સાહિત્યકાર મુજબ સંગ્રહ... : દુર્ગેશ ઓઝા


optimist elderly ethnic man on urban street

ધમકી – દુર્ગેશ ઓઝા 8

મિતેશભાઈના પરિવારે શક્ય તેટલી સાવધાની રાખી હતી જેથી વાત બહાર ન જાય કે કોઈને તકલીફ ન થાય. જો કે એનો હેતુ સારો હતો. પણ વા લઇ જાય વાત. સોનલ આવી એના બીજા જ દિવસે અમુક પડોશીઓ એના ઘરે જવાનું નક્કી કરી રહ્યા. શેરીમાં એક ઘર ભીમાનું પણ ખરું, પણ તેને કોઈ ન વતાવે. એ ભીમા ભારાડી તરીકે કુખ્યાત. બોલવે કડવો. ગમે તેનું મોઢું તોડી લે ને ક્યારેક હાથ પગ પણ..!


અસ્તવ્યસ્ત – દુર્ગેશ ઓઝા 7

‘અજય પાછો કહેતો પણ નથી કે અત્યારે ઘર બંધ હશે! ક્યાં ગયો હશે એ, ને ઘર અત્યારે કેમ બંધ? સારું થયું મારી પાસે ઘરની વધારાની ચાવી છે, નહીંતર તો..! ‘ એક દિવસ પિયરથી વહેલી ઘેર આવી ગયેલી રાશિએ આમ વિચારી ઘર ખોલ્યું, ને અંદર જઇ જૂએ છે તો..આ શું?! એના પોશ એરિયામાં આવડો વિશાળ ડ્રોઈંગ રૂમ બીજા કોઈ ઘરમાં ન્હોતો. એ જ જો આવો ઢંગધડા વગરનો હોય તો તો એની આબરૂનાં ચીંથરાં જ..!


પીરસવાની મજા (સજા) – દુર્ગેશ ઓઝા 10

તમને એક સરસ મજાનો હાસ્યલેખ પીરસવાની મારી શુભ લાગણી છે. ને આમ જુઓ તો પીરસવા પાછળ આવી જ કંઈક શુભ ભાવના રહેલી છે ને? લોકો ભાવનાના ભૂખ્યા છે. પીરસીને ભૂખ શમાવી તેમને તૃપ્ત કરવા એ જ સાચો માનવધર્મ. દીકરો ક્યારેક ઊંચે અવાજે બોલી ઊઠે છે કે ‘મા, મને પીરસ મા. હવે હું મોટો થઇ ગયો. હું મારી મેળે બધું લઇ લઈશ.’ તોય મા પીરસશે, કેમ કે એમાં આવડત કે મદદનો પ્રશ્ન નથી. આ તો સ્નેહની વાત છે. હવે તો લગ્ન, નાતજમણ કે એવાં અન્ય પ્રસંગોમાં બૂફે-ડીનર રાખી દેવાય છે, તોય હજી વડીલો પીરસવાની પ્રથાનો આગ્રહ રાખે છે એની પાછળ આવી જ કોઈ લાગણી છૂપાયેલી હશે. વડીલો કહે છે, ‘બૂફે એ આપણી પ્રકૃત્તિ કે સંસ્કૃતિ નથી, પણ વિકૃતિ છે. તેણે તો આપણી ઉત્કૃષ્ટ ભોજનપ્રથાનું નિકંદન કાઢી નાખ્યું છે.’ ટૂંકમાં પીરસવાની પ્રથા હજી ‘જીવંત’ છે. (પીરસનારો ભલે પછી પીરસી પીરસીને ‘અધમુઓ’ થઇ જાય !)


નસીબદાર – દુર્ગેશ ઓઝા 9

‘સચીન, તે અમેરિકાની કેપિટલ વોશિંગ્ટનમાં જોવાલાયક સ્થળોનું લીસ્ટ જોયું ? વોશિંગ્ટન કેપિટલ બિલ્ડિંગ, વોશિંગ્ટન મોન્યુમેન્ટ, લાઈબ્રેરી ઓફ કોંગ્રેસ, થોમસ જેફરસન અને લિંકન મેમોરિયલ, ન્યુઝિયમ મ્યુઝિયમ, ફોર્ડસ થીયેટર, વ્હાઈટ હાઉસ, યુનાઈટેડ બોટાનિક ગાર્ડન, નેશનલ ગેલેરી ઓફ આર્ટ, સ્પાય મ્યુઝિયમ, નેશનલ ઝૂ, નેશનલ પેન્ટાગોન, ૯/૧૧ મેમોરિયલ વગેરે…વાઉ ! પહેલાં તો મારે આખું વોશીંગ્ટન મન ભરીને જોવું છે. નિરાંતે મજા માણવી છે.’


બે લઘુકથાઓ.. – દુર્ગેશ ઓઝા 14

૧. અભિનય ‘નહિ….. દયા કરો સાહેબ, મારા બૈરી-છોકરા રખડી પડશે…. સાહેબ, મારી ભૂલ થઇ ગઈ….’ ‘ભૂલ તારી નહિ, મારી થઇ ગઈ. સ્ટોપ ધીસ નોનસેન્સ. “નહિં” આ રીતે બોલવાનું છે ?’ દિગ્દર્શક શર્માસાહેબ બરાડી ઊઠ્યા. હા, તેનો ગુસ્સો અકારણ તો નહોતો જ… અસરરહિત ઉચ્ચારણ… ભાવશૂન્ય ચહેરો..! શર્માંસાહેબે રમણલાલ તરફ એક કરડી નજર ફેંકી, જે એવું કહી રહી હતી કે આ બધા માટે એ જ જવાબદાર હતા. હા, રમણલાલે જ મોટે ઉપાડે આ માણસની ભલામણ કરતા કહેલું કે, ‘માણસ ગરીબ છે, પણ છે ભારે હોશિયાર. એને તક આપવા જેવી છે. એનુંય કામ થઇ જશે ને તમારી ફિલ્મના છેલ્લા સીનનો “વટેય” પડી જશે.’ પણ એને બદલે આ તો માથે પડ્યો’તો ! સંવાદ દ્વારા જે ભાવ વ્યક્ત થવો જોઈએ તેનો અંશમાત્ર પણ આ માણસ જન્માવી નહોતો શક્યો. ‘આ રમણલાલે પણ ઠીક મને ભેખડે ભરાવ્યો…. ગરીબ પરંતુ કલાના ‘ખાં’ કહીને કોક લેભાગુને ઉપાડી લાવ્યા ! લગભગ છેક સુધી જકડી રાખે એવી ફિલ્મ જો છેલ્લે જ આમ પછડાટ ખાઈ જાય તો મારું તો કર્યું-કારવ્યંઉ બધું ધૂળમાં જ મળી જાય ને ?’ શર્માજી ઝડપભેર આ બધું વિચારી રહ્યા ને પછી રમણલાલ પાસે જઈને કાનમાં કશુંક ગણગણ્યા, શૂટિંગ કરનારાને પણ કશીક છાની સૂચના આપી પોતાનો નિર્ણય જાહેર કર્યો: ‘સોરી, યંગમેન, તમને ઘણી તક આપી. મને નથી લાગતું કે તમે અમારી ફિલ્મમાં કામ કરી શકો… વચ્ચે બોલવાની કોશિશ ન કરો… પહેલાં મારી વાત પૂરી સાંભળી લો… એક વાક્ય પણ તમે બરાબર બોલી નથી શકતા. એટલે તમને આ ફિલ્મમાંથી હવે રજા આપવામાં આવે છે… ને રમણલાલ, આ ભાઈને જે એડવાન્સ પૈસા આપ્યા’તા એ પાછા લઇ લેજો…’ ‘નહિ……..! દયા કરો સાહેબ, […]


વરસાદ (લઘુકથા) – દુર્ગેશ ઓઝા 18

કુમાર સામયિકના ડિસેમ્બર 2012ના અંકમાં પ્રસિદ્ધ થયેલી લેખક શ્રી દુર્ગેશભાઈ ઓઝાની પ્રસ્તુત લઘુકથા ‘વરસાદ’ મર્મસભર છે, ટૂંકી છે અને ખરેખર માઈક્રોફિક્શન અને લઘુકથાની વચ્ચેની લંબાઈ ધરાવતી અનોખી કૃતિ છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર અને અનેક શુભકામનાઓ.


ભૂમિકા (ટૂંકી વાર્તા) – દુર્ગેશ ઓઝા 8

ભૃણ પરીક્ષણ, કન્યા ભૃણ હત્યા જેવી ભયાનક ભૂલો અને દીકરીઓ પ્રત્યે ઓરમાયુ વર્તન રાખીને તેમના મનને દુભવતા અનેકો લોકોને ખોટું કર્યાનો અહેસાસ થાય, એ ભૂલના પસ્તાવા રૂપે તેમની આંખ ભીની થાય એવી એક સાવ સહજ અને સરળતાથી ગળે ઉતરી જાય એવી હ્રદયસ્પર્શી વાત દુર્ગેશભાઈ પ્રસ્તુત લઘુકથામાં લઈને આવ્યા છે. અખંડ આનંદમાં પ્રસ્તુત થયેલી આ વાર્તા અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી દુર્ગેશભાઈનો ખૂબ આભાર.


નડતર (ટૂંકી વાર્તા) – દુર્ગેશ ઓઝા 5

શ્રી દુર્ગેશભાઈ ઓઝા આપણી ભાષાના જાણીતા લેખક છે. અનેક સામયિકો અને વર્તમાનપત્રોમાં તેમની કૃતિઓ પ્રસ્તુત થતી રહે છે. અનેકવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનો સુપેરે પરિચય આપનારા દુર્ગેશભાઈ ટૂંકી વાર્તાઓના સિદ્ધહસ્ત સર્જક છે. મમતઆ સામયિકના ૨૦૧૨, જુલાઈ અંકમાં પ્રસિદ્ધ થયેલ તેમની પ્રસ્તુત વાર્તા નડતર માનવસહજ સ્વભાવની અને સંબંધોની તદ્દન સરળ પરંતુ અસરકારક રજૂઆત છે. આંતરખોજ દ્વારા જ માણસ અન્યો સાથેના પોતાના સંબંધો ટકાવી શકે, સંબંધોને સૌથી વધુ નડતર માણસના પોતાના અહંનુ જ હોય છે એ વાત પ્રસ્તુત વાર્તામાં તેઓ સુપેરે કહી જાય છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ દુર્ગેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.