દીપોત્સવ : ખુશીનો ખજાનો – ગોપાલ ખેતાણી 6
તહેવાર – માનવ જીવનને તાજગી બક્ષતા દિવસો! આપ જ્યારે ભણતા હશો ત્યારે તહેવાર પર નિબંધ લખ્યો જ હશે. છતાં પણ તહેવાર, ઉત્સવની વાત આવે એટલે મન મંદ મંદ મુસ્કાન વિખેરવાં લાગે. આસપાસનું વાતાવરણ સકારાત્મક થતું જાય અને તેની અસર આપણા તન – મન પર થવા લાગે; તો કોઈક વાર ધન પર પણ, ખરું ને?