Yearly Archives: 2009


ઇન્ડીબ્લોગરની શ્રેષ્ઠ સ્વરચિત કાવ્યકૃતિ સ્પર્ધા…. 2

ભારતીય ભાષાઓના બ્લોગર મિત્રોનો સહીયારો મંચ એટલે ઇન્ડીબ્લોગર.ઇન ( http://www.indiblogger.in ). આ વખતે તેમના દ્વારા યોજાયેલી શ્રેષ્ઠ સ્વરચિત પદ્ય કૃતિ અથવા શ્રેષ્ઠ ઓરીજીનલ પોએટ્રી માટેની સ્પર્ધા અંતર્ગત વિવિધ ભાષાઓના કુલ 185 બ્લોગ્સ તેમની વિવિધ કૃતિઓ સાથે સ્પર્ધામાં છે. આવી કોઇ પણ સ્પર્ધામાં સૌ પ્રથમ વખત અક્ષરનાદ.કોમ પણ એક ઉમેદવાર તરીકે છે. વોટીંગ અંગેની વિગતો માટે આ વિગત વાંચો.


નવું પ્રભાત, નવી આશાઓ….. – સંપાદકીય 1

વિક્રમ સંવત 2066 નું નવું વર્ષ શરૂ થઇ ગયું છે. દિપાવલીની ઉજવણી થઇ ગઇ, ફટાકડા ધૂમાડો થઇને વાયુમંડળમાં ભળી ગયા, મિઠાઇઓ ખવાઇ ગઇ અને નવું વર્ષ આમ જ સહજ રીતે શરૂ થઇ ગયું. નવું વર્ષ ઘણી નવી આશાઓ સાથે, અપેક્ષાઓ સાથે આવ્યું છે. અક્ષરનાદ વેબસાઇટ વિશેની અનેકો અપેક્ષાઓ અને તેમને મૂર્ત સ્વરૂપ આપવાની યોજનાઓ વિશે આજે આપ સૌ સાથે વાત કરવાનો ઉત્તમ અવસર છે એમ મારું માનવું છે.


વાંધો નહીં દીકરી – જીગ્નેશ ચાવડા 13

શ્રી જીગ્નેશ ચાવડાની પદ્ય રચનાઓ આપે અક્ષરનાદ પર આ પહેલા પણ માણી છે, આજે પ્રથમ વખત તેમના તરફથી તેમના અનુભવની વાત સાંભળીએ. બસના એક નાનકડા અનુભવની વાત માનવ માનસની એક સુંદર અને એક વરવી બાજુનું પ્રદર્શન કરે છે. શ્રી જીગ્નેશ ચાવડાનો વાર્તા લેખનમાં આ પ્રથમ પ્રયત્ન છે, આવી જ કૃતિઓ તેમના તરફથી માણવા મળે તેવી ઇચ્છા સાથે તેમને શુભેચ્છાઓ.


કરમાયેલું પીળું ગુલાબ! – જીગ્નેશ અધ્યારૂ 10

મારી રચનાઓ ગેય નથી હોતી કે છંદમાં નથી બેસતી એવી મિત્ર વિકાસ બેલાણીની હંમેશની વાતને લીધે જાણ્યે અજાણ્યે હવે અછાંદસ રચનાઓ તરફ વળી રહ્યો છું. એક ફૂલની સાથે સંકળાયેલા પ્રથમ પ્રેમના સંસ્મરણોને વાચા આપતી આ અછાંદસ રચના શાળા – કોલેજોમાં ઉજવાતા ફ્રેન્ડશીપ ડે થી શરૂ થાય છે. હજાર દેખાડાઓમાં ક્યાંક એક સાચો પ્રેમ પણ આ પીળા ફૂલની જેમ કરમાતો હશે? કદાચ હા, કદાચ ના !


માતા-પિતાને, શિક્ષકોને….. – સંકલિત 1

ગિજુભાઇ બધેકા, મેડમ ડો. મોન્ટેસરી જેવા બાળમાનસના અભ્યાસુઓએ માતા પિતા અને શિક્ષકો માટે ઘણાં માર્ગદર્શક રસ્તાઓ અને બાળ ઉછેરનું સાહિત્ય આપ્યું છે. ગિજુભાઇ બધેકા તો આ ક્ષેત્રના એક આધારભૂત સીમાસ્તંભ ગણાય છે. આજે આવીજ કેટલીક સંકલિત વાતોમાં બાળ ઉછેર અને તેમના માનસ વિશેની કેટલીક વાતો અત્રે પ્રસ્તુત છે. બાલમૂર્તિ માસીકના અંકોના મુખપૃષ્ઠોમાંથી આ કંડીકાઓ લેવામાં આવી છે.


શકુની ની રોજનીશી – જીજ્ઞેશ અધ્યારૂ 11

હિન્દીમાં શ્રી શિવકુમાર મિશ્ર અને જ્ઞાનદત્ત પાંડેજી ના બ્લોગ પર એક પોસ્ટ જોઇ, તે પરથી આવેલા વિચારના આધારે આ પોસ્ટ ઉપસી આવી. જો કે આ ફક્ત એક ગમ્મત ખાતર લખાઇ છે,અને તેને એટલી હળવાશથી જ માણવા વિનંતિ છે. મહાભારત એક મહાન ધર્મગ્રંથ છે, અને કોઇ પણ શબ્દે તેને તથા તેની મહાનતાને ઠેસ પહોંચાડવાનો કોઇ હેતુ નથી. છતાં જો કોઇ લાગણી દુભાય તો એ માટે પ્રથમથી ક્ષમા માંગી લઉં છું. આશા છે સામાન્ય હાસ્ય નિષ્પન્ન કરવાનો આ પ્રયત્ન સફળ રહેશે.


પરમ સખા મૃત્યુ – કાકા કાલેલકર 5

મરણ અંગે શ્રવણ મનન અને ચિંતન કરીને પોતે જે કાંઇ પણ પામ્યા એ તમામનો સંગ્રહ કરીને કાકા કાલેલકરે આ પુસ્તક પરમ સખા મૃત્યુમાં આપ્યો હતો. દરેક પરિવારના પરિચિત સમાજમાં અવારનવાર કોઇ ને કોઇ મૃત્યુ થતું રહે છે. તે નિમિત્તે સ્મશાનમાં કે સદગતને ઘરાઅંગણે દુ:ખમાં સહભાગી બનવા એકત્રથતા લોકોના વિચારોને સાચો માર્ગ આપવાનો કાકા કાલેલકરનો આ પ્રયત્ન છે. આ પુસ્તકના થોડાક અંશો અત્રે મૂક્યા છે.


સંબંધો – ડીમ્પલ આશાપુરી 4

સંબંધો ! આખરે સંબંધો એટલે શું? જ્યારે કોઇ પંખી તેની ચાંચમાં પરોવાયેલ અન્નના દાણાને બચ્ચાની ચાંચમાં નાખે, એ છે સંબંધ, જ્યારે રેતીના કણો હવા સાથે ભળીને હિલ્લોળે ચડે એ છે સંબંધ, જ્યારે કોઇ નિર્દોષ પતંગીયું દીવામાં પોતાની આહુતી આપે એ છે સંબંધ, જ્યારે મહેંદી હાથમાં લગાડીએ અને એના લેશમાત્ર સ્પર્શથીજ કુમકુમ હસ્ત થાય એ છે સંબંધ. સંબંધો …. ક્યારેક ઝાકળ જેવા અલ્પ તો ક્યારેક વિશાળ વર્ષા હેલી જેવા, ક્યારેક ભાસે તેમાં અંગારારૂપી ભાસ્કર તો ક્યારેક ચંદ્રરૂપી શીતળતા, ક્યારેક તરુવર કેરી હરીયાળી તો ક્યારેક રણ રૂપી શુષ્કતા, ક્યારેક વસંતકેરૂ યૌવન તો ક્યારેક પાનખરરૂપી વૃધ્ધત્વ, ક્યારેક મોગરાના પર્ણો જેટલી મલિનતા તો ક્યારેક પારેવાની ભોળાશ, ક્યારેક ફૂલની કોમળતા તો ક્યારેક કંટકભરી વેદના, ક્યારેક પર્ણોની પલળાશ તો ક્યારેક કટ્ટરતાનો દાવાનળ. અહીં ફક્ત ચાલે છે અઢી અક્ષરનું રાજ, એ પણ વળી દ્વિઅર્થી…. કોઇ રાખે ‘પ્રેમ’, તો વળી કોઇ દાખવે ‘દ્વેષ’, પણ અંતે જેમાં છે અપેક્ષાઓનો કુબેર ભંડાર, તે છે સંબંધ. અધુરો છે, માનવી ખરેખર અધુરો છે એના વિના…. સંબંધ મનુષ્યને, તેના હાર્દને જીવંતતા બક્ષે છે, એના વિના ભાસે જાણે પરિવાર વગરનું મકાન, કલગી વિનાનો મોર, શબ્દો વિનાનું ગીત ને લાગણી વગરનો માનવી…..


વેળાસર જતા રહીએ – જલન માતરી 5

મૃત્યુ એ કદી અવગણી ન શકાય એવી હકીકત છે. મૃત્યુને ઘણાં સહજતાથી સ્વીકારે છે, ઘણાં તેનાથી ડરે છે, ઘણાં તેને ઉમંગથી આવકારે છે. મૃત્યુના વિવિધ રસ્તાઓ છે અને ફક્ત એક મંઝિલ છે. પ્રસ્તુત ગઝલમાં શ્રી જલન માતરી સાહેબ મૃત્યુને સહજતાથી, આવકારે છે, પરંતુ એ મૃત્યુના સમયે મનમાં સર્જાતી ભાવનાઓને વાચા આપી રહ્યા છે. વેળાસર જતા રહેવાની તેમની આ વાત ખૂબ સરળ પણ ગહન છે.


જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ – મંગેશ પાડગાંવકર, અનુ. સુરેશ દલાલ 6

10 માર્ચ 1929 ના રોજ મહારાષ્ટ્રના રત્નાગિરીમાં જન્મેલા કવિ લેખક શ્રી મંગેશ પાડગાંવકર અછાંદસ કવિતાઓના અનોખા જાદુગર છે. તેમની કેટલીક મરાઠી કવિતાઓના ગુજરાતી અનુવાદો કરીને ‘કવિતાસંગમ’ – મરાઠી કવિતા હેઠળ 1977માં શ્રી સુરેશ દલાલે સંપાદિત કર્યા છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં શ્રી ઉમાશંકર જોશી કહે છે તેમ, “જમાનાની વિગતો આરપાર, તેના ઉંડાણમાં કવિની વાત રમતી હોય છે.” જ્યારે આપણે પ્રેમ કરીએ છીએ, સલામ, વિદુષક, હિપ્નોટીસ્ટ, મારાં ઘેટાંઓ, પ્રારંભ વગેરે તેમની કેટલીક અનન્ય અપ્રતિમ સુંદર અને મને ખૂબ ખૂબ ગમતી રચનાઓ છે. આજે તેમાંથી એકનો આનંદ આપ સૌ સાથે વહેંચી રહ્યો છું.


ટૂ કપ ટી અને અન્ય હાસ્યપ્રસંગો – સ્વામી આનંદ 5

હિંમતલાલ દવેનો જન્મ લીંમડી પાસેના શિયાણી ગામે થયો હતો. ઘર છોડીને સન્યાસી બન્યા પછી ભારતભરમાં ખૂબ ભ્રમણ કર્યું. ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી સ્વામી આનંદ ‘નવજીવન’ ના પ્રકાશનમાં જોડાયા. તેમના પુસ્તકોમાં અનોખા અનુભવ પ્રસંગો આલેખાયા છે અને પ્રસ્તુત પ્રસંગો સ્વામી આનંદ લિખીત અને દિનકર જોશી સંપાદીત ‘આંબાવાડીયુ’ માંથી લેવામાં આવ્યા છે. ધોરણ 6ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પણ તેમને સ્થાન મળ્યું છે અને આ ખૂબ સરળ માનવસ્વભાવનો પરિચય કરાવતા પ્રસંગો ટૂચકાની જેમજ સહજ હાસ્ય પ્રેરે છે.


ગાંધીકથામાંથી ત્રણ પ્રસંગો – ઉમાશંકર જોશી 8

શ્રી ઉમાશંકર જોશીએ એમના સંસ્કૃતિ માસીકમાં 1969ના ગાંધી શતાબ્દી વર્ષના જાન્યુઆરી થી ઓક્ટોબર સુધીના વિવિધ અંકોમાં રજુ કરેલા 125 પ્રસંગો ‘ગાંધીકથા’ પુસ્તક સ્વરૂપે પ્રસિધ્ધ થયા છે. એક પ્રતાપી યુગપુરૂષ અને એક મોટા કવિના જીવન અને કલમનો સુભગ સમંવય તેમાં થયેલો જોવા મળે છે. આજે એ ગાંધીકથાઓના ત્રણ પ્રેરણાદાયી પ્રસંગો પ્રસ્તુત કર્યા છે. આશા છે આજના રાજકારણીઓ તેમાંથી થોડુંક ગ્રહી શકે.


હંમેશા વાગ્યા કરે – ડીમ્પલ આશાપુરી 8

આધુનિક સમયમાં બનતી કુદરતી અને કૃત્રિમ આફતો માણસને હંફાવી દે છે કે જેનો એ આદી બની ટેવાઇ ગયો છે. ક્યારેક ભૂકંપની ભીંસમાં તો ક્યારેક બોમ્બ બ્લાસ્ટમાં, ક્યારેક કોમી રમખાણોમાં તો ક્યારેક આતંકવાદનો શિકાર એવા એક સામાન્ય માણસની મદદ કરવાની તાકાત આજના યંત્રવત માણસમાં નથી અને એ કાંઇ કરી પણ ન શકે કારણકે એ પણ પરિસ્થિતિથી હારેલો – ટેવાયેલો માણસ. આવાજ હારેલા માણસની કોરપ હંમેશા મને વાગ્યા કરે છે. પ્રસ્તુત છે એ જ લાગણીની અભિવ્યક્તિ આ અછાંદસ દ્વારા.


કર્મ નો સંગાથીનું પ્રતિકાવ્ય – જયકાંત જાની 5

થોડા સમય પૂર્વે અક્ષરનાદ પર કર્મનો સંગાથી…. – મીરાંબાઇનો અમૃત પ્યાલો એ શીર્ષક હેઠળ કર્મનો સંગાથી રાણા મારું કોઇ નથી એ સુંદર ભાવવહી ભજન મૂક્યું હતું. રાણાજીને કર્મની ગહન ગતિ વિશે સમજાવતી મીરાંના ખૂબ માર્મિક ભજનના ખૂબ સુંદર પ્રતિકાવ્યની રચના આપણા વાંચકમિત્ર શ્રી જયકાંતભાઇ જાનીએ કરી છે. અક્ષરનાદને આ સુંદર રચના પ્રકાશિત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


જીવન થોડું રહ્યું… (ભજન)

જીવનને અંતે મૃત્યુ એ નકારી ન શકાય એવી નક્કર હકીકત છે. આપણા સાહિત્યમાં એવી ઘણી રચનાઓ છે જે જીવનની ક્ષણભંગુરતા વિશે સાનમાં સમજાવવાનો યત્ન કરે છે. અનિશ્ચિત્ત જીવનનો અંત ગમે ત્યારે આવી શકે તેવી વાત સમજાવતા પ્રસ્તુત ભજનમાં પ્રભુભક્તિ અને આત્માના કલ્યાણના માર્ગે ચાલવાનું અને દુન્યવી લોભ લાલસાઓ ત્યજવાનું ભજનકાર ખૂબ સુંદર અને સરળ પણ ધારદાર રીતે કહી જાય છે.


હીરા મુખ સે ના કહે….(મો. ક. ગાંધી) – રાજેશ ટાંક 3

આજે બીજી ઓક્ટોબરના સપરમા દિવસે શ્રી મહાત્મા ગાંધીજીને અંજલી તરીકે અક્ષરનાદ.કોમ ના વાંચક મિત્ર શ્રી રાજેશ ટાંક પ્રસ્તુત સમયમાં ગાંધીજી, તેમના વિચારોની તથા તેમણે આપણને બતાવેલા સિધ્ધાંતો વિશેના વિચારો આ કૃતિ મારફત અભિવ્યક્ત કરી રહ્યા છે. ગાંધીજીના વિચારો અને તેમની દીર્ઘદ્રષ્ટીને ખુલ્લી આંખે અને પૂરા મનથી અનુસરવું એ મારા મતે આજના દિવસે તેમને શ્રેષ્ઠ ભાવાંજલી હશે. અક્ષરનાદ ભારતના આ મહાન સપૂતને સાદર વંદન કરે છે.


“ઝંખના” અને “સંબંધ એક સમજણ” (બે કવિતાઓ) – જીગ્નેશ ચાવડા 3

“ઝંખના” અને “સંબંધ એક સમજણ” એ બે કવિતાઓ શ્રી જીગ્નેશ ચાવડાની અક્ષરનાદ પર બીજી પ્રસ્તુતિ છે. વ્યવસાયે મિકેનીકલ ઇજનેર હોવા છતાં તેઓની આ રચનાઓમાં ક્યાંય અભિવ્યક્તિની યાંત્રિકતા નહીં દેખાય એ તેમની રચનાઓનું આગવું જમાપાસુ છે. એ ઉપરાંત તેઓ પ્રેમ અને વિરહની વાત ખૂબ સુંદર તથા સહજ રીતે તેમના આગવા અંદાઝ-એ-બયાં થી તદન નિખાલસ રીતે અભિવ્યક્ત કરી શકે છે. આજે માણીએ તેમની બે રચનાઓ.


બૈજુ બાંવરા ફિલ્મના બે ગીતો – શકીલ બદાયુંની 5

બૈજુ બાંવરા ફિલ્મના બે ગીતો આજે અહીં આપ સૌ ની સાથે વહેંચી રહ્યો છું. સૌ પ્રથમ તેનું બચપન કી મુહબ્બત કો….. એ ગીત સાંભળ્યું હતું, તેની પ્રથમ બે પંક્તિઓ ખૂબ ગણગણી, પણ પછી આગળ આવડતું નહોતું… તો બીજુ ગીત એવું જ મનભાવન…., તું ગંગા કી મૌજ મેં યમુના કા ધારા.. 1952માં રિલીઝ થયેલી શ્રી ભારત ભૂષણ અને મીના કુમારી અભિનીત આ ફિલ્મના ગીતો ઉર્દુના પ્રખ્યાત શાયર શકીલ બદાયૂંનીએ લખ્યા છે. નૌશાદના સંગીત સાથે લતાજી અને રફી સાહેબનો અવાજ સાંભળતા મનમાં જે આનંદની અને પ્રસન્નતાની લહેરો છવાય છે તેનું શું કહેવું? આપને આ ગીત સાંભળવા ગમે છે?


રાધે બનો – પિનાકીન ત્રિવેદી 3

શ્યામને રાધા બનવાનું અને એ રીતે રાધાજીએ અનુભવેલી વિવિધ વેદનાઓને જાણવા માટે તેમને સૂચવતું આ કાવ્ય ખૂબ સુંદર અને સહજ રીતે રાધાના મનની અભિવ્યક્તિ કહી જાય છે. શ્યામજીને વિવિધ શણગાર તજીને, રાધાના અંતરનો તાગ લેવાનો પ્રયત્ન કરીને ફક્ત થોડીક ક્ષણો માટે આ ખેલ ખેલી લેવાની વિનંતિ કરતા રાધાજી તેમને ઘડીક શ્યામ બનવાનું કહે છે. શ્રી પિનાકીન ત્રિવેદીનું આ કાવ્ય ખરેખર ખૂબ સુંદર છે.


એક આંખની અજાયબી – કુમારપાળ દેસાઇ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મન્સૂરઅલી ખાન પટૌડી એક અકસ્માતમાં પોતાની એક આંખ ગુમાવી બેઠેલા. તેમણે નાસીપાસ થયા વગર કે હિંમત હાર્યા વગર દાખવેલી ધગશનું પરિણામ છે કે તેઓ ક્રિકેટમાં ખૂબ સુંદર પ્રદર્શન કરી શક્યા અને આટલી ઉંચાઇ સુધી પહોંચી શક્યા. આજે પ્રસ્તુત છે તેમની આ મહેનત અને ધગશ આલેખતો આ સુંદર લેખ.


અક્ષરનાદ પર પંચતંત્રની વાર્તાઓ… 5

સંસ્કૃત નીતી કથાઓમાં પંચતંત્રનું મહત્વ આગવું છે, પંચતંત્રની સુંદર અને સરળ બોધપ્રદ કથાઓએ પેઢીઓથી એક આગવી શિક્ષણ સંસ્થા ઉભી કરી છે જે આપણી સાહિત્ય પરંપરાનું આ કથાઓ એક ખૂબ અમૂલ્ય રત્ન છે. એટલે ગુજરાતીમાં આ કથાઓ આપણા બાળકો વાંચી શકવા, માણી શકવા જોઇએ. આજથી અક્ષરનાદ રજુ કરશે સમયાંતરે પંચતંત્રની આ કથાઓ. આજે માણો લડતાં ઘેટાં અને લાલચુ શિયાળ.


એ કે લાલ દરવાજે તંબુ… 4

એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ” એ લોકબોલીમાં ગવાતું અને મહદંશે ત્રણ તાળી નામના ગરબા પ્રકારમાં ગવાતું સુંદર લોકગીત છે. વહુને માણેકચોક, ભદ્રકાળી, સીદી સૈયદની જાળી જેવા અમદાવાદના વિવિધ સ્થળોએ ગુજરી જોવા જવું છે અને તેના સાસુ તેમને બાદશાહના મિજાજની વાત કહી રોકવાનો પ્રયત્ન કરે છે.


મુન્ની મારી બે’ન – અલ્પ ત્રિવેદી 3

શ્રી અલ્પ ત્રિવેદી મહુવા (ભાવનગર) ની એક આગવી રચનાત્મક પ્રતિભા છે. જાન્યુઆરી 1977માં તેમની નવલકથા “છેલ્લું પગથીયું પ્રેમનું” પ્રસિધ્ધ થઇ હતી. તેમનો કવિતા સંગ્રહ “પછી” પ્રસિધ્ધિના પંથે છે. આ સર્જન ઉપરાંત તેમણે ખૂબ સરસ એવા બાળગીતો પણ ઘણાં રચ્યા છે. બાળકોની ભાષામાં સરળ સહજ રીતે તેમની વાતો અને ભાવનાઓની અભિવ્યક્તિ એ કુશળ કલાકારનું જ કામ છે. તેમણે રચેલા બાળગીતોના સંગ્રહમાંથી આજે એક સરસ મજાનું બાળગીત અહીં મૂક્યું છે.


મધ્યગીરના તીર્થરાજ – બાણેજ 9

બાણેજ મધ્યગીરનું તીર્થસ્થળ છે. ખૂબ સુંદર વનરાજી, જંગલના રાજા સિંહની ડણકો અને સાથે આસપાસ ચારે તરફ નિર્ભય ભમતા હરણાંઓ, સાબરો, નીલગાય વગેરેના ઝુંડ, ઝરણા અને નદીઓના નિર્મળ ખળખળ પ્રવાહોની વચ્ચે, ક્યાંય માનવની દખલ નહીં તેવા આ સુંદર તીર્થસ્થળ વિશે જાણૉ આજે આ સુંદર લેખ.


અમર સોરઠી પ્રેમકથા – સોન હલામણ 8

આપણી સંસ્કૃતિના સાહિત્ય અને ભાષાના વારસામાં અનેક પ્રેમકથાઓના પણ રત્નો ભંડારાયેલા પડ્યા છે. સોન હલામણની આખી વાતમાં કુલ 91 થી વધુ દુહાઓ શ્રી મેઘાણીએ સંગ્રહી આપ્યા છે. આવી અનેક સુંદર, કંઠસ્થ પરંપરાથી સચવાયેલી સોરઠી પ્રેમકથાઓ વાંચવા માણવા શ્રી ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક સોરઠી ગીતકથાઓ વસાવવા જેવું છે. એ પુસ્તકના પ્રકરણ સોન હલામણના થોડાક અંશો અત્રે ટાંક્યા છે.


અડોબ (Adobe) ના ફ્રી / ઓપનસોર્સ વિકલ્પો 3

અડોબના ઉત્પાદનો રોજીંદા વપરાશની વસ્તુઓ છે અને તેની સુવિધા વગર ઘણાં કામ મુશ્કેલ થઇ જાય. પરંતુ જો તેમને ખરીદવા ખર્ચો ન કરવો હોય તો અહીં કેટલાક એવા ઓપનસોર્સ વિકલ્પો દર્શાવ્યા છે જે ફક્ત ડાઉનલોડ કરવા જેટલા જ દૂર છે. તદન ફ્રી છતાં મૂળ સોફ્ટવેર જેટલાં જ કાર્યક્ષમ અને ઉપયોગી આ વૈકલ્પિક સોફ્ટવેર વિશે આજે જાણો.


એક જ દે ચિનગારી – હરિહર ભટ્ટ 1

શ્રી હરિહર ભટ્ટ દ્વારા રચિત પ્રાર્થના કાવ્ય એક જ દે ચિનગારી ખૂબ જ સુંદર અને ભાવવહી કાવ્ય છે. સાહિત્યના ક્ષેત્રમાં અમુક રચનાઓ પોતાની અમિટ છાપ છોડી જાય છે. અને કેટલીક રચનાઓ સમયની પરીક્ષાઓને પસાર કરી અમર થઇ જાય છે. આ રચના આવીજ સદાબહાર છે અને મારી ખૂબ પ્રિય તથા શ્રધ્ધેય છે.


શિક્ષા શાણાને… – દયારામ 1

કવિ દયારામ ભક્તિ પરંપરાના આગવા રચનાકાર અને મરમી કવિ હતાં. તેમણે ગરબી, પદ, આખ્યાન તથા ગરબા જેવા વિવિધ સ્વરૂપે આપણી સાહિત્ય પરંપરાને મહામૂલા રત્નો આપ્યા છે. પ્રસ્તુત રચના “શિક્ષા શાણાને…” માં કવિ દ્વારા શ્રીકૃષ્ણની ભક્તિ પામવાની રીત સાથે જીવન વ્યવહાર ચલાવવામાં ઉપયોગી થાય તેવી વાતો કહેવામાં છે. દયારામ રસધારા – 1 માંથી આ કૃતિ સંપાદિત કરવામાં આવી છે.)


માનવ સેવાનો મહાયજ્ઞ – જીગ્નેશ અધ્યારૂ 8

અક્ષરનાદ વેબસાઇટના વિષય વૈવિધ્યમાં આજથી મુલાકાતોના એક નવા વિભાગની શરૂઆત થઇ રહી છે. અને મને આનંદ છે કે ડો. પ્રફુલ્લભાઇ શાહ જેવા માનવ સેવાના સાક્ષાત મહાયજ્ઞ જેવી વ્યક્તિ સાથેની મુલાકાત તથા તેમની પ્રવૃત્તિઓ વિશેની જાણકારી સાથે આજે આ વિભાગ શરૂ થઇ રહ્યો છે. સાવરકુંડલાથી ઉઠેલી આ સેવા અને પરોપકારની અખંડ જ્યોત આજે ખૂબ મોટા સ્તરે વિસ્તરી છે. આજે અનુભવો આ સુંદર, હ્રદયંગમ અને પ્રેરણાદાયી મુલાકાતને.