( શ્રી ઉમાશંકર જોશીએ એમના સંસ્કૃતિ માસીકમાં 1969ના ગાંધી શતાબ્દી વર્ષના જાન્યુઆરી થી ઓક્ટોબર સુધીના વિવિધ અંકોમાં રજુ કરેલા 125 પ્રસંગો ‘ગાંધીકથા’ પુસ્તક સ્વરૂપે પ્રસિધ્ધ થયા છે. એક પ્રતાપી યુગપુરૂષ અને એક મોટા કવિના જીવન અને કલમનો સુભગ સમંવય તેમાં થયેલો જોવા મળે છે. આજે એ ગાંધીકથાઓના ત્રણ પ્રેરણાદાયી પ્રસંગો પ્રસ્તુત કર્યા છે. આશા છે આજના રાજકારણીઓ તેમાંથી થોડુંક ગ્રહી શકે અને પ્રજાના પરસેવાના પૈસે પોતાની પ્રતિમાઓ અને સ્મારકો નહીં, તેમની સુવિધાઓ અને જન સામાન્યની સવલતો વધારવાની, સુશાસનની ચિંતા કરે.)
નદી મારા એકલાની છે?
ગાંધીજી સવારે વહેલા ઉઠે. ઉઠીને મોં ધોવાનું અને દાતણ કરવાનું . તે માટે પાણીની નાની લોટી અને પિકદાની પથારી પાસે જ રાખેલાં હોય તે વડે ત્યાં જ પતાવે.
મોહનલાલ પંડ્યા કહે, “બાપુ, પાણીનો તોટો છે? આ સાબરમતી વહી જાય છે. પાણીની કરકસર શું કરવા કરતા હશો?”
ગાંધીજીએ એમને સામેથી પૂછ્યું : મારુ મોં તમને બરાબર સાફ થયેલું લાગે છે કે નહીં?
પંડ્યાજી કહે : એ તો છે જ ને !
ગાંધીજી : તો પછી વાંધો ક્યાં છે? તમે લોટેલોટા પાણી વાપરો છો, પણ પલળેલા હાથ વડે મોં પર પાણી ચોપડો છો. હું પાણી વડે મોં બરાબર સાફ કરું છું. આટલું પાણી પૂરતું છે.
પંડ્યાજી : પણ નદીમાં આટાઅટલું પાણી છે ને…..
ગાંધીજી : નદીનું પાણી કોને માટે છે? મારા એકલા માટે છે?
પંડ્યાજી : સૌને માટે છે, આપણા માટે પણ છે.
ગાંધીજી : બરોબર, નદીનું પાણી સૌ – પશુ, પંખી, માણસ, જીવજંતુ સૌ ને માટે છે. મારા એકલા માટે નથી. મારા ખપ પૂરતું જરૂર હું લઉં. પણ વધારે લેવાનો મને હક નથી. સહીયારી મિલકતમાંથી ખપ કરતાં વધારે આપણાથી લેવાય?
પહેરણ કેમ પહેરતા નથી?
બાપુના ડિલ ઉપર પહેરણ પણ નથી એ જોઇ એક નાનકડા વિદ્યાર્થીએ એમને પૂછ્યું, “બાપુ, તમે શરીર પર પહેરણ કેમ પહેરતા નથી?”
બાપુ કહે : મારી પાસે પૈસા ક્યાં છે?
વિદ્યાર્થી : હું મારી માં ને કહું છું. તે આપને પહેરણ સીવી આપશે. પછી પહેરશોને?
બાપુ : કેટલાં સીવી આપશે?
વિદ્યાર્થી : તમારે કેટલાં જોઇએ છે? એક…. બે…. ત્રણ ?
બાપુ : હું કાંઇ એકલો છું? મારા એકલાથી પહેરાય?
વિદ્યાર્થી : ના એકલાથી તો ન પહેરાય. તમારે કેટલાને માટે જોઇએ?
બાપુ : મારે તો ચાલીસ કરોડ ભાઇભાંડુ છે. તારી માતા એ બધાને માટે સીવી આપશે? એમની પછી મારો વારો આવે.
વિદ્યાર્થી વિમાસણમાં પડી ગયો. નિર્દોષ બાળક પ્રેમથી બાપુને પહેરણ આપવા ગયો. એના કુમળા હ્રદયને બાપુએ વિશ્વકુટુંબભાવની દીક્ષા આપી.
વિરોધીને જાત સોંપી :
બિહારમાં ચંપારણમાં ગળીના ઉત્પાદક ગોરાઓના અત્યાચારોની બાપુએ તપાસ શરૂ કરી. શાળાઓ સ્થાપી લોકોમાં જાગૃતિ ફેલાવી. ગોરાઓ ગભરાયા.
કોઇએ આવીને ગાંધીજીને બાતમી આપી કે અમુક ગોરો માલિક વધુ પડતો દુષ્ટ છે અને આપનું ખૂન કરાવવા ચાહે છે. તેણે મારાઓ પણ રોક્યા છે.
એક રાત્રે ગાંધીજી એકલા પેલા ગોરાને બંગલે પહોંચી ગયા અને કહેવા લાગ્યા : મેં સાંભળ્યું છે કે મને મારી નાખવા તમે મારાઓ રોક્યા છે. એટલે કોઇને કહ્યા વગર હું એકલો આવ્યો છું.
સાંભળીને ગોરો તો સ્તબ્ધ બની ગયો.
Pingback: Grade 5 Gujarati (Standard and Ab initio level) Homework (Cycle – 30) | Fountainhead School
કૈ પન કામ કતા સો વાર વિચાર કર્વો
helped me for project @vadodara
આ સેવ ક્ર્ર.
very good, needs to our..
In the modern time,I had come across anothe ‘Gandhian’ in late Madhu Dandvate-Socialist Leader and forme railway Minister.
He had come to speak to the members of Harold Laski Institue of Political Science,Ahmedabad(Dirctor was Prof P G Mavalankar).After the talk he was going to a former PSP colleague’s house for eveninemeal as a pillion rider on the friend’s scooter.He told all his former PSP friend not to follow him since the friend could afford to serve more people.He did not use Govt Car since it was a private visit to a friend’s house.After his death,as per his death wish,the body was donated to Jaslok Hospital for Medical Students.
There was another ‘Gandhian’ in late Dr Vasant Parikh from vadnagar.
The legacyof BAPU is to be there foreever…sambhavami yuge yuge.
પૂ. ગાંધીજીની નાની નાની વાતોમાંથી પણ કંઈને કંઈ શીખવા મળે છે. કદાચ એને જ મહાપુરુષ કહેવાય જેના દરેક કર્મ પ્રેરણાદાયી હોય. સરસ.
બહુ જ સરસ કામની શરૂઆત કરી, આશીર્વાદ સાથે અભિનન્દન