સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : આચમન


મહર્ષિ યાજ્ઞવલ્કય – શ્રદ્ધા ભટ્ટ 6

યજુર્વેદની બે શાખાઓ પૈકી એકના રચયિતા, વૈશંપાયનના શિષ્ય મહર્ષિ યાજ્ઞવલ્કય અને યજુર્વેદની બે સંહિતાની ઉત્પત્તિ વિષે…


દેવી સૂક્ત – શ્રદ્ધા ભટ્ટ 4

આદિ શક્તિની પાણી સાથે સરખામણી શા માટે? જળ અથાગ છે અને વળી સૌથી વધુ જરૂરી તત્વ પણ. જળરાશીનો વિસ્તાર અસીમ છે અને એ જ રીતે જીવન પ્રકિયા પણ સતત અવિરત વિસ્તરતી જાય છે.


શ્રીકૃષ્ણ અને સમય – શ્રદ્ધા ભટ્ટ 6

આજે મારે વાત કરવી છે મારા કૃષ્ણ વિશે. મારો કૃષ્ણ – આ સંબોધન જ કેટલું મીઠું છે, નહીં? મારો કૃષ્ણ અલગ નથી, તમારા સૌ જેવો જ છે, બસ એને જોવાની મારી દ્રષ્ટિ સહેજ જુદી છે. 


રક્ષાસૂત્ર – શ્રદ્ધા ભટ્ટ 6

રક્ષાસૂત્રનો એક અર્થ થાય સિદ્ધાંત અથવા મંત્ર. અહીં જમણાં હાથના કાંડા પર બાંધવામાં આવતો દોરો એ એક પ્રતીક તરીકે વપરાયો છે. સૂતરનો પાતળો દોરો કોઈને રક્ષા આપવા અથવા તો ધર્મમાં સ્થિર રાખવા સક્ષમ થાય કઈ રીતે? રક્ષાસૂત્ર મૂળ પાંચ વસ્તુઓથી બને.


ગુરુ એટલે? ગુરુની જરૂર શા માટે?

અષાઢ મહિનાની પૂનમે ગુરુપૂજન કરી ગુરુપૂર્ણિમાનો ઉત્સવ ઉજવવાની પરંપરા છે. આ ચાર મહિનામાં ન તો વધુ ગરમી હોય, ન વધુ ઠંડી. એટલે ઋતુચક્ર પ્રમાણે આ ચાર મહિના ઉત્તમ છે.


યજ્ઞ : શા માટે? – શ્રદ્ધા ભટ્ટ 8

ગધ્યાત્મ્ક મંત્રોને ‘યજુ’ કહે છે. યજુર્વેદ યજુમંત્રોનો સંગ્રહ છે. यजु: શબ્દ यज् ધાતુ પરથી આવ્યો. દેવ સંબંધી કાર્ય માટે યજન શબ્દ વપરાય છે. આ કાર્ય એટલે યજ્ઞ.


ઋગ્વેદ પરિચય : આદિ વેદ એટલે ઋગ્વેદ 8

દેવતાઓની સ્તુતિઓ દ્વારા જે પરમજ્ઞાન અપાયું છે તે ઋગ્વેદ. જર્મન વિદ્વાન યાકોબીની ગણતરી મુજબ પણ ઋગ્વેદના મંત્રોની રચનાનો કાળ ઈ.સ. પૂર્વે ૬૫૦૦ જ આવે છે.


પંચ મહાભૂત : પંચથી મોક્ષ સુધી.. 4

પાંચ મહાભૂતથી બનેલો આ માનવ દેહ! આજે વાત એ દરેક તત્વની ખાસિયત વિશે. સાથે સાથે વાત માનવદેહની સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રામાં આ પાંચ તત્વોના સહયોગની.


વેદાંગ – શ્રદ્ધા ભટ્ટ 9

વેદ સંપૂર્ણ રીતે સમજવા વેદાંગ ઉપયોગી છે. મંત્રોના ઉચ્ચારણથી લઈને ગ્રહ, નક્ષત્ર અને વૈદિક શબ્દોની ઉત્પત્તિ વિશેની વાતો પદ્ધતિસર રીતે શીખવતું શાસ્ત્ર એટલે વેદાંગ.


વેદ દર્શન – શ્રદ્ધા ભટ્ટ 11

વેદ એટલે શું? વેદનો અભ્યાસ ખરેખર જરૂરી છે ખરા? શા માટે વેદ હજુ સુધી સામાન્ય જનની પહોંચથી દૂર જ રહ્યા છે? વેદ સૌથી કઠિન સાહિત્ય શા માટે ગણાય છે? થોડી કોશિશ મારા તરફથી આ બધા પ્રશ્નોના જવાબ આપવાની અને સાથે વેદના ચાર ભાગ અને એના વિશેની સંક્ષિપ્ત માહિતી.


સ્વસ્તિ મંત્ર – શ્રદ્ધા ભટ્ટ 19

આ મંત્રમાં અલગ અલગ પ્રકારે ચાર દેવોની સ્તુતિ કરવામાં આવી છે, પણ છેવટે તો એ ચારેય દેવ એક જ પરમ ચેતનાના અલગ અલગ રૂપો જ છે. ત્રણેય દેવ અને છેલ્લે દેવોના પણ અધિપતિ, એવા પરબ્રહ્મ પરમાત્મા જ સર્વોચ્ચ છે એ સત્ય અહી ફલિત થાય છે. વેદમાં બહુદેવવાદ સાથેનો એકેશ્વર ( એક જ ઈશ્વર) વાદ છે. એક ઈશ્વર (પ્રત્યેક મનુષ્યમાં રહેલી પરમ ચેતના) સર્વોચ્ચ સત્તા છે અને તેના અધિપત્યમાં અનેક દેવો છે.


શિવનું કલ્યાણકારી સ્વરૂપ : રુદ્ર – શ્રદ્ધા ભટ્ટ 15

રુદ્ર એટલે સર્વવ્યાપી પરમાત્મા જે દરેક વ્યક્તિના અંતરમનમાં વિરાજમાન છે. ઋગ્વેદનો એક મંત્ર છે – अंतरिच्छन्ति तं जने रुद्रं परो मनीषया। (ऋ.८.७२.३) [જ્ઞાની મનુષ્ય] તે રુદ્રને (तं रुद्रं) મનુષ્યના અંત:કરણની મધ્યમાં (जने पर: अन्त:) બુદ્ધિ દ્વારા (मनीषया) જાણવાની ઈચ્છા (इच्छन्ति) કરે છે.’ જ્ઞાની લોકો એ રુદ્રને માનવીના અંત:કરણમાં શોધે છે, એટલે કે રુદ્ર એટલે બધાના અંત:કરણમાં રહેલો પરમાત્મા. રુદ્ર એટલે શિવ – આ પૌરાણિક માન્યતા છે. રુદ્રને શિવ શા માટે કહે છે?


શબ્દ રૂપી બ્રહ્મની સમજણ – શ્રદ્ધા ભટ્ટ 6

વાક્ એ આ સૃષ્ટિનું મૂળ તત્વ છે. નિરુક્ત શાસ્ત્રમાં વાક્ નો એક પર્યાય સરસ્વત પણ છે. સરસ્વતી વાગ્દેવી પણ કહે છે. सरौ विविधम ज्ञानम विद्यते यस्याम चितौ सा सरस्वती। જેના ચિત્તમાં દરેક પ્રકારનું જ્ઞાન વિદ્યમાન છે તે સરસ્વતી. કેવું જ્ઞાન? सरस्: ज्ञानम અર્થાત પ્રશંસિત જ્ઞાન. જેની પ્રશંસા સમાજમાં કરી શકાય એવું જ્ઞાન.


શ્રદ્ધા મતલબ.. – શ્રદ્ધા ભટ્ટ 19

શ્રદ્ધા એટલે અંતરાત્મામાં રહેલું સહજ જ્ઞાન. કોઈ તથ્યને સાબિત કરવા માટે પ્રત્યક્ષ પ્રમાણ ન મળે છતાં આંતરિક રીતે એમ અનુભવાય કે આ જ સાચું છે. આ અનુભવ એટલે શ્રદ્ધા. ઋગ્વેદમાં આ જ શ્રદ્ધાને દેવી તરીકે સ્થાપિત કરીને એની સ્તુતિ કરવામાં આવી છે. શા માટે? શ્રદ્ધા દેવી કઈ રીતે અને એનો આવો અને આટલો મહિમા કેમ?


સૂર્ય પ્રત્યેની આધ્યાત્મિકતા – શ્રદ્ધા ભટ્ટ 17

બુદ્ધિની તેજસ્વિતા એ દરેક મનુષ્યની આંતરિક બાબત છે. પ્રકાશથી ઝળહળ થતો પૂંજ બાહ્ય અંધકારને દૂર કરી શકે પણ માનવના અંતરમનમાં વ્યાપેલો અંધકાર તો એણે જાતે જ દૂર કરવો રહ્યો! સૂર્યનું સવિતૃ રૂપ આ આંતરિક અંધારાને દૂર કરી ભીતર પ્રકાશ પાથરવા નિમિત્ત બને છે! પોતાના પૂર્ણ તેજમાં પ્રકાશતો સૂર્ય એટલે જ સવિતૃ!
देवो दानाद्, ध्योतनाद् दीपनाद् वा |


સંસારનો આદિસ્વર : નાદબ્રહ્મ – શ્રદ્ધા ભટ્ટ 23

સ્થૂળ અક્ષરનો નાદ જયારે પોતાનું અસ્તિત્વ ત્યાગીને શૂન્યને આત્મસાત કરી લે ત્યારે એ અનાહત નાદની કક્ષાએ પહોંચે! જેનો ક્ષર શક્ય નથી એ એટલે અક્ષર. જે અખંડ છે એણે પણ આત્મા સુધી પહોંચવા પોતાપણું છોડવું પડે છે!


યાત્રા : સ્થૂળથી સૂક્ષ્મ તરફ – શ્રદ્ધા ભટ્ટ 30

જાતની ઓળખ, એનો સ્વીકાર અને પછી એનામય જીવન – એટલે જ અધ્યાત્મ. અધ્યાત્મનો સંધિ વિચ્છેદ કરીએ તો મળે બે શબ્દો. અધિ + આત્મન્. અધિનો એક અર્થ થાય સંબંધી. આત્મન એટલે આત્મા, અંત:કરણ, અંતરમન, માંહ્યલો.