Daily Archives: September 13, 2020


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૬) 3

માયા મહેલમાં આમ્રપાલીનાં કક્ષમાં વર્ષકારનાં પ્રવેશ સાથે બધી દાસીઓ ઊભી થઇ ગઈ. પરંતુ આમ્રપાલી મૂર્તિની જેમ બેઠી રહી. તેણે મનથી માની લીધું હતું કે હવે બધું જ પૂરું થઇ ગયું છે. હવે કાંઈ બાકી રહ્યું નથી. ગણપતિએ મરતાં પહેલા જે પત્ર આમ્રપાલીને લખ્યો હતો તેમાં વર્ષકારની સાચી ઓળખ અને તેના ષડ્યંત્ર વિષે બધું જ લખ્યું હતું. આમ્રપાલી વિચારમાં પડી ગઈ…માનવીની બુદ્ધિ આટલી હદે ક્રૂર જઈ શકે તે કેમ માની શકાય?