સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : સાહિત્ય લેખ


વેલેન્ટાઇનનું વ્હાલ.. – શીતલ ગઢવી 1

“હું માસિકમાં બેસતી થઈને મારાં બાપુજીએ વેવિશાળ કરી દીધા. અમે દસ બુનો. એ પણ હવા હોરી. એક ભાઈ હારુ મારી માએ દસ પથરા જણ્યા. પ્રેમ તો માવતર પાસેય ન ભાળ્યો. મારી મા કે’તી કે બીજી બે બુનો તો આવતા પહેલા જ સરગ સિધાવી.”

woman holding white bear plush toy

વાર્તા વિશેના FAQ – એકતા નીરવ દોશી 13

આજે વ વાર્તાનો વ કોઈ વાર્તા કે તેનું વિવેચન લઈને નથી આવ્યું પણ આવ્યું છે વાર્તાની થોડી સમજણ લઈને! થોડી સમજણ તમારી અને થોડી સમજણ મારી ભેળવીને વિસ્તારીએ આપણી વાર્તા સમજવાની કળાને. તો આજનો લેખ છે વાર્તાને લગતા FAQ (Frequently Asked Questions) : વારંવાર ઉઠતા / પૂછાતા સવાલો…


પુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ 4

‘સર્જન’માં અમે વિક્રમ સંવતનો છેલ્લો ટાસ્ક કરેલો મિત્રોને ગમતી નવલકથા કે ટૂંકી વાર્તાના કોઈ પણ એક પાત્ર સાથે એના લેખકનો સંવાદ આલેખવાનો. હેતુ હતો કે દરેક પાત્ર પાસે એના લેખકને કહેવા માટે કંઈક હોય છે, અને લેખક પાસે એ પાત્રના નિરુપણને યથાર્થ ઠેરવવાનાં પૂરતા કારણો પણ હોય જ! આ જ પ્રક્રિયામાં ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા ‘અતરાપી’ના સારમેય સાથે સર્જક ધ્રુવ ભટ્ટની કાલ્પનિક વાત ભારતીબેન ગોહિલે આલેખી છે. આશા છે આ પ્રયોગ વાચકમિત્રોને માણવો ગમશે.


Rangoli by Hardi Adhyaru

દિવાળી : અતુલ્ય ભારતનો અનન્ય ઉત્સવ – ચેતન ઠાકર 11

અતુલ્ય ભારત – Incredible India! આ શીર્ષક બદલ ભારત સરકારને અભિનંદન આપીએ એટલા ઓછા છે, આપણાં વિશાળ અને વિવિધતાથી છલોછલ દેશને એક જ શબ્દમાં રજુ કરવાનું લગભગ અશકય કહી શકાય તેવું કાર્ય આ બે શબ્દો બખૂબી પૂર્ણ કરે છે. આ પૂર્વભૂમિકા બાંધવાનું કોઈ ખાસ કારણ નથી, પરંતુ મારી અંદર રહેલા લેખકના જીવને છેલ્લા થોડા દિવસોથી સતત ઇચ્છા થતી કે દિવાળી જેવો સર્વેના સમન્વયનો, સ્નેહ અને ઉમંગનો, માનસીક રીતે સંપૂર્ણપણે રિચાર્જ કરતો તહેવાર આવે છે તો તેના વિષે કંંઈક વિશેષ લખવું છે.


સ્વવિકાસના સાત સોનેરી સૂત્રો – મોહમ્મદ સઈદ શેખ 2

અહીં મારે રાજકીય વિકાસની કે આર્થિક વિકાસની નહીં પરંતુ માણસના વિકાસની વાત કરવી છે. આજના ગ્લોબલાઇઝ વિશ્વમાં ઘણી બધી ખાસ કરીને મલ્ટીનેશનલ કંપનીઓ એમના કર્મચારીઓ કેવી રીતે વધારે ને વધારે કંપની માટે લાભકર્તા સાબિત થાય, એમને કેવી સુવિધાઓ આપવામાં આવે એ વિશે સતત નવા સંશોધનો કરી નવા નવા નિયમો બહાર પાડતી હોય છે. દાખલા તરીકે ગુગલ અને ફેસબુક જેવી કંપનીઓમાં એના કર્મચારીઓનો કામનો સમય ફિક્સ નથી. કર્મચારી ગમે તેટલા વાગે આવે, ત્યાંથી આઠ કલાક કામ કરી ઘર ભેગો થઇ શકે. આની ‘ફ્લેક્સિબલ વર્કિંગ અવર્સ’ કહેવામાં આવે છે.


આપણો, આપણી જાત સાથેનો સંબંધ – અક્ષય દેવગાણીયા 2

શીર્ષક વાંચ્યું..? ફરીથી એક વખત વાંચી જુઓ.

આપણો, આપણી જાત સાથેનો સંબંધ…

આવો પણ કોઇ સંબંધ અસ્તિત્વ ધરાવે છે આ વિશ્વમાં? આપણી ખુદની જાત સાથે શેનો સંબંધ? તો તેનો જવાબ છે – હા.. આવો સંબંધ હોય. દરેક વ્યકિતનો પોતાની જાત સાથેનો, પોતાના હ્રદય સાથેનો, પોતાના અંતરાત્મા સાથેનો સંબંધ હોય છે. જીવનમાં બનતી દરેક ઘટના, પરિસ્થિત કે સંજોગ પછી પોતાની જાત સાથે તે ઘટના, પરિસ્થિત, સંજોગનું પૃથક્કરણ કરે છે, તેની સાથે વાર્તાલાપ કરે છે, સમસ્યા હોય તો સમાધાન પૂછે છે, ભૂલ થઇ હોય તો પસ્તાવો પણ કરે છે.


વિશ્વ અંગદાન દિવસ.. અંગદાન મહાદાન (ઈ-પુસ્તક) 3

આજે વર્લ્ડ ઓર્ગન ડૉનેશન ડે એટલે કે વિશ્વ અંગદાન દિવસ છે. દર વર્ષે ૧૩મી ઓગસ્ટ અંગદાન પ્રત્યેની જાગૃતિ કેળવવા વિશેષ દિવસ તરીકે ઉજવાય છે, જે આપણા સૌના જીવનમાં – એની અનિશ્ચિત્તતાઓનો વિચાર કરીને મૃત્યુ પછી આપણા અંગો દાન આપી શકીએ એ માટે પ્રેરણા આપે છે.

અક્ષરનાદ શ્રાવણનો આ પવિત્ર સોમવારનો દિવસ અંગદાનને લગતી જાગૃતિ ફેલાવવામાં અને એ માટે વધુને વધુ લોકોને પ્રેરીત કરવાના હેતુથી અંગદાન સંકલ્પ દિવસ તરીકે ઉજવવા ધારે છે. આપણે આપણા ધાર્મિક દિવસોમાં – શ્રાવણના આખા મહીનામાં દાન કરીએ છીએ. આપણે ત્યાં દાનનો અનોખો મહિમા થયો છે. ગુરુના ચરણે સર્વસ્વનું દાન હોય કે કૃષ્ણના શ્રીચરણે સઘળા સંશયોનું દાન હોય, ગરીબોને ભોજનનું દાન હોય કે મંદિરોમાં રોકડા રૂપિયાનું, સમાજની વાડીઓ વગેરેમાં સુવિધાઓ વધારવા થતું દાન હોય કે કુંવારી કન્યાઓને જમાડીને પુણ્યનું ભાથું બાંધવાનું હોય, દાન ડાબા હાથે થાય તો જમણા હાથને ખબર ન પડે એ રીતે કરવાનો મહિમા થયો છે.


કામણગારી કચોરીઓ – રૂચિર શાહ 2

ગુજરાતીઓમાં શિયાળાનું અલગ પ્રકારનું આકર્ષણ જોવા મળશે. શિયાળામાં ઘરનાં શાકભાજીનું બજેટ કદાચ બમણું થઈ જતું હોય છે અને કેમ ન થાય? પેલી તાજી બાંધેલી નાની નાની ક્વાંટ – છોટાઉદેપુરની થોડી વધારે કડવી મેથીની ઝૂડીઓ, મરવા પડેલા માણસના મોઢામાં મૂકો ને પ્રાણ પૂરે એવા એ રિંગણાં, વાલોળ, સૂરતી પાપડી, લાલચોળ ગાજર અને પાંચ પાંચ દાણા ભરેલી તુવેર. મુંહ માંગી રકમ દે દેંગે!! શિયાળાની શરૂઆતમાં શાકભાજી મોંઘા હોય છે એટલે જમવામાં આંબામોર હળદર અને થોડું સલાડ ખાઈ ને લુત્ફ ઉઠાવીએ છીએ. એ તો ઠીક તુવેર ૬૦ રૂપિયે કિલો હોય તો પણ અઠવાડિયામાં એકાદ વાર તુવેર – રીંગણાંનું શાક પણ થઈ જાય. પણ ક્યારે તુવેર જરા ૪૦ રૂપિયે કિલો થાય અને ક્યારે જેના માટે આટલી બધી કસરત કરીએ છીએ એ કચોરીઓ ઘરે બને એની રાહ જોવાય છે.


દયારામની કવિતામાં વૈષ્ણવ પરંપરાનું અનુસંધાન – તરુણ મહેતા 1

ગુજરાતી સાહિત્યના મધ્યકાલમાં આપણે ભક્તિ જ્ઞાનપ્રેરક રચનાનું એક ઘોડાપુર જોઈ શકીયે છીએ. ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ ગુજરાતીભાષાને સામાજિક સંસ્કારોથી ઘડે છે. ભક્તિમાર્ગ પ્રવર્તક નરસિંહ વ્યાવહારિકિ રીતિમાં પણ ભક્તિનો પ્રવેશ કરાવે છે. તેથી તેના આત્મકથનાત્મક પદો ‘હૂંડી’, ‘હાર’, ‘મામેરું’, ‘શામળશાનો વિવાહ’માં આ પ્રકારના સંસ્કારો દેખાય છે. જ્ઞાન અને ઉપદેશની અનિવાર્યતા તે સમયનું કદાચ જરૂરી પરિબળ હશે પણ નરસિંહથી શરૂ થયેલી કવિ પરંપરા વ્યવહાર જીવનમાં પણ ભક્તિપ્રધાન કેમ રહેવું તેનું નિદર્શન કરે છે. આથી અખો, પ્રેમાનંદ, ભાલણ, નાકર, મીરાં જેવાં અગ્રહરોળના કવિઓના જીવનમાં પણ ભક્તિ આંદોલનનું ખૂબ મહાત્મ થયું છે.


ચમકૌરનું યુદ્ધ – જલ્પા વ્યાસ 6

૨૨ ડીસેમ્બર ૧૭૦૪ ના રોજ સરસા નદીના કિનારે ચમકૌર નામની જગ્યા પર શિખો અને મુઘલો વચ્ચે એક ઐતિહાસિક યુદ્ધ લડાયું જે ‘ચમકૌરના યુદ્ધ’ના નામથી પ્રસિદ્ધ છે. આ યુદ્ધ શિખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદસિંહ અને મુઘલ સેનાના સેનાપતિ વઝીરખાન વચ્ચે થયું હતું. વઝીરખાન, ઔરંગઝેબ તરફથી કોઈ પણ હિસાબે ગુરુ ગોવિંદસિંહ ને જીવતા અથવા મરેલા પકડવા માંગતો હતો, કારણકે ગુરુ ગોવિંદસિંહ ઔરંગઝેબના હજારો પ્રયત્નો છતાં, મુઘલ સામ્રાજ્યની આધિનતા સ્વીકારવા તૈયાર નહોતા. ગુરુ ગોવિંદસિંહ અને એમના ૪૦ સાથીઓને કચડવાનો મુઘલ સેનાએ ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ મુઘલ સેના તાબે થયું નહિ એની આ વીર ગાથા છે.. ‘ઝાફરનામાં’ માં આ યુદ્ધનો ઉલ્લેખ કરતાં ગુરુ ગોવિંદસિંહે લખ્યું છે,

‘ચિડીઓં સે મેં બાજ લડાઉં..
ગીધડો કો મેં શેર બનાઉં..
સવા લાખ સે એક લડાઉ..
તભી મેં ગુરુ ગોવિંદ કહાઉ..’


દુર્યોધનની પુત્રી અને કૃષ્ણની પુત્રવધુ લક્ષ્મણાના પ્રશ્નો – પ્રકાશ પંડ્યા 5

શ્વસુરજી મને માફ કરશો, મારા માટે તમે શ્વસુર છો. તમારા સૂરમાં મારો સૂર, અને રુક્ષ્મણી તરફ જોતાં બોલી, તમે મારા સાસુ છો, એટલે તમે મારા પ્રાણવાયુ છો. તમારા વગર હું અધૂરી, તમારા પુત્ર સાથે જ હું પૂર્ણ થાઉં. મારે પણ તમારા પુત્ર થકી ૧૦ પુત્ર-પુત્રી છે, મારે તેમને સંસ્કાર આપવાના છે, ઠેકાણે પાડવાના છે. કુળવાન બનાવવાના છે. સમાજમાં સ્થાપિત કરવાના છે. તમારા કુળમાં આવી માટે મારી ઓળખ ઢંકાઇ ગઇ. નહીં તો હું દુષ્ટ, અધર્મી, મિલ્કત પચાવી પાડનારની દીકરી તરીકે ખપી ગઇ હોત, ના પણ હું આજે ખુમારીથી કહું છું કે હું દુર્યોધનની પુત્રી છું. મને મારા પિતાશ્રી ઉપર ગૌરવ છે. માન છે. હું અબળા નથી, સબળા છું. તમારો પુત્ર મારું અપહરણ કરી લઇ આવ્યો, મને પણ તેના તોફાન ગમ્યા, મેં તેમને સ્વીકારી લીધા. જો તે મને ન ગમતા હોત તો હું પાછી જતી રહેત. પણ આ વંશે મને સન્માન આપ્યું. હવે આ જ વંશનો આશરો લઇ હું મારા પિતાશ્રીને ન્યાય અપાવવા માગું છું


ના – ધ્રુવ ભટ્ટ (હવે ‘ન ઇતી…!’) 22

ધ્રુવભાઈ ભટ્ટ દ્વારા લખાઈ રહેલી નવી નવલકથાનું પ્રથમ પ્રકરણ આજે પ્રસ્તુત કર્યું છે. આશા છે સર્વે વાચકમિત્રોને ગમશે. ધ્રુવભાઈનો આભાર. આ આખી નવલકથાની રાહમાં મારી જેમ અનેક મિત્રો હશે જ..

* * *

લેબમાંથી સંદેશો આવ્યો કે, ‘એક બાળક, ઓ-ટેન જન્મ્યું છે.’

નિયમ મુજબ બાળક જન્મે કે તરત કાનની પાછળના ભાગે કમ્પ્યૂટરાઈઝ્ડ ચિપ લગાવી દેવી પડે; પરંતુ ઓ-ટેનને આવી ચિપ લગાડવા જતાં ખ્યાલ આવ્યો કે ચિપને જેની સાથે જોડાય છે તે જ્ઞાનતંતુઓ કાન પાછળ નથી, ખભાની નજીક છે અને થોડા અવ્યવસ્થિત છે. આ માહિતી તંત્રવાહકને અપાઈ.


તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો? – જે. કૃષ્ણમૂર્તિ, અનુ. હર્ષદ દવે 8

જીવનની મઝા તેને જીવવામાં છે, જ્યારે જીવનમાં ભય, અનુકરણ કરવાની તાલીમ મળી હોય ત્યારે આપણે ખરેખર જીવન જીવતા નથી હોતા. કોઈનું દાસત્વ કે આધિપત્ય સ્વીકારી તેને અનુસરવું એ જીવન નથી. તમે જાતે નિરીક્ષણ કરશો તો જણાશે કે આપણે બીજાને અનુસરીએ છીએ અને તેને ‘જીવન’ કહીએ છીએ. મન શા માટે કોઈને અનુસરે છે? તે પ્રક્રિયાને સમજવામાં તેનાથી મુક્તિ મળે છે. કારણ કે આપણે ગૂંચવણમાં છીએ. આપણે ઈચ્છીએ છીએ કે આપણે શું કરવું તે આપણને બીજું કોઈ કહે. તેથી જ આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક ગુરુઓ દ્વારા આપણું શોષણ થાય છે. સફળતાની પાછળ પડવું એ જીવન નથી. આપણે જીવનના મહત્વને જાણતા નથી. આપણે જાણીએ છીએ માત્ર ભયને અને સિદ્ધાંતોને.
જીવન અસાધારણ ચીજ છે. જીવનનો હેતુ શો છે તેની ચર્ચા કરતાં આપણે એ શોધવાનું છે કે આપણે જીવનનો શો અર્થ કરીએ છીએ. શબ્દકોશ પ્રમાણે નહીં. જીવનમાં રોજીંદી ક્રિયાઓ, રોજના વિચારો, લાગણી વગેરે છે. તેમાં સંઘર્ષ, પીડા, દુખો, છળ-કપટ, ચિંતા, ઓફિસનું કામ પણ છે. આ બધાનો સરવાળો એટલે જીવન. જીવન માત્ર ચેતનાનું પડ નથી. તે લોકો અને વિચારો સાથેનો આપણો સંબંધ છે.


સોનેરી જીવનસૂત્રો – ખલિલ જિબ્રાન, અનુ. ધૂમકેતુ 4

સીરિયાના લેબૅનૉનમાં બશેરી ગામમાં ૧૮૫૩ના જાન્યુઆરીમાં ખલિલ જિબ્રાન જનમ્યા. જિબ્રાન એટલે આત્માનો વૈદ્ય, ખલિલ એટલે પસંદ કરાયેલો, પ્રેમભર્યો મિત્ર. એશિયામાં જે કેટલીક અદ્વિતિય પ્રતિભાઓ જન્મી છે, એમાં ખલિલ જિબ્રાન અગ્રસ્થાને છે. એની પાસે ટાગોરની સુંદરતા, સચ્ચાઈ અંગ્રેજ કવિ બ્લેઇકની અને કિટ્સની બારીકી છે. એ કવિ હતો, ચિત્રકાર હતો, ફિલસૂફ હતો – અને આ બધું હતું એટલે એ લેખક હતો! અને આશ્ચર્ય એ છે કે આ વાક્યનું પ્રતિવાક્ય પણ એટલું જ સત્ય છે. એનું લખાણ જેટલી વાર વાંચીએ એટલા નવા અર્થો મૂકતું જાય છે. આજે એવા જ કેટલાક સર્જનનું ધૂમકેતુએ કરેલ અનુવાદ પ્રસ્તુત છે.


ખોવાયેલા સ્મિતની શોધ.. – નીલમ દોશી 12

વરસો સુધી ધરાઇને બંગાળના ઉપસાગરના ઘૂઘવતા મોજાઓના નાદને ઝિલ્યા પછી ફરી એક વાર અરબી સમુદ્રને ભેટવા, એનાથી ભીંજાવા ગુજરાતમાં પહોચાયું એનો આનંદ, રોમાંચ તન મનને ઉત્સાહથી છલકાવી રહ્યો. ગુજરાત અને એમાં પણ વહાલા વતન, જન્મભૂમિ પોરબંદરના અંજળ પાણી હજુ ખૂટયા નથી, હજુ એના દાણા પાણી નસીબમાં લખાયા છે એનો અહેસાસ થઇ રહ્યો. ગુજરાતમાં આવવાનું તો ઘણાં સમયથી વિચારાતું હતું, પણ એમાં દૂર દૂર સુધી કયાંયે સૌરાષ્ટ્ર, પોરબંદરનું તો શમણું યે નહોતું આવ્યું. પણ જીવનમાં અનેક વાત કલ્પના બહારની બનતી જ રહે છે ને ? સમયે કરવટ બદલી અને અમે અચાનક.. સાવ અચાનક આવી ગયા મારી જન્મભૂમિમાં જે હવે બની અમારી કર્મભૂમિ.


ઈ-પુસ્તકો : ઈતિહાસથી વર્તમાન સુધી.. – જીજ્ઞેશ અધ્યારૂ 2

ઈ-પુસ્તકો આજે સર્વસામાન્ય થઈ પડ્યાં છે. ઈ-પુસ્તક એટલે ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં વાંચી શકાય એવું પુસ્તક, એ અનેક ફોર્મેટમાં આવે છે, અપ્રાપ્ય પુસ્તકોના સ્કેન કરેલા ઈમેજ સ્વરૂપના પાનાંથી લઈને અડૉબેના પી.ડી.એફ, ઓપન ફોર્મેટ એટલે કે ઈપબ સ્વરૂપે, અમેઝોન કિન્ડલ વાપરે છે તે મોબી અથવા એ.ઝેડ.ડબલ્યૂ ફોર્મેટ અને અન્ય ઘણાં સ્વરૂપોમાં એ ઉપલબ્ધ છે.

૧૯૪૯માં એન્જેલા રૂઈઝ રોબલ્સે ઓટોમેટેડ રીડર બનાવ્યું હતું, પણ ન તો એને પ્રસિદ્ધિ ન મળી ન તો એ ચાલ્યું. ઈલેક્ટ્રોનિક પુસ્તકોનો વિચાર આપનાર અને તેની શરૂઆત કરનાર હતા માઈકલ હાર્ટ જેમણે અમેરિકાના બંધારણની નકલ તૈયાર કરી ૧૯૭૧માં પ્રોજેક્ટ ગુટનબર્ગ હેઠળ પ્રકાશિત કરી. (જે વર્ષે પ્રથમ ઈ-મેલ મોકલાયો હતો એ જ સમય)


માણસ ગંધાય, માણસ ખાઉં : કેનિબલિઝમ – કુલદીપ લહેરુ 16

આ લેખ નબળા હ્રદયના લોકો માટે નથી, માનવમાંસભક્ષણની વાતો આમેય ચીતરી ઉપજાવે એવી રહી છે, એમાં આ સત્યઘટનાનું વર્ણન હોઈ ઘણાં લોકોને અરુચિકર હોઈ શકે છે. ભારતમાં અઘોરી લોકો ખાસ વિધિ કરીને મૃત્યુ પામેલા લોકોના શબનો આહાર કરતા હોવાની વાતો ઘણીવાર ઊંડી ચર્ચા અને વિચારણાનું કારણ બનતી આવી છે. સામાન્ય સંજોગોમાં માનવી પોતાના જેવા જ બીજા માનવીને મારીને ખાઈ જવાની કલ્પના પણ કરી શકતો નથી. આમ કરવું એ માનવ પ્રકૃતિની વિરુદ્ધ છે. પરંતુ જીવન ટકાવી રાખવા માટે આવું પગલું ભરવું જરૂરી બની ગયું હોય એવા કિસ્સાઓ પણ નોંધાયેલા છે. “કસ્ટમ ઓફ ધ સી” તરીકે ઓળખાતી એક પરંપરામાં એ જ વાતનો ઊલ્લેખ કરાયો છે. દરિયાઈ પ્રવાસે નીકળેલા નાવિકો મધદરિયે અટવાઈ જાય, સાથે લીધેલો ખોરાકનો જથ્થો પણ ખૂટી જાય, જીવન બચાવવાની અન્ય કોઈ શક્યતા દેખાઈ ન રહી હોય ત્યારે તમામ લોકો મૃત્યુ ન પામે એ માટે કોઈ એકનું મૃત્યુ અને તેના માંસ દ્વારા બીજાઓનો જીવ બચાવવાની વાતનો સંદર્ભ ટાંકવામાં આવ્યો છે.


હેપ્પી વુમન્સ ડે! – પરિન્દા 5

વુમન્સ ડે પાછો આવ્યો ને ગયો! અચાનક જ બધાને સ્ત્રીઓ પર થતાં અત્યાચાર યાદ આવવા લાગ્યા હતા! કેટલાય પતિદેવોને “જમવાનું આજે ત્તમે બનાવજો!” નો આદેશ મળી ગયો હશે. વુમન એમ્પાવરમેન્ટ અને જેન્ડર ઈક્વાલિટી પર કેટકેટલુંય લખાયું, બોલાયું. વ્હોટસએપ પર તો ચક્કાજામ જ સમજો! એક દિવસ માટે હલ્લા બોલ અને પછી બધુ ભૂલી જવાનું.

આજના હાઈટેક સમયમાં પણ સ્ત્રીઓ પર થતા અત્યાચારની સામે અવાજ ઉઠાવવો પડે છે.. પણ કેમ? સાચું કહું તો સ્ત્રી-સશક્તિકરણ શબ્દ મને સમજવામાં થોડો અઘરો પડે છે. સ્ત્રીનું તો બીજુ રૂપ જ છે શક્તિ, એટલે જ તો આપણે નવરાત્રીમાં આદ્યશક્તિની પૂજા કરીએ છીએ. સ્ત્રી સશક્ત હતી, છે અને રહેશે; પણ તેનો અનુભવ તેણે જાતે કરવાનો છે. બાળકને જન્મ આપતી વખતે ૨૦ હાડકાં એક-સાથે તૂટે એટલી પીડા સહન કરનારી સ્ત્રી સ્વયં શક્તિ નથી તો શું છે?


મારા વહેલી સવારના મુલાકાતીઓ.. – નીલમ દોશી 11

ધીરગંભીર, તિમિરઘેરી રજની પણ પોતે રાતભર પાથરેલ પથારો પોતાના પાલવમાં સંકેલી… એક એક તારલિયાને વીણી લઇ.. ગૂપચૂપ.. છાને પગલે.. ફરી મળવાનો વાયદો કરી.. ભાવભીની વિદાય લેવાની તૈયારી કરી રહી છે. ચન્દ્રને પોતાની સાથે ખેંચી જવા થોડીવાર શોધખોળ આદરે છે. પણ ચન્દ્ર કંઇ તારલા જેવો ડાહ્યો થોડો છે? તે તો હજુ આસમાનમાં સંતાકૂકડી રમ્યા કરે છે. જવાની શી ઉતાવળ છે? જરા ઉષારાણી ને બાય તો કહી દઉં. અને ઉષારાણી ને મળવાના અરમાન સાથે તે આસમાનની ગઠરીમાંથી છટકી, ‘તમે સૌ પહોંચતા થાઓ.. ત્યાં હું આવું છું..’ એના જેવું કંઇક કહી પોતાની ગતિ મંદ કરી નાખે છે. એમ કંઇ ઉષારાણીના દર્શન કર્યા સિવાય કેમ જવાય? એને માઠું ન લાગે?


આંખો – ડૉ. હેમાલી સંઘવી 14

થોડા સમય પહેલા બનેલી એક સત્યઘટના યાદ આવે છે. એક નવું પુસ્તક માર્કેટમાં આવ્યું એના વિષે સમાચાર હતા. એમ તો ઘણાં પુસ્તકો છપાઇને આવતા હોય તો એમાં શું મોટી વાત? પણ આ પુસ્તક વિષે ખાસ વાત એ હ્તી કે આ પુસ્તક્ના લેખકે એને પેનથી કે કોમ્પ્યુટર પર લખ્યું નહોતું. એણે હોસ્પિટલના બૅડ પરથી બે લાખ આંખના પલકારાથી આ પુસ્તકો બીજા પાસે લખાવ્યું હતું. કારણ કે એના શરીરમાં ફક્ત આંખો જ કામ કરી રહી છે. હા, આંખો, મારી, તમારી, આપણા બધાની આંખો, જે હોય છે આપણી પણ જુએ છે હંમેશા બીજાને. આંખો જે ક્યારે બોલતી નથી પણ લોચો એટલો મોટો છે કે ક્યારેય ચૂપ રહેતી નથી.


બાળવાર્તા અને બાળક – હીરલ વ્યાસ 5

વાંચન માણસને વિચારશીલ બનાવે છે. અને આ વાંચનબીજ બાળપણથી જ બાળકના મનમાં રોપવામાં આવે તો એ સારુ-નરસું વિચારી શકે અને જિંદગીમાં સાચા સમયે સાચા નિર્ણયો લઈ શકે. પણ જ્યારે બાળક નાનું હોય કે વાંચતા શીખ્યું ન હોય ત્યારે માતા-પિતા કે ઘરના બીજા સભ્યોના મોઢેથી કહેવાતી બાળવાર્તાઓ એક નવું વિશ્વ બાળક સામે મુકી શકે છે. વાર્તાથી બાળકની સર્જનશક્તિ અને કલ્પનાશક્તિ વધે છે.

એ સિવાય વાર્તા ગમે તે ભાષામાં હોય, બાળક નવા શબ્દો શીખી શકે છે. એનું શ્બ્દ વૈભવ વધે છે.


દેવોને દુર્લભ : છાશ – ગોપાલ ખેતાણી 35

છાશ, ઘોરવું અને લચ્છી; આ ત્રણેય કાકા-બાપાના ભાયું. પણ છાશ જ્યેષ્ઠ સંતાન… કોનું? તે દહીંનું જ ને વળી. શું? એ રે’વા દેજો બાપલિયા… દૂધ તો છાશના દાદા થાય! આપણે છાશ પર ચિત્ત ચોંટાડીયે.

મારો અને છાશનો સંબંધ બહુ જૂનો. એમ માનોને કે, જમણવારમાં હજુ કેટરર્સપ્રથા દાખલ નહોતી થઈ તેટલો જૂનો. મોસાળ પક્ષમાં જ્યારે પણ લગ્નપ્રસંગ હોય ત્યારે મને અને મારા મામાના દીકરા જયને છાશ અને પાણી પિવડાવવાની ફરજ સોંપાતી. અમે બહું હરખાતા. પિરસણિયા તરીકે જે ફ્રેશર જોઈન થાય ત્યારે આ ફરજ અપાય એ અમને પછીથી જાણવા મળ્યું. ભિખારી ભોજનપ્રથા એટલે કે બુફે જમણ શરુ થયું ત્યારે અમને પાણી અને છાશના કાઉન્ટર અપાતાં. અફસોસ કે પિરસણિયા અને કાઉન્ટર સંભાળવામાં પ્રમોશન મળવાનું હતું ‘ને કેટરર્સપ્રથા શરુ થઈ ગઈ. પણ અમે પ્રસંગો દરમિયાન છાશ પિવડાવીને ઘણાંના હૈયા ઠાર્યા છે. (થોડામાં ઘણું!)


ટ્રેનની દુનિયા – પરાગ મ. ત્રિવેદી 7

સમગ્ર બ્રહ્માંડમાં અનેક ગ્રહો છે, પણ પૃથ્વીની પોતાની એક અલગ ગોળ દુનિયા છે. તેમ પૃથ્વીની ગોળ દુનિયામાં ટ્રેનની પોતાની અલગ દુનિયા છે. તે જો કે ગોળ નહિ પણ લંબચોરસ છે, તે વાત જુદી છે.

ટ્રેનમાં દરેક દેશના, ધર્મના, જ્ઞાતિના, અમીર-ગરીબ, કાળા-ધોળા, ટિકિટવાળા-ટિકિટ વગરના એમ બધા જ પ્રકારના માણસો મુસાફરી કરી શકે છે.


શું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાત માટે ખતરો છે? – મોહમ્મદ સઈદ શેખ 8

ઔદ્યોગિક ઉત્પાદનમાં એ.આઈનું પ્રમાણ વધી રહ્યું છે. એના કેટલાક કારણો પણ છે. યાંત્રિક રોબો થાકયા વિના ચોવીસ કલાક કામ કરે છે. બીમાર પડતો નથી એને પગાર આપવાની જરૃર નથી હોતી. એ કોઈ માગણી કરતો નથી. માલિક સાથે મતભેદ ન થવાને લીધે કે માગણીઓ પૂરી કરવા માટે તે હડતાળ ઉપર ઉતરતો નથી એને કોઈ બોનસ આપવાની પણ જરૃર હોતી નથી અને સૌથી મહત્ત્વની વાત તો આ છે કે ૧૦૦ ટકા ચોકસાઈ સાથે કામ કરે છે. ભૂલો કરતો નથી. રોબોની ભરોસાપાત્રતા માણસ કરતા વધારે છે. માલનું ઉત્પાદન અને ગુણવત્તા વધે છે. કાર્ય સુગમતાથી અને કંટાળ્યા વિના કર્યે જાય છે. આ કારણોને લીધે વધારેને વધારે કંપનીઓ સ્વચાલન કે ઓટોમેશન તરફ પ્રેરાઈ રહી છે. જાપાન, તાઈવાન, ચીન અને કોરિયામાં સારી કવોલિટીના રોબો મળે છે. એકલા ચીનમાં જ રોબો બનાવનારી ૩૦૦૦ કંપનીઓ છે. જેમાં વર્ષે ૧૦ લાખથી વધુ રોબોનું ઉત્પાદન કરવામાં આવે છે.


‘સર્જન’ સામયિકના બીજો દિપોત્સવી અંક – જીજ્ઞેશ અધ્યારૂ 4

‘સર્જન’ ગ્રૂપ આજે તેના અસ્તિત્વના બીજા દિપોત્સવીને આંગણે આવીને ઉભું છે ત્યારે માઇક્રોફિક્શનના કારણે એકબીજા સાથે જોડાયેલા અને આજે અંગત ઉપલબ્ધિઓ, તકલીફો, આશા – નિરાશા, મંતવ્યો અને વિચારોને અભિવ્યક્ત કરતા, એકબીજાના મતને પૂરેપૂરું સન્માન આપતા અને તંદુરસ્ત ચર્ચા કરતા મિત્રોનો મેળાવડો બની રહ્યો છે એ વાતનો અતિશય આનંદ છે. દર અઠવાડીયે આવતી નવી થીમ, નવા પ્રોમ્પ્ટ, સમયાંતરે થતા મેળાવડાઓ અને એક પછી એક ઉપલબ્ધિઓની સફરમાં સતત સર્જનાત્મક અભિગમ રાખી, નકામા વિવાદોથી દૂર રહી, એકબીજાને સુધારતા, મઠારતા રહીને લેખનરત રહેતા આ મિત્રો દોઢ વર્ષ પહેલા એકબીજાનું નામ પણ ભાગ્યે જ જાણતા હતા એ કોણ માની શકે? સાહિત્યનો એક તદ્દન નવો પ્રકાર આટલા બધા સાહિત્ય સિવાયના ક્ષેત્રોમાં વ્યવસાયરત લોકોને વોટ્સએપ જેવા આજના ટેકલોનોજીના આશિર્વાદે સર્જનનો અનેરો અવસર આપે છે.


લેખકો અને ઓનલાઈન ઈ-બુક પાયરસી.. – જીજ્ઞેશ અધ્યારૂ 4

ખ્યાતનામ લેખકો સોશિયલ મિડીયા દ્વારા મહદંશે તેમના ચાહકોના સંપર્કમાં રહે છે. પોતાના દ્રષ્ટિકોણ રજૂ કરવા કે વાચકો સાથે ચર્ચાઓ કરવાની સાથે કેટલાક રચનાકારો તેમના સર્જનને પણ સોશિયલ મિડીયા દ્વારા વાચકો સુધી નિઃશુલ્ક વહેંચે પણ છે. પણ સાથે સાથે તેમને એ વાતનો પણ ખ્યાલ છે કે તેમના પુસ્તકોની પાયરસી પણ ખૂબ થઈ રહી છે. ખૂબ પ્રચલિત પુસ્તક પી.ડી.એફ સ્વરૂપે ફરતું હોય એવા કિસ્સા નવા નથી. મને યાદ છે કે ઈ.સ. ૨૦૦૧ની આસપાસ ‘વારેઝ’ વેબસાઈટ્સ અને ફોરમ ખૂબ પ્રચલિત થયેલા જે રેપિડશેર કે ૪શેર્ડ જેવી ફાઈલશેરિઁગ વેબસાઈટ પર પુસ્તકો ચડાવી તેની લિંક ત્યારના ઓર્કુટ કે યાહુ જિઓસિટીઝ જેવા સોશિયલ મિડીયામાં શેર કરતા..

હવે ઈ-પુસ્તકો માટે ડી.આર.એમ (ડિજીટલ રાઈટ્સ મેનેજમેન્ટ)ના નેજા હેઠળ અનેકવિધ રીતે ઈ-પુસ્તકો પાયરસીથી સુરક્ષિત છે. ડી.આર.એમ પુસ્તકની અનાધિકૃત નકલ અને ફેલાવો અટકાવે છે. અને સાથે સાથે એ પણ એટલું જ સાચું છે કે એ દરેક રીત સહેલાઈથી તોડી શકાય છે. અને તે છતાં ઈ-પુસ્તકોની પાયરસી ફિલ્મો કે ટી.વી શોની પાયરસી કરતા જરાય ઓછી થઈ નથી.


જિંદગીની આશ.. ઉત્સવ! દીપોત્સવ! – ગોપાલ ખેતાણી 7

દેશના દરેક તહેવારોનું પર્યાવરણ અને સામાજિક મહત્વ તો છે જ પણ આર્થિક મહત્વ પણ ઘણું છે.

દિવાળી, દેશના લગભગ દરેક ખૂણે ઉજવાતો તહેવાર. આ તહેવાર જુઓ કઈ રીતે દરેક વર્ગના લોકોને આર્થિક રીતે અને વ્યક્તીગત રીતે સ્પર્શે છે!

નવરાત્રીની આસપાસથી જ ઘરોમાં સફાઈ અભિયાન ચાલું થઈ જાય અને કેટલાંક ઘરોમાં રંગરોગાન પણ કરાવવાનું હોય. તો સૌ પ્રથમ તો રદ્દી, પસ્તી અને ભંગારવાળાની રોજી રોટી શરૂ થઈ જાય. વળી લારી કે મોપેડ પર સાવરણી, સાવરણા, ફિનાઈલ, પ્લસ્ટીકના ઝાડૂ, એસીડ બોટલ, બ્રશ વગેરે લઈને ફરતાં ફેરીયાઓની નજર પણ દરેક સોસાયટીમાં ફરી વળતી હોય. ઘરે કામ કરવા જો બાઈ આવતી હોય તો તેમના ‘મનામણાં’ પણ શરૂ થઈ ગયા હોય. અને એ માટે તમારે બોનસ તો ત્યારે કન્ફર્મ કરી જ દેવું પડે ભલે તમને તમારી કંપની આપે કે ન આપે! તમને સાફ-સફાઈ કરતાં કેટલોક અનમોલ ખજાનો હાથ લાગવાની શક્યતા પણ ખરી. પ્રિયતમ કે પ્રિયતમાની યાદગીરી, તમારાં કે ઘરના સભ્યોના જૂનાં સંસ્મરણો, ભૂલે-બીસરે સબૂત અને નસીબ જો વધું પડતાં સારા હોય તો ૫૦૦-૧૦૦૦ની નોટ પણ મળી આવવાની સંભાવના! સાફસફાઈ બાદ રંગરોગાનવાળાની દિવાળી શરૂ થાય. ક્લર જાયન્ટ્સ કંપનીઓથી માંડીને રોજમદાર મજૂર કમરપટ્ટો બાંધીને રોકડાં કરવાની વેતરણમાં પડી ગયા હોય.


ભેજાફ્રાય કે આપણી ભાષાની કમાલ! – હર્ષદ દવે 12

અખો કહે છે, ‘ભાષાને શું વળગે ભૂર?’ બાય ધ વે ‘ભૂર’ એટલે શું તેની બહુ ઓછાને ખબર હશે. તેનો અર્થ છે : મૂર્ખ, લુચ્ચું. પણ તેનો સુરતી અર્થ છે ‘નામશેષ’. એ ઉપરાંત તેનો અર્થ છે ઘણું કે વધારે!

મને ભાષા પ્રત્યે પ્રેમ છે. ભલે પછી તે ગુજરાતી હોય કે હિન્દી કે પછી અંગ્રેજી. આજે અહીં ભાષા વિષે સાવ નવી જ વાત કરવી છે.

જો તમે તમારા મગજને સ્વસ્થ અને સતર્ક રાખવા ઈચ્છતા હો તો હિન્દી ભાષાનો ઉપયોગ કરો. આપણા દેશના વૈજ્ઞાનિકોના મંતવ્ય મુજબ અંગ્રેજી ભાષાની સરખામણીમાં હિન્દી ભાષા બોલવાથી મગજ વધારે તંદુરસ્ત રહે છે. નહીં, હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે કે મને તેના પ્રત્યે આકર્ષણ છે માટે હું આ નથી કહેતો.


હું જ મારો મિત્ર, હું જ મારો શત્રુ – હરેશ ધોળકીયા 4

એક શૈક્ષણિક શિબિરમાં હાજર રહેવાની તક મળી. તેનો મુદ્દો હતો કે એસ.એસ.સીમાં કેટલીક શાળાઓનું પરિણામ ૩૦% થી ઓછું આવ્યું હતું. તેમાં પણ કેટલીકનું તો ૦% આવ્યું હતું. તેના કારણો અને ઉપાયો શોધવા શિબિર યોજવામાં આવી હતી.

તેમાં બોલવાનું થયું ત્યારે એક સવાલ પૂછાયો કે આવું પરિણામ આવવાનું સંભવિત કારણ શું હોઈ શકે? તેના તરત જવાબો આવવા લાગ્યાઃ બાળકો નબળાં આવે છે, તેમને પ્રાથમિકમાં બરાબર શિક્ષણ નથી અપાતું, માતા-પિતા ઘરે ધ્યાન નથી આપતાં, સરકારને પડી નથી, સરકાર બીજા એટલા કામો સોંપે છે કે વર્ગમાં જવાનો સમય જ નથી મળતો… આવી લાંબી યાદી આવી. અને હકીકત હતી કે આ બધાં જ કારણો સાચાં હતાં.


સબસે બડા રૂપૈયા – વિનોબા 2

આપણી મુખ્ય ખામી એ છે કે આપણે આસપાસના ગરીબો સાથે પૂરા એકરૂપ થઈ શકતા નથી, અને મારા મતે એ ત્યાં સુધી નહીં થઈ શકે, જ્યાં સુધી આપણે પૈસાનો આધાર છોડતા નથી અને શરીરશ્રમ પર ઊભા થતા નથી. આમ તો આપણે થોડો પરિશ્રમ કરતા હોઈએ છીએ, પણ તેટલો પૂરતો નથી. આપણે શરીર શ્રમથી રોટી કમાવાનું વ્રત લેવું જોઈએ અને પૈસાથી મુક્ત થવું જોઈએ. તેના વિના શક્તિશાળી અહિંસા પ્રગટ નહીં થાય. ઈશુ જે કહી ગયા છે, તેને હું અક્ષરશ: માનું છું કે સોયના છેદમાંથી ઊંટ પસાર થઈ શકશે, પરંતુ પૈસાનો મોહ રાખનાર અહિંસાનો સાક્ષાત્કાર નહીં કરી શકે.