Daily Archives: September 17, 2014


સરકસથી થાકી ગયેલા કવિની વાત.. – વિપિન પરીખ 6

માણસને સભ્ય થઈને સામાજમાં રહેવા માટે કેટલી બધી મથામણ કરવી પડતી હોય છે? કેટલી મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે? કેટલાક સંવેદનશીલ માણસો, કળાકારો જીવનભર સભ્ય થવાનો, સુસંસ્કૃત થવાનો પ્રયત્ન કર્યા જ કરતા હોય છે. કોઈક વિરલા સફળ થાય છે; બાકીના ઘણા જીવનભર આ સંઘર્ષમાં રહેંસાયા જ કરે છે. મરાઠી કવિ નારાયન સુર્વે લખે –
‘તડજોડ કરી જીવવું – જીવું છું,
દરરોજ અઘરું થતું જાય છે…