Yearly Archives: 2008


મરીઝ ના બેહતરીન શેર 31

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે, જે વચન દેતા નથી તેયે નભાવી જાય છે઼  *** એકાદ હો તો એને છુપાવી શકું ‘મરીઝ’, આ પ્રેમ છે ને એના પુરાવા હજાર છે  *** એણે આપી તો ક્ષમા એ રીતે કંઈ જ સૂઝી નહીં સજા જાણે  *** એનાથી તો સરસ તારી અવહેલના હતી આ તારી આંખમાં જે ગલત આવકાર છે  *** એવી તો બેદિલીથી મને માફ ના કરો, હું ખુદ કહી ઉઠું કે સજા હોવી જોઈએ !  *** એવો ડરી ડરીને હું જન્નત તરફ ગયો, જાણે કે એની ભૂલ થઈ છે હિસાબમાં  *** કંઈક વેળા કંઈક મુદ્દતને કશી માની નથી, કોઈ વેળા એક પળને જિંદગી સમજી લીધી  *** કંઈ પણ નથી લખાણ, છતાં ભૂલ નીકળી કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે !  *** કેવો ખુદા મળ્યો છે, ભલા શું કહું, મરીઝ પોતે ન દે, બીજા કને માગવા ન દે  *** ગગનમાં આ જગા ખાલી નથી, એમાં લપાયા છે, ચમકવાની રજા મળતી નથી જે આફતાબોને  *** ચાલો કે ગતિની જ મજા લઈએ, કે અમને મંજિલ ન રહી યાદ, ન રસ્તો, ન દિશા યાદ.  *** જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે.  *** જિંદગી ના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’ એક તો ઓછી મદિરા છે, ને ગળતુ જામ છે.  *** જીવનની સત્ય ઘટના એમ સાંભળતુ નથી કોઈ, બધે કહેવુ પડે છે કે કહાની લઈને આવ્યો છું.  *** ડૂબી છે જઈને નાવ અમારી ક્ષિતિજ પર, દુનિયાનો છે ખયાલ કે પાર ઉતરી ગઈ === મરીઝ   – ગીત એક ગાયું ને વાયરે વાવ્યું….પુસ્તક __________________________________________ OTHER RELATED POST :  […]


મારે જીવન ત્યજી દેવુ હતું, પરંતુ….. 10

આજે મેં બધુંય છોડી દેવાનું નક્કી કર્યું… મેં મારી નોકરી છોડી, સંબંધો છોડ્યા જવાબદારી છોડી, આધ્યાત્મિકતા છોડી… કારણ કે હું જીવન છોડી દેવા માંગતો હતો… હું જંગલ તરફ ચાલ્યો, પ્રભુ સાથે છેલ્લી વાત કરવા “પ્રભુ”, મેં કહ્યું, “શું તમે મને એક કારણ આપી શકો જીવન ન છોડવા માટે?” “આસપાસ નજર કર” પ્રભુ બોલ્યા, “શું તને ઘાસ અને વાંસ દેખાય છે?” “હા” મેં કહ્યું, “મેં તે બંનેને જમીનમાં રોપ્યા તેમની ખૂબ કાળજી લીધી બધુંય યોગ્ય પ્રમાણમાં આપ્યું યોગ્ય પાણી યોગ્ય સૂર્યપ્રકાશ અને યોગ્ય વાતાવરણ ઘાસ તરત ઉગી ગયું અને જમીનને તેની લીલી સુંદર ચાદર ઓઢાડી દીધી પણ વાંસમાં થી કાંઈ ન ઉગ્યું, તો ય મેં તેને ન છોડ્યું બીજા વર્ષે ઘાસ ખૂબ ફેલાયું અને હજીય વાંસમાં કાંઈ ન ઉગ્યું, તોય મેં તેને ન છોડ્યું ત્રીજા વર્ષે ઘાસ અનેકગણું વધી ગયું અને વાંસમાં હજીય કાંઈ ન ઉગ્યું તો પણ હજીય મેં તેને ન છોડ્યું ચોથા વર્ષે પણ એમ જ થયું અને પાંચમાં વર્ષે એક નાનકડું કુંપણ ફૂટ્યું, ઘાસની સરખામણીમાં તે કાંઈ ન હતુ પણ ફક્ત છ મહીના પછી વાંસ સો ફીટ લાંબુ હતુ તેણે તેના મૂળ મજબૂત કરવામાં પાંચ વર્ષ નાખ્યા અને એ ઉંડા મૂળના પ્રતાપે તે આજે આટલુ ઉંચુ ઉગી શક્યું મેં મારી કોઈ પણ રચનાને એવી અઘરી કસોટી નથી આપી જેમાંથી તે પાર ન ઉતરી શકે તને ખબર છે, તારા કપરા સમયમાં જ્યારે તને લાગ્યું કે તારા જીવનનો કોઈ અર્થ નથી હકીકતમાં તું તારા મૂળ પ્રસારી રહ્યો હતો? મેં વાંસ ને ન છોડ્યુ, હું તને પણ નહીં છોડું… બસ પોતાની જાતને કોઈ સાથે સરખાવવી નહીં ઘાસને જે કાર્ય માં મહીનો લાગે છે […]


સાતમ આઠમ નો મેળો @ મહુવા 11

સાતમ આઠમનો મેળો એ સૌરાષ્ટ્રમાં તહેવારોની શરૂઆતની છડી પોકારે છે….આમ તો વડોદરામાં  શ્રાવણ મહીનાના દર શનિવારે મેળો ભરાય જ છે, પણ પોરબંદર, રાજકોટ કે અન્ય કાઠીયાવાડના શહેરોના મેળા જેવુ તો નહીં જ…. શુક્રવારે મિત્રોએ પૂછ્યું કે અમરેલી મેળે જવુ છે કે ભાવનગર જવું છે? બંને જગ્યાએ લોકમેળા યોજાયા છે … અને મહુવાથી આ બે જ જગ્યા જવા આવવાના સમય સાથે જવા અને આવવાનું ય નજીક પડે….પણ મેં વિચાર્યું કે જે વિસ્તારમાં હું રહું છું તેનો મેળો તો જોવો જ પડે….અને એટલે જ નક્કી કર્યું જવાનું મહુવા બાયપાસ પાસે આવેલા ભૂતનાથ મહાદેવના મંદિર પાસે થતા મેળાને માણવાનું… એક ટીપીકલ લોકમેળામાં કેવુ દ્રશ્ય હોય? પોતાના સમુદાયને કે સમાજને વ્યક્ત કરતા, રોજીંદી ઘરેડથી અલગ અને રંગબેરંગી એવા સુંદર અને નયનરમ્ય પોશાકમાં સુસજ્જ નર નારીઓ મેળામાં ગણ્યા ગણાય નહીં એટલી સંખ્યામાં…ખાણી પીણીની લારીઓ, ચકડોળ અને તેમાં બેસવા ઉત્સુક બાળકો અને મોટેરાઓ….પાણી પૂરી અને આઈસ કેન્ડી, મંદિર અને ભીડ, હાથમાં હાથ અને આંખોમાં આંખો નાખી મહાલતા યુવાન હૈયા અને સારા વરસાદથી સારા પાકની આશાએ હરખાતો ખેડુત….. બધુંય અહીં અચૂક જોવા મળે. અમારા પરિવારના કેટલાક સભ્યો સાથે અમે ય મેળે ચાલ્યા, મહુવા બસ સ્ટેન્ડથી લગભગ ૫ કીમી આવેલા આ સ્થળે જવા છકડા, મોટી રિક્ષા, નાની રિક્ષા અને બસ જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ હતા, અમે છકડામાં જમાવ્યું. છકડાવાળાએ તો ઉપાડી … મજા પડી ગઈ … અને ફેવીકોલની એડ યાદ આવી ગઈ … નાના છોકરાવને રમકડાના મોબાઈલ જોઈતા હતા તો અપાવ્યા, મોટેરાઓએ મગફંળી લીધી, કોઈકે મકાઈ ના બાફેલા ડોડા લીધા, ક્યાંક સોડા પીવાઈ તો ક્યાંક આઈસ્ક્રીમ ખવાયો…..મારી પુત્રી હાર્દી નાના બાળકો ના ચકડોળમાં બેસવાની જીદ કરતી હતી તો […]


ભણાવવું એટલે શું? – મનુભાઈ પંચોળી 6

ભણાવવું એટલે શું? ભણાવવુ એટલે જાણકારી આપવી અને સાથે મર્દાનગી આપવી આજે શિક્ષણનું મુખ્ય કામ અન્યાય સામે લડવાનું શિખવવાનું છે. આપણા શિક્ષણ માંથી, સાહિત્યમાં થી એવી તાકાત જન્મવી જોઈએ કે જેથી સામાન્ય માણસ ઉઠીને ઉભો થાય અને અન્યાય નિવારણ માટે લડત આપે શિક્ષણનું ખરૂં કામ આ છે ભણેલો માણસ શૂરવીર હોય સેવા પણ એને માટે જ છે સેવા માંથી મર્દાનગી પ્રગટ થવી જોઈએ સામાન્ય માણસમાં નૂર પ્રગટવુ જોઈએ શિક્ષણ, સાહિત્ય અને સેવા, જે કરવાનું છે તે આ છે શિક્ષણ ખાતર શિક્ષણ નહીં સાહિત્ય ખાતર સાહિત્ય નહીં સેવા ખાતર સેવા નહીં તે ત્રણેયમાંથી શક્તિ પ્રગટવી જોઈએ માણસ બેઠો થવો જોઈએ આવી તાકાત જો ન નીપજતી હોય તો શિક્ષણ – સાહિત્ય – સેવા બધુંય નકામું  – મનુભાઈ પંચોળી


તારૂ ના માં બાળક હોઉં – રવિન્દ્રનાથ ટાગોર

તારૂ ના માં ! બાળક હોઉં હોવુ પોપટ પંખી; ઉડી જાઉં ક્યાંક કદાપિ મનમાં એવુ ઝંખી સાચે સાચુ કહી દેજે, કાંઈ રાખીશ ના સંતાડી; “પીટ્યું પોપટડુ” કરી અમને પૂરત પીંજરે માડી? જા માં ! ત્યારે જા ની તું, ઉતાર અમને ખોળેથી તું લાડ અમને ના કરતી તું, તારે ખોળે જા નહીં રમીએ તારે હાથે જા નહીં જમીએ તારા ઘરમાં જા નહીં રહીશું ! વનવગડામાં ભાગી જઈશું ! રવિન્દ્રનાથ ઠાકુર (અનુવાદ : જુગતરામ દવે)


આઈ ફોન 3G હવે ભારતમાં

વિશ્વભરમાં જેની આતુરતાથી રાહ જોવાઈ હતી અને જેના રીલીઝ વખતે તેને ખરીદવા ખૂબ લાંબી કતારો લાગી હતી તે એપલ નો બહુચર્ચિત આઈફોન 3G વોડાફોન અને એરટેલ દ્વારા ભારતમાં આજે રીલીઝ થઈ રહ્યો છે. તેની કિંમત ૮ ગીગાબાઈટસ મેમરી સાથે ૩૧૦૦૦ અને ૧૬ ગીગાબાઈટ્સ મેમરી સાથે ૩૬૧૦૦ રાખવામાં આવી છે. ૧૦૦૦૦ રૂ ભરીને તેના માટે બુકીગ કરાવી શકાય છે તેમ વોડાફોન વેબસાઈટ કહે છે, જ્યારે એરટેલ સાથે બુકીંગ ભાવ ૫૦૦૦ રૂ છે. અમેરીકામાં મળતા નવ થી દસ હજારની સરખામણીએ અહીં ત્રીસહજાર રૂપીયા ખૂબ વધારે છે જે સૌથી નબળુ પાસુ છે. અને મારા મતે આ ખરાબ બાબત બીજા બધા સારા પાસાઓને ઢાંકી દેશે….આઈફોન નો ક્રેઝ તો મને પણ ખૂબ છે પણ તે માટે આટલા બધા ખર્ચવાની મને કોઈ ઈચ્છા નથી…


વડોદરા આજકાલ

વડોદરામાં આ ત્રણ દિવસ વીકએન્ડ રજા ગાળ્યા પછી ખૂબ જ મજા આવી. આઈનોક્સ મલ્ટીપ્લેક્ષમાં બચના એ હસીનો જોયું, સાથે રીલીઝ થયેલા મૂવીઝ માં આ સૌથી વધારે જોવાતુ હતું ..મજા પડી પણ સ્ટોરી ના નામ પર ખૂબ નબળી કડીઓ છે, રણબીર પ્રભાવશાળી છે….બાકી બધુ ઠીક છે… તો બિગ બઝારમાં ૧૩ થી ૧૭ ઓગસ્ટના મહાબચત અભિયાનને ય જોયું, લેન્ડમાર્ક બુકસ્ટોરની અને મ્યુઝિક સેક્શન ની મુલાકાત લીધી, તો નવા બનેલા શોપીંગ મોલ એમ ક્યૂબ અને વડોદરા સેન્ટ્રલ સામે આવેલા સેન્ટ્રલ સ્ક્વેર ની મુલાકાત લીધી. પંદરમી ઓગસ્ટે સેન્ટ્રલ સ્ક્વેરની મુલાકાત લીધી, ધ્વજવંદન અહીં થયુ હતુ એટલે તિરંગાને ફરકતો જોવાની મજા આવી. ખૂબ મોટા સફેદ કલરના જાહેરમા મૂકેલા મેસેજ બોર્ડ પર પંદરમી ઓગસ્ટ માટે ઘણા લોકોએ મેસેજ લખ્યા, મેં ય લખ્યું…અહીં રીબોક, નાઈકી, વુડલેન્ડ જેવી નામી કંપનીઓના શોરૂમ્સ છે, બીજા માળે ક્રોમા નો વિશાળ ઈલેક્ટ્રોનીક્સ શો રૂમ છે….ફરવાની અને અનેક વેરાઈટી જોવાની મજા પડી. એક દિવસ સૂરત પણ આંટો મારી આવ્યો. ભૂલથી બરોડા થી સૂરત જતા એસ ટી માં ચડી ગયો, છ કલાક થયા, કારણ કે બરોડા થી ભરૂચ વચ્ચે રોડ છ લેન નો થાય છે, એક સિવિલ એન્જીનીયર હોવાના લીધે રોડ કન્સ્ટ્રક્શન જોવાની મજા પડી પણ એક મુસાફર તરીકે ખૂબ કંટાળ્યો. ખરાબ રસ્તો અને વારે વારે ટ્રાફીક જામ….રસ્તો તો બનશે ત્યારે વપરાશે પણ અત્યારે તો ૩૦૦ કીમી માં ત્રણ વાર ટોલ ટેક્સ આપીને ખરાબ રસ્તો ભોગવવો પડે છે. વડોદરા અને સૂરતમાં એક વસ્તુ ઉડીને આંખે વળગી, તે હતી હોર્ડીંગસ પરની એડ, બોમ્બ બ્લાસ્ટ પછીના દિવસોમાં એનડીટીવી ઈમેજીન પર આવતી જસુબેન જયંતિલાલ જોશીની જોઈન્ટ ફેમિલિ વાળી સીરિયલ તરફથી આ એડ હતી, તો અમૂલની પણ એક એડ […]


સપ્ત શ્લોકી ગીતા

ओमित्येकाक्षरं ब्रह्म व्याहरन्‌ मामनुस्मरन यः प्रयाति त्यजन्‌ देहं स याति परमां गतिम्‌ ॥१॥ स्थाने हृषीकेश तव प्रकीर्त्या जगत्‌ प्रहृष्यत्यनुरज्यते च । रक्षांसि भीतानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिद्धसंघाः ॥२॥ सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम्‌ । सर्वतःश्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ॥३॥ कविं पुराणमनुशासितार- मणोरणीयांसमनुस्मरेद्यः सर्वस्य धातारमचिन्त्यरूप मादित्यवर्णं तमसः परस्तात्‌ ॥४॥ उर्ध्वमूलमधःशाखमश्वत्थं प्राहुरव्ययम्‌ । छन्दांसि यस्य पर्णान यस्तं वेद स वेदवित्‌ ॥५॥ सर्वस्य चाहं हृदि संनिविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च । वेदैश्च सर्वेरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम्‌ ॥६॥ मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु । मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥७॥


મેરે તો ગિરિધર ગોપાલ – મીરાંબાઇ

મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ; દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ … મેરે તો ભાઇ છોડ્યા બંધુ છોડ્યા, છોડ્યા સગા સોઇ; સાધુ સંગ બૈઠ બૈઠ લોક-લાજ ખોઇ … મેરે તો ભગત દેખ રાજી હુઇ, જગત દેખ રોઇ; અંસુઅન જલ સિંચ સિંચ પ્રેમ-બેલી બોઇ … મેરે તો દધિ મથ ઘૃત કાઢિ લિયો, ડાર દઇ છોઇ; રાણા વિષ કો પ્યાલો ભેજ્યો, પીય મગન હોઇ … મેરે તો અબ તો બાત ફૈલ પડી, જાણે સબ કોઇ; મીરાં ઐસી લગન લાગી હોની હો સો હોઇ … મેરે તો


આજની ઘડી રળિયામણી – નરસિંહ મહેતા 4

નરસિંહ મહેતાની કૃષ્ણ ભક્તિથી કોણ અજાણ્યું હશે? ભણે નરસૈયો જેનું દરશન કરતા…….તો ગુજરાતના ધરેઘરમાં પ્રખ્યાત છે. આજે પ્રસ્તુત છે એવી જ એક ભક્તિસભર પ્રાર્થના મારે આજની ઘડી રે રળિયામણી….વહાલા એવા શ્રી કૃષ્ણના આવ્યાની વધામણી આપતું આ ગીત તેમની કૃષ્ણ પ્રત્યેની લાગણી ખૂબ સરસ રીતે દર્શાવી જાય છે. હો…. મારે આજની ઘડી રે રળિયામણી, હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે. હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા, મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે. હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા, મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે. હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ, મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે. હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે. હા જી રે તન, મન, ધન, ઓવારિયે, મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે. જી રે રસ વધ્યો છે અતિ મીઠડો, મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.


બે પ્રસંગો – સારૂ છે હું બદલાયો નહીં

પ્રસંગ એક હું છું દિલ્હીના એક પોશ વિસ્તારમાં, અહીં ઘણા બધા એમપી અને રાજનેતાઓ રહે છે. હું અહીં છું કારણકે મારી ઓફીસ આ વિસ્તારમાં છે અને કંપનીએ આપેલુ મકાન પણ આ વિસ્તારમાં છે. રોજ ઘરેથી ઓફીસ ચાલીને જતા અડધો કલાક જાય છે. સાંજે એ જ રસ્તો પાછો ઘરે જવા માટે વાપરૂં છું. એક દિવસ બે કાઠીયાવાડી વસ્ત્રોમાં સજ્જ યુગલ મને દેખાય છે. તેઓ વૃધ્ધાવસ્થાના ઉંબરે છે. મને જોઈને તે પહેલા પૂછે છે કે મને ગુજરાતી આવડે છે કે નહીં. અને મારા હા પાડ્યા પછી મને કહે છે કે તેઓ સૂરતના છે અને તેમનો સામાન અને બધા પૈસા અહીં કોઈ ઉપાડી ગયુ છે કે ચોરી ગયું છે. બંનેની આંખમાં આંસુ છે, મને પણ એમ થાય છે કે મારા લોકો આ અજાણી જગ્યાએ પોતાના ધરથી હજારો કિલોમીટર દૂર મુસીબતમાં હોય તો મારે મદદ કરવી જ જોઈએ.મેં તેમને બસો રૂપીયા આપ્યા અને ત્યાંથિ ઘરે જવા નીકળ્યો. બીજા દિવસે ફરી એ લોકો ત્યાં તે જ સમયે, તે જ અવસ્થામાં ઉભા હતા. આજે મને તેમણે ન બોલાવ્યો, આ વિસ્તારમાં ગુજરાત ભવન આવેલુ છે, તે અન્ય ગુજરાતીઓને શોધતા હતા, અને થોડાક વખત પછી તે બંને ત્યાં પાસેના કાર પાર્કિંગની પાછળથી જુગાર – પત્તા રમતા ઝડપાયા. પ્રસંગ બે હું પીપાવાવ હાઈવે ક્રોસિંગ પર છું. એક મિત્ર ત્યાં ગાડી લઈને આવવાના છે, તેથી તેમની રાહ જોઈ રહ્યો છું. એક મહારાષ્ટ્રીયન ભાઈ ત્યાં આવે છે. તે મને પૂછે છે કે હું મરાઠી સમજું છું કે નહીં? અને મેં હા પાડી એટલે તે કહે છે કે તે સોમનાથ ગયા હતા, જ્યાં તેમનો સામાન અને પાકીટ ચોરાઈ ગયું. એક ટ્રકવાળા પાસે […]


સત્તાધાર થી કનકાઈ (ગીર) અને તુલસીશ્યામ 23

રાજુલા થી હનુમાનગડાની યાત્રાનું વર્ણન તથા ફોટા ગઈ કાલે પોસ્ટ કર્યા હતા. આજે તેનાથી આગળની યાત્રા …. હનુમાનગડા થી સત્તાધાર : હનુમાનગડાથી નીકળ્યા પછી ધારી થી વીસાવદર થઈ સત્તાધાર પહોચ્યા. સત્તાધાર માં આપા ગીગાનો આશ્રમ છે. એક આશ્રમ સત્તાધારના વળાંક પર છે … થોડે આગળ જતા બીજો આશ્રમ છે. આપા ગીગાના અનુયાયીઓમાં ફાંટા પડ્યા હોવાથી આશ્રમ આ રીતે બે ભાગમાં છે, પણ મુખ્ય આશ્રમ પછી છે. અમે આગળના આશ્રમમાં રાત રોકાયા. આશ્રમ માં પહોંચીને બાપુને પગે લાગ્યા, તેમણે તેમના માણસોને કહી અમારા જમવાની વ્યવસ્થા કરવાનું કહ્યું. રાત્રીના સાડા નવ થયા હતા, અમે જમ્યા, અને પછી બાપુ પાસે આવી ડાયરામાં બેઠા. વીસાવદરના એક ભાઈ અર્જુનના પરક્રમો ત્રિભંગમાં વર્ણવતા હતા, મજા પડી, પછી ખબર પડી કે આ તેમની શીધ્ર રચનાઓ  હતી. બીજા એક ભાઈએ પણ સોરઠીયાઓની વીરતાને આલેખતા દુહા લલકાર્યા. સાડા દસે અમે સૂવા ગયા. અમને ચાર જણા વચ્ચે એક રૂમ મળ્યો હતો, પણ બધી સગવડ સાથે, ગાદલા ગોદડા ઓશીકા વગેરે બધી જ સગવડ, અને આશ્રમ અને મંદિરની ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે. થાકના ક્યારે સૂઈ ગયા ખબર જ ન પડી, સવારે સાડા ચાર વાગ્યે આશ્રમના એક ભાઈએ આવી જગાડ્યા તો એમ લાગ્યું કે હજી થોડી વાર જ સૂતા છીએ. બધા પ્રાતઃકર્મ થી પરવાર્યા, નહાઈ ધોઈને અમે નીકળ્યા મુખ્ય આશ્રમ તરફ, ત્યાં પ્રભુ દર્શન કર્યા, કેવડાની સુંદર સુવાસ વાતાવરણને અતિશય ભક્તિસભર બનાવતી હતી. પછી લક્ષમણ કુંડ જઈ થોડી વાર બેઠા. અમારા મિત્ર માયા ભાઈ એ તેમના પુત્ર માટે બંધૂક લીધી ને પુત્રી માટે પ્લાસ્ટીકનો રસોડાનો સામાન. લક્ષમણ કુંડ થી પાડા પીર ના સમાધિસ્થાન પર ગયા. કહેવાય છે કે અહીં જે પાડો હતો તેને […]


જંગલ સફારી – ગીરના યાત્રાધામ 7

આ લેખ લખતા પહેલા મેં વિચાર્યું કે આનું શીર્ષક શું રાખવું. થયું જો ફક્ત સિંહ જોવા ગીરમાં ગયા હોઈએ તો જંગલ સફારી લખી શકીએ, અને જો ફક્ત પ્રભુના દર્શને જઈએ તો ગીરના યાત્રાધામ લખી શકીએ, પણ અમે તો વિચાર્યું કે જે રીતે અને જ્યાં મળે ત્યાં આનંદ લૂંટવો. So ….. દોઢ દિવસનો સમય, હૈયામાં મણ મણના ઉમંગ અને નવા ક્ષેત્રો ખેડવાની ઈચ્છા એટલે અમારી આ વીકએન્ડ ૨ અને ૩ ઓગસ્ટ ૨૦૦૮ ની ગીર યાત્રા. બપોરે બે વાગ્યે રાજુલા થી યાત્રા શરૂ કરી. રાજુલા જમ્યા પછી પ્રવાસ શરૂ થયો. હીંડોરણા ચોકડી થી જમણા હાથે પુલ પછી તરત રસ્તો આવે છે જે જાય છે ડેડાણ ગામ, અને ત્યાં આગળ જતા બે ફાંટા પડે, એક ઉના તરફ અને એક વીસાવદર તરફ. અમે વીસાવદર તરફ વળ્યા, પહેલી મંઝિલ હતી હનુમાનગાળા. વીસાવદર વાળા રસ્તે એક ફાંટો પડે છે જે તદન કાચા અને બીસ્માર રસ્તે લઈ જાય ગીરના બહાર તરફના પણ ગીચ જંગલ તરફ. અમે આગળ વધ્યા. વરસાદ અનરાધાર વરસતો હતો. હનુમાનગાળા પૂછતા પૂછતા ફાંટા સુધી પહોંચ્યા. ખરાબ રસ્તો હતો, અમે હજી માંડ બસો મીટર આગળ ગયા હોઈશું કે ગાડી લાગી લપસવા અને ગોળ ગોળ ફરવા, અને પછી જેવી ડ્રાઈવરે થોડી ઝડપ કરવાનો પ્રયત્ન કર્યો, એક ઉંડા ખાડો બનાવી તેમાં તે ઉભી રહી ગઈ. ડ્રાઈવર નીચે ઉતર્યો, આ દ્રશ્ય જોયું અને હિંમત હારી માથુ પકડી ઉભો રહી ગયો. “ચ્યમનો હેંડીશું હવ? આવામોં નો નખાવતા હોવ તો સાહબ” એમ વિવિધ પ્રકારના વચનો સાથે તે ઉભો રહી ગયો. ” આ હવે ન આગળ જાય કે ન પાછળ, ફસાઈ જઈ” કહેતો તે ફસડાઈ પડ્યો, અને અમેય પ્રથમ પ્રયત્ને આવા ઝટકા […]


તમે જ એને મળ્યા હોત તો? – સુમંત દેસાઈ 6

નાનકડી એક વાર્તા છે એક માણસનું જીવવું ઝેર થઈ ગયું. આશાનું એક નાનકડું કિરણ પણ ક્યાંય નજરે ચડતુ ન હતું. એને થયું કે આ જીવનનો અંત લાવ્યે જ છુટકો. શહેરની વચ્ચેથી રેલવે પસાર થાય, ત્યાં જઈ, ગાડી આવે ત્યારે પાટા નીચે પડતું મૂકવાનું તેણે નક્કી કર્યું. પણ ઘરેથી નીકળતા બીજો એક વિચાર કર્યો, કે રસ્તામાં જે માણસો મળે તેમાંથી એકાદ પણ જો એના તરફ જોઈને જરાક સ્મિત કરે, એ સ્મિત વડે એના અંતરમાં લગીર હુંફ પ્રગટાવે, તો મરવાની યોજના પડતી મૂકીને ઘેર પાછા ચાલ્યા જવું. ……. હવે એ વાતને ત્યાં રહેવા દઈએ, એ માણસનું શું થયું, તે જવા દઈએ. પણ એક સવાલ થાય છે; એ માણસ ઘરેથી નીકળ્યો પછી, રસ્તામાં કદાચ જ તમે તેને સામા મળ્યા હોત તો? બોલો એનું શું થાત? ત્યાંથી ઘરે પાછા જવાનું કારણ તમે તેને આપી શક્યા હોત? જરા વિચારી ને જવાબ આપો …. ( સુમંત દેસાઈ – લોકજીવન પખવાડીક )      * * * * * * * * * * આવતી કાલે માણો અમારી વીકએન્ડની હનુમાનગાળા, સત્તાધાર, કનકાઈ, ગીર, તુલસીશ્યામ (૦૨ & ૦૩ ઓગસ્ટ, ૨૦૦૮) યાત્રાની ઝલક –  ફોટા, વીડીયો અને માહિતી.


હેપ્પી ફ્રેન્ડશીપ ડે 6

આવતી કાલે ઓગસ્ટ મહીના નો પ્રથમ રવિવાર છે અને દરેક ઓગસ્ટના પ્રથમ રવિવારને ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવાય છે. કહે છે કે તમારા શત્રુ સાથે હજાર ઝધડા કરી લેજો પણ તમારા મિત્ર સાથે એક પણ નહીં …કારણકે દુશ્મન તો એ ઝધડાઓનો જવાબ આપશે પણ મિત્ર તેનો જવાબ પોતાનામાં શોધશે… બ્લોગ જગતના તમામ લેખક – વાચક મિત્રો, અને દરેક ગુજરાતી ભાષા પ્રેમીને અધ્યારૂ ના જગત તરફ થી હેપ્પી ફ્રેન્ડશીપ ડે…આશા કરૂં કે ગુજરાતી ભાષાના લીધે શરૂ થયેલી આપ સર્વ સાથેની મારી ઓળખાણ અને દોસ્તી આમ જ વધતી રહે…..


કોલેજ ના અંતિમ દિવસે – જયકર મહેતા

અમારા કોલેજના છેલ્લા વર્ષમાં, છેલ્લા સેમીસ્ટરમાં ઘણા લાગણીભર્યા દિવસો જોયા, કદાચ અભ્યાસના સમયગાળાનો સૌથી લાગણીશીલ સમય આ જ હોય છે. ચાર વર્ષના એન્જીનીયરીંગ અભ્યાસ પછી બધા પોતપોતાના રસ્તે પડવા તૈયાર હોય છે, હૈયામાં કાંઈક કરી બતાવવાનો ઉત્સાહ, અને દિલમાં મિત્રોની રોજની મુલાકાતો, ટોળ ટપ્પા અને મસ્તીની યાદો …. આ લાગણી તો જેણે અનુભવી હોય એ જ જાણે … અમારા અંતિમ વર્ષે ત્રણેય વર્ષોના જૂનીયર ફાઈનલ યરના મિત્રોને ફેરવેલ પાર્ટી આપે છે, એમ એસ યુનિ. માં આ પાર્ટીનું મહત્વ અદકેરૂં છે. અમારી ફેરવેલ વખતનું સોવેનીયર મારા હાથમાં આવ્યું. એક મિત્ર અને સહાધ્યાયિ જયકર મહેતાએ તેમાં આપેલી એક કવિતા ખૂબ ગમી હતી … આજે પ્રસ્તુત છે તે કવિતા … ભૂલી જવાશે આ સમય, સંગાથ ને સંભારણા, સ્વપ્ન પણ ઉડી જશે, ખુલતા નયનનાં બારણાં, સાથે રહ્યાં, સાથે ભણ્યા, ત્યાં સાથ છૂટી જાય છે. પારકા ને પોતાના ગણ્યા ત્યાં સાથ તૂટી જાય છે. ભીની યાદો, સૂકી યાદો ને વાગોળવી ક્યાં સુધી, આજે દિલ તણી મંજૂષામાં કેદી બની પૂરાય છે. ભણતરની પાંખો વડે પંખી ઉડી સૌ જાય છે. સુખની ક્ષિતીજે પહોંચવા હામ ભીડી જાય છે. ચાલો, ઉડું છું હું ય આજે, એકાંત ભરખી જાય છે, આવજો, મિત્રો આવજો ના પડઘા હજી સંભળાય છે…


પતંગ નું કાવ્ય – બોટાદકર

પતંગ નું કાવ્ય કંઈક કરતાં તૂટે તૂટો હવે દ્રઢ દોર આ ! હ્રદય સહસા છૂટે છૂટો કુસંગતિથી અહા ! પરશરણ આ છૂટ્યે છોને જગત સુખ ના મળે ! તન ભટકતાં સિંધુ કેરા ભલે હ્રદયે ભળે ! ભડ ભડ થતાં અગ્નિ માંહે ભલે જઈ એ બળે, ગિરિકુહુરની ઉંડી ઉંડી શિલા પર છો પડે. મૃદુલ ઉરમાં ચીરા ઉંડા ભલે પળમાં પડે, જીવન સધળું ને એ રીતે સમાપ્ત ભલે બને, પણ અધમ આ વૃતિકેરો વિનાશ અહા ! થશે, પર કર વશી નાચી રે‘વું અવશ્ય મટી જશે; રુદન કરવું વ્યોમે પેસી નહીં પછીથી પડે, ભ્રમણ ભવના બંદી રૂપે નહીં કરવું રહે.  – શ્રી બોટાદકર ( બુધ્ધિપ્રકાશ માસિક ૧૯૨૨ )   ( અરધી સદીની વાચનયાત્રા ૧ , સંપાદક મહેન્દ્ર મેઘાણી )   ગુજરાતી સાહિત્યમાં ખૂબ ઓછો જોવાયેલ આ પ્રયોગ મને ખૂબ ગમ્યો. આમ તો આ કાવ્ય પતંગને ઉદ્દેશીને લખાયું છે પરંતુ તે આઝાદી પહેલાના ભારત વિષેના એક દેશભક્તના વિચારો તદન સહજ રીતે રજુ કરે છે. કુસંગતિ એટલે ગુલામ મનોદશા, પરશરણ એટલે ગુલામી જેવા સમાનતા દર્શાવતા શબ્દો પતંગના – તે સમયની દેશભક્તિના પ્રદર્શક છે. હિંદ અંગ્રેજોની એડી નીચે ધીમે ધીમે મરે તેના કરતા સ્વતંત્ર થઈને તરત મરી જાય તે વધુ સારૂ તેવા ગાંધીજીના વચનનો અહીં પડઘો પડે છે….


એકવાર ચોમાસુ બેઠુ ને – ધ્રુવ ભટ્ટ 5

આજે અહીં રાજુલા – પીપાવાવ – મહુવા પંથકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખેતર ખેડી, વાવણી કરી અને ખૂબ જ આશાભરી નજરોથી આકાશની તરફ જોઈ રહેલા ખેડુત મિત્રો એ પ્રાર્થના પણ કરી રહ્યા છે કે હે પ્રભુ, મહેરબાની કરી પાણી ન વધારે આપ ન ઓછું … બસ જરૂર જેટલુ આપ…. ગ્રામ્ય વિસ્તારમાં રહેવાના લીધે મને ખેડુત મિત્રો અને તેમના વડીલો સાથે વાતચીત કરવાની ખૂબ તકો મળી છે. તેમની લાગણીઓ હજીય અસમંજસમાં છે … ક્યાંક વધારે વરસાદ પડ્યો તો? ક્યાંક ઓછો પડ્યો તો? આવી અનિશ્ચિતતાઓ વચ્ચે તેઓ જીવે છે. વરસાદને અનુલક્ષીને આજે પ્રસ્તુત છે કાવ્ય એકવાર ચોમાસુ બેઠું …. એકવાર ચોમાસુ બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો ત્યાર પછી પૂર ક્યાંય ઉતર્યા નથી કે નથી ઉનાળો સપનામાં સાંભળ્યો   તે દિ’થી વહેતા થ્યા પૂરમાં આ રોજરોજ ઘટનાઓ ઠેલાતી જાય છે વહેતાની વાતમાં શા વહેવારો હોય એવું વહેવારે કહેવાતુ જાય છે અક્ષર ને શબ્દો ને અર્થો પલળાઈ ગયા બોલો હું બોલ્યો કે ભાંભર્યો એકવાર ચોમાસુ બેઠુ તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો   પડતો વરસાદ એમાં મરવાના કોલ અને ધસમસતી નદીઓનું ઘેલું ઝાઝા જુહાર કહી પડતુ મેલાય એમાં વાંચવા વિચારવાનું કેવું વાદળાંને કંકુને ચોખાનાં મૂરત શું વાદળાનાં મૂરત તો ગાભરો એકવાર ચોમાસુ બેઠું તે મોરલાએ ટહુકો દીધો ને અમે સાંભળ્યો


અદના આદમીનું ગીત – પ્રહલાદ પારેખ 5

અદના તે આદમી છઈએ હો ભાઈ અમે અદના તે આદમી છઈએ ઝાઝું તે મૂંગા રહીએ હો ભાઈ અમે અદના તે આદમી છઈએ વસ્તરના વણનારા, ખેતરના ખેડનારા ખાણના ખોદનારા છઈએ હોડીના હાંકનારા, મારગના બાંધનારા ગીતોના ગાનારા થઈએ, હે જી અમે રંગોની રચનાય દઈએ ! છઈએ રચનારા અમે છઈએ ઘડનારા તે સંહારની વાતું નહીં સહીએ ! જીવતરનો સાથી છે સર્જન અમારો ; નહીં મોતના હાથા થઈએ, હે જી એની વાતું ને કાન નહીં દઈએ! હો ભાઈ, અમે અદના તે આદમી છઈએ.  – પ્રહલાદ પારેખ


એલીયન્સનું અભિવાદન – ગુજરાતીમાં 5

વોયેજર સ્પેશક્રાફ્ટ વોયેજર ૧ અને ૨ એવી જગ્યાઓએ આજે શોધખોળ કરી રહ્યા છે જ્યાં આજ સુધી પૃથ્વી થી કાંઈ પહોંચ્યુ નથી. ૧૯૭૭માં તેમના પ્રક્ષેપણ પછીથી આજ સુધી સતત તે માહિતિનો ભંડાર મોકલી રહ્યા છે. વોયેજર સ્પેશક્રાફ્ટનું મૂળભૂત મિશન હતું ગુરૂ અને શનિના ગ્રહો વિષે માહિતિ એકઠી કરવાનું. આ કાર્ય પૂરૂ કરીને તેઓ હજી પણ સતત આગળ વધી રહ્યા છે. હવે તેમનું મિશન પૃથ્વી અને સૂર્ય થી સૌથી વધુ દૂર આપણી આકાશગંગાના છેડે આવેલા યુરેનસ અને નેપ્ચ્યુન તરફ જઈ ત્યાં શોધખોળ કરવાનું છે. આપણા સૂર્યના રાજની બહારની તરફ શોધખોળ કરવી એ પણ તેના મિશનનો એક ભાગ છે. આ મિશન વિશે વધુ જાણવા નાસા જેટ પ્રપલ્શન લેબોરેટરીની આ સાઈટ પર જાઓ. અવકાશમાં તેમની યાત્રા દરમ્યાન જો કોઈ પણ જીવંન સાથે તેમનો સંપર્ક થાય તો તેમનું સ્વાગત અને અભિવાદન કરવા માટે આ વોયેજર મિશન સાથે ગોલ્ડન રેકોર્ડ મોકલાઈ. ૧૨ ઈંચની ગોલ્ડ પ્લેટેડ કોપર ડીસ્ક બનાવવામાં આવી જેની અંદર પૃથ્વીના જીવનની વિવિધતા અને સંસ્કૃતિ બતાવવા માટે કેટલાક અવાજો અને ચિત્રો પસંદ કરવામાં આવ્યા. નાસા દ્વારા પસંદગી પામેલ આ મીડીયામાં હતા ૧૧૫ ચિત્રો અને વિવિધ અવાજો, બાળકના હસવાનો, વરસાદ પડવાનો, પ્રાણીઓના અવાજો વગેરે … આ સાથે હતા વિશ્વની પંચાવન ભાષાઓમાં સ્વાગત સંદેશ. આમાં એક ભાષા હતી ગુજરાતી. આ ગુજરાતી માં રેકોર્ડ કરેલ સંદેશ અહીં સાંભળો. ફેબ્રુઆરી ૨૦૦૮ માં વોયેજર સૂર્ય થી ૧૦૫.૩ એસ્ટ્રોનોમીકલ યુનિટ દૂર હતુ. જ્યારે વોયેજર ૨ સૂર્ય થી ૮૫ એસ્ટ્રોનોમીકલ યુનિટ દૂર હતું. હજી પણ તેઓ આપણી સૂર્યમાળાને છોડીને જઈ રહ્યા છે. કહો કે ભાગી રહ્યા છે. આશા રાખીએ કે કોઈ બીજા ગ્રહનું જીવન ગુજરાતી ભાષા સમજે અને સામે પૂછે “કેમ છો મિત્ર?”


મધર ટેરેસા – મિશનરીઝ ઓફ ચેરીટી 2

ગ્રીનવુડ બાયોગ્રાફીઝ …..એ હેઠળ પ્રસ્તુત થયેલી અનેક બાયોગ્રાફી પૈકી અચાનક નેટ પરથી મારા હાથમાં મધર ટેરેસાની બાયોગ્રાફી આવી. મેગ ગ્રીન દ્વારા લખાયેલી મધર ટેરેસા – અ બાયોગ્રાફી, ૨૬ ઓગસ્ટ ૧૯૧૦ ના રોજ જન્મેલ એન્ક્સેશ ગોન્ક્સા બોજાક્સીહુ (મધર નું બાળપણનું નામ)ની મધર ટેરેસા બનવાની યાત્રા બતાવી છે. વાંચવાની ખૂબ જ મજા પડી. તેના થોડાક અંશો અહીં ભાષાંતરીત કરી મૂકી રહ્યો છું. ——–> ઈ.સ. ૧૯૫૩ માં મધરહાઊસમાં સ્થાનાંતરીત થવાથી મિશનરીઝ ઓફ ચેરીટીને તેમના કાર્યો કરવા માટેની કાયમી જગ્યા મળી. નવા ઘરમાં ફક્ત નવા આવવા વાળા લોકો માટે વધારે જગ્યા જ ન હતી, તેમાં મોટો ભોજનકક્ષ પણ હતો. મધર ટેરેસા પાસે ઘણાનવા લોકો મિશનરીઝ ઓફ ચેરીટી માં જોડાવા માટે રોજ આવતા. તેમના નવા અને ખૂબ મોટી જગ્યા વાળા ઘર છતાં, મધર ટેરેસા એ વાતની ખાત્રી રાખતા કે તેમની પોતાની સગવડો વધી ન જાય અને તેમના જીવનનો આકાર અને પ્રભાવ અત્યંત ગરીબી થી ઘેરાયેલ રહે. તેઓ ઘણી વાર ખૂબ જ નમ્રતા પૂર્વક પરંતુ ખૂબજ મક્કમતાથી કોઈ પણ એવા સામાન કે વસ્તુઓ લેવાની ના પાડી દેતા, જે તેમને વધારે પડતા આરામદાયક કે બીનજરૂરી લાગતા. તેમણે એક વખત કહ્યું હતું ‘આપણી અત્યંત ગરીબી એ જ આપણા માટે બચાવનું હથીયાર છે.” તેમણે પછી સમજાવ્યુ હતું કે મિશનરીઝ ઓફ ચેરીટી ને તેઓ બીજા ધાર્મિક સંસ્થાનો ની જેમ અને તેમણે ભૂતકાળમાં જેવા કાર્યો કર્યા તેવા કામ કરવા માટે બનાવવા ન માંગતા હતા, એવા સંસ્થાનો જે બનાવવામાં આવ્યા હતા ગરીબોની સેવા માટે પણ અંતમાં તે પૈસાદાર લોકોની સેવા તથા તેમની પોતાની જ ખ્યાતિમાં રચ્યા પચ્યા રહેતા. તેઓ કહેતા કે “જે લોકો પાસે ખાવા પીવા ઓઢવા માટે કાંઈ નથી તેવા લોકોની સેવા […]


પ્રેમ માં અનુભવો – એન જે ગોલીબાર 3

પ્રસ્તુત છે એન જે ગોલીબારની એક હઝલ … પ્રેમ માં અનુભવો … પ્રેમ વિષે કેવળ રોતી આંખે નહીં, હસતા હોઠે પણ વાત થઈ શકે સાંભળો. તબિયત પ્રેમનો ચારો ચરી પાગલ થવાની છે. મને ઈચ્છા હવે મજનૂનો રેકોર્ડ તોડવાની છે. લઈને બેટરી સાથે નીકળતે, જો ખબર હોતે, કે ખીસ્સામાં પડેલી પાવલી પણ ગુમ થવાની છે. મેં પહેલા પાણી સાથે ગટગટાવી જઈ, પછી વાંચ્યુ, લખ્યું’તું બાટલી પર, દવા આ ચાટવાની છે. ઘડીભરમાં તમે રહેશો, ન માથાનું દરદ રહેશે, અસર એવી ચમત્કારિક અમારી આ દવાની છે ! ભલેને એમનું ડાચૂં છે ઉતરેલી કઢી જેવું, અમારી પાસે તરકીબ હાસ્યને ફેલાવવાની છે.  – એન જે ગોલીબાર


વાલિદ કી મૌત પર – નિદા ફાઝલી

ઉર્દુ શાયર નિદા ફાઝલીના પિતા કરાંચી માં મૃત્યુ પામ્યા ત્યારે તે ત્યાં ફાતિહા પઢવા હાજર ન રહી શક્યા તે અંગે એક નઝમ લખી. પેશ છે તેનો આ ભાગ ….એક પિતાને તેનો પુત્ર આનાથી વધારે શું કહી શકે? શું ખરેખર તેમના પિતા તેમના માટે મૃત્યુ પામ્યા છે? વાલિદ કી મૌત પર તુમ્હારી કબ્ર પર મેં ફાતિહા પઢને નહીં આયા મુઝે માલૂમ થા તુમ મર નહીં સક્તે, તુમ્હારે મૌતકી સચ્ચી ખબર જીસને ઉડાઈ થી, વો જૂઠા થા, વો તુમ કબ થે? કોઈ સૂખા હુઆ પત્તા હવા સે હિલ કે ટૂટા થા તુમ્હારે હાથ મેરી ઉંગલિયોં મેં સાંસ લેતે હૈ. મેં લિખને કે લિયે જબ ભી કલમ કાગઝ ઉઠાતા હું, તુમ્હેં બૈઠા હુઆ, મેં અપની હી કુર્સી મેં પાતા હું. બદન મેં મેરે જીતના ભી લહુ હૈ, વો તુમ્હારી લગજિસોં, નાકામિયોં કે સાથ બહતા હૈ, મેરી આવાઝ મેં છુપકર, તુમ્હારા ઝહન રહતા હૈ. મેરી બીમારીયોં મેં તુમ, મેરી લાચારીયોં મેં તુમ તુમ્હારી કબ્ર પર જીસને તુમ્હારા નામ લીખ્ખા હૈ, વો જૂઠા હૈ તુમ્હારી કબ્રમેં મૈં દફ્ન હું, તુમ મુઝમેં જિંદા હો, કભી ફુરસત મિલે તો ફાતિહા પઢને ચલે આના


પરબ્ર્હ્મ અને તેની પરિકલ્પના – ભૂત અને ભગવાન 7

મનુષ્ય વિચારે છે, કલ્પનાના ઘોડા દોડાવે છે, આત્મા કે પરમાત્માની વાત કરે છે, અરે જ્યારે ‘હું’ ને ભૂલવાની વાત કરે છે ત્યારે પણ કેન્દ્રમાં તો એનો અહં જ હોય છે. અહં થી છૂટકારો પામવો અતિ મુશ્કેલ છે, ચેતના શરીરથી મુક્ત થઈ શકે છે, પણ મનુશ્ય અહંથી મુક્ત થઈ શક્તો નથી. અહં થી છુટકારો અશક્ય નહીં તો અતિ મુશ્કેલ છે. ભારતીય તત્વશાસ્ત્ર નો ઈતિહાસ તપાસીએ તો શ્રૃતર્ષિ, ઐતરેય, ઋગ્વેદના ઐતરેય આરણ્યકમાં કહે છે ‘પ્રજાનં બ્ર્હ્મં’ જાણકારી અને ગ્નાન એ જ બ્રહ્મ છે, બ્ર્હ્મને ઓળખવા માટે ઉપયોગમાં આવતી બુધ્ધિને જ એમણે બ્ર્હ્મ માની. એ પછી શ્રૃતર્ષિ ઉદ્દાલક આરુણિએ સામવેદના છાંદોગ્ય ઉપનિષદમાં ‘તત્વમસી’ – તું જ બ્ર્હ્મ છે’ એમ કહ્યું. આ બધુ સરળ અને સચોટ તત્વગ્નાન હતું. કારણકે બ્ર્હ્મને જ બ્ર્હ્મ કહેવુ એનાથી બીજી વાત કઈ હોઈ શકે? એ પછી દેવર્ષિ વરુણે આનંદને બ્ર્હ્મ કહ્યો. કારણકે આનંદ જ મનુષ્યજીવનની શ્રેષ્ઠ ભાવના છે. અને બ્ર્હ્મ આનંદ ન હોય તો અન્ય શું થઈ શકે? યાગ્નવલ્ક્ય એ કહ્યું ‘અહં બ્ર્હ્માસ્મી’ – હું જ બ્ર્હ્મ છું. બધું મારા માટે તો બ્ર્હ્મ મારા સિવાય કોણ હોઈ શકે? આ છે અહંની ભ્રમણા. આપણે આપણી સામે પરમેશ્વરનું એક સ્વરૂપ ઉભું કરીએ છીએ, એ પરમેશ્વર જેની વ્યાખ્યા આપણે જ કરી છે, પોતાની સેવા કરવા માટે, જન્મ આપવા, પોષણ કરવા, અને સંહાર કરવા એક ઈશ્વરની એક વ્યક્તિ, પ્રતિકૃતિ તરીકે ગણના કરી છે. હકીકતમાં આપણે શક્તિ, ચેતનાનું મૂળ શોધવાની જરૂર છે. આપણું મન એ શક્તિનો અંશ છે પણ એ અંશના પણ કરોડમાં ભાગને આપણે ઓળખતા નથી. બૌધ્ધિકો ફક્ત બુધ્ધિની શક્તિને ઓળખે છે, વિગ્નાન અને વિગ્નાનીઓ એની સીમા છે, મનોવિગ્નાનીઓ મનની સીમાને થોડી જાણે […]


મન, આંતરીક શક્તિઓ અને વામમાર્ગ 8

આ પોસ્ટના કેટલાક શબ્દો કે વર્ણન અરૂચિકર હોઈ શકે છે.   ચારેક હજાર વર્ષ પહેલા વામમાર્ગ કે અઘોરી પંથની સ્થાપના થઈ હશે એમ માનવામાં આવે છે. માનવી જેમ જેમ જીવન વિશે વિચારતો ગયો એમ એ પ્રકૃતિથી વિમુખ થવા લાગ્યો. મૃત્યુના ભયે અને સ્વાભાવિક જિજીવિષાએ એને ધર્મની કલ્પના આપી. જીવનની ક્ષણભંગુરતાના કારણે કેટલાક જીવનના મોજશોખ થી ઉદાસીન બની ગયા. એમણે ત્યાગનો મહીમા ગાયો, સત્વશુધ્ધીમાં ભોગો એમને બાધક લાગ્યા. જ્યારે સગુણ બ્રહ્મના વિચારે પરમાત્માની કલ્પનાને જન્મ આપ્યો. વેદાંત, અધ્યાત્મ, સાંખ્યશાસ્ત્ર, પુરુષ અને પ્રકૃતિનો ભેદ, પાંડિત્યમાં અટવાયાં. સામાન્ય મનુષ્ય યોગમાં માનસિક શાંતિ શોધવા લાગ્યો અને જાતજાતની અને ભાતભાતની ભ્રમણાઓમાં ફસાયો. તો સામા પક્ષે કેટલાક વિચારકોએ ભોગને પ્રાધન્ય આપ્યું. એમના મૂળ વિચાર મુજબ એમને મનુષ્ય અવતાર આ સૃષ્ટી પર એટલા માટે આપવામાં આવ્યો છે કે સ્વર્ગ સમાન આ સૃષ્ટીનો એ યથેચ્છ ઉપભોગ કરી શકે, આમ આ બંને શાખાઓ આશરે બે થી અઢી હજાર વર્ષ પહેલા અલગ પડી અને તેમના મૂળ સ્પષ્ટ અને ઉંડા થયા. લોકપ્રિય ત્યાગના માર્ગથી અલગ જનારા – સામાન્ય માન્યતાઓથી અલગ જનારા વામમાર્ગી કહેવાયા જેમને આપણે કાપાલીક કે અઘોરી કહીએ છીએ. આ વામ માર્ગીઓમાં પાંચ પ્રકારના ‘મ’ નું ખાસ મહત્વ, માંસ મદિરા, મંત્ર, મૃત્યુ અને મૈથુન. આ વામમાર્ગીઓ પશુઓના બલિદાન આપે, તેમનું માંસ ભક્ષણ કરે, માનવબલી પણ આપે, ભાંગ ગાંજા ચરસનું સેવન પણ કરે. સામાન્ય લોકો માટે જે વસ્તુઓ વર્જ્ય ગણાય છે તે બધી ત્યાં પવિત્ર મનાય છે. કદાચ એટલે જ વામ માર્ગ કહેવાય છે. સ્ત્રીઓને તે પ્રકૃતિ સ્વરૂપ માનતા, અને તેમના માનવા પ્રમાણે પ્રકૃતિની દરેક રચના ભોગ માટે જ રચાયેલી છે. એમના તંત્રશાસ્ત્રમાં અનેક યંત્રો છે, જે ભૂમીતીના અનેક આકારોના સંયોજન જેવા લાગે […]


અઘોરીઓ સાથે પાંચ દિવસ 68

ગુજરાતી ભાષામાં કેટલાક એવા અલભ્ય પુસ્તકો લખાયા છે જે આજકાલ તેમના ઓછા પ્રચાર કે વાંચનના કારણે અપ્રાપ્ય છે. આવા પુસ્તકો કાં તો તેમની નવી આવૃતિના અભાવે કે પછી સામાન્ય દુકાનો કે પુસ્તકાલયોમાં ઉપલબ્ધ ન હોવાના લીધે જાણકારી ની બહાર છે. સદભાગ્યે આ વખતે જ્યારે વડોદરા ગયો ત્યારે વાંચવા માટે ઘણું બધુ સાહિત્ય મળ્યુ. આ જ સંગ્રહમાં મને એક પુસ્તક મળ્યુ જેનું શિર્ષક વાંચીને જ મને તેને લઈ લેવાની ઈચ્છા થઈ આવી. મારી પત્ની કહે આવા પુસ્તકો ના વાંચતા હોવ તો? ? પણ અવળચંડુ મન થોડુ માને? એણે તો પુસ્તક લેવડાવ્યે જ છૂટકારો કરાવ્યો. આ પુસ્તક તે સુરેશભાઈ સોમપુરા નું અઘોરીઓ સાથે પાંચ દિવસ. આ પુસ્તક વિષે જણાવતા પહેલા મારે તમારી પાસે થી થોડાક જવાબો જોઈએ છે. મને કોમેન્ટ માં આપો તો ખૂબ આમંત્રણ પણ અન્યથા પણ તમે તે વિચારી રાખો. આના જવાબો મનની અંદરથી બને તેટલા સાચા શોધી કાઢશો. ઘણી વાર આપણા વિચારો એ આપણા જાગ્રૃત મન ના વિચારો હોય છે અને એ શક્ય છે કે જાગ્રૃત મન અને અર્ધજાગ્રૃત મનના વિચારો ભિન્ન હોય. શું તમે તાંત્રીક વિદ્યા, મંત્ર તંત્રની શક્તિઓ, સંમોહન, વશીકરણ વગેરેમાં માનો છો? શું તમને આવા કોઈ પ્રસંગનો અનુભવ છે? એવો પ્રસંગ જેમાં સામાન્ય સમજ થી વિપરીત અને કાંઈક અસામાન્ય ઘટના બની હોય? જેમ કે અમારા એક સંબંધીના દસ વર્ષના પુત્રને કે હનુમાનજી આવે છે અને ત્યારે તે ખરેખર એક વાનર રૂપ ધારણ કરે છે, મોઢુ ફુલાવી દે, નાચે, કૂદે અને પોતાના પગના ધૂંટણ પર અસંખ્ય નાળીયેર ફોડે, પણ તેને એ સમયમાં કોઈ પણ ઈજા ન થાય, પણ એ સમય વીતી ગયા પછી જાણે શરીર નીચોવાઈ ગયુ હોય તેમ લાગે, […]


૨૦,૦૦૦ ક્લિક્સ – સંતોષનો ઓડકાર

પ્રિય મિત્રો, આજે ફરી એક અન્ય સીમાચિન્હ ની આપને જાણ કરવા આ પોસ્ટ લખી છે. શનિવાર અને ૨૪ મે, ૨૦૦૮ ના રોજ ૧૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ થઈ હતી, આજે અધ્યારૂ નું જગત બ્લોગ પર ૨૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ થઈ છે (દસ હજાર ક્લિક્સ જૂન અને જુલાઈ માં). જ્યારે આ બ્લોગ શરૂ કર્યો ત્યારે હું અને મારૂ જગત અંતર્ગત લખ્યું હતું કે મને ગમતી રચનાઓ જ પ્રસિધ્ધ કરવી, મારા પોતાના લેખન પરના અવિશ્વાસના લીધે આમ લખ્યું. સામાન્ય રીતે જેમ આપણું બાળક આપણને ગમે છે (પછી ભલે બીજા ફરીયાદ કરતા હોય કે મારા ઘરની બારીના કાચ રેગ્યુલર તૂટે છે) તેમ આપણું લખાણ, આપણી રચનાઓ આપણને ગમે જ. પણ આમાં મારા માટે ઘણી વાર અપવાદ થયા છે. મારી રચનાઓ મને ન ગમી હોય એવુ ઘણી વાર થાય છે. આવા અપવાદોને બાદ કરતા મારી રચનાઓ પણ બ્લોગમાં ક્યાંક છૂટી છવાઈ વહેંચી છે.  તમારો પ્રેમ તમારી કોમેન્ટસ અને સૂચનો તથા ટીકાઓ બધુંય મળ્યું છે. … ખૂબ જ નાનો હતો, શાળામાં હતો ત્યારથી મને હતું કે હું ગીત ગાઈશ અને ગાયક બનીશ … શાળામાં ગીત સ્પર્ધાઓમાં જીતેલા અસંખ્ય ઈનામો આ વાતમાં ખૂબ વિશ્વાસ આપતા, તો મિત્રો પણ પ્રોત્સાહીત કરતા, પણ હવે તે આગળ વધી શક્તુ નથી, તમે તેને પણ આત્મવિશ્વાસનો અભાવ કહી શકો. નવમાં ધોરણમાં પહેલી કવિતા લખી હતી (જે ઉપર લખ્યા મુજબના અવિશ્વાસને લીધે હજી સુધી પોસ્ટ કરી નથી.) કે કદાચ એ પહેલી રચના પરના કોઈ પણ પ્રહારોને સહન કરવા જેટલી ક્ષમતા નો અભાવ છે તેમ પણ કહી શકો. પણ હવે આ અવિશ્વાસ ઓછો થઈ રહ્યો છે. જેનું કારણ આ બ્લોગ છે, અસંખ્ય પ્રતિભાવો છે, અને સૌથી વધારે, વાચકોનો પ્રેમ […]


વડોદરા આજકાલ

રવિવાર અને સોમવારે વડોદરામાં ઘણા વખત પછી કાંઈ પણ કારણ વગર પરિભ્રમણ કર્યું. ખૂબ જ મજા પડી. આઈનોક્સમાં જોયું જાને તું યા જાને ના …. અને એ મને ખૂબજ ગમ્યુ. અમારૂ પણ કોલેજ માં એક ગ્રૃપ હતુ, ભલે આવુ નહીં પણ તો ય, અને બીજી વાત ગમી નવા નિશાળીયાઓની એક્ટીંગની … બધાની એક્ટિંગ સરસ છે. ઈમરાન ક્યૂટ લાગે છે તો જેનીલીયા સુંદર .. સ્ટોરી સારી છે અને વચ્ચે વચ્ચે કોમીક સીન્સ મૂકી ફિલ્મને સુંદર બનાવી છે. બધા મિત્રો કહેતા હતા કે લવસ્ટોરી ૨૦૫૦ ઠીક છે પણ આ સારૂ છે …. આ પહેલાની વડોદરા આજકાલ વાળી પોસ્ટમાં બુક્સ વિષે હરસુખભાઈ એ મને લેન્ડમાર્ક નો બુકસ્ટોર સૂચવ્યો હતો, તો મૂવી પૂરી કરી ત્યાં ગયો. અત્યંત પ્રભાવશાળી કલેક્શન્સ. પણ એક વાત ખૂંચી કે જેટલી ચીવટથી અંગ્રેજી પુસ્તકો ગોઠવીને રાખ્યા છે એટલી કાળજી ગુજરાતી પુસ્તકોની નથી લેવાઈ. ગુજરાતી પુસ્તકોને ચાર પાંચ વિભાગો માં વહેંચી બે લાઈનમાં અલગ અલગ કબાટોમાં મૂક્યા છે.  પણ કેટલાક સારા ગુજરાતી પુસ્તકો ત્યાં ઉપલબ્ધ છે … એટલે આપણે તો ગાયને ચારો મળ્યા જેવુ થયું … સાત પુસ્તકો ખરીદ્યા. …. ગ્રાઊન્ડફ્લોર પર સીડીઝ અને ડીવીડીનું કલેક્શન પણ જબરદસ્ત છે, એટલે ત્યાં પણ કાર્ડ બરાબર ઘસ્યુ … વડોદરા સેન્ટ્રલ, જે ગેંડા સર્કલથી રેસકોર્સ વાળા રોડ પર આવે છે તેની સામે તૈયાર થાય છે સેન્ટ્રલ સ્ક્વેર, જ્યાં ઘણી બ્રાન્ડસની એસેસરીઝ, ફર્નીચર, ઈલેક્ટ્રોનીક આઈટમ્સનો શો રૂમ વગેરે બની રહ્યા છે. સારૂ છે … આ એરીયા બીજો અલકાપુરી થઈ રહ્યો છે. તો સંગમ ચાર રસ્તા પર અચાનક ક્યાંકથી ત્રણ ટ્રાફીક પોલીસ અંકલોએ દેખા દીધી, અને ઉભો રાખી ને કહે લાઈસન્સ અને પી યુ સી આપો, મારી પાસે પી […]


બે મિત્રો – દોસ્તી અને ક્ષમા – બાળવાર્તા

એક ગામમાં બે મિત્રો રહેતા હતા- રામૂ અને શામૂ. તે ખૂબ જ પાકાં મિત્રો હતાં. જ્યાં જાય ત્યાં સાથે જ રહેતા. એક દિવસ બંને મળીને કશું કરવાનો વિચાર કર્યો. બંને ચાલતાં ચાલતાં ઘણાં દૂર નીકળી ગયા. અચાનક રસ્તામાં એક રણ આવી ગયુ. ચારે બાજુ રેતી જ રેતી હતી. ચાલતા-ચાલતાં તે બંને વાતો પણ કરી રહ્યા હતા. અચાનક જ બંને વચ્ચે કોઈ વાતે બોલચાલ થઈ ગઈ. અને રામૂએ ગુસ્સામાં શામૂને એક તમાચો મારી દીધો. શામૂએ લાફો ખાઈ તો લીધો પણ તેને મનમાં ઘણું દુ:ખ થયુ. તે રામૂને કશુ ના બોલ્યો. અને એક જગ્યાએ રોકાઈને તેણે રેતી પર લખ્યું – ‘ આજે મારા મિત્રએ મને ગાલ પર લાફો માર્યો.’ પછી બંને ચાલવા માંડ્યા, ત્યાં સુધી ચાલતાં રહ્યા જ્યાં સુધી તેમને પાણી ન દેખાયું, બંને રસ્તામાં એકબીજા સાથે કશું પણ બોલ્યા નહી અને પાણીમાં ઉતરીને નહાવા લાગ્યા. શ્યામૂ પાણીમાં ઉંડે ઉતરી ગયો હતો, અને થોડી વાર પછી ડૂબવા માંડ્યો. ‘બચાઓ બચાઓ’ ના અવાજથી રામૂનું ધ્યાન ખેંચાયું, તે તરત જ શ્યામૂને બચાવવા તેની તરફ કૂદી પડ્યો. શ્યામૂને વાળથી પકડીને ખેચ્યોં અને કિનારા પર લાવ્યો. તેના પેટમાંથી પાણી કાઢી અને મોઢાં વડે શ્વાસ પણ આપ્યો. શ્યામૂને થોડીવાર પછી હોશ આવી ગયો. તે ઉઠીને બેસી ગયો પછી તે એક મોટા પત્થર પાસે ગયો અને તેના પર એક પત્થર વડે લખ્યું ‘ આજે મારા પ્રિય રામૂએ મારો જીવ બચાવ્યો’. ત્યારે રામૂથી રહેવાયું નહી. તેને શ્યામૂને પૂછ્યું – જ્યારે મે તને લાફો માર્યો, ત્યારે તે રેતી ઉપર લખ્યું હતુ અને હવે જ્યારે મેં તારો જીવ બચાવ્યો ત્યારે તેં પત્થર પર લખ્યું આવું કેમ ? શ્યામૂએ જવાબ આપ્યો – […]


આરૂષિ – પ્રભુને એ જ પ્રાર્થના કે …

આરૂષિ અને હેમરાજ હત્યાકાંડ, ઘટના પછીની પ્રતિક્રિયાઓ, પોલીસ ના નિવેદનો, વિવિધ લોકોની ધરપકડ, ચેનલ્સ, ન્યૂઝ મસાલા અને ગોસિપ ……અને મજાક બનતી એક દુર્ઘટના …. આ આખુંય પ્રકરણ દેશના લોકોને માટે રોજ સવારના પેપરની હેડલાઈન બની ગયું. છેલ્લા પંચાવન દિવસમાં આરૂષિને ન ઓળખતા નોઈડાના જ નહીં, આખા ભારતના લોકોને તેની સાથે સહાનુભૂતી થઈ ગઈ. પણ હજીય એક ચૌદ વરસની બાળકીના મનોજગતની અને તેના મૃત્યુ પહેલાના સંઘર્ષની કલ્પના ધ્રુજાવી દે તેમ છે. ન્યૂઝ ચેનલ્સ વિશે મેં એક વાર આ પહેલા પોસ્ટ લખી હતી. તેમને મસાલા આપવા સિવાય બીજા કોઈ સીરીયસ પ્રયત્નમાં કે કોઈના દર્દમાં સહભાગી થવાના કોઈ પ્રયત્ન કરવા નથી. તેમને જોઈએ છે ફક્ત ગરમ મસાલેદાર ન્યૂઝ, ટી આર પી, એડવર્ટાઈઝ અને બે ત્રણ બેસ્ટ ન્યૂઝ ચેનલના એવોર્ડ ….આવા સમયે મને ખૂબજ સંતુલિત અને કદી ઉતેજીત નહીં થતા દૂરદર્શનને શાબાશી આપવનું મન થાય છે. પોલીસના બેફામ નિવેદનો, ચેનલ્સનું આડેધડ કવરેજ, શોકગ્રસ્ત અને ટેન્શનમાં જીવતા એક પરિવાર, માતા પિતાની ઉડાવાતી ખુલ્લે આમ મજાક અને આબરૂના લીરેલીરા ઉડાડતા અધિકારીઓ …. જેટલુ બીનજવાબદાર મીડીયા દેખાય છે એટલાજ બીનજવાબદાર પોલીસ અને સૌથી વધારે બીનજવાબદાર આપણે ….સમાજના મૂલ્યોનું પ્રતિબિંબ જો આવુ હોય તો એ સમાજ કયા રસ્તે છે? હું દિલ્હી માં એક વર્ષ થી વધારે નોકરી કરી ચૂક્યો છું અને મને ત્યાંના નોકરો, મોટા પૈસાદાર લોકો, તેમની ઉંચી ઊઠબેસ અને ઉંચા શોખ, તેમનાથી દૂર થતા તેમના બાળકો અને વિખેરાતો સમાજ દેખાય છે. ક્યાંક પૈસાની ભાગદોડ અને ક્યાંક વિચારોના પતનના રસ્તા દેખાય છે. … મને આ સમગ્ર પ્રકરણમાં આરૂષિ પ્રત્યે જોરદાર સહાનુભૂતી છે … એક બાળકીના પિતા હોવાના નાતે મને એટલો તો વિશ્વાસ છે કે તેના પિતા તેની […]