તરસ : હુકમસિંહ જાડેજા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી 1 નવી પ્રસ્તુતિ...
ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા પહેલા વાક્યથી જ પરિવેશ અને લેખકના ભાષા ઉપરના કાબૂ વિશે મજબૂત છાપ ઊભી કરે છે. “તરસ” અભિધા અને લક્ષણા બંને કસોટી પર ખરી ઉતરે છે.
ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા પહેલા વાક્યથી જ પરિવેશ અને લેખકના ભાષા ઉપરના કાબૂ વિશે મજબૂત છાપ ઊભી કરે છે. “તરસ” અભિધા અને લક્ષણા બંને કસોટી પર ખરી ઉતરે છે.
પ્રશ્ન એ છે કે શું કોરોનાને લીધે શિક્ષણકાર્ય પર અસર થઈ છે? જવાબ છે ‘હા’. આ માટેનું મુખ્ય કારણ છે કે આપણે ઓનલાઈન શિક્ષણ માટે ટેવાયેલા જ નથી.
એક વખત અમેરિકાથી ડૉ. મોન્ટેસોરીની શાળા જોઈ આવનાર ફિશર નામની બહેને લખેલ “ધ મોન્ટેસોરી મધર” નામનું પુસ્તક મોતીભાઈ અમીનના હાથમાં આવ્યું.
“હૂડ..ડ હૂડ.” કાંતિલાલે કૂતરાને દૂર કરવા તેને લાત મારી. કૂતરો નારાજ થઈ ભસ્યો. આ વિચિત્ર દેખાતા નવીન આગંતુકને મળવા ઉત્સુક હોય તેમ બે પગ ટેકવી તેમની છાતીએ ચડ્યો
શાળા કૉલેજ અભ્યાસ શીખવાડી શકે, એને જીવનમાં વાપરવાની રીત નહીં. આપણે ચૅટમાં ઇમોજીનું પૂર લાવી શકીએ પણ મળીએ ત્યારે સરખી રીતે વાત પણ નથી કરી શક્તા.
લીલોતરીની આગોશમાં જીવતાં આ વિહંગો પ્રકૃતિનાં લાડકવાયાં છે. લીલોતરીની મંજૂષામાં અનેક કલરવ, કલબલ, કલશોર, કકળાટ અને કાગારોળ ઠાંસીઠાંસીને ભર્યાં છે,
આરાધના બ્લોકબસ્ટર બની, કુછ તો બાત હૈ ઇસમેં! સિનેમાના સ્ક્રીન સિવાય પરસ્પર પ્રેમની આટલી સુંદર અભિવ્યક્તિ ભાગ્યે જ કોઈ પ્રેમી યુગલે કરી હશે!
પત્ર લખતી હોંઉ ત્યારે આ કોફીની ઘૂંટ અનાયાસ જીભને અડકી ગળે ઉતરી જાય છે. મારૂ સમગ્રપણું તારામાં કેન્દ્રિત હોય છે. જિંદગી પણ આ જ રીતે જીવાય છે હમણાંથી
Minari એટલે અમેરિકામાં સ્થાયી થવા મથતા કૉરિયન કુટુંબની કથા. ફિલ્મનો મુખ્ય વિષય છે – ઘર. ઘરથી દૂર હોવા છતાં સતત એને હૃદયમાં લઈને જીવતા લોકોની લાગણી મુખ્ય છે.
નૃત્ય કે અભિનય કરતી વખતે પાત્રમાં પ્રાણનો સંચાર કેવી રીતે થાય છે? આ માર્ગદર્શિકાની રચના કોણે કરી? સ્વર્ગની અપ્સરાઓનું પણ મૂલ્યાંકન થતું, કયા આધારે?
આવતું-જતું હર કોઈ મને વહાલ કરતું હતું. કો’ક કો’ક મને ‘અદા’ કહેતું, ત્યારે હું એમને કહેતો, “અદા તો અંદર છે, હું બંટી છું..” એ લોકો હસતા.
બાળપણ, શાળાજીવન, હોસ્ટેલજીવન કોઈ પણ માણસ માટે યાદગાર હોય છે. બાળપણની ગળચટ્ટી યાદો હોય છે તો શાળાજીવનની ખાટ્ટી-મીઠ્ઠી યાદો. જોકે હોસ્ટેલજીવનની તો વાત જ સાવ નોખીં છે. ‘રેન્ડિયર્સ’ આવી જ હોસ્ટેલજીવનની રૉલર કૉસ્ટર રાઈડ છે.
શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા – આ બે વિદ્યાઓ પ્રાપ્ત કરવા યોગ્ય છે. આમાંથી પહેલી વૃદ્ધાવસ્થામાં (શસ્ત્ર ઉઠાવવા જતાં) હાસ્યાસ્પદ બનાવે છે, જ્યારે બીજી હંમેશા આદર અપાવે છે. વિક્ટર હ્યુગોએ કહ્યું છે કે સંકટ સમયે બુદ્ધિશાળી લોકો પુસ્તકો દ્વારા જ શાંતિ-લાભ પ્રાપ્ત કરે છે. – It is from books that wise people derive consolation in the troubles of life.
તારા પત્રો એકસામટા ખોલીને બેઠો છું. એવું લાગે છે કે આસપાસનું બધું જ રંગાઈ ગયું. તું ભલે મને પ્રિઝમ કહે, અત્યારે તો તારા શબ્દો રંગોનું વાદળ બની મારી હોળીની કસર પૂરી કરી રહ્યા છે. વધુ નથી લખતો. તારા માટે એક મુઠ્ઠીમાં કેસુડાંનો રંગ અને બીજામાં મારો કલબલાટ ભરી બહુ જલદી તને રંગવા આવીશ.
વેદ એટલે શું? વેદનો અભ્યાસ ખરેખર જરૂરી છે ખરા? શા માટે વેદ હજુ સુધી સામાન્ય જનની પહોંચથી દૂર જ રહ્યા છે? વેદ સૌથી કઠિન સાહિત્ય શા માટે ગણાય છે? થોડી કોશિશ મારા તરફથી આ બધા પ્રશ્નોના જવાબ આપવાની અને સાથે વેદના ચાર ભાગ અને એના વિશેની સંક્ષિપ્ત માહિતી.
અહીંયાના ઘણાં લોકો માને છેકે જસવંતસિંહનો આત્મા હજુ આ વિસ્તારમાં ભમે છે. એમના સમાજના લોકો પત્ર પણ લખે છે અને ખાસ તો જો પરિવારમાં લગ્નપ્રસંગ હોય તો પહેલી આમંત્રણ પત્રિકા આ જગ્યાએ મુકી શુકન કરે છે.
મોટાં થતાં થતાં એ ડર અલોપ થતો ગયો પરંતુ પેલી જાદુગરણી અને એની મંત્રમોહિની વિદ્યા સ્મૃતિના કોક અવાવરુ ખૂણામાં સુપ્ત અવસ્થામાં પડ્યાં રહ્યાં. આજે પેલી કુમળી વિષવેલની ગંધથી એ જાદુગરણી સુપ્ત અવસ્થામાંથી આળસ મરડીને બેઠી થઈ ગઈ.
થોડી મારા ગાલની ગુલાબી સુરખી મોકલું છું,
થોડું તારું ભૂખરી આંખોમાં ડૂબેલું મારી આંખોનું અજવાળું મોકલું છું,
તારું નામ લેતા, બોલતા, લખતા કે શ્વસતા નીચી ઝૂકેલી પાંપણોની શરમ મોકલું છું,
મારા સૂકાભઠ્ઠ ખાખરા પર ઉગેલા તારા અસ્તિત્વના કેસૂડાં મોકલું છું.
આથી વિશેષ તે શું હોળી હોય, અસ્તિત્વને રંગી દે એવી!
કલાપ્રતિષ્ઠાન-કલાગ્રંથ, મમતા, એતદ્, સંચયન, શબ્દસૃષ્ટિ અને અભિયાન જેવા પ્રશિષ્ટ અને લોકપ્રિય સામયિકોમાં પ્રિયંકા જોષીની રચનાઓ પ્રકાશિત થઈ છે. ૨૦૧૮ માં અરસપરસ દ્વારા આયોજિત ટૂંકીવાર્તા સ્પર્ધામાં તૃતીય અને ૨૦૨૦ માં આયોજિત સ્મિતા પારેખ વાર્તા સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
દોસ્તીની બાબતમાં બાળપણ સૌથી વધુ સમૃદ્ધ હોય છે. દોસ્ત સજીવ છે કે નિર્જીવ, ગરીબ છે કે અમીર, દૂર છે કે નજીક, પોતે એને પ્રિય છે કે અપ્રિય.. કશુંયે વિચાર્યા વગર બસ દોસ્તી કરી બેસે છે. એટલે જ ક્યારેક નદી, ક્યારેક પર્વત, ક્યારેક પશુપંખી, ક્યારેક નદીઝરણાં તો ક્યારેક તપતો સૂરજ બાળકનો પ્યારો દોસ્ત બની જાય છે!
મગનલાલ માસ્તર પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ભણાવે. વિદ્યાર્થીઓને કવિતા શીખવાતાં શીખવતાં તે પોતેય કવન કરતાં થઈ ગયા. “આ તો મારા ડાબા હાથનો ખેલ. આમાં શું? આવું તો હુંય લખી શકું.” વિચારી માસ્તરના કરકમળોએ કવિતા-લેખન તરફ પ્રયાણ કર્યું.
પહેલી વાર જોયેલું મહુડાનું વૃક્ષ, ફૂલો અને ફૂલપથારી – આ સઘળું, બદલાતી ઋતુઓએ બક્ષેલી અનુપમ ભેટ છે. જો પરિપક્વ બનવાથી કુતૂહલ મરી જતું હોય તો નથી જોઈતી પરિપક્વતા.
‘પ્યાર કા મૌસમ’માં ભારતભૂષણ, જે પહેલાં તેની પ્રિયતમા હતી અને હવે જે પત્ની બની છે તે, નીરુપારોય સામે ‘તુમ બિન જાઉં કહાં…’ ગીત ગાય છે… ગીતના શબ્દોને કિશોરકુમારનો દર્દસભર વિલક્ષણ કંઠ મળ્યો છે જે સહુની ભીતર અવનવાં સ્પંદનો જગાવે છે.
આ વખતે ફિલ્મ પહેલા એક કળાકારની વાત કરીશ. એ કળાકાર, અભિનેતા છે – સર એન્થની હોપકિન્સ. સર એન્થનીના નામે અનેક દમદાર ફિલ્મો બોલે છે. ‘ધ સાઈલેન્સ ઓફ ધ લેમ્બ’ના માનવભક્ષી હેનીબાલ લેક્ટરથી લઈને ‘ટુ પૉપ’માં પૉપ બૅનેડિકટ સુધીના બહુરંગી પાત્રો ભજવી ચૂક્યા છે.
પ્રાચીન કાળમાં એવી માન્યતા હતી કે સરસ્વતી અને લક્ષ્મી એકસાથે ન હોય. કવિઓ, સાહિત્યકારો, વિદ્વાનોને આવકનું ખાસ સાધન ન હતું. કવિઓમાંથી ભાગ્યે જ કોઈ રાજકવિ થાય તો તેને વર્ષાસન મળતું, જેમાંથી તેની આજીવિકા ચાલતી. પણ બધા કવિઓ રાજકવિ ન થઈ શકતા.
પ્રાચીન મંદિરોમાં કંડારાયેલા સુંદર શિલ્પો જોઈને ક્યારેય વિચાર આવ્યો છે કે એ નાયક કે નાયિકા ચોક્કસ મુદ્રા અને અંગસ્થિતિમાં જ કેમ ઊભા છે? એમ જ કોઈ ચિત્રકાર પણ કૃતિ બનાવે ત્યારે એ ભાવ પણ નિપજાવવા યોગ્ય હસ્તમુદ્રા તથા અંગસ્થિતિનો ઉપયોગ કરે છે. આ બધાં કલાકારો શેના આધારે આટલી પ્રમાણિત રચના કરતા હશે?
કવિતા એ નદી જેવી છે. જેમ નદી જુદા-જુદા ઘાટે જુદી-જુદી લાગે એમ કવિતા પણ દરેક વાચકે જુદી લાગે. કવિતાને માત્ર વાંચવાની નહીં કલ્પવાની પણ હોય! હાથમાં લઈને ઋજુતાથી પંપાળવાની હોય. ને પંપાળતા ક્યારેક એને પાંખો ફૂટે તો એ આપણા અંતરમન સુધી પહોંચી પણ જાય!
મમ્મી દસની નોટ વાપરવા આપતી એમાંથી અમે પારલે બિસ્કીટ, ક્રીમ રોલ, કચોરી, સમોસા, ભૂંગળા, પેપ્સી, બટર, નાનખટાઈ, સોડા, આઈસ્ક્રીમ, ગોલા, પોપીન્સ, લોલીપોપ, કોલેટી, ચણા મસાલા, ખારાં બી, દાળિયા એવું એવું ખાતા.
ચૉકલેટ તરફ જોતી બાળકની આંખને ઓળખવાનો, પાંચ પૈસાની ચૉકલેટ પહેલીવાર ઉધાર મળે ત્યારે બાળક વ્હેત ઊંચું ચાલે એ જોવા માણવાનો મોકો તમને કેવો મળ્યો હશે? આંસુને સ્મિતમાં પલટાવતી કેટલીય પળો તમે માણી હશે ને!
‘વિચારોના વૃંદાવનમાં’ માત્ર આપણને વિચરતાં કરી મૂકે છે એટલું જ નહીં પણ સાથો-સાથ એ વિચરણ યોગ્ય આચરણ સુધી પહોંચે એ માટે પથ-પ્રદર્શક પણ બની રહે છે. અહીં વિચારોના ટોળાં નથી પણ ખભે હાથ મૂકીને વિચાર આપણા અસ્તિત્વને એક સુખદ સધિયારો આપે છે.