સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ધ્રુવ ભટ્ટ


પુસ્તક સમીપે : સમુદ્રાન્તિકે – અંકુર બેંકર 18

લેખકની એક ખાસિયત રહી છે કે તેઓ કથાનાયકને કોઈ નામ આપતા નથી. એમ કરીને તેઓ વાચકને સફળતાપૂર્વક નાયક સાથે જોડી શકે છે. આખી કથામાંથી પસાર થતાં થતાં નાયક સતત વલોવાતો હોય છે, સતત ને સતત બદલાતો હોય છે.


પુનર્જન્મ (સર્જકની પાત્ર સાથેની વાત, વાચકની દ્રષ્ટિએ..) – ભારતીબેન ગોહિલ 4

‘સર્જન’માં અમે વિક્રમ સંવતનો છેલ્લો ટાસ્ક કરેલો મિત્રોને ગમતી નવલકથા કે ટૂંકી વાર્તાના કોઈ પણ એક પાત્ર સાથે એના લેખકનો સંવાદ આલેખવાનો. હેતુ હતો કે દરેક પાત્ર પાસે એના લેખકને કહેવા માટે કંઈક હોય છે, અને લેખક પાસે એ પાત્રના નિરુપણને યથાર્થ ઠેરવવાનાં પૂરતા કારણો પણ હોય જ! આ જ પ્રક્રિયામાં ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા ‘અતરાપી’ના સારમેય સાથે સર્જક ધ્રુવ ભટ્ટની કાલ્પનિક વાત ભારતીબેન ગોહિલે આલેખી છે. આશા છે આ પ્રયોગ વાચકમિત્રોને માણવો ગમશે.


ન ઇતી…! – ધ્રુવ ભટ્ટ 15

થોડા વખત પહેલા ધ્રુવભાઈ ભટ્ટ દ્વારા લખાઈ રહેલી નવી નવલકથાનું પ્રથમ પ્રકરણ અહીં મૂક્યું હતું અને એને વાચકોનો બહોળો પ્રતિભાવ મળ્યો હતો. આજે એનું દસમું પ્રકરણ ધ્રુવભાઈના સૌજન્યથી મૂકી રહ્યાં છીએ. એ સમયે આ નવલકથાને ‘ના’ એવું નામ આપેલું જે હવે ‘ન ઇતી…!’ છે. સાથેે તેેેેનું મુુુુખપૃષ્ઠ પણ પ્રથમ વખત ધ્રુવભાઈના વાચકો સમક્ષ મૂક્યું છે.

શા માટે આવું મુખપૃષ્ઠ?

૧. કવર-પેજ પર મૂકેલી તસવીરમાં છે તે ઈબુ પર્તિવીની મૂર્તી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રીય મ્યૂઝીયમમાં છે પ્રાગૈતિહાસિક સમયથી ઇન્ડોનેશિયાના દ્વીપસમૂહના આદિવાસીઓ પૃથ્વીને જીવન આપનાર માતા, પ્રકૃતિની દેવી માનતા. પ્રથમ સહસ્ત્રાબ્દીમાં આ મૂર્તી બની અને તેને દેવી પૃથ્વી (પર્તિવી) નામ આપવામાં આવ્યું.

૨. પાશ્ચાદભૂમાં સંધ્યા સમયના આકાશમાં દેવયાની તારાવિશ્વ (The Andromeda Galaxy) નું ચિત્ર છે. આકાશ સાવ સ્પષ્ટ હોય અને બીજા કોઈ પ્રકાશનો અવરોધ ન નડે તો આ તારાવિશ્વ નરી આંખે મોટા ઝાંખા ધાબા જેવું જોઈ શકાય છે. આ તારાવિશ્વ જો વધુ પ્રકાશિત હોત તો તે પૃથ્વી પરથી આ ચિત્રમાં બતાવ્યું છે તેવું અને તે માપનું દેખાત.


ના – ધ્રુવ ભટ્ટ (હવે ‘ન ઇતી…!’) 22

ધ્રુવભાઈ ભટ્ટ દ્વારા લખાઈ રહેલી નવી નવલકથાનું પ્રથમ પ્રકરણ આજે પ્રસ્તુત કર્યું છે. આશા છે સર્વે વાચકમિત્રોને ગમશે. ધ્રુવભાઈનો આભાર. આ આખી નવલકથાની રાહમાં મારી જેમ અનેક મિત્રો હશે જ..

* * *

લેબમાંથી સંદેશો આવ્યો કે, ‘એક બાળક, ઓ-ટેન જન્મ્યું છે.’

નિયમ મુજબ બાળક જન્મે કે તરત કાનની પાછળના ભાગે કમ્પ્યૂટરાઈઝ્ડ ચિપ લગાવી દેવી પડે; પરંતુ ઓ-ટેનને આવી ચિપ લગાડવા જતાં ખ્યાલ આવ્યો કે ચિપને જેની સાથે જોડાય છે તે જ્ઞાનતંતુઓ કાન પાછળ નથી, ખભાની નજીક છે અને થોડા અવ્યવસ્થિત છે. આ માહિતી તંત્રવાહકને અપાઈ.


મા મા શાધિમામ્ – ધ્રુવ ભટ્ટ 22

પહાડી નિશાળ, નિશાળમાં હોવી જોઈએ તે કરતા વધુ શાંતિ એ ધારી રહી છે. ત્રીજા ચોથાની પરીક્ષાઓ પૂરી થઈ. પાંચથી સાતની પરીક્ષા ચાલે છે. નવરા પડેલાં છોકરા છોકરીઓ વાર્તાઓ વાંચી, ગીતો ગાઈ, પોતાની વખરી ગોઠવી નાહી ધોઈને રમવામાં પડ્યાં. હું પરીક્ષાખંડમાં આંટો મારીને પાછો આવતો હતો ત્યાં થોડા છોકરા ગિલ્લી-દંડો રમતા હતા. થોડું રોકાઈને જોયું. પછી થોડું સાથે રમ્યો અને પાછો આવ્યો. છોકરીઓએ આ જોયું.

બપોરે વાંચતો હતો ત્યાં બારણામાં અને બારીઓમાં નાની નાની છોકરીઓ ડોકાઈ. ઘરમાં તો આવે નહીં. બહાર મૂંગી મૂંગી ઊભી રહે. પહેલાં તો બારીમાંથી જ જોયા કરતાં. બોલાવીએ તો દોડીને નાસી જય. હમણાં હમણાં બારણે ડોકાવા જેટલાં છૂટાં થયાં છે.


તત્ત્વમસિ : ૯ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 18

‘લે, ખાઈ લે.’ કોઈ સાવ નજીકથી બોલ્યું. તાજી મકાઈનો એક ડોડો મારા હાથમાં અપાયો. આંખો ખોલીને મેં ઝાંખાં દૃશ્યો વચ્ચે તેને જોઈ – ઘાઘરીપોલકું પહેરેલી નાનકડીબાળા. ‘લે, ખાઈ લે.’ ફરીથી તેણે કહ્યું.

મેં મકાઈનો એક દાણો ઉખેડી મોંમાં મૂકતાં તેને પૂછ્યું, ‘તું કોણ છે, મા?’

ઓળખ પુછાય ત્યારે ઉત્તર આપવાની અમને આજ્ઞા નથી હોતી. પોતાના મનમાં ઊઠેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર માનવીને શ્રદ્ધા કે પ્રજ્ઞા થકી જ શોધવાના હોય છે. છતાં ક્યારેક કોઈકની જીદનો સ્વીકાર કરવો પણ ઉચિત હોય છે.

બ્રહ્માંડને બીજે છેડેથી આવતા હોય તેવા ઝાંખા પણ દિશાઓને ભરી દેતા નાદ સમા શબ્દો સમગ્ર વાતાવરણમાં પડઘાયા: ‘…રે..વા…!’


તત્ત્વમસિ : ૮ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)

“અમે અમરકંટક પહોંચ્યાં તે દિવસ થોડો વરસાદ પડ્યો. વાતાવરણ રમ્ય અને ચાલવાની મજા પડે તેવું થઈ ગયું. વળતી સફરની કેડીઓ થોડી કઠિન હતી, પણ વાતાવરણે અમારો ઉત્સાહ અને ઝડપ ટકાવી રાખ્યાં. અત્યારે કપિલધારા પહોંચ્યાં છીએ અનેક પ્રપાતોની સ્વામિની નર્મદાના સહુથી ઊંચા પ્રપાત કપિલધારાને જોતી લ્યુસી ઊભી છે. પથ્થરોની ઘાટીને કોરીને નર્મદા વેગસહ ધસી રહી છે.

‘મેકલના પહાડો ઊતરીને મેદાનમાં જશે. ફરી પહાડો અને અરણ્યોમાં, ફરી મેદાન અને પછી ટેકરીઓમાં થતી આ પાતળી ધારા જેમજેમ આગળ વધતી જાય છે તેમતેમ અનેક નદી-નાળાંને પોતાનામાં લીન કરતી જળસમૃદ્ધ થતી રહે છે.’ શાસ્ત્રીએ કહ્યું તે લ્યુસીએ પોતાની ડાયરીમાં નોંધ્યું.


તત્ત્વમસિ : ૭ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)

આ અરણ્યોનાં અનેકવિધ સ્વરૂપોએ, તેમાં વસતાં માનવીઓ, પશુપંખીઓએ તેને અધિકારી ગણવાની શરૂઆત તો કરી જ દીધી છે. પણ માનવીને પોતાના અધિકારનું જ્ઞાન પ્રાપ્ત કરાવવાનો એક નક્કી માર્ગ અને સમય આ પ્રકૃતિએ નિર્ધાર્યો જ હોય છે. આ અરણ્યોએ તો અનેકોને જ્ઞાન આપ્યું છે. કદાચ તેનો સમય પણ આવશે.

“…મેં વિદેશમાં ભોગવેલી સગવડમાંથી જવલ્લે જ કોઈ સગવડ આ અરણ્યોએ મને આપી છે. આ અરણ્યોએ પોતાના મંગલમય, પવિત્ર પાલવ તળે ઝેરી જનાવરો અને હિંસક પ્રાણીઓ વચ્ચે પણ મને અભય અને નિરામય રાખ્યો છે. સુખ અને આનંદ વચ્ચેની ભેદરેખાને ઊજળી કરીને આ અરણ્યોએ મને બતાવી છે.


તત્ત્વમસિ : ૬ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 1

તેની ડાયરીમાં જે નથી તે પ્રસંગો મારે કહેવાના છે. તે, લક્ષ્મણ, બિત્તુબંગા – આ બધા આદિવાસી કેન્દ્રથી દૂર અરણ્યોમાં કામ કરતા હતા ત્યારે કેન્દ્રનું કામ યથાવત્ ચાલતું હતું. સુપ્રિયા ગામડાંઓમાં જતી, સ્ત્રીઓને તાલીમ આપતી. તેણે શાળાને પણ વ્યવસ્થિત કરી. છોકરીઓ કેન્દ્ર પર રહીને ભણી શકે તે માટેની સગવડ પણ થઈ. કાગળકામ કરતો ઝૂરકો સુપ્રિયા સાથે રહેતો.

સુરેનની સ્મૃતિમાં સંગીત-સમારોહ ગોઠવવાનો વિચાર સુપ્રિયાના મનમાં રમ્યા જ કરતો હતો. આ આખું વર્ષ તો બધાં છૂટાં-છવાયાં થઈ રહ્યા અને આયોજન થઈ ન શક્યું. આવતા વર્ષે તો સમારોહ ગોઠવવો જ છે તેવું વિચારીને તેણે ગણેશ શાસ્ત્રીને ત્યાં ચર્ચા ગોઠવી. ગુપ્તાજી અને તેમનાં મા પણ ગણેશ શાસ્ત્રીને ત્યાં આવ્યાં.


તત્ત્વમસિ : ૫ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)

“શાસ્ત્રીજી પાસે તબલાં શીખવાનું હું ચૂકતો નથી. ક્યારેક સુપરિયા પણ સાથે બેસીને ગુરુશિષ્યની સંગત સાંભળે છે. શાસ્ત્રીય રાગોની સમજ સુપરિયાને ઘણી છે, પણ તે કંઈ ગાતી નથી, ક્યારેક શાસ્ત્રીજી સાથે ચર્ચા કરે છે.

આજ શાસ્ત્રીજીએ સુપરિયાનાં માતા-પિતાને યાદ કર્યાં. કહ્યું, ‘સુરેન અને વનિતાને સાંભળ્યા પછી બીજાંને સાંભળવાનું મન ન થાય. એ બેઉ હતાં ત્યાં સુધી હું દર ચાર વર્ષે સંગીત-સમારોહ ગોઠવી શકતો. હવે નથી થતું.’

‘બાપુ નથી, પણ તમે તો છો ને?’ સુપરિયાએ કહ્યું, ‘તમે કહો તેવી ગોઠવણ તો થઈ શકે તેમ છે.’


તત્ત્વમસિ : ૪ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 1

તે જ સમયે રસ્તાની સામી બાજુના ખડકોને કોતરીને બનાવાયેલા પાંચ ગોખલા મારી નજરે પડ્યા. હું ત્યાં ગયો તો જોયું કે દરેક ગોખને અંદર ઢળીને આરામથી બેસી શકાય એમ ખાસ કોચવામાં આવ્યા છે. નીચે લખ્યું છે: ‘ભીમ તકિયા.’ પછી ‘બિત્તુબંગા’ અને પેલી આકૃતિ. પાંડવોને માટે બનાવાયેલા ગોખલામાં હું બેઠો. પથ્થરને આવો કાળજીપૂર્વકનો આકાર આપી શકનાર બંને ભાઈઓને મેં મનોમન વખાણ્યા અને લ્યુસીને જવાબ લખવો બાકી છે તે વિચારતાં તેને પણ સ્મરી લીધી. વધુ બેસી રહેવું પાલવે તેમ ન હતું. મેં મારા થેલા ઉપાડ્યા. હાથમાં લાકડી-રૂપે એક સૂકી પાતળી ડાળ લીધી અને ચાલ્યો.

રસ્તાથી થોડે જ દૂર પહોંચ્યો અને મને સમજાયું કે સૂમસામ વનોમાં એકલપંડે ચાલવું કલ્પનામાં જેટલું રોમાંચકારી લાગે છે તેટલું હોતું નથી. આસપાસની સૃષ્ટિ દેખાતી બંધ થઈ અને ઊંચાં ઊભેલાં મહાવૃક્ષો વચ્ચે હું એકલો જ છું એ ખ્યાલ આવતાં જ મારો અરણ્ય-ભ્રમણનો ઉત્સાહ ઓસરવા માંડ્યો.


તત્ત્વમસિ : ૩ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)

“કીકા વૈદ રોજ સવારે આવે છે. હવેથી બે દિવસે આવશે તેમ કહેતા હતા. હું કેન્દ્ર પર ક્યારે જઈ શકીશ – એવું મેં પૂછ્યું નથી. કદાચ આ એકાંતવાસ મને ગમવા માંડ્યો છે. હું ક્યારેય આવા વિજન સ્થાને, આટલી પરમશાંતિ વચ્ચે ગુફાના કમરાઓમાં રહ્યો નથી. આ સાવ સગવડ વગરના સ્થળમાં એવું કંઈક છે જે મેં અગાઉ ક્યારેય માણ્યું નથી.

અમે જાતે રાંધીએ છીએ. મારાથી તો કાચુંપાકું જ રંધાય છે. જાતે કપડાં ધોઈએ છીએ. પુસ્તકોનો ભંડાર ખોલીએ છીએ. મારી માતૃભાષામાં મેં કદાચ પહેલી જ વાર આટલું વાંચ્યું હશે. ગઈ કાલથી તો શાસ્ત્રીજી પાસે બેસીને તબલાં શીખવાનું પણ શરૂ કર્યું. બોલવામાં મુશ્કેલી પડે છે તે સિવાય ખાસ પીડા નથી.


તત્ત્વમસિ : ૨ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક)

“પહાડી શહેરની ગલીઓમાં જીપ અંદર સુધી લઈ જવાય તેટલી જગ્યા જ નથી. હું મારો સામાન લેવા ગયો ત્યાં ગુપ્તાજીએ મને રોક્યો અને ડ્રાઇવરને કહ્યું, ‘લગે હાથ ભીજવા દે કોઈ કે સાથમેં.’

અમે ખાલી હાથે આગળ ચાલ્યા. પાંચેક મિનિટમાં એક ડેલીબંધ મકાન આવ્યું. મુખ્ય દરવાજામાંની નાની ડેલી ખોલી, નમીને અમે અંદર ગયા. અંદર ચોગાન વિશાળ હતું. ચોગાનને બીજે છેડે, આ ડેલીની બરાબર સામે લાંબી પરસાળ પર હારબંધ ઓરડાવાળું ભવ્ય મકાન. ચોકની વચ્ચે તુલસીક્યારો. ડાબા હાથના ખૂણે ગમાણમાં ત્રણેક ગાય, વાછરડાં. પરસાળમાં ગાદી-તકિયાવાળો ઝૂલો. છેક સામેના ભાગે નાહવા-ધોવાની રૂમો.


તત્ત્વમસિ : ૧ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 4

“લે ખાઈ લે.”

સાવ નજીકથી જ અવાજ સંભળાય છે. કોઈ સાવ પાસે બેસીને મને કહે છે. હું ગાઢ નિદ્રામાંથી જાગતો હોઉં કે તંદ્રામાં હોઉં એમ સ્વર અને શબ્દ ઓળખવા પ્રયત્ન કરવો પડે છે. ‘લે ખાઈ લે.’ નિર્જન વનો, નિ:શબ્દ ટેકરીઓ પર ઝૂકેલા નીલાતીત આકાશને પેલે પારથી આવતા હોય તેવા ઝાંખાપાંખા શબ્દો સ્ત્રીસ્વરના છે એટલું જાણી શક્યો.

મેં પ્રયત્નપૂર્વક આંખો ખોલી. રેતાળ, પથરાળ નદીટત પર તે મારી જમણી તરફ બેઠી છે. લાલ રંગનાં ઘાઘરી-પોલકું પહેરેલી તે ગોઠણભેર બેસીને મારા પર નમેલી છે. કહે છે, ‘લે ખાઈ લે.’ તેના નાનકડા હાથમાં પકડેલો મકાઈનો ડોડો તેણે મારા મોં પાસે ધરી રાખ્યો છે.


તત્ત્વમસિ – ધ્રુવ ભટ્ટ (ઈ-પુસ્તક) 3

નદીઓમાં નર્મદા મને સર્વાધિક પ્રિય છે. આ લખાણમાં મેં પરિક્રમાવાસીઓ, નર્મદાતટે રહેનારાં – રહેલાં ગ્રામજનો, મંદિર-નિવાસીઓ, આશ્રમવાસીઓ પાસેથી સાંભળેલી વાતો અને મારા થોડા તટભ્રમણ દરમિયાન મને મળેલી વાતોનો, મારી કલ્પના ઉપરાંત, સમાવેશ કર્યો છે. સાઠસાલીની વાત પશ્ચિમ આફ્રિકાની ડૉગૉન નામની આદિવાસી જાતિની માન્યતાઓ પર આધારિત છે.

આ દેશને, તેની પરમસૌંદર્યમય પ્રકૃતિને અને તેનાં માનવીઓને હું અનહદ ચાહું છું. હું આ દેશનું, મારી ઇચ્છા છે તેટલું અટન – દર્શન કરી શક્યો નથી. જેટલું ફર્યો છું એટલા-માત્રમાં પણ મને માણસે-માણસે જીવનના જુદાજુદા અર્થો મળ્યા છે. બીજા દેશો મેં જોયા નથી. જોયા હોત તો ત્યાં પણ આવો જ અનુભવ થાત તેવો વિશ્વાસ ઊંડે ઊંડે છે.

– ધ્રુવ ભટ્ટ


‘સમુદ્રમંથન’ અને ‘અકૂપાર’ – એક જ દિવસે માણેલા બે નાટકોની વાત.. 7

વર્ષોથી ખારવાઓની આસપાસ, દરિયાની આસપાસ રહેતા હોવાથી તેમના જીવન પ્રત્યે, જીવન પદ્ધતિ પ્રત્યે એક અજબનું આકર્ષણ સર્જાયું છે એમ હું મારા માટે કહી શકું. ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસકથાઓ હોય કે શ્રી હસમુખ અબોટી ‘ચંદન’નો અક્ષરનાદ પરનો આ લેખ હોય, કે મારી જાફરાબાદથી મુંબઈની દરિયાઈ સફર હોય.. દરિયો હંમેશા મને ખેંચે છે. એટલે જ્યારે અમદાવાદના ફિલ્મ સ્ક્રિપ્ટ વર્કશોપમાં અદિતિબેન દેસાઈએ શ્રી હસમુખ અબોટી ‘ચંદન’ની વાત આધારિત નાટક ‘સમુદ્રમંથન’ અને ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા પર આધારિત નાટક ‘અકૂપાર’ના મંચન વિશે જણાવ્યું તો એ જોવાનો નિર્ધાર અનાયાસ જ થઈ ગયો. એ માટે મહુવાથી ખાસ અમદાવાદ જવું પડ્યું.. આજે પ્રસ્તુત છે એ બંને નાટકો વિશેનો મારો દ્રષ્ટિકોણ. હું કોઈ ક્રિટિક કે રિવ્યુઅર તરીકે નહીં પણ એક અદના દર્શક તરીકે મારી વાત મૂકવા માંગુ છું.


બે ભજનરચનાઓ.. – ધ્રુવ ભટ્ટ 9

સદભાવના યાત્રા દરમ્યાન ધ્રુવભાઈએ હિન્દીમાં સાંભળેલા અને તેમને ખૂબ ગમી ગયેલા ભજનને તેમણે ગુજરાતીમાં પ્રસ્તુત કરવાનો યત્ન કર્યો છે. હિન્દીમાં પ્રસ્તુત થયેલા આ ભજનો લોકોને ખૂબ ગમ્યા હતા. ગુજરાતીમાં પ્રસ્તુત થયેલા આ ભજનોને જન્મેજય વૈદ્ય દ્વારા સ્વરાંકિત કરવામાં આવ્યા છે જેનો ઑડીયો પણ ધ્રુવભાઈએ પાઠવ્યો છે. રતનપર, સણોસરા અને ઉંઝાની કોલેજમાં આ ભજનો પ્રાર્થના સમયે ગવાઈ રહ્યાં છે. પ્રસ્તુત ભજનરચનાઓ અને તેના ઑડીયો અક્ષરનાદને પાઠવવા બદલ ધ્રુવભાઈનો આભાર્. આશા છે વાચકોને સાથે સાથે સાંભળવાની પણ મજા આવશે.


તિમિરપંથી – ધ્રુવ ભટ્ટ 3

આ વાત છે એક અજાણ્યા પણ જાણીતા લોકોની, નવલકથા ‘તિમિરપંથી’ એક એવા વર્ગની વાત કરે છે જેને કાયદાએ જન્મથી જ ગુનેગાર ગણ્યા છે તથા સભ્ય સમાજે જેને અવગણી કાઢ્યા છે. લેખકે અનેક વિષમ પરિસ્થિતિઓમાં કપરા સ્થળોએ જઇ આ નવલકથા લખી છે. છારા અથવા તો આડોડિયા તરીકે ઓળખાતા મનુવંશીઓને મળીને તેમની વાતો, તેમના રીવાજો, તેમનું જીવન અને તેમની લાગણીઓને સમજવા લેખકે પ્રયત્ન કર્યો છે. રાતના અંધારામાં સિફતથી પોતાનું કામ કરીને ઓગળી જતા લોકો વિશેની વાયકાઓ અને ૬૪ કળામાં એક કળા ગણાયેલ આ માનવસમાજ વિશેની વાત ધ્રુવભાઈ આ પુસ્તકમાં કરે છે.


ધ્રુવ ભટ્ટની નવી નવલકથા ‘તિમિરપંથી’ + Meet & Greet Contest 12

શ્રી ધ્રુવ ભટ્ટની નવી નવલકથા ‘તિમિરપંથી’ ફક્ત ઈ-પુસ્તક તરીકે પ્રસ્તુત થઈ રહી છે. પુસ્તક વિમોચનને અનુલક્ષીને અક્ષરનાદ એક વિશેષ વાત લઈને આવ્યું છે. ધ્રુવભાઈના લેખન કે તેમના સર્જેલા પાત્રો વિશે ટૂંકમાં આપનો પ્રતિભાવ અહીં આપશો. શ્રેષ્ઠ ત્રણ પ્રતિભાવો આપનારને ધ્રુવભાઈને મળવાનો અને તેમની સાથે વાત કરવાનો અવસર પુસ્તક વિમોચનના દિવસે મળી શક્શે. આ સુવિધા માટે અહીં આપ આજથી લઈને ૨૨ તારીખ સવારે ૧૨ વાગ્યા સુધી પ્રતિભાવ આપી શક્શો.


રૂમી, રાબિયા અને હું (લવલી પાન હાઉસ) – ધ્રુવ ભટ્ટ 4

ધ્રુવભાઈ ભટ્ટની સુંદર નવલકથા ‘લવલી પાન હાઉસ’નો એક સુંદર ભાગ આજે પ્રસ્તુત કર્યો છે. ધ્રુવભાઈની એ વિશેષતા રહી છે કે તેમની નવલકથાના પાત્રો વાચકના મનમાં એક વિશેષ છાપ મૂકી જાય છે. ‘લવલી પાન હાઉસ’ એમાં અલગ નથી. રાબિયા, રૂબી અને વલીભાઈના પાત્રો, લવલીના મહદંશે બધા જ પાત્રો વાચકના મનને એક કે બીજી રીતે સ્પર્શે છે. આજે તેમાંથી જ આ સુંદર ભાગ પ્રસ્તુત છે.


 ‘Khamā Gayrne’. (Akoopar in English) – Dhruv Bhatt 7

શ્રી ધ્રુવ ભટ્ટની ગીરની સંસ્કૃતિ અને લોકજીવનનો, એ સુંદર અને પ્રકૃતિના આશિર્વાદોથી લચી પડેલા પ્રદેશની વિશેષતાઓનો અને વન્યસૃષ્ટિ સાથેના માનવના સહજીવનનો, માન્યતાઓનો પરિચય કરાવતી સુંદર નવલકથા અકૂપાર માંથી આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુતિ થઈ છે. અકૂપારનો હાલમાં જ અંગ્રેજીમાં અનુવાદ પ્રો. પિયુષ જોશી અને ડૉ. સુરેશ ગઢવીએ કર્યો છે. અકૂપારના આ અંગ્રેજી સંસ્કરણમાંથી થોડો ભાગ આજે અક્ષરનાદના વાચકો માટે ધૃવભાઈની પરવાનગી સાથે ઉપલબ્ધ કરાવ્યો છે. આ પહેલા સમુદ્રાન્તિકેનો પણ અંગ્રેજી અનુવાદ રજૂ થયેલો છે. અકૂપારના અંગ્રેજી સંસ્કરણ માટે ધ્રુવભાઈને અભિનંદન સહ શુભકામનાઓ.


અમાસને દા’ડે દરિયો ના’વો છ… (સમુદ્રાન્તિકે) – ધ્રુવ ભટ્ટ 7

શ્રી ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા ‘સમુદ્રાન્તિકે’ માંથી સાભાર. પ્રસ્તુત રચના અક્ષરનાદને પ્રસ્તુત કરવાની પરવાનગી બદલ ધ્રુવભાઈનો આભાર. દરીયાનું સતત સાંન્નિધ્ય જે રીતે મને પ્રિય છે એવો જ કાંઈક ભાવ પ્રસ્તુત વાતમાં એક વૃદ્ધા કહે છે, ધ્રુવભાઈ તેમને શબ્દો આપે છે, “આ વૃદ્ધ સ્ત્રી ભલે ધાર્મિક તહેવારે અહીં આવી છે, પરંતુ તેને અહીં સુધી ખેંચી લાવનાર માત્ર ધર્મ નથી. એ તો આવી છે તહેવારને બહાને પોતાના દરિયાને મળવા. એ દરિયો, જેણે તેના બાળપણને શંખલા-છીપલાંની ભેટ ધરી શણગાર્યુ છે. તેની યુવાનીને મૃદુ તરંગોથી ભીંજવી છે અને સમગ્ર જીવનના કડવા- મીઠા અનુભવોનો સાક્ષી રહ્યો છે.” દરીયા વિશેની આવી સુંદર વાત પ્રસ્તુત કર્યા વગર કઈ રીતે રહી શકાય?


ત્રણ વરસાદી ગીત.. – ધૃવ ભટ્ટ 14

‘તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
તે ગીત કહો મારાં કહેવાય કઈ રીતે’

કહીને પોતાના ગીતોને સર્વના આનંદ માટે ખુલ્લા મૂકી દેનાર સર્જક એટલે ધૃવભાઈ ભટ્ટ. હું અને મૃગેશભાઈ તેમને મળવા ગયેલાં ત્યારે તેમણે ભેટ કરેલી ગીતોની આ પુસ્તિકા, ‘ગાય તેનાં ગીત’ માંથી ઉપરોક્ત ત્રણ વરસાદી ગીતો આજે પ્રસ્તુત કર્યા છે. મૌસમ પણ છે, મિજાજ પણ છે અને કાચા સોનાને ઝીલવાની તાલાવેલી પણ ખરી ! પ્રસ્તુત ગીતો અક્ષરનાદ પર મૂકવાની પરવાનગી બદલ શ્રી ધૃવભાઈનો આભાર.


ઓચિંતુ કોઇ મને રસ્તે મળે… – ધ્રુવ ભટ્ટ (Audiocast) 15

અક્ષરનાદના જન્મદિવસે ગત વર્ષથી શરૂ કરેલ આયોજનને આગળ વધારવાના પ્રયત્નરૂપ અક્ષરપર્વ – ૨ ના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે ગત વર્ષે યોજાયેલા અક્ષરનાદના સુંદર પર્વની યાદોમાંથી મેં ગાયેલું એક ગીત આજે પ્રસ્તુત છે. શ્રી ધ્રુવ ભટ્ટનું આ ગીત આમેય મારી કાયમી પસંદગી છે. અને અક્ષરપર્વમાં પણ મેં એ જ ગાયુ હતું. હાર્દિકભાઈ યાજ્ઞિકના સંચાલન હેઠળ યોજાયેલ ‘સૂર ઉમંગી’ આયોજનની આ અનેરી યાદ સતત મનમાં રહી છે, અને એટલે જ આ આયોજનનો વિડીયો પહેલા મૂક્યો હોવા છતાં આજે ફરી તેને ઑડીયો સ્વરૂપે યાદ કરવાનું મન થયું. આશા છે આપને ગમશે. ગત વર્ષે યોજાયેલા અક્ષરપર્વના વિડીયો અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.


બે કાવ્ય રચનાઓ – ધ્રુવ ભટ્ટ 1

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત બંને રચનાઓ અનોખા ભાવવિશ્વની નિપજ છે, પ્રથમ રચનામાં ક્ષણની – સમયની વાત કરતાં તેઓ સાધુવાદ તરફ ગતિ કરતા જણાય છે, એક ફિલસૂફની અદાથી તેઓ જ્યાં કાવ્યમાં ક્ષણ સ્વરૂપે જીવનકાળને કલ્પી બતાવે છે, ‘પળના દિવાલ બારી પળની રવેશ છે’ કહીને તેઓ જીવનની ક્ષણભંગુરતા દર્શાવે છે, અને અંતે ‘મેં એટલે સમયને એ રીત પારખ્યો છે’ કહીને જીવનની વ્યાખ્યા કરવાનો યત્ન પણ કરતા જણાય છે, તો બીજી રચના પ્રેમીઓના માનસજગતમાં ડોકીયું કરાવે છે, લાંબા સમયના સંગાથ છતાં પ્રેમીને મનમાં એક સવાલ, ‘મને પરણશો?’ ન પૂછી શકાયાનો વસવસો ઉગતો જણાય છે, પણ પછીની પંક્તિઓમાં પ્રેમની પરિભાષા સહજતાથી સમજાય એવી સુંદર રીતે કવિ આલેખે છે, ઉત્તરની નિરર્થકતા સમજાઇ જાય એવી સરળ વાત કહે છે. આ બંને રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબનો ખૂબ ખૂબ આભાર.


બે ઉર્દુ ગઝલો – ધ્રુવ ભટ્ટ 3

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબ આપણી ભાષાના આગવા લેખક છે, તેમની નવલકથાઓથી અજાણ વાચક શોધવો અઘરો છે, તો સાથે સાથે તેમના ગીતો પણ મનમાં ગૂંજારવ પ્રેરતા રહે છે. તેમની નવલકથાઓ સમુદ્રાન્તિકે, તત્વમસી, અતરાપી, અકૂપાર, કર્ણલોક, અગ્નિકન્યા હોય કે તેમના ગીતોનો સંચય ‘ગાય તેના ગીત’, લેખન પ્રત્યેની આગવી સૂઝ, ઉંડાણ અને નિરાળી પદ્ધતિ તેમની વિશેષતાઓ રહી છે. આજે એ બધાથી કાંઈક અલગ એવી બે ઉર્દુ ગઝલો તેમણે અક્ષરનાદને પાઠવી છે. આશા છે આ નવા પદાર્પણમાં પણ તેઓ સદાની જેમ શ્રેષ્ઠ અને અનોખું આપશે. અક્ષરનાદને આ કૃતિઓ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


ખુલ્લી મૂકી વખાર અમે…. – ધ્રુવ ભટ્ટ 2

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત રચના તેમના ખૂબ સુંદર અને અર્થસભર ગીતોનાં સંચયની પુસ્તિકા “ગાય તેનાં ગીત” માંથી સાભાર લીધી છે. વખાર ખુલ્લી મૂકીને ચાલતા થવાની ઘટના કઈ વાતનો નિર્દેશ કરે છે? કદાચ અહીં છૂપી રીતે મૃત્યુ તરફનો ઇશારો તો નથી ને? ગમે તેવી પરિસ્થિતિઓમાં, ગમે તેવી ઘટનાઓની સાથે પણ ચાલતા રહેવાનું રહ્યું, છોડીને જવાનું છે એ જાગૃતિ સતત મનમાં પડઘાતી રહી, એ હોય તો ગમે તેવો નશો થાય, રસ્તામાં ગમે તેવું પ્રલોભન મળે છતાંય એ ચાલવાનું અટકતું નથી. અને અંતિમ બે શે’રમાં તો તેમણે અનેરી ચમત્કૃતિ કરી છે. આવા સુંદર પ્રયોગોથી જ આ રચના સાદ્યાંત માણવાલાયક થઈ છે.


દરિયાની વાતો કંઈ વાયકાઓ હોય નહીં – ધ્રુવ ભટ્ટ 6

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત રચના તેમના ખૂબ સુંદર અને અર્થસભર ગીતોનાં સંચયની પુસ્તિકા “ગાય તેનાં ગીત” માંથી સાભાર લીધી છે. કુદરતના તત્વો સાથેનો માણસનો અવિનાભાવિ સંબંધ અને એ તત્વોના સૂરોને હ્રદય સાથે જોડતો, તાદમ્ય સાધતો તાર આપણને તેમની દરેક કૃતિ, દરેક રચનામાંથી અચૂક મળવાનો. તેમની પ્રથમ નવલકથા સમુદ્રાન્તિકે હોય કે તત્વમસિ, હાલમાંજ પ્રસિદ્ધ થયેલી ગીરની ગાથા – અકૂપાર હોય કે અતરાપિ. પ્રસ્તુત રચનામાં દરિયા વિશેની આવી જ લાગણી પ્રસ્તુત થઈ છે, દરિયા વિશેની વાતો કાંઈ સામાન્ય વાયકાઓ ન હોય, એ તો અનેક પેઢીઓના અનુભવોનો સાર છે, એ વાયકાઓના પગલાં ભૂતકાળની કેડીએ ઘણે દૂર સુધી લઈ જાય, દરિયા વિશે દરેકનું પોતાનું એક દર્શન હોય છે, દરિયો જ શું કામ, કુદરતના દરેક તત્વનું બધાંનું આગવું અર્થઘટન હોય છે એમ કહેતા રચનાકાર ગહનતામાં કેટલે ઉંડે સુધી પહોંચાડે છે….? કદાચ એ આપણા દ્રષ્ટિકોણ પર નિર્ભર છે.


ગીરની પ્રાકૃતિક સૃષ્ટિનો ધબકાર = અકૂપાર – ધ્રુવ ભટ્ટ 9

નવનીત સમર્પણ માસિકમાં સત્તત લોકપ્રિયતાના શિખરો સર કર્યા પછી શ્રી ધ્રુવ ભટ્ટની ગીર અને ત્યાંની સંસ્કૃતિ અને લોકજીવનનો, એ સુંદર અને પ્રકૃતિના આશિર્વાદોથી લચી પડેલા પ્રદેશની વિશેષતાઓનો અને વન્યસૃષ્ટિ સાથેના માનવના સહજીવનનો, માન્યતાઓનો પરિચય કરાવતી સુંદર નવલકથા અકૂપાર હાલમાં જ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્રારા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. ગીરના જંગલોની પ્રાકૃતિક સૃષ્ટિનો ધબકાર રેલાવતી આ કથા દરેક પ્રકૃતિપ્રેમીએ વાંચવી જ રહી. શ્રી ભટ્ટ સાહેબની નવલકથાઓ આમ પણ આગવો ચીલો ચાતરતી રહી છે, અને ગીરની સાથે એક અનોખું આકર્ષણ હોવાને લીધે અને અનેક પાત્રો તેમજ પ્રસંગે જાણે અમારા સાવ પરિચિત હોય તેમ લાગવાને લીધે આ નવલકથા મારા હૈયાની ખૂબ જ નજીક છે. પ્રસ્તુત છે નવનીત સમર્પણના અંક માંથી તેનો એક નાનકડો ભાગ. પુસ્તક પ્રાપ્તિ માટે ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો સંપર્ક ફોન +૯૧ ૭૯ ૨૨૧૪૪૬૬૩ પર કરી શકાય છે. પુસ્તકની કિંમત ૨૦૦/- રૂપિયા છે.


“તત્વમસિ” નવલકથા વિશે મારી વિચારયાત્રા – જીજ્ઞેશ અધ્યારૂ 6

નવલકથા “તત્વમસિ” નર્મદા અને તેની આસપાસના વનો, જીવન અને સૌથી વિશેષ એક પાત્રની “પર” થી “સ્વ” સુધીની યાત્રાની વાત આલેખાઈ છે. ૨૦૦૨ માં ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનારી આ કથા સહજીવનની કથા છે, માનવની માનવ સાથે, કુદરત સાથે, લોકમાતા નર્મદા જેવી નદી સાથે અને સમગ્ર સંસ્કૃતિ સાથે. નવલકથાને શરૂઆતથી અંત સુધી સાંકળતી કડી સ્વરૂપે લોકમાતા નર્મદા અને તેની આસપાસના વિસ્તારોનું મનોહર વર્ણન છે. સચોટ અને સત્યાર્થ ધરાવતું વર્ણન અને જ્ઞાનના ભાર વગરની ફીલસૂફી જ આ નવલકથાનું હાર્દ બની રહે છે. તો પ્રસ્તુત છે શ્રી ધૃવ ભટ્ટ સાહેબનું સુંદર સર્જન “તત્વમસિ” વિશે મારી વિચારયાત્રા