રંગીન ઓઢણીના સમ – રાજુલ ભાનુશાલી 2 નવી પ્રસ્તુતિ...
આ છે ઘરની માયા. આપણને ઘરની અને ઘરને આપણી! હમણાં જ ધોઈને સુકવેલી રંગીન ઓઢણીના સમ, નિરાંત આને જ કહેવાય.
આ છે ઘરની માયા. આપણને ઘરની અને ઘરને આપણી! હમણાં જ ધોઈને સુકવેલી રંગીન ઓઢણીના સમ, નિરાંત આને જ કહેવાય.
આખી વાર્તામાં એક અબુધ કિશોરીનું મનોમંથન સરસ રીતે નીપજ્યું છે. વરસાદ આવ્યો એમાં મારો શું વાંક? કાલ સુધી મન ભરી પલળતી છોકરીને આજે બીજાની નજરોને કારણે અનાવૃત કેમ અનુભવવું પડે?
બાળકોને બહાર ખૂબ ઘુમાવ્યાં. ભીતરનો પ્રવાસ કરાવ્યો કદી? પ્રયોગ કરવા જેવો.. મનની આંખે ને કલ્પનાની પાંખે! શરૂઆતમાં આંગળી પકડી તેને દોરજો. પછી ધીમે ધીમે મુક્ત રીતે વિહરવા ને નિજાનંદ માણવા દેજો. જોજો. સમગ્ર બ્રહ્માંડ આ નાનકડા પ્રવાસીઓને આવકારવા કેવું તત્પર હશે!
“મારા ઈને તો જ્યાં ને ત્યાં લપહવાની ટેવ સે. પેલ્લાં મારું વજન માપી દીયોને તો મારે હું ખાવું ને હું નૈ ઈ ખબર પડે.” રમાએ તનસુખલાલના ગાયનમાં પલટો આપ્યો. તેને એમ કે એય ડૉક્ટરના દવાખાને ધક્કો ખાવાનો લાભ લઈ લે. કદાચ ડૉક્ટરની ફીમાં ‘એક પર એક ફ્રી’ની સ્કીમ હોય!
જિંદગીને આપણી પરીક્ષા લેવામાં, આપણને, આપણી શક્તિઓને, પરિસ્થિતિ સામે ઝઝૂમવાની આપણી તાકાતને ચકાસવામાં કંઈક અનેરો આનંદ આવતો હશે. ૨૦૨૦ આપણાં સૌ માટે એવું વર્ષ રહ્યું છે કે જેમાં દરેક વ્યક્તિ માટે બહુ બધું અણધાર્યું ને અણગમતું બન્યું છે.
ઑફિસમાં એકધારું કામ અનેક કલાકો કરવાના પ્રસંગો જેટગતિએ વધતા જાય છે. ફાઇલોમાંથી આવતી હવડ ગંધથી ઉબાઈ ગયેલું નાક અને કૉમ્પ્યુટર સ્ક્રીનમાંથી નીકળતા વિકિરણો સામે હારી ચૂકેલી આંખો મગજને સતત અહીંથી ભાગી છૂટવાના આદેશો આપ્યા કરે છે. નાનકડા ખંડની સુસ્ત હવામાં જકડાયેલું મન મુક્ત થવા ધમપછાડા કરે છે.
તારા આલિંગનની આઘોશમાં દૂર સુધી ફેલાયેલી આ નદીને નિહાળતાં માત્ર એટલી જ ઈચ્છા થાય છે.. ક્યાંક દૂર જવું છે, ખુબ દૂર… આ ઘોંઘાટ, આ સ્થળ, આ શણગાર, અને આ સમયની પણ પેલે પાર…
ફિલ્મ આમ તો કોમેડી છે. બીજા વિશ્વયુદ્ધની કથા લઈને આવેલી આ ફિલ્મમાં કટાક્ષ બહુ સરસ રીતે વણાયેલો છે. હાસ્ય અને રૂદન જેવા બે અંતિમો સુધી પ્રેક્ષકોને લઈ જવાની ક્ષમતા આ ફિલ્મમાં છે.
दिक्कालाद्यनवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये।
स्वानुभूत्यैकनामाय नमः शान्ताय तेजसे।।१।।
અર્થ : જે દિશા અને કાળમાં સીમિત ન થનાર, અનન્ત ચિન્માત્ર મૂર્તિરૂપ, માત્ર સ્વાનુભવથી જ્ઞાન થઈ શકે તેવા, શાંત અને તેજસ્વી છે, એવા પરમેશ્વરને હું નમસ્કાર કરું છું.
જિંદગીનાં ઝેર જેને પ્રાણપ્યારા થઈ જશે,
કોઈ નરસિંહ, કોઈ તુલસી, કોઈ મીરાં થઈ જશે.
જેમ દરેક માણસને અલગ ચહેરો, અલગ ગંધ, અલગ સ્પર્શ હોય એમ દરેક પુસ્તકનું પણ હોય. પાઠ્યપુસ્તક વાંચતાં-વાંચતાં લાગે કે આ બે પૂઠાંની બહાર પણ દુનિયા છે. જ્યારે ગમતું પુસ્તક વાંચીએ ત્યારે લાગે કે આ બે પૂઠાંની વચ્ચે એક આખું નવું વિશ્વ ઊઘડે છે.
ના,આ શબ્દથી સામાન્ય રીતે પ્રેમપત્રો શરુ નથી થતા. તમે જેવો વિચાર્યો હતો એવો આ પત્ર પણ નથી. પણ આજે હું તમને સહુને લખી રહી છું. આ પ્રેમ પત્ર જ છે, પણ મારા પ્રેમ વિશે છે, પ્રેમીને સંબોધીને નહિ! પછી તમે નક્કી કરજો, એ પ્રેમપત્ર છે કે નહિ?
સ્થૂળ અક્ષરનો નાદ જયારે પોતાનું અસ્તિત્વ ત્યાગીને શૂન્યને આત્મસાત કરી લે ત્યારે એ અનાહત નાદની કક્ષાએ પહોંચે! જેનો ક્ષર શક્ય નથી એ એટલે અક્ષર. જે અખંડ છે એણે પણ આત્મા સુધી પહોંચવા પોતાપણું છોડવું પડે છે!
મુખ્ય મંડપમાં છપ્પન સ્તંભ એવાં છે કે જેને થપથાપવતા તેમાંથી જુદાજુદા વાજિંત્રોના અવાજ ખૂબ સરસ નીકળી અને સંગીતની કર્ણપ્રિય લહેરો ઉત્પન્ન થાય છે. ખંડના પૂર્વ ભાગમાં સુપ્રસિધ્ધ શિલા-રથ છે.
હે વર્તમાન, તું ખૂબ સુંદર છે. આભાર. આવનારા અનેક વર્ષો સુધી જો કોઈ મને પૂછશે કે તે સૌથી વધારે સુખ ક્યારે પામ્યું તો હું બધું જ સુખ આંખોમાં આંજીને કહીશ.. વર્તમાનમાં!
લેખકની એક ખાસિયત રહી છે કે તેઓ કથાનાયકને કોઈ નામ આપતા નથી. એમ કરીને તેઓ વાચકને સફળતાપૂર્વક નાયક સાથે જોડી શકે છે. આખી કથામાંથી પસાર થતાં થતાં નાયક સતત વલોવાતો હોય છે, સતત ને સતત બદલાતો હોય છે.
વર્ષોથી રોજની ઘટમાળામાં પરોવાયેલી એક સરેરાશ સુખી ગૃહિણી ઉપર એક અજાણ્યો ફોન કોલ આવે કે, “તું મને ગમે છે, હું તને ચાહું છું.” આ ફોનનો રોજીંદો ક્રમ અને એ સ્ત્રીમાં થતો..
બાળકો પાસે કેટલી વાતો છે? તેનાં મનમાં કેટલા પ્રશ્નો છે? દરેકને કંઈ ને કંઈ કહેવું છે. એ આપણી આજુબાજુ એની કાલી ઘેલી વાતો લઈને ભમ્યા કરે છે..અરે ક્યારેકતો આપણો પાલવ કે દુપટ્ટો ખેંચીને કહે છે…”સાંભળો ને…” પણ વડીલો પાસે એને સાંભળવાનો સમય હોય છે ખરો?
ચહેરો ચમકાવી દે દોસ્ત. પેલું હું કે?ફેસનું ફેસિયલ, ઈ ફેસિયલ કર ને બાલમાં પેલ્લાં મસ્ત કલર કર અને પછી છેને તે આજી ફેર કાંક નવું લેટેસ્ટ કટીંગ કરી દે.” અરીસામાં પોતાનું પ્રતિબિંબ નીરખતા બાબાભાઈથી અનાયાસ મલકી પડાયું.
અહીં આ બાળક એકલું તાપણાને એકીટશે જોઈ રહ્યું. સળગતાં કેસરી રંગનાં કોલસામાં એને રમકડું દેખાયું. થોડું આગળ વળીને એ કોલસાને પકડવા આગળ નમ્યું અને બરાબર એ જ સમયે..
કાળક્રમે આ લીલોતરીએ જ મને સમજાવ્યું છે કે અમુક દૃશ્યો નિહાળવા માટે હોય છે, છબીમાં કેદ કરવા માટે નહીં. અમુક શ્રુતિઓ સાંભળવા માટે હોય છે, રેકોર્ડ કરવા માટે નહીં. અમુક અનુભૂતિઓ બસ અનુભવવા માટે હોય છે, વિવરણ કરવા માટે નહીં. ક્યારેક શ્રેષ્ઠતમ અનુભૂતિને શબ્દોમાં ઢાળવા જતાં એનું અવમૂલ્યન થઈ જતું હોય છે.
પ્રેમને તમે સુષુપ્ત જવાળામુખી સાથે સરખાવી શકો. સમય પ્રેમ ઉપર ગમે તેટલા માટીના થર ચડાવે, અંદરના ઊંડાણમાં રહેલો લાવા ગરમ જ રહે. પ્રેમ પદારથ એકવાર ચાખી લીધા પછી આજીવન એનો નશો રહે. ઊંડે ઊંડે સતત પ્રજ્વલિત એ આગ દુઃખ કારણ પણ હોય અને સુખનું પણ. પ્રેમની અનુભૂતિનું સુખ અને વિરહનું દુઃખ. પ્રેમ પામનાર સુખી અને ન પામનાર આ મીઠી આગમાં બળતા રહેતા આજીવન કેદીઓ. અસ્તિત્વને સતત બાળતી આ પ્રેમ અગન હંમેશા કશુંક આપતી જ રહે.
જાતની ઓળખ, એનો સ્વીકાર અને પછી એનામય જીવન – એટલે જ અધ્યાત્મ. અધ્યાત્મનો સંધિ વિચ્છેદ કરીએ તો મળે બે શબ્દો. અધિ + આત્મન્. અધિનો એક અર્થ થાય સંબંધી. આત્મન એટલે આત્મા, અંત:કરણ, અંતરમન, માંહ્યલો.
ગુજરાતી લોકોમાં બહુ પ્રચલિત નહીં એવાં છત્તીસગઢમાં આવેલાં બસ્તર વિસ્તારમાં જવાનું નક્કી કર્યું ત્યારથી ઉત્સાહ બેવડાઈ ગયો હતો. અમદાવાદ સ્ટેશનથી પુરી એક્સપ્રેસમાં સાંજના છ વાગે નીકળ્યાં તો બીજે દિવસે સાંજે સાડાપાંચ વાગે રાયપુર સ્ટેશન ઊતર્યા. સ્ટેશન ઉપર ફ્રેશ થઇ અમે ત્યાંથી સ્લીપિંગ કોચમાં બસમાં જગદલપુર જવા રાતના દસ વાગે નીકળ્યાં.
હે મારી હયાતી માટે સતત લડતાં મનોસૈનિકો! મારી ઈચ્છા કે અનિચ્છાની દરકાર કર્યા વગર તમને યોગ્ય લાગે તો અને યોગ્ય લાગે એ ક્ષણે મારી અચરજ સાથેની આ નાળ કાપી નાખજો. મારે મારે નવી નવી ચકલીઓ શોધવી છે.
શ્રી જગદીપ ઉપાધ્યાયની ગઝલ ‘હરિના હસ્તાક્ષર’ નો શ્રી જીતેન્દ્ર પ્રજાપતિએ તેમના પદ્ય આસ્વાદના આ સ્તંભ ‘રસ કિલ્લોલ’ અંતર્ગત આજે આસ્વાદ કરાવ્યો છે.
ત્રીજા પુરુષમાં લખાયેલી ‘ખારાં આંસુ’ વાર્તાનું સૌથી મોટું જમા પાસું છે વાર્તાનો પરિવેશ.
બાળકો આપણી મૂલ્યવાન ધરોહર છે. ભાવિ સમાજના એ ઘડવૈયા છે અને આપણી પરંપરાના વાહક છે. બાળકો મૂલ્યોની દૃષ્ટિએ જેટલાં સમૃદ્ધ હશે એટલી જ આપણી ભાવિ પેઢી મજબૂત થશે.દેશની પ્રગતિના માર્ગમાં અનેક અડચણો આવતી હોય છે..જો આપણી ભાવિ પેઢી સમૃદ્ધ હશે તો એ અડચણોને સરળતાથી પાર કરી મુશ્કેલીમાંથી પણ માર્ગ કરી લેશે.
લોકડાઉન સમયે બધાં ઘરમાં ફરજિયાત લોક થયા ત્યારથી સુશીલા જીતુભાઈને ઘરના નાના મોટા કામકાજ ચીંધતી થઈ ગઈ હતી. ‘જો મને ઈ કોરોના વળગી પડે તો પછી તમારું કોણ હેં? આ બકુડાને, પીંકીને કે આવડા અમથા ઘરને તો તમે હાંચવી નથ હકતા. તમને ઈ વળગે તો કાંય વાંધો નો આવે. અમથાય આમ બેઠા બેઠા ટીવી હામ્મે ખોડાઈને ઈવડો ઈ મોબાઈલ મચેડ્યા રાખો છો તે લોકડાઉનમાં તમારી ડોકડાઉન થૈ જાસે પછી મને નો કેતા કે હવે ઈ સીધી કરી દે.’
દરેક સમયે આપણે આજની જેમ મજબૂત કે અડીખમ નથી રહેવાનાં. આપણી લાગણીઓની આ ગુલ્લક, પીગી બેંકને કોઈક સાથે તો શેર કરવી જ રહી! હવે પછીનાં દરેક સફરમાં આપણે કોઈ એક લાગણી કે ભાવ ને આપણાં મનનાં આ ગુલ્લકમાંથી બહાર કાઢીને આ કૉલમના માધ્યમથી મમળાવીશું, પ્રયત્ન કરી એને ફરી જીવીશું! બેંગ ઓન લાઈફ!