સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ડૉ. નીના વૈદ્ય


પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૪) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૯) 1

આપણે જોયું કે પથિકનાં કિસ્સામાં પથિકની નકારાત્મક વર્તણુંક માટે ઘણાં કારણો જવાબદાર હતાં. પથિકને રોજીંદી દરેક બાબત કરવામાં કંટાળો આવતો હતો. રોજીંદા કામ કરવા માટે જરૂરી ચાલકબળનો પથિકમાં અભાવ હતો પરંતુ ટીવી જોવાનું એક કામ પથિક ખૂબ જ સમયસર અને જરૂરિયાત કરતાં ઘણું વધારે કરતો. કદાચ આના કારણે જ અન્ય કામો પ્રત્યે પથિકને અરુચિ થઇ ગઇ હતી. થોડા વર્ષો પહેલાં ગુજરાતમિત્રમાં દર બુધવારે ‘પરવરિશ’ શીર્ષક હેઠળ કોલમ લખવાનો મોકો મળ્યો હતો ત્યારે ‘ટીવીને IDIOT BOX કેમ કહેવાય છે?’ એવો એક લેખ બાળકોનાં અનુસંધાનમાં લખ્યો હતો આજે પણ લખવાનું તો બાળકોનાં અનુસંધાનમાં જ છે છતાં એક વાત જે લાંબા સમયથી મનમાં ખટક્યાં કરે છે તે જણાવી રહી છું.


પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૩) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૮)

આગળ આપણે જોયું કે પથિકની અયોગ્ય વર્તણુંકનાં ઘણાં કારણો હોય શકે અને દરેક કારણને વિગતે જોવાનાં આપણાં નિર્ણય સ્વરૂપે આજે પથિકનાં કિસ્સાના ત્રીજા ભાગની ચર્ચા કરીશું. આપણો ત્રીજો મુદ્દો હતો પથિકને ADHD અથવા HYPER બાળક કહી શકાય? જવાબ નક્કી કરતા પહેલાં જાણવું જરુરી છે કે બાળકને ADHD અથવા HYPER ક્યારે કહી શકાય? અથવા ADHD એટલે શું? ADHD એટલે Attention Deficit Hyperactivity Disorder. નામ જ સુચવે છે કે આ એક Disorder છે, મગજનાં કોમ્પ્યુટરમાં ઊભી થતી એક અવ્યવસ્થા જેના કારણે બાળક કોઈપણ કામમાં લાંબો સમય ધ્યાન કેન્દ્રીત કરી શકતું નથી. બાળક અવિરત ઉર્જાનો સ્ત્રોત છે અને આ ઉર્જા વાપરવી એ બાળકની જરૂરિયાત છે આથી ભલે એકાગ્રતાની ખામીનાં કારણે આમ કોઈ કાર્ય પુરું કરી ન શકતું હોવા છતાં બાળક સતત કોઈને કોઈ પ્રવૃત્તિમાં પરોવાયેલું રહેવા માંગે છે અને મોટાભાગે બીનઉપયોગી અને નકારાત્મક પ્રવૃત્તિ કરતું રહે છે. બાળકને ADHD છે એવું તારણ કાઢતાં પહેલાં કેટલાંક ભયસ્થાનો તપાસી લઈએ.


પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો..(૨) – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૭) 4

ગયા અંકમાં આપણે જોયું કે પથિકનાં કિસ્સામાં એકથી વધુ કારણો જવાબદાર હતાં અને આપણે દરેક કારણનાં ઉકેલને એક પછી એક સમજવાનો પ્રયત્ન કરીશું. આજે જોઈશું કે બાળકને એકવાર એવી ટેવ પડી જાય જે તેનાં સામાન્ય વિકાસની યાત્રામાં નડતરરૂપ બને તો એવી ટેવને હકારાત્મક વલણ દ્વારા કેવી રીતે બદલી શકાય. આપણે તમામ મનુષ્યોનું એક મૂળભૂત વલણ હોય છે કે આપણે સૌનું ધ્યાન આપણા તરફ ખેચવાં માંગતા હોઈએ છીએ અને એટલેજ આપણી વર્તણુંક સ્થળ, કાળ અને વ્યક્તિ પ્રમાણે બદલાય છે. આપણાં બાળકો આમાંથી બાકાત નથી….


પથિક કોઈપણ કામ પૂરું નથી કરતો.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૬) 13

પૂર્ણિમાબેનનો ૯ વર્ષનો દીકરો પથિક કોઈપણ કામ લાંબા સમય સુધી કરી નથી શકતો. કોઈ રમત રમતો હોય તો થોડા જ સમયમાં એ રમત મૂકીને કંઈક બીજું કરવા માંડે. વળી તરત જ કંઈક ત્રીજું જ કરે…..! જે પણ કંઈ કરતો હોય તે પૂરું પણ ન કરે. પૂર્ણિમાબેન એની સાથે બેસીને ઘણી વખત હાથમાં લીધેલી એક રમત અથવા કામ પૂરું કરાવવાની કોશિશ કરે પણ એમાં ભાગ્યે જ સફળતા મળે. જ્યારે સફળતા મળે ત્યારે પણ કાર્ય પૂરું કરવાની જવાબદારી અને ગરજ પૂર્ણિમાબેનની જ રહેતી, પથિકની નહિ. જમવામાં પણ પથિક વ્યવસ્થિત થાળી પીરસી બધી રીતે સંતુલિત હોય તેવું જમવાનું જમવા ક્યારેય બેસતો નહીં. પથિકને પેકેટમાં મળતું ખાવાનું ખૂબ ગમતું. બીસ્કીટ, વેફર, કૂરકૂરે, જેલી, મેગી, કેન્ડી, કેક વિગેરે વધુ ભાવતું અને તે પણ પેકેટમાંથી સીધું જ લઈને ખાવાનું. આ ઉપરાંત જંક ફૂડ હોય તો પથિક પેટ ભરીને ખાતો.


રીયાને મમ્મી નથી ગમતી.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૫) 7

૧૭ વર્ષની રીયાએ છેલ્લાં કેટલાંક મહિનાઓથી એની મમ્મી લીનાબેન સાથે બોલવાનું લગભગ બંધ જેવું કરી દીધું. આમેય બે-ત્રણ વર્ષથી રીયા લીનાબેન સાથે ખૂબ ઉદ્ધતાઈપૂર્વક વર્તતી હતી. કોઈપણ ફંકશનમાં તે લીનાબેન સાથે જવા તૈયાર જ નહોતી થતી. લીનાબેન તથા તેમના પતિ પરેશભાઇ આધુનિક વિચારો ધરાવતાં હોવાથી એમને રીયાનું એમની સાથે ફંકશનમાં ન આવવું ખાસ અજુગતું લાગતું નહિ, પણ પછી તો રીયા ઘરનાં ફંકશનમાં પણ આવવાની આનાકાની કરવા લાગી. એકવાર પરેશભાઈએ ખૂબ કહ્યું તો રીયાએ એવી શરત મૂકી કે ‘મમ્મી ન આવવાની હોય તો આવું’. લીનાબેનને ખરાબ તો ખૂબ લાગ્યું પણ સમસમીને બેસી રહ્યાં. લીનાબેન તથા પરેશભાઈને સમજાતું જ ન હતું કે આટલા બધાં પ્રેમ અને લાડકોડમાં ઉછરેલી રીયા આટલું બધું ઉદ્ધત વર્તન કેમ કરે છે?


નિધિ બની મમ્મીનું પ્યાદું.. – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૪) 5

૭ વર્ષની નિધિનાં પપ્પા ગુરૂદેવભાઇ તથા મમ્મી સંજનાબેન નિધિનાં બદલાયેલા વર્તનથી ચિતિંત હતા. નિધિ આખો દિવસ ચૂપચાપ બેસી રહેતી. જ્યારે પણ મોકો મળે ત્યારે અંદરનાં રૂમમાં જતી રહેતી અને પરાણે બહાર ના લાવો તો કલાકો સુધી એકલા જ રહેવાનું પસંદ કરતી. સંજનાબેન ઘણીવાર નિધિ રૂમમાં એકલી હોય ત્યારે દબાતા પગલે જોવા જતાં તો નિધિ કાં તો એકલી એકલી વાતો કરતી હોય અથવા એકાદ રમકડાં સાથે રમતી હોય. એને એકલી રમતી જોઇ સંજનાબેન એની સાથે રમવાની તૈયારી બતાવતા પણ એવા વખતે નિધિ ફરી ચૂપચાપ થઈ જતી. ઘરની આસપાસ રહેતા બાળકો સાથે તો નિધિ પહેલેથીજ ભળતી ન્હોતી. સંજનાબેન સ્કુલમાં મળવા જતાં તો ટીચરનાં કહેવા પ્રમાણે શરૂઆતથી જ નિધિનું વર્તન એવું હતું કે ક્લાસમાં એની હાજરીની ખાસ નોંધ લેવાતી નહીં. સાત વર્ષની નિર્દોષ ઉંમરમાં એવું તે શું થયું કે નિધિનાં વર્તનમાં આટલું મોટું પરિવર્તન આવ્યું?


શશાંકને ઠોઠ કહી શકાય? – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૩) 7

૧૪ વર્ષનાં શશાંકના મમ્મી શ્રદ્ધાબેન પોતાનાં દિકરાના બુદ્ધિ આંક પ્રત્યે ચિંતિત હતાં. શ્રદ્ધાબેનનાં કહેવા પ્રમાણે શશાંકની યાદશક્તિ, સમજશક્તિ તથા ગ્રહણશક્તિ ઓછી થઈ ગઈ હતી. આઠમાં ધોરણમાં ભણતો શશાંક છઠ્ઠા ધોરણ સુધી વગર ટ્યુશને ક્લાસમાં પ્રથમ કે દ્વિતીય આવતો હતો અને ગણિતમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્ક્સ આવતા. સાતમા ધોરણમાં એનો નંબર થોડો પાછળ ગયો અને આઠમાની છ માસિક પરીક્ષામાં શશાંક એક વિષયમાં નાપાસ થયો. શ્રદ્ધાબેનને સમજાતું જ ન્હોતુ કે પહેલા કરતા ઘણી વધારે મહેનત કરતો હોવા છતાં શશાંક ભણવામાં દિવસે ને દિવસે કેમ પાછળ પડતો જાય છે?


શું સૌરભ બગડી ગયો છે? – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૨) 7

સૌરભ એના રૂમમાં કોમ્પ્યુટર ચાલુ કરીને બેઠો હતો અને કંઈ કામને લીધે આરતીબેન અચાનક બારણાને ધક્કો મારી સૌરભની રૂમમાં દાખલ થયા. આરતીબેનને જોઈને સૌરભ ચમકી ગયો અને ઝડપથી કોમ્પ્યુટરનું સ્ક્રીન ફેરવી નાખ્યું પણ ત્યાં સુધીમાં સ્ક્રીન પર શું હતું તે આરતીબેને જોઈ લીધું હતું. ખૂબ જ આઘાત પામેલ સ્થિતિમાં આરતીબેન રૂમમાંથી બહાર નીકળી ગયા.


રવિનું ઓળખપત્ર – ડૉ. નીના વૈદ્ય (બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો – ૧) 11

ઝંખનાબેન ખૂબ વ્યાકુળ હતાં. મારા ક્લીનીકનાં વેઈટીંગ રુમમાં દસ મિનિટનું વેઈટીંગ પણ તેમને અકળાવતું હતુ. ઝંખનાબેન એમના ૮ વર્ષનાં દિકરા રવિ માટે ખૂબ ચિતિંત હતા. રવિનું વર્તન એમને સમજમાં નહોતુ આવતુ. છેલ્લા ૨-૩ મહિનાથી રવિ સ્કૂલમાં, ટ્યુશનમાં અને ઘરની બહાર સોસાયટીમાં બિલકુલ શાંત બેસી રહેતો. ક્લાસમાં પૂછે એના જવાબ ન આપતો, ઈતર પ્રવૃત્તિઓથી તદ્દન દૂર રહેતો, રીસેસમાં એકલો જ ટીફિન ખાતો, સ્કૂલના ગ્રાઉન્ડ પર પણ બીજા બાળકો સાથે રમતો નહી. ઘરની બહાર સોસાયટીમાં પણ રવિની ઉંમરના ૮-૧૦ બાળકો હોવા છતાં રવિ કોઈ સાથે રમતો નહીં અને એકલો જ બેસી રહેતો. સગા-સબંધીઓને ત્યાં કે બહારગામ લગ્નપ્રસંગે જતાં ત્યાં પણ રવિ બધાથી અતડો રહેતો. જ્યારે ઘરમાં આનાથી તદ્દન વિરુધ્ધ વર્તન કરતો.


બાળઉછેર કાઉન્સેલીંગના અનુભવો : શૃંખલા સ્વરૂપે – ડૉ. નીના વૈદ્ય 3

ડૉ. નીના પિયુષ વૈદ્ય અમદાવાદની બી જે મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ (૧૯૮૮) તથા બાળરોગ નિષ્ણાંત (૧૯૯૧)ની પદવી મેળવી શૈશવ ચિલ્ડ્રન હોસ્પિટલ, નવસારીમાં પીડિઍટ્રિશન તરીકે પ્રેક્ટિસ કરે છે. આ રોજીંદી પ્રેક્ટિસ દરમિયાન તેમને બાળકોની સાયકોલોજીને મેડીકલ સિવાયના દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર લાગી. આથી તેમણે એમ.એસ યુનિવર્સિટી વડોદરાથી ગાઈડન્સ અને કાઉન્સેલિંગ (૨૦૦૧ – ૨૦૦૨)માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ. બાળઉછેર દરમિયાન માતા-પિતા દ્વારા અજાણપણે થતી નાની ભૂલોની બાળમાનસ પર થતી અસર પર આધારિત તેમનું ચિંતન અને તેમની બાળક સાથેની કાઉન્સેલીંગની બેઠકનાં વાસ્તવિક અનુભવો અક્ષરનાદના વાચકો સાથે લેખના માધ્યમથી કેટલીક રોજીંદી ઘટનાઓ અને પ્રસંગો શ્રૃંખલા રૂપે રજૂ કરવા જઈ રહ્યા છે. દર પખવાડીયે રવિવારે પ્રસ્તુત થનાર તેમની આ શ્રેણીની આજથી શરૂઆત થઈ રહી છે. શ્રેણીની સફળતા બદલ ડૉ. નીનાબેનને શુભકામનાઓ અને અક્ષરનાદને તેમના અનુભવ અને ચિંતન વહેંચવાના માધ્યમ રૂપે તક આપવા બદલ ડૉ. નીના વૈદ્યનો આભાર, તેમની કલમને શુભકામનાઓ.