સાહિત્યકાર મુજબ સંગ્રહ... : વિપિન પરીખ


સરકસથી થાકી ગયેલા કવિની વાત.. – વિપિન પરીખ 6

માણસને સભ્ય થઈને સામાજમાં રહેવા માટે કેટલી બધી મથામણ કરવી પડતી હોય છે? કેટલી મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે? કેટલાક સંવેદનશીલ માણસો, કળાકારો જીવનભર સભ્ય થવાનો, સુસંસ્કૃત થવાનો પ્રયત્ન કર્યા જ કરતા હોય છે. કોઈક વિરલા સફળ થાય છે; બાકીના ઘણા જીવનભર આ સંઘર્ષમાં રહેંસાયા જ કરે છે. મરાઠી કવિ નારાયન સુર્વે લખે –
‘તડજોડ કરી જીવવું – જીવું છું,
દરરોજ અઘરું થતું જાય છે…


વિપિન પરીખના કાવ્યકોડીયાં – (ઈ-પુસ્તક ડાઉનલોડ) 5

અક્ષરનાદ ઈ-પુસ્તક વિભાગમાં લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા ૧૯૮૧માં સંપાદિત અને પ્રકાશિત ‘કાવ્યકોડિયાં’ની શ્રેણી સર્જક અનુસાર હવે એક પછી એક પ્રસ્તુત થશે. આ શ્રેણીમાં પ્રથમ છે શ્રી વિપિન પરીખના કાવ્યોનું શ્રી સુરેશ દલાલે કરેલું સંપાદન. વિપિન પરીખના અસરકારક અને ચોટદાર અછાંદસ જોયા પછી એમના કાવ્યોને જોવાની એક અલગ દ્રષ્ટિ મળી છે, એ ફક્ત અછાંદસ કે પદ્ય રચના નથી, એમાં નિબંધ છે, વાર્તા છે, ચિંતન છે, અધ્યાત્મ છે, પ્રેમ છે અને વેદના પણ ભારોભાર છે, એમાં એક સામાન્ય માણસની લાગણીઓને મળેલી અસામાન્ય વાચા છે. આશા છે આ ઈ-પુસ્તક અક્ષરનાદના વાચકોની ક્ષુધાને સુંદર રીતે પરીતૃપ્ત કરી શક્શે.


ત્રણ ચોટદાર અછાંદસ… – વિપિન પરીખ 6

અક્ષરનાદના ઈ-પુસ્તક વિભાગમાં મૂકવા માટે લોકમિલાપ ટ્રસ્ટની પરવાનગીથી તેમના દ્વારા ૧૯૮૧માં સંપાદિત અને પ્રકાશિત ‘કાવ્યકોડિયાં’ ટાઈપ કરી રહ્યો છું. અને એમાં પ્રથમ છે શ્રી વિપિન પરીખના કાવ્યોનું શ્રી સુરેશ દલાલે કરેલું સંપાદન. એમાંથી જ આજે ત્રણ અછાંદસ મૂક્યા છે. વિપિન પરીખના અસરકારક અને ચોટદાર અછાંદસ જોયા પછી એમના કાવ્યોને જોવાની એક અલગ દ્રષ્ટિ મળી છે, એ ફક્ત અછાંદસ કે પદ્ય રચના નથી, એમાં નિબંધ છે, વાર્તા છે, ચિંતન છે, અધ્યાત્મ છે, પ્રેમ છે અને વેદના પણ ભારોભાર છે, એમાં એક સામાન્ય માણસની લાગણીઓને મળેલી અસામાન્ય વાચા છે. આ અછાંદસ વિશે કહેવા માટે શબ્દો ખૂબ ઓછા પડે છે, એ તો અનુભવે જ કહી શક્શો.


પ્રેમને કારણો સાથે – વિપિન પરીખ 7

મમ્મી અને બા વચ્ચેના ફરકની એક પાતળી ભેદરેખાની વાત કરતા કવિ શ્રી વિપિન પરીખ સાવ સહજ રીતે માતૃવંદના કરી શક્યા છે. બા સાવ સરળ અને સીધી છે, તે પોસ્ટકાર્ડ ન લખી શક્તે કે સર્વિસ કરવા ક્યારેય નથી ગઇ છતાં તેના હાથનો સ્પર્શ પામવાથી તે જે ભોજન આપતાં તે અમૃત બની જતું એવી સુંદર યાદ સાથે મને મારી બા ગમે છે એમ તેઓ સહજતાથી કહી જાય છે. અને એ સાથે આ કાવ્યનું અનોખું શીર્ષક પણ આગવી છાપ છોડી જાય છે.