સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ચેતન ઠાકર


નવી પેઢી વેદ અને ટેકનોલોજીનો સમન્વય કરશે – ચેતન ઠાકર 21

વેદ એ ઋષિ મુનીઓનું સ્વયંનું રિસર્ચ છે જે ને આપણે કાંં તો નકામું સમજયું અને કાંં તો ધાર્મિક લોકો માટેનું સમજયું વાસ્તવમાં ઋષિ મુનીઓએ તેનું સર્જન સમસ્ત માનવ જાતના કલ્યાણ અર્થે કરેલું છે જેથી માનવ માત્ર જીવનમાં રહેલા દિવ્ય આનંદનો અનુભવ કરી શકે ટૂંકમાં વિજ્ઞાન રૂપી, આનંદ રૂપી અમૃતને દરરોજ ખોબે-ખોબે પી શકે તેવી જીવન શૈલીની વાત સમજાવી છે.


માત્રાથી વધારે લેવાથી અમૃત પણ ઝેર બની જાય છે.. – ચેતન ઠાકર 9

મનની આ સ્થિતિ સર્જાવાનું નું કારણ શું? ખાસ કરીને આજથી એકવીસ દિવસ આપણે સૌએ ઘરમાં જ રહેવાનું છે. સતત પ્રવૃત્ત રહેતા માણસ માટે ઘરનો દરવાજો લક્ષ્મણરેખા બની જાય ત્યારે આટલો બધો સમય મજબૂરીમાં અંદર રહેવું જરૂરી હોવા છતાં એ માનસિક અસર છોડી જ જવાનો. તો આ નિરાશા અને કંટાળાની લાગણીને નકારાત્મક બનતા કેમ અટકાવવી?


સુનંદા વશિષ્ઠ : ધ વૉરિઅર – ચેતન ઠાકર 11

કહેવાય છે કે ‘હિસ્ટ્રી નેવર રીપીટ’ પરંતુ હંમેશા ઇતિહાસ સમયાંતરે પુનરાવર્તન કરતો જ હોય છે તેના સ્વરૂપ અને માર્ગમાં ચોક્કસ ફેરફાર હોઈ શકે. આજે મારે કંઈક આવી જ ખુશીથી તરબતર કરી દે અને ગર્વ થાય એવી એક વાત કરવી છે જેમાં ઇતિહાસ કેવી રીતે પુનરાવર્તિત થાય છે તેનું સચોટ ઉદાહરણ છે. અહીંયા વાત છે વર્તમાન ભારતની એક લોખંડી સ્ત્રીની કે દીકરીની જેનું નામ છે સુનંદા વશિષ્ઠ. તેમને ટીવી ઉપર કે યુ-ટ્યુબ ઉપર બોલતા જોવા અને સાંભળવા તે દરેક ભારતીય માટે ગૌરવ આપનારી ઘટના છે. તેના વખાણ કરવા માટે મારી પાસે શબ્દો નથી.


Rangoli by Hardi Adhyaru

દિવાળી : અતુલ્ય ભારતનો અનન્ય ઉત્સવ – ચેતન ઠાકર 11

અતુલ્ય ભારત – Incredible India! આ શીર્ષક બદલ ભારત સરકારને અભિનંદન આપીએ એટલા ઓછા છે, આપણાં વિશાળ અને વિવિધતાથી છલોછલ દેશને એક જ શબ્દમાં રજુ કરવાનું લગભગ અશકય કહી શકાય તેવું કાર્ય આ બે શબ્દો બખૂબી પૂર્ણ કરે છે. આ પૂર્વભૂમિકા બાંધવાનું કોઈ ખાસ કારણ નથી, પરંતુ મારી અંદર રહેલા લેખકના જીવને છેલ્લા થોડા દિવસોથી સતત ઇચ્છા થતી કે દિવાળી જેવો સર્વેના સમન્વયનો, સ્નેહ અને ઉમંગનો, માનસીક રીતે સંપૂર્ણપણે રિચાર્જ કરતો તહેવાર આવે છે તો તેના વિષે કંંઈક વિશેષ લખવું છે.