, પહેલી ઓક્ટોબર એટલે ” વિશ્વ સિનીયર સિટીઝન ડે ” અને બીજી ઓક્ટોબર એટલે મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ.! કેવાં નજીક-નજીક છે?” વિશ્વ વૃદ્ધ દિવસ નિમિત્તે સિનીયર સિટીઝન મિત્રોને શુભેચ્છાઓ સહ રમેશભાઈનો પ્રસ્તુત લેખ સાદર. અક્ષરનાદને સુંદર લેખ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


ભુવનેશ્વરી (ગરબા) ઈ-પુસ્તક – ડૉ. હાર્દિક યાજ્ઞિક 3

નવરાત્રીના આજના અષ્ટમીના સપરમા દિવસે પ્રસ્તુત છે માતાની આરાધના અને મહિમાનું વર્ણન કરતી સુંદર રચનાઓ, ગરબા. હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમે પ્રસ્તુત આ સુંદર ગરબાનું ઈ-પુસ્તક આપ સૌને ગમશે એવી આશા છે. પ્રસ્તુત ઈ-પુસ્તક અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક બદલ હાર્દિકભાઈનો આભાર. આપ અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાંથી આ ઉપરાંત રઢિયાળી રાતના રાસ-ગરબા નું સંકલિત ઈ-પુસ્તક પણ ડાઊનલોડ કરી શક્શો. આ પુસ્તકો માટે જુઓ અક્ષરનાદનો ઈ-પુસ્તક વિભાગ.


ત્રણ સુંદર ગઝલરચનાઓ.. – રાકેશ હાંસલિયા 15

ગત મહીને રાજકોટમાં જેટલો આનંદ રાકેશભાઈને મળીને, તેમના પુસ્તક સંગ્રહને જોઈને અને ખાસ તો તેમના સરળ સ્વભાવને લીધે તેમની સાથેની વાતોએ આપ્યો એ અવર્ણનીય છે. આજે પ્રસ્તુત છે તેમની વધુ ત્રણ સુંદર, છંદની પૂર્ણ શિસ્તમાં લખાયેલી, સાદ્યાંત માણવાલાયક ગઝલરચનાઓ. અક્ષરનાદને આ સુંદર રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી રાકેશભાઈ હાંસલિયાનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


રીયાને મમ્મી નથી ગમતી.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૫) 7

૧૭ વર્ષની રીયાએ છેલ્લાં કેટલાંક મહિનાઓથી એની મમ્મી લીનાબેન સાથે બોલવાનું લગભગ બંધ જેવું કરી દીધું. આમેય બે-ત્રણ વર્ષથી રીયા લીનાબેન સાથે ખૂબ ઉદ્ધતાઈપૂર્વક વર્તતી હતી. કોઈપણ ફંકશનમાં તે લીનાબેન સાથે જવા તૈયાર જ નહોતી થતી. લીનાબેન તથા તેમના પતિ પરેશભાઇ આધુનિક વિચારો ધરાવતાં હોવાથી એમને રીયાનું એમની સાથે ફંકશનમાં ન આવવું ખાસ અજુગતું લાગતું નહિ, પણ પછી તો રીયા ઘરનાં ફંકશનમાં પણ આવવાની આનાકાની કરવા લાગી. એકવાર પરેશભાઈએ ખૂબ કહ્યું તો રીયાએ એવી શરત મૂકી કે ‘મમ્મી ન આવવાની હોય તો આવું’. લીનાબેનને ખરાબ તો ખૂબ લાગ્યું પણ સમસમીને બેસી રહ્યાં. લીનાબેન તથા પરેશભાઈને સમજાતું જ ન હતું કે આટલા બધાં પ્રેમ અને લાડકોડમાં ઉછરેલી રીયા આટલું બધું ઉદ્ધત વર્તન કેમ કરે છે?


માઈક્રોફિક્શન કાવ્યો… (લઘુકાવ્યો) ભાગ ૨ – પ્રતિમા પંડ્યા 11

પ્રતિમાબેન પંડ્યાના લઘુકાવ્યોનો સંગ્રહ ‘ઝાકળનું સરનામું’ જોઈને એવી જ લાગણી થઈ જેવી પ્રથમ વખત માઈક્રોફિક્શન વાંચીને થઈ હતી. એકે એક રચનામાં ઘણું કહી જતા સર્જકને વળી એ રચનાના સ્વરૂપની ‘લઘુતા’ જરાય બાધિત કરતી નથી, ઉલટું એ વાચકને પોતાના મનોવિશ્વમાં પોતાના અનેક અર્થો અને સમજણોને ઉમેરવાનો અવસર આપે છે અને એ રીતે વાચકને પણ સર્જકના ભાવવિશ્વ સાથે જોડે છે. પ્રતિમાબેનનો આ લઘુકાવ્યસંગ્રહ બીજા કાવ્યસંગ્રહોથી ઘણી બધી રીતે અલગ પડે છે. ૧૫૧ લઘુકાવ્યો સમાવતા ૧૫૧ પૃષ્ઠોના આ અનેરા ભાવવિશ્વની મોજ રસતરબોળ કરી દે એવી માવજતથી તેનું સર્જન થયું છે. કાવ્યસંગ્રહો અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ પ્રતિમાબેનનો ખૂબ ખૂબ આભાર. થોડામાં ઘણું કહી શકવાની આ ક્ષમતા વધુ વિસ્તાર પામો એ જ શુભેચ્છાઓ.


દીદી.. મારી દીદી (વાર્તા) – નિમિષા દલાલ 43

નિમિષાબેન દલાલની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે, આજે તેઓ એક હ્રદયસ્પર્શી વાત સાથે ઉપસ્થિત થયા છે. વાર્તા પાઠવવાની સાથે તેમણે જે ઈ-મેલ કર્યો છે તેમાં લખ્યું છે, ‘મારી આ છેલ્લી વાર્તા મૂકી અક્ષરનાદના વાચકોનો અભિપ્રાય લેવાની મારી ઇચ્છાને માન આપશો એવી આશા સહ…’ અક્ષરનાદ પર અનેક લોકોની પ્રથમ રચનાઓ મૂકવાનો અવસર મળ્યો છે, પણ કોઈની છેલ્લી રચના! મેં તેમને ફોન કર્યો, હતોત્સાહ મન સાથે અને અનેકોની ટીકાઓ સાથે ‘મમતા’ સામયિકમાં છપાયેલ તેમની વાર્તા અંગેના વિવાદે તેઓ ખૂબ નિરાશ થઈ ગયેલા લાગ્યા.. આશા છે વાચકોને ‘કુમાર’માં પ્રસિદ્ધ થયેલી તેમની પ્રસ્તુત રચના ગમશે. અક્ષરનાદને કૃતિ પાઠવવા બદલ નિમિષાબેનનો ખૂબ આભાર.


બારાખડીનો પહેલો અક્ષર.. – હરનિશ જાની 10

ડૉ. બળવંત જાની દ્વારા સંપાદિત ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ ની પ્રસ્તાવનામાં ડૉ. ભગીરથ બ્રહ્મભટ્ટ કહે છે, ‘હાસ્યની નવ્વાણું તરકીબ અસ્તિત્વ ધરાવતી હોય તો હરનિશભાઈ એકસો આઠ જાણે છે.’ હાસ્યરચનાઓના એમના બે સંગ્રહમાંથી પસંદ કરેલી રચનાઓની ભાવસૃષ્ટિના પરિચયને નિમિત્ત બનાવીને ડાયસ્પોરા વિભાવને કલાત્મક અભિવ્યક્તિ અર્પવાના એમના દ્રષ્ટિપૂર્ણ પ્રયત્નને અવલોકવાનો અનુક્રમ ડૉ. બળવંત જાની દ્વારા સંપાદિત ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ પુસ્તકમાં થયો છે. હરનિશભાઈ હવે ફક્ત ડાયસ્પોરા વર્તુળ પૂરતાં જ નહીં, સમગ્ર ગુજરાતી વાંચકવર્ગ માટે અદના હાસ્યલેખક પૂરવાર થયા છે. ‘હરનિશ જાનીનું ડાયસ્પોરા હાસ્યરચનાવિશ્વ’ પુસ્તકમાંથી આજનો લેખ સાભાર લેવામાં આવ્યો છે. ‘ક’ ભાઈનું પાત્રનિરુપણ, તેમની સેવાવૃત્તિ, ઉપકારનો બદલો વાળવાની તેમની મહેચ્છા અને એ નિમિત્તે થતી પ્રસંગશૃંખલાઓ દ્વારા હાસ્યનિરુપણ અહીં કરાયું છે. તરવાનું આવડતા હોવા છતાં ડૂબવાનો ઢોંગ કરતા લેખકને બચાવવા તરતા ન આવડતું હોવા છતાં કૂદી પડવુ એ તેમની સેવાવૃત્તિની ચરમસીમા દર્શાવે છે અને એ પ્રસંગ હાસ્યરસ પણ પૂરે છે. અક્ષરનાદને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘પાર્શ્વ પબ્લિકેશન’ નો ખૂબ આભાર.


વેદપુરાણોમાં શ્રી રાધાજીનો ઉલ્લેખ.. – પૂર્વી મોદી મલકાણ 36

પૂર્વીબેનના અભ્યાસ લેખ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતા રહ્યાં છે અને વાચકોનો સુંદર પ્રતિભાવ તેમને મળતો રહ્યો છે. આજે પ્રસ્તુત છે તેમનો એક સુંદર અભ્યાસ લેખ. રાધા વિશે આપણા અભ્યાસુઓ અને વિદ્વાનોમાં અનેક મતમતાંતરો રહ્યા છે. વિદ્વાનો માને છે કે મૂળ ગ્રંથો જેવા કે મહાભારત, વિષ્ણુપુરાણ, શ્રીમદ્ ભાગવત વગેરેમાં તેમનો ઉલ્લેખ નથી. રાધાનો પ્રથમ ઉલ્લેખ જેમાં મળે છે એ બ્રહ્મવૈવર્તકપુરાણના અનેક અન્ય ઘટનાઓ અને પ્રસંગો રૂઢીગત માન્યતાઓ અને પ્રચલિત કથાઓથી ભિન્ન છે એથી બ્રહ્મવૈવર્તકપુરાણ પર પણ અનેક પ્રશ્નો છે. મારે ઉમેરવાનું કે રાધા અને વિરજાના એકબીજાને આપેલા શ્રાપની જે વાત અહીં પૂર્વીબેન મૂકે છે તેમાં વિરજાના સેવક શ્રીદામાનું પણ એક પાત્ર ઉલ્લેખાયું છે, જેને રાધા અસુર તરીકે જન્મવાનો શ્રાપ આપે છે. અનેક સંપ્રદાય શ્રદ્ધા અને ઉપાસનામાં રાધાને કૃષ્ણની સમકક્ષ મૂકે છે. રાધાકૃષ્ણના અનેક મંદિર આપણે ત્યાં છે, નિશ્ચલ પ્રેમનું આ પ્રતીક આપણી સંસ્કૃતિમાં સર્જકો, કવિઓ અને ભક્તોએ હ્રદયસ્થ કર્યું છે, આમ શ્રદ્ધા શંકાઓની ઉપર રહે છે. પૂર્વીબેનનો આજનો લેખ આ જ બાબતને વિશદ રીતે આલેખે છે. સુંદર ચિંતન અને અભ્યાસ અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા બદલ પૂર્વીબેનનો આભાર અને તેમની સતત સંશોધનની મહેનતને શુભેચ્છાઓ.


સરકસથી થાકી ગયેલા કવિની વાત.. – વિપિન પરીખ 6

માણસને સભ્ય થઈને સામાજમાં રહેવા માટે કેટલી બધી મથામણ કરવી પડતી હોય છે? કેટલી મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે? કેટલાક સંવેદનશીલ માણસો, કળાકારો જીવનભર સભ્ય થવાનો, સુસંસ્કૃત થવાનો પ્રયત્ન કર્યા જ કરતા હોય છે. કોઈક વિરલા સફળ થાય છે; બાકીના ઘણા જીવનભર આ સંઘર્ષમાં રહેંસાયા જ કરે છે. મરાઠી કવિ નારાયન સુર્વે લખે –
‘તડજોડ કરી જીવવું – જીવું છું,
દરરોજ અઘરું થતું જાય છે…


૧૧ માઈક્રોફિક્શન વાર્તાઓ (ભાગ ૨) – જીજ્ઞેશ અધ્યારૂ 25

પ્રસ્થાપિત લેખકો માને છે કે માઈક્રોફિક્શન કે જેને અક્ષરનાદ ગુજરાતીમાં ‘વાર્તાપ્રકાર’ તરીકે વિકસાવી રહ્યું છે એ શબ્દરમત છે, એ કોઈ વાર્તાપ્રકાર નથી. એક સર્જકે કહ્યું, ‘એ થોડો સ્વીકાર્ય પ્રકાર છે? કયું સામયિક તેને વાર્તાપ્રકાર ગણશે? કયા સંપાદકો તેને પોતાના સંપાદનમાં સમાવશે?’ મારે તેમને કહેવું છે, ‘જરા ઘરેડમાંથી બહાર આવો સાહેબ, ગાર્ડિયન જેવું અખબાર જેને આજના જમાનાનો સર્વાધિક લોકપ્રિય વાર્તાપ્રકાર ગણાવે છે, વિશ્વના અગ્રગણ્ય અને પ્રચલિત વિદ્યાલયો જેની સ્પર્ધાઓ વર્ષોથી યોજે છે, ૧૯૪૮થી જે અંગ્રેજીમાં સર્જાઈ રહી છે એ માઈક્રોફિક્શનને ગુજરાતીમાં વિકસવા કોઈ સર્ટિફિકેટની જરૂર છે?’

માઈક્રોફિક્શનના આ યજ્ઞમાં, અક્ષરનાદ આયોજીત પ્રથમ ગુજરાતી માઈક્રોફિક્શનની આ સ્પર્ધામાં અમે આયોજકો તરીકે ભાગ નહીં લઈ શકીએ તો શું થયું? સર્જન પ્રક્રિયા તો સતત રહે જ છે. આજે પ્રસ્તુત છે મારી ૧૧ માઈક્રોફિક્શન વાર્તાઓ. હું આજે પહેલા એક માઈક્રોફિક્શન વાર્તાકાર અને પછી સંપાદક. નિખાલસ પ્રતિભાવોનું સ્વાગત છે.


ત્રણ પદ્યરચનાઓ… – પ્રિન્સ ગજ્જર 23

નવોદિત રચનાકારોને મંચ આપવાની પોતાની એક અનોખી જ મજા છે. ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કૉલેજ, ગાંધીનગરમાં મેટલર્જીના પાંચમા સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહેલા પ્રિન્સભાઈ ગજ્જરની અક્ષરનાદ પર આ પ્રથમ રચનાઓ છે, ત્રણેય અછાંદસ સુંદર છે, પણ વિશેષ ધ્યાન ખેંચે છે એક નવોદિત તરીકે તેમની વિષયપસંદગી. ત્રણેય ભિન્ન વિષયોમાં તેમનો સર્જનનો પ્રયત્ન સરસ છે પરંતુ તેમાં પ્રથમ અછાંદસ ધ્યાન ખેંચે છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ પ્રિન્સભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


નિધિ બની મમ્મીનું પ્યાદું.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૪) 5

૭ વર્ષની નિધિનાં પપ્પા ગુરૂદેવભાઇ તથા મમ્મી સંજનાબેન નિધિનાં બદલાયેલા વર્તનથી ચિતિંત હતા. નિધિ આખો દિવસ ચૂપચાપ બેસી રહેતી. જ્યારે પણ મોકો મળે ત્યારે અંદરનાં રૂમમાં જતી રહેતી અને પરાણે બહાર ના લાવો તો કલાકો સુધી એકલા જ રહેવાનું પસંદ કરતી. સંજનાબેન ઘણીવાર નિધિ રૂમમાં એકલી હોય ત્યારે દબાતા પગલે જોવા જતાં તો નિધિ કાં તો એકલી એકલી વાતો કરતી હોય અથવા એકાદ રમકડાં સાથે રમતી હોય. એને એકલી રમતી જોઇ સંજનાબેન એની સાથે રમવાની તૈયારી બતાવતા પણ એવા વખતે નિધિ ફરી ચૂપચાપ થઈ જતી. ઘરની આસપાસ રહેતા બાળકો સાથે તો નિધિ પહેલેથીજ ભળતી ન્હોતી. સંજનાબેન સ્કુલમાં મળવા જતાં તો ટીચરનાં કહેવા પ્રમાણે શરૂઆતથી જ નિધિનું વર્તન એવું હતું કે ક્લાસમાં એની હાજરીની ખાસ નોંધ લેવાતી નહીં. સાત વર્ષની નિર્દોષ ઉંમરમાં એવું તે શું થયું કે નિધિનાં વર્તનમાં આટલું મોટું પરિવર્તન આવ્યું?


આજે લખીએ છ શબ્દોની વાર્તા – માઈક્રો ફિક્શન… 92

હા, જે શીર્ષક તમે વાંચ્યુ એ તદ્દન સાચું છે. ચાલો ફક્ત છ શબ્દોમાં આજે આપણી વાર્તા મૂકવાનો પ્રયત્ન કરીએ, જોઈએ ઓછામાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ કોણ કહી શકે છે.. આપની છ શબ્દોની વાત પ્રતિભાવમાં મૂકો.


રિવાજ (વાર્તા) – હેમલ વૈષ્ણવ 15

અક્ષરનાદ સાથે સંપાદક તરીકેની યાત્રામાં ઘણાં મિત્રોના સંપર્કમાં આવવાનું થયું, જેમના ચહેરા જોયા નથી, કદી મળ્યા નથી પણ ઈ-મેલ કે ચેટ દ્વારા સંપર્ક અને તેમની કૃતિઓને અક્ષરનાદ પર પ્રસ્તુત કરવાનો આનંદ જ તેમના સતત વધતા સ્નેહ, વિશ્વાસ અને મિત્રતાના મૂળભૂત કારણ. આવા જ એક મિત્ર હેમલભાઈ વૈષ્ણવ, તેમના સર્જનો લગભગ સતત અક્ષરનાદ પર પ્રસ્તુત થતા રહે છે. હેમલભાઈની અક્ષરનાદ પરની સર્જનયાત્રાને એક વર્ષ પૂર્ણ થયું. તેમની આ સર્જનયાત્રા સતત આગળ વધતી રહે એવી શુભેચ્છાઓ સાથે આજે પ્રસ્તુત છે તેમની એક નવી કૃતિ – એક સુંદર ટૂંકી વાર્તા. હેમલભાઈને અનેક શુભકામનાઓ સહ અક્ષરનાદને તેમની કૃતિ પાઠવવા બદલ આભાર.