ત્રણ પદ્યરચનાઓ… – પ્રિન્સ ગજ્જર 23
નવોદિત રચનાકારોને મંચ આપવાની પોતાની એક અનોખી જ મજા છે. ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કૉલેજ, ગાંધીનગરમાં મેટલર્જીના પાંચમા સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહેલા પ્રિન્સભાઈ ગજ્જરની અક્ષરનાદ પર આ પ્રથમ રચનાઓ છે, ત્રણેય અછાંદસ સુંદર છે, પણ વિશેષ ધ્યાન ખેંચે છે એક નવોદિત તરીકે તેમની વિષયપસંદગી. ત્રણેય ભિન્ન વિષયોમાં તેમનો સર્જનનો પ્રયત્ન સરસ છે પરંતુ તેમાં પ્રથમ અછાંદસ ધ્યાન ખેંચે છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા બદલ પ્રિન્સભાઈનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.