Yearly Archives: 2020


સેવન વન્ડર્સ ઓફ બ્રેઇન; માણસના મગજના કેમિકલની કમાલ (ભાગ ૧) – અમી દલાલ દોશી 11

અકારણ ગુસ્સો, તણાવ, મૂડ સ્વિંગ કોઈ ચોક્કસ કારણ વગર શરીરમાં થતા દુખાવા એ બ્રેઇન કેમિકલ્સના ઇમ્બેલેન્સ નું કારણ હોઈ શકે છે.


ઊંઘવા જેવું સુખ નહીં – ગોપાલ ખેતાણી 27

લધુશંકા, ગુરુશંકા અને ઊંઘ, આ ત્રણેયને રોકવા બહુ અઘરા. પોતપોતાના જોખમે ટ્રાય કરવી! (અગેઈન, વોટ્સેપીયા, ફેસબુકીયા, સેટીંગ્યા અને સગાઈ થયેલા નિશાચરોને આ લાગું પડતું નથી.) રાત્રે અઢીથી ચારનો સમય એ ઊંઘ માટે ગોલ્ડન પિરિયડ કહી શકાય. તસ્કરશાસ્રીઓના ગ્રંથ મુજબ તેમના માટે આ સૌથી સાનુકુળ સમય છે અને તેમના મુહુર્ત પણ રાત્રે અઢીથી ચારના જ છે.


કલકત્તામાં વીતેલા બાળપણની મધુર યાદો – હરસુખ રાયવડેરા 10

દરેક માણસનું જીવન એક નવલકથા સમાન હોય છે… અવનવા સારા નરસા અનુભવો, પ્રસંગો અને યાદગીરીથી ભરપૂર હોય છે. તમારુ જીવન પણ આવા અનેક પ્રસંગોથી ભરપૂર હશે જ. કલકત્તા શહેર મારા બાળપણ, મારી યુવાવસ્થા અને હાલ મારી વૃદ્ધાવસ્થામાં થયેલા પદાર્પણ સુધીનું સાક્ષી છે…


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૪) 1

વર્ષકાર અને સેનાપતિ રસાલા સાથે ગણપતિના ઘર પાસે આવ્યા. તેઓ બંને અંદર ગયા. વર્ષકાર ગણપતિ સમક્ષ શું કેફિયત આપવી તે વિષે વિચારી રહ્યો હતો. તેને થયું કે ગણપતિને મગધનો અમાત્ય બનાવવો જોઈએ. તેણે મારી સાથે ખૂબ સારી મિત્રતા નિભાવી છે. તેના ઋણનો બદલો ચુકાવવાની આ જ ઉત્તમ તક છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૩)

મગધના મહાઅમાત્ય વર્ષકારે મગધનરેશને કહ્યું હતું કે, ‘હું કહું તેમ કરશો તો વૈશાલી તમારા ચરણે ધરીશ.’ ત્યારબાદ તેમણે જડબેસલાક યોજના બનાવી અને બિંબિસારે વર્ષકારની યોજના પ્રમાણે વૈશાલીને ગુપ્તપણે સાવ હતું ન હતું કરી નાખ્યું. અને વર્ષકારનો સંદેશો મળતાં તે લાવલશ્કર સાથે વૈશાલીને મગધમાં ભેળવવા માટે અવિલંબ ચાલ્યો આવ્યો હતો.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૨)

બીજે દિવસે આમ્રપાલીએ પ્રસ્તાવ રજૂ કર્યો કે વૈશાલીની સ્થિતિનો સમગ્રલક્ષી ચિતાર મેળવવા માટે માત્ર રાત્રીચર્યા પર્યાપ્ત નથી, દિનચર્યાનું પણ અવલોકન કરવું એટલું જ જરૂરી છે. તેથી તેઓ તે દિવસે સવારના પહોરમાં જ નગરચર્યા જોવા નીકળ્યા. બધું સૂમસામ હતું. કોઈ મનુષ્ય દેખાતો નહોતો. બજાર, દુકાનો બધું જ જાણે જાહેર રજાનો દિવસ હોય તેમ બંધ હતું.


રીલ vs રિઅલ – આરોહી શેઠ 25

જેટલાં લોકોને એમ છે કે સુશાંત સિંહ રાજપૂતે તેમનો સંપર્ક કર્યો હોત તો તેઓ તેને બચાવી શક્યાં હોત, તેવાં લોકો માટે એક શાનદાર બમ્પર ઓફર છે કે આવા કેટલાય હરતાં-ફરતાં સ્યુસાઇડ બોમ્બ તમારી આસપાસમાં જ ક્યાંક છે; તેને ડિફયુઝ કરવાની જવાબદારી લઇ શકો તો મહેરબાની કરીને લો.


સગપણ મેળો – મીરા જોશી 31

આખરે એ દિવસ આવી જ ગયો. યુવક યુવતીઓના સગપણ મેળાનું પ્રવેશ કાર્ડ મારી નજર સામે હતું. ‘બેટા, સવારે વહેલા તૈયાર થઈ જજે..’ પપ્પાએ કહ્યું હતું. આખી રાત પડખું ફેરવવામાં જ વીતી. કેવા ચહેરાઓ હશે, કેટલી અજાણી આંખોનો તેને સામનો કરવો પડશે ને કઈ નજર તેને કેવી દ્રષ્ટિથી જોશે. આવા અનેક વિચારોનો જવાબ અત્યારે માત્ર પ્રશ્નાર્થ જ હતો.


અક્ષરનાદનો ચૌદમાં વર્ષમાં પ્રવેશ.. સતત ગૂંજતો શબ્દ.. 18

આજે અક્ષરનાદ વેબસાઇટ તેની આ સાહિત્યયાત્રાના તેર વર્ષ પૂર્ણ કરી ચૌદમાં વર્ષમાં પ્રવેશી. મે ૨૭, ૨૦૦૭ના દિવસે વર્ડપ્રેસમાં ખાતું ખોલાવીને અક્ષરનાદની શરૂઆત કરેલી અને પડતા આખડતા, ભૂલો કરતા અને સુધારતા, શીખતા અને અનેક મિત્રોને સાથે જોડી આ સાહિત્યયાત્રામાં સહયાત્રી બનાવતા મારા ગુજરાતી બ્લોગિંગમાં પા પા પગલી કરતાં તેર વર્ષ પૂર્ણ થયા એ વાતનો અનેરો સંતોષ છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૧) 3

વૈશાલીનો અશ્વપતિ ફાંકડો યુવક હતો. તે બાળપણથી જ અશ્વોની વચ્ચે રહીને મોટો થયો હતો. કારણ કે તેના પિતા પણ અશ્વપતિ હતા. તે દરેક ઓલાદના અશ્વોને બહુ નાની ઉંમરે પારખી ગયો હતો. તે અશ્વને જોઇને કહી શકતો હતો કે તે કેટલો પાણીદાર છે. તેની નસલ અને જાત પણ કહી શકતો. તેની ગતિ વિષે તો તે ઘણી શરત લગાવતો અને જીતતો!


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૩૦) 1

વૈશાલી મગધનાં આક્રમણથી બચવા માટે હંમેશાં તૈયાર રહેતું. મગધ વૈશાલી પર આક્રમણ કરવા માટે નાનો સરખો પણ પ્રયત્ન કરી શકાતું ન હતું. કારણ કે વૈશાલીએ તેમના ગુપ્તચરોને મગધની તમામ હિલચાલ પર બાજનજર રાખવાની સખત તાકીદ કરી હતી. ગુપ્તચરો પણ યેનકેન પ્રકારે કોઈને ગંધ પણ ન આવે એ રીતે ગુપ્ત માહિતી લઇ આવતા હતા.


નવી પેઢી વેદ અને ટેકનોલોજીનો સમન્વય કરશે – ચેતન ઠાકર 21

વેદ એ ઋષિ મુનીઓનું સ્વયંનું રિસર્ચ છે જે ને આપણે કાંં તો નકામું સમજયું અને કાંં તો ધાર્મિક લોકો માટેનું સમજયું વાસ્તવમાં ઋષિ મુનીઓએ તેનું સર્જન સમસ્ત માનવ જાતના કલ્યાણ અર્થે કરેલું છે જેથી માનવ માત્ર જીવનમાં રહેલા દિવ્ય આનંદનો અનુભવ કરી શકે ટૂંકમાં વિજ્ઞાન રૂપી, આનંદ રૂપી અમૃતને દરરોજ ખોબે-ખોબે પી શકે તેવી જીવન શૈલીની વાત સમજાવી છે.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૩ (લૉકડાઉનમાં લહેર) 7

દરેક વખતે ઉપયોગી વેબસાઈટ્સની યાદી સાથે તેમના વપરાશ માટેની ટૂંકી નોંધ મૂકીએ છીએ. આશા છે આજે બતાવેલી વેબસાઈટ્સ લૉકડાઉનના આ બંધનયુક્ત સમયમાં જાણકારી સાથે સમય પસાર કરવાનું અદ્રુત માધ્યમ બની રહેશે..


મુઘલ ગાર્ડન : રાષ્ટ્રપતિ ભવન – ગોપાલ ખેતાણી 18

અંદાજે ૧૫ એકરમાં ફેલાયેલા આ મુઘલ ગાર્ડનનો વિચાર આર્કિટેક્ટ સર એડવર્ડ લુટિયેન્સને ૧૯૧૭માં આવેલો પણ ગાર્ડન બન્યું ૧૯૨૮-૨૯માં.


લોકડાઉન : અનલોક માઈન્ડ – ધ્રુવ ગોસાઈ 8

જાત સાથે પણ મનગમતા સ્મરણોની ને જીવનગીતોની એક અંતાક્ષરી અને તમારી જ તમને ગમતી ખૂબીઓ અને તમને ખબર છે એવી ખામીઓ વચ્ચે લૂડો રમી જુઓ, સ્મરણોને પણ કોઈક ફૉટો ચેલેન્જ આપી જુઓ, જીવનની ચોપડીના વણખુલ્યા પાનાં વાંચી જુઓ..


રામાયણ ધારાવાહિકમાં ઋષિ અગત્સ્ય અને માલ્યવાન જેવી ભૂમિકાઓ ભજવનાર રમેશભાઈ ચાંપાનેરીના અનુભવો.. 16

રામાયણ ધારાવાહિકમાં ઋષિ અગત્સ્ય અને માલ્યવાન જેવી ભૂમિકાઓ ભજવનાર રમેશભાઈ ચાંપાનેરીના અનુભવો.. એમની કલમે જાણીએ શૂટિંગ વખતની વાતો..


જાંબલી સક્કરખોરો – મયુરિકા લેઉવા બેંકર 21

ત્રણેક વર્ષ અગાઉ જાંબલી સક્કરખોરાને તન્મયતાથી સરગવાના ફૂલોમાંથી રસ પીતો જોયો અને આ મુદ્રામાં તેનો ફોટો ખેંચ્યો ત્યારથી એને નજીકથી જોવાનો, તેની જીવનચર્યા નિહાળવાનું કૂતુહલ ઉપડ્યું હતું. જ્યારે પણ આ પંખી નજરે પડે ત્યારે એનું નિરીક્ષણ કરવાની ખૂબ મજા પડતી.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૯) 4

વૈશાલી અને આમ્રપાલી જાણે એકબીજાના પર્યાયવાચી શબ્દો બની ગયા હતા. જ્યારથી આમ્રપાલી વૈશાલીની નગરવધૂ બની ત્યારથી વૈશાલીની હંમેશાં ચડતી જ થઇ હતી. તે પણ એક બે ક્ષેત્રોમાં નહીં, પણ તમામ ક્ષેત્રે. અને તેનો યશ આમ્રપાલીને ન મળે તેવું કેવી રીતે બને? તેણે વૈશાલી માટે શું નથી કર્યું? વૈશાલીમાં હંમેશા આમ્રપાલીની અને તેનાં કાર્યોની જ ચર્ચા ચાલતી રહેતી.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૨૨ (નવરાશનો સદઉપયોગ) 2

ઉપયોગી વેબસાઈટ્સ વિશે જાણકારી આપતી અક્ષરનાદની આ શૃંખલાની દરેક કડીને વાચકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે. ક્લિક્સના આંકડા બતાવે છે તેમ આ શૃંખલા અક્ષરનાદની સફળ શૃંખલાઓમાં ઇ-પુસ્તકો પછી બીજા ક્રમે આવે છે. દરેક વખતે ઉપયોગી વેબસાઈટ્સની યાદી સાથે તેમના વપરાશ માટેની ટૂંકી નોંધ મૂકીએ છીએ. આશા છે આજે બતાવેલી વેબસાઈટ્સ આ બંધનયુક્ત સમયમાં જાણકારી સાથે સમય પસાર કરવાનું અદ્રુત માધ્યમ બની રહેશે..


એકાકી રહેવું – સ્વામી સચ્ચિદાનંદ 9

પહેલાં મેં કોઈ સ્થળે જણાવ્યું છે કે જીવન ભલે વાસ્તવિકતાથી ઊંચું કે નીચું થઈ જાય, પણ સમય જતાં અંતે તો વાસ્તવિકતાને સ્વીકારી લેતું હોય છે. પ્રશ્ન માત્ર સમયનો જ હોય છે. મેં આહાર સંબંધ અનેક પ્રયોગો કરીને શરીર વધુ દુર્બળ તથા આહારની નિશ્ચિત વાનગીઓ માટે લાચાર બનાવી દીધું હતું. બહુ સમય પછી ખ્યાલ આવ્યો કે આ બરાબર નથી.


માત્રાથી વધારે લેવાથી અમૃત પણ ઝેર બની જાય છે.. – ચેતન ઠાકર 9

મનની આ સ્થિતિ સર્જાવાનું નું કારણ શું? ખાસ કરીને આજથી એકવીસ દિવસ આપણે સૌએ ઘરમાં જ રહેવાનું છે. સતત પ્રવૃત્ત રહેતા માણસ માટે ઘરનો દરવાજો લક્ષ્મણરેખા બની જાય ત્યારે આટલો બધો સમય મજબૂરીમાં અંદર રહેવું જરૂરી હોવા છતાં એ માનસિક અસર છોડી જ જવાનો. તો આ નિરાશા અને કંટાળાની લાગણીને નકારાત્મક બનતા કેમ અટકાવવી?


અંધારી રાતે – કેતન મુનશી 12

નચિકેત દ્રુપદલાલ મુનસિફ ઉર્ફે “કેતન મુનશી” ત્રણ દમદાર વાર્તા સંગ્રહો, ‘અંધારી રાતે’ (૧૯૫૨), ‘સ્વપ્નનો ભંગાર’ (૧૯૫૩) અને મરણોત્તર પ્રકાશિત ‘રક્તદાન’ આપ્યાં, એક સામાન્ય ઓપરેશન દરમ્યાન ડૉક્ટરની બેદરકારીને લીધે શ્વાસમાંં ઓક્સિજનને બદલે નાઈટ્રોજન અપાઈ જતાં માત્ર ૨૬ વર્ષની ઉમરે અવસાન પામ્યા. વિષયવસ્તુની નવીનતા અને રચનાશૈલીના સફળ પ્રયોગોથી ધ્યાનપાત્ર બનેલા આ સર્જકની વાર્તા ‘અંધારી રાતે’ કુમાર માસિકમાં ૧૯૪૯ના વર્ષની શ્રેષ્ઠ વાર્તા તરીકે પુરસ્કારને પાત્ર ઠરી હતી.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૮)

આમ્રપાલી અને દેવેન્દ્રનો પુત્ર ધીમે ધીમે મોટો થતો જતો હતો. તેને અભ્યાસ માટે નાલંદા મૂકવામાં આવ્યો. આમ્રપાલીએ હૃદયને કઠણ કરીને અભયને પોતાની આંખ સામેથી અળગો કર્યો. નાલંદા વિશ્વવિદ્યાલયની નામના ભારતવર્ષમાં ઘણી ઊંચી હતી.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૭)

કોશલ અને કાશી વચ્ચે વૈમનસ્ય વધતું રહે તે વૈશાલી માટે પણ જરૂરી હતું. બંને અંદરોઅંદર લડીને ખુવાર થતા જતા હતા. અને બંને નબળા પડ્યા હતા. આર્થિક નબળી હાલત, બેકારી, ભૂખમરો અને ગરીબીથી પ્રજા ત્રસ્ત થઇ ગઈ હતી. હવે સમર્થ અને સશક્ત કહી શકાય તેવા માત્ર બે જ રાજ્યો રહ્યા હતા, વૈશાલી અને મગધ.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૬)

વૈશાલીમાં આમ્રપાલી પોતાની અવનવી રીતે દરેક ક્ષેત્રમાં કાંઈને કાંઈ એવું દર્શાવતી હતી કે લિચ્છવીઓ ખુશ ખુશ થઇ જતાં. યુવકોને તેની દરેક વાતમાં બહુ રસ પડતો હતો કારણ કે તેની દરેકેદરેક વાતમાં તેનું પોતાનું ચિંતન જણાઈ આવતું હતું.


દત્તક (મા-બાપ) – જિજ્ઞેશ ભીમરાજ 9

આશાને ખબર નથી પડતી કે પોતાન પતિ પર ગર્વ લેવો કે તેને મૂર્ખ કહેવો. દુનિયા આખીથી જુદું કરવાની ટેવ છે એ વાત બરાબર પણ સાવ જ આવો અનોખો વિચાર તેના મગજમાં ફૂટ્યો ક્યાંથી? આશા વિચારવા લાગી..


પોન્ડીચેરી (પુડુચેરી) નો પ્રવાસ.. – હિરલ પંડ્યા 23

પોર્ટુગીઝ ૧૫૨૧ માં મરી-મસાલાના વ્યવહાર માટે પોન્ડીચેરી આવ્યા, એમની પાછળ ડચ અને ડેનિષ પણ આવ્યા, પણ ગેમ ચેન્જર ફ્રેન્ચ લોકો નીકળ્યા. તેઓ ૧૭ મી સદીમાં આવી ૨૦૦ જેટલા વર્ષો સુધી રાજપાઠ ચલાવતા રહ્યા. ૧૯૫૪ માં પોન્ડીચેરી યુનિયન ટેરીટરી બન્યું. ફ્રેન્ચ લોકો અહીંના સમુદ્રકિનારાથી એટલા પ્રભાવિત થયા હતા કે એમણે ફ્રેન્ચ કોલોની બનાવી જ્યાંનું ફ્રેન્ચ સ્થાપત્ય આંખે વળગી આવે તેવું છે.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૫)

કોશલ રાજ્યની ઉત્તરે નેપાળ છે, દક્ષીણે સર્પિકા (સાઈ) નદી અને પૂર્વે ગંડક નદી આવેલી છે અને તેની પશ્ચિમે પાંચાલ પ્રદેશ છે. કોશલ અને કાશી નજીકના રાજ્યો વચ્ચે કુસંપ અને દુશ્મનાવટ રહેતી અને યુદ્ધો થતાં. પરંતુ વૈશાલીના અમાત્યોએ તેમની વચ્ચે સુલેહ કરાવી.


આમ્રપાલી – પ્રકાશ પંડ્યા, હર્ષદ દવે (પ્રકરણ ૨૪) 2

ગૌતમ બુદ્ધ વિહારમાં (બિહારમાં) યાત્રા કરીને સર્વત્ર ઉપદેશ આપતા હતા. લોકો તેમને શાંતિપૂર્વક સાંભળતાં હતા. તેમના શિષ્યો પણ તેમની જેમ જ સંયમી અને શિસ્તબદ્ધ તથા ધર્મનું પાલન કરવાવાળા હતા. આથી બૌદ્ધ ધર્મનો ઝડપથી પ્રસાર થવા લાગ્યો હતો.


મલયાલમ ફિલ્મ ‘જલ્લીકટ્ટુ’ : માણસ બની ગયેલા પ્રાણીની વાત : જિજ્ઞેશ અધ્યારૂ 2

કેટલીક ફિલ્મો એવી તો અસરકારક અને સજ્જ હોય કે એ શરૂ થાય ત્યારથી, એની પહેલી ફ્રેમથી પ્રેક્ષક તરીકે આપણને સતત એની સાથે જકડી રાખે અને આપણે એમાં ઊંડા ને ઉંડા ઊતરતા જઇએ, જાણે રીતસર ખૂંપી જઈએ. એ ફિલ્મની સફર પડદા પર ચાલી રહેલા દ્રશ્યો નહીં પણ જાણે આપણે ખરેખર જીવતા હોઈએ એવી રીતે એની સાથે તાદાત્મ્ય સધાઈ જાય. લીજો જોઝ પેલિસરી દિગ્દર્શિત મલયાલમ ફિલ્મ જલ્લીકટ્ટુ આવી જ એક અસરકારક, દંગ કરી દેતી સિનેમેટિક સુંદરતાથી ભરેલી અદભુત ફિલ્મ છે.