Daily Archives: October 30, 2014


રૂપ રૂપનો અંબાર : કોથમીર ! – અરુણા જાડેજા 10

મીઠામરચાના સિંહાસને સદા બિરાજમાન કાંગરિયાળા અને ઝાલરિયાળા, હર હાઈનેસ બાશ્રી કોથમીરબા, રસોઈના રાજરાણીસાહેબા પધાર રહે હૈઁ ! બા મુલાયજા હોંશિયાર ! કોથમીરની આ સવારી નીકળી છે શ્રી અરુણાબેન જાડેજાની કલમે, ભલભલા રસોઈયા કે ભલભલી રસોઇયાણીનું પાંદડું જેના વગર હાલે નહીં તે આ રૂપ રૂપના અંબાર સમી કોથમીરનું પાંદડ઼ું. નાજુકાઈ અને નમણાશની વ્યાખ્યા જેના થકી ધન્યધન્ય થાય તે આ કોથમીર. લીલા રંગનું જીવતર સાર્થક થાય તે આ કોથમીર થકી. જેની હાજરી વગર કોઈ પણ મરીમસાલો બિચારો તે આ કોથમીર. કોથમીરના મહાત્મય વિશેનો આજનો આ લીલોછમ્મ કૂણો લેખ આપ સૌને સાદર.. અક્ષરનાદને પ્રસ્તુત રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી અરુણાબેન જાડેજાનો ખૂબ આભાર અને શુભકામનાઓ.