સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : મુલાકાત


‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ ના સર્જક અભિષેક જૈન સાથે મુલાકાત.. (Audiocast) 6

‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ જેવી સફળ ગુજરાતી ફિલ્મોના સર્જક અભિષેકભાઈ જૈનને ગત વર્ષે મળવાનું થયેલું, તેમના વિશે વધુ જાણવાનો અવસર પણ ત્યારે મળ્યો હતો, થોડા દિવસો પહેલા વડોદરામાં હાઉસફુલ જતી ‘બે યાર’ જોવાનો અવસર મળેલો ત્યારે એ મુલાકાત તાજી થઈ અને અભિષેકભાઈની માતૃભાષા ગુજરાતીમાં સર્વસ્વીકૃત થાય અને ઉત્સાહપૂર્વક જોવાય તેવી ફિલ્મો બનાવવાની ધગશને લઈને તેમનો ઇન્ટર્વ્યુ અક્ષરનાદ માટે કર્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની શરૂઆતથી લઈને ‘કેવી રીતે જઈશ’ને મળેલ અપાર લોકચાહના, ‘બે યાર’ ની સફળતા સાથે ગુજરાતી ફિલ્મો અને સિનેમાઘરો માટેના તેમના વિચાર અને આયોજન વિશે ખૂબ વિગતે વાત થઈ એ મુલાકાત ઑડીયો અને લેખિત સ્વરૂપે આજે પ્રસ્તુત કરી છે. આટલો લાંબો સમય ફાળવવા બદલ અને તેમના અભિપ્રાય તથા મંતવ્યો સ્પષ્ટપણે અક્ષરનાદના વાચકો સાથે વહેંચવા બદલ અભિષેકભાઈનો ખૂબ આભાર, અનેક શુભકામનાઓ.


દિશા વાકાણી, “તારક મહેતાકા ઉલટા ચશ્મા” ના દયાભાભી સાથે એક મુલાકાત… (ભાગ ૨) 5

અક્ષરનાદ પર કલાસમૃદ્ધ સાહિત્યકારો, કલાકારો તથા કસબીઓની સાથે મુલાકાતનો એક નવો અને અનોખો વિભાગ થોડા વખત પહેલા શરૂ કર્યો છે. રંગમંચ પર તથા અનેક ફિલ્મો / ધારાવાહીકોમાં અભિનય કરનાર મિત્ર શ્રી મેહુલભાઈ બૂચ આ વિચાર અને વિભાગના પાયામાં છે. તેમના પ્રયત્નો તથા અક્ષરનાદના વાચકોને સતત નવું આપવાની ઈચ્છાને લીધે જ આ વિભાગ શરૂ થઈ શક્યો છે. ભારતીય ટેલિવિઝન પર પ્રસારીત થતી અનેક ધારાવાહીકોમાંની સૌથી વધુ પ્રચલિત, સતત પાંચ પાંચ વર્ષથી અગ્રગણ્ય રહેનાર ધારાવાહીક, રોજ સાંજે સાડા આઠ વાગ્યે સબ ટીવી પર પ્રસ્તુત થતી, શ્રી તારક મહેતા સાહેબની ચિત્રલેખામાં વર્ષોથી પ્રસ્તુત શ્રેણી “દુનિયાને ઉંધા ચશ્મા” નું ટેલિવિઝન સ્વરૂપ એટલે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહીક. તેમાં “દયાભાભી” નું પાત્ર ભજવતા શ્રી દિશાબેન વાકાણી સાથે અક્ષરનાદ માટે ‘તારક મહેતા….’ સીરીયલના સેટ પર જ એક મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો, તેમની અભિનય કારકિર્દી વિશે, ગુજરાતી ભાષા – નાટકો – ફિલ્મો અને કલાકારો વિશે, સીરીયલના અનુભવો વિશે ખૂબ વિગતે વાત થઈ. આ સમગ્ર મુલાકાતનું ઑડીયો રેકોર્ડીંગ આપ અહીંથી બે ભાગમાં સાંભળી શક્શો અને સાથે સાથે વાંચી પણ શક્શો. દિશાબેનના તદ્દન સરળ અને મળતાવડા સ્વભાવને લીધે આ મુલાકાત ઔપચારીક ઈન્ટર્વ્યુ ન રહેતા એક યાદગાર વાતચીત બની રહી, શૂટીંગમાંથી પણ લાંબો સમય કાઢીને મુલાકાત બદલ અને એનું લેખિત તથા રેકોર્ડિંગ સ્વરૂપ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા બદલ દિશાબેનનો ખૂબ ખૂબ આભાર. પ્રસ્તુત છે શ્રી દિશાબેન વાકાણી સાથે એક વિશેષ મુલાકાત… ભાગ ૨


દિશા વાકાણી, “તારક મહેતાકા ઉલટા ચશ્મા” ના દયાભાભી સાથે એક મુલાકાત… (ભાગ ૧) 4

અક્ષરનાદ પર કલાસમૃદ્ધ સાહિત્યકારો, કલાકારો તથા કસબીઓની સાથે મુલાકાતનો એક નવો અને અનોખો વિભાગ થોડા વખત પહેલા શરૂ કર્યો છે. રંગમંચ પર તથા અનેક ફિલ્મો / ધારાવાહીકોમાં અભિનય કરનાર મિત્ર શ્રી મેહુલભાઈ બૂચ આ વિચાર અને વિભાગના પાયામાં છે. તેમના પ્રયત્નો તથા અક્ષરનાદના વાચકોને સતત નવું આપવાની ઈચ્છાને લીધે જ આ વિભાગ શરૂ થઈ શક્યો છે. ભારતીય ટેલિવિઝન પર પ્રસારીત થતી અનેક ધારાવાહીકોમાંની સૌથી વધુ પ્રચલિત, સતત પાંચ પાંચ વર્ષથી અગ્રગણ્ય રહેનાર ધારાવાહીક, રોજ સાંજે સાડા આઠ વાગ્યે સબ ટીવી પર પ્રસ્તુત થતી, શ્રી તારક મહેતા સાહેબની ચિત્રલેખામાં વર્ષોથી પ્રસ્તુત શ્રેણી “દુનિયાને ઉંધા ચશ્મા” નું ટેલિવિઝન સ્વરૂપ એટલે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહીક. તેમાં “દયાભાભી” નું પાત્ર ભજવતા શ્રી દિશાબેન વાકાણી સાથે અક્ષરનાદ માટે ‘તારક મહેતા….’ સીરીયલના સેટ પર જ એક મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો, તેમની અભિનય કારકિર્દી વિશે, ગુજરાતી ભાષા – નાટકો – ફિલ્મો અને કલાકારો વિશે, સીરીયલના અનુભવો વિશે ખૂબ વિગતે વાત થઈ. આ સમગ્ર મુલાકાતનું ઑડીયો રેકોર્ડીંગ આપ અહીંથી બે ભાગમાં સાંભળી શક્શો અને સાથે સાથે વાંચી પણ શક્શો. દિશાબેનના તદ્દન સરળ અને મળતાવડા સ્વભાવને લીધે આ મુલાકાત ઔપચારીક ઈન્ટર્વ્યુ ન રહેતા એક યાદગાર વાતચીત બની રહી, શૂટીંગમાંથી પણ લાંબો સમય કાઢીને મુલાકાત બદલ અને એનું લેખિત તથા રેકોર્ડિંગ સ્વરૂપ અક્ષરનાદને પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા બદલ દિશાબેનનો ખૂબ ખૂબ આભાર. પ્રસ્તુત છે શ્રી દિશાબેન વાકાણી સાથે એક વિશેષ મુલાકાત… ભાગ ૧


તન્મય વેકરિયા – ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ ના ‘બાઘા’ સાથે એક મુલાકાત.. ભાગ ૨ 11

ભારતીય ટેલિવિઝન પર પ્રસારીત થતી અનેક ધારાવાહીકોમાંની સૌથી વધુ પ્રચલિત, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહીકમાં “બાઘા” નું પાત્ર ભજવતા શ્રી તન્મયભાઈ વેકરિયા સાથે મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો અને તેમના વિશે, તેમની અભિનય કારકિર્દી વિશે, ગુજરાતી ભાષા – નાટકો – ફિલ્મો અને કલાકારો વિશે ખૂબ વિગતે વાત થઈ. આ સમગ્ર મુલાકાતનું ઑડીયો રેકોર્ડીંગ આપ અહીંથી બે ભાગમાં સાંભળી શક્શો અને સાથે સાથે વાંચી પણ શક્શો. પ્રસ્તુત છે શ્રી તન્મયભાઈ વેકરિયા સાથે એક વિશેષ મુલાકાત… ભાગ ૨


તન્મય વેકરિયા – ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ ના ‘બાઘા’ સાથે એક મુલાકાત.. ભાગ ૧ 7

ભારતીય ટેલિવિઝન પર પ્રસારીત થતી અનેક ધારાવાહીકોમાંની સૌથી વધુ પ્રચલિત, “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ધારાવાહીકમાં “બાઘા” નું પાત્ર ભજવતા શ્રી તન્મયભાઈ વેકરિયા સાથે મુલાકાતનો અવસર પ્રાપ્ત થયો અને તેમના વિશે, તેમની અભિનય કારકિર્દી વિશે, ગુજરાતી ભાષા – નાટકો – ફિલ્મો અને કલાકારો વિશે ખૂબ વિગતે વાત થઈ. આ સમગ્ર મુલાકાતનું ઑડીયો રેકોર્ડીંગ આપ અહીંથી બે ભાગમાં સાંભળી શક્શો અને સાથે સાથે વાંચી પણ શક્શો. પ્રસ્તુત છે શ્રી તન્મયભાઈ વેકરિયા સાથે એક વિશેષ મુલાકાત… ભાગ ૧

Taarak Mehta ka ooltah chashma

શ્રી વિશાલ મોણપરા સાથે એક મુલાકાત.. 13

શ્રી વિશાલ મોણપરા ગુજરાતી નેટજગતનું એક જાણીતું નામ છે, ભાષાના ઓનલાઈન વિકાસ માટે ફક્ત ભાષાવિદોનો ખપ નથી, એ સાથે સાથે નવીન ટેકનોલોજી સાથે તેની કદમતાલ મેળવવી સતત જરૂરી છે. અને વેબવિશ્વમાં ગુજરાતીના વિકાસમાં અનેક નાવિન્યસભર સુવિધાઓ સાથે વિકલ્પો ઉપલબ્ધ કરાવનાર વિશાલભાઈ એક એવા ભાષાપ્રેમી છે જેમની પદ્યરચના જેટલી જ સબળ તેમના દ્વારા વિકસાવાયેલી સુવિધાઓ છે. વિશાલભાઈ સાથે થયેલ એક ઈ-મુલાકાત આજે વાચકો સાથે વહેંચી રહ્યો છું, આશા છે આપણે સૌ તેમના અને તેમના જેવા માતૃભાષાના સેવકોને યોગ્ય સન્માન આપી શકીશું. પ્રસ્તુત છે વિશાલભાઈ સાથેની પ્રશ્નોત્તરી. આ મુલાકાત બદલ વિશાલભાઈનો ખૂબ ખૂબ આભાર.


જોગર્સની કહાની, જોગર્સ પાર્કની જુબાની – મિહિર શાહ 28

સરકારી ઈજનેરી કોલેજ, ચાંદખેડા (અમદાવાદ) ખાતે, એસોસિએટ પ્રોફેસર (ઈલેકટ્રોનિક અને કોમ્યુનિકેશન) તરીકે ફરજ બજાવતા શ્રી મિહિરભાઈ શાહનો આ પ્રથમ લેખ છે. શાળાઓમાઁ આપણે સૌ આત્મકથા લખતા, જીર્ણ થયેલા વડલાની આત્મકથા, સૈનિકની આત્મકથા… વગેરે. પરંતુ આજે પ્રસ્તુત લેખ એ પ્રકારનો આત્મકથાનક હોવા છતાં એ પ્રકારથી અલગ પડે છે. એ આત્મકથાઓ કોઈ વ્યક્તિવિશેષ અથવા સ્થળવિશેષને ધ્યાનમાં રાખીને લખાતી નહીં. જ્યારે આજનો લેખ અમદાવાદના ઈશ્વરભવન પાસે આવેલા જોગર્સપાર્કની વાત આજે મિહિરભાઈએ ફોટાઓ સહિત અહીં મૂકી છે. તેમનો અંદાઝ સરસ છે અને વાંચનારને એ સ્થળે જવા એક વખત તો ચોક્કસ પ્રેરણા આપે જ એવો છે. પ્રસ્તુત કૃતિ અને ફોટોગ્રાફ્સ અક્ષરનાદને પાઠવવા બદલ શ્રી મિહિરભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર અને શુભકામનાઓ.


‘કિલ્લોલ’ સંસ્થા : જીવનતીર્થની ઝલક – તરૂણ મહેતા 8

યુવાવસ્થા એ સ્વપ્ન જોવાની અને સ્વપ્ન સાકાર કરવા માટેની, સંઘર્ષ કરવાની અવસ્થા છે. આ અવસ્થા દરમ્યાન વ્યક્તિ પોતાની ઓળખ બનાવવા મથતો હોય છે. દરેક યુવક યુવતીના મનમાં આ સમયે બે બાબતો એક સાથે ઉજાગર થવા પામે છે. તેમાં પ્રથમ તેની કારકિર્દી અને બીજું તેનું લગ્ન જીવન. સારી નોકરી અને યોગ્ય પાત્રની પસંદગી આ સૌથી મોટું લક્ષ્ય હોય છે. પરંતુ કેટલાક યુવક યુવતીઓ અલગ સ્વપ્નો જોઈ નવી કેડી કંડારે છે. આવાં જ એક દંપતિની વાત કિલ્લોલ કૅમ્પસના માધ્યમથી કરવી છે. તે છે ગોપાલભાઈ તથા કૃષ્ણાબેન ભરાડ. તેમના દ્વારા સંચાલિત બાળ શિક્ષણ સંસ્થા ‘કિલ્લોલ’ વિશે તરૂણભાઈ મહેતા દ્વારા આલેખિત આ પરિચય લેખ પ્રસ્તુત છે.


લોકોની જીવનરેખા સાચવવાનો પ્રયાસ (લાઈફલાઈન ફાઊન્ડેશન) – જીજ્ઞેશ અધ્યારૂ 1

ક્યારેક કોઈકની સાથે થયેલા અકસ્માતો પણ અન્યો માટે આશિર્વાદની પૂર્વભૂમિકા સર્જી જતા હોય તો એવા અકસ્માતોને શું કહેવું? અકસ્માત માટે આપણે ત્યાં “દૈવયોગે થયેલી ઘટના” એવો શબ્દ પણ વપરાય છે, આવા અકસ્માતો પાછળ પણ દૈવ કાંઈક હકારાત્મક અને સમાજોપયોગી કરવાનો વિચાર મૂકતા હશે ! ક્યારેક અકસ્માત ભોગ બનવું પડ્યું હોય તેવી ઘટનાનાં પ્રત્યાઘાતો ધાર્યા પણ ન હોય એવા અનોખા હોઈ શકે છે. આવી જ એક અનોખી જીવન બચાવ ઝુંબેશ અનેક રાજ્યોના હાઈવે પર ચલાવી રહેલા ડૉ. સુબ્રતો દાસ અને તેમના પત્નિ શ્રીમતી સુસ્મિતા દાસના અનોખા કાર્યની વાત આજે પ્રસ્તુત છે.


શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સાથે એક મુલાકાત – જીજ્ઞેશ અધ્યારૂ 10

શ્રી મહેન્દ્રભાઈ મેઘાણીના નામમાં જ તેમનો આખોય પરિચય આવી જાય છે. કોઈ ગુજરાતી એવો મળે જે મેઘાણીના પ્રભાવથી અછૂતો રહ્યો હોય? ભાવનગરમાં આવેલા લોકમિલાપ ટ્રસ્ટ વિશે ઘણુંય સાંભળેલું, વાંચેલું, પરંતુ આજ સુધી જવાનો અવસર મળ્યો નહોતો. પણ અચાનક એક રવિવારે જાણે પૂર્વનિર્ધારીત હોય તેમ તેમને મળવા જવાનો ઉમળકો થયો, ફોન લગાડ્યો અને તેમણે જ સામે રીસીવ કર્યો. મેં મારો પરિચય તેમને આપ્યો, અને મળવા આવવા માટે અનુમતિ માંગી. “ચોક્કસ આવો, મને ગમશે” એવી તેમની વાત મારી તેમને મળવાની ઈચ્છા વધારતી ગઈ. મેં કહ્યું, “સાહેબ, હું તો આવું જ છું.” સાડા દસે મહુવાથી નીકળ્યો, અને સંજોગોવશાત ભાવનગર પહોંચ્યો ત્યારે દોઢ વાગ્યો હતો. સંસ્કારમંડળ ઉતરીને એક રીક્ષાવાળાને પૂછ્યું, “લોકમિલાપ …..” એણે રસ્તો બતાવ્યો અને ….


માનવતાની માવજત – જીજ્ઞેશ અધ્યારૂ 9

વણસંતોષાયેલી ભૂખનો ચહેરો ખૂબ ભયાનક હોય છે. માનસિક વિકલાંગ લોકો વિશે વિચારો જેમને આ ભૂખનો માર રોજ સહન કરવો પડે છે. રસ્તાની કોરે બેઠેલા, લઘરવઘર આવા લોકોને ક્યારેય નિહાળ્યા છે? મદુરાઇથી એક એવો મજબૂત પ્રયત્ન થઇ રહ્યો છે, જે આવા લોકોને તેમની ભૂખ સંતોષવાનો, તેમને તેમનું સ્વમાન પાછું અપાવવાનો એક જીવનભરનો પ્રયત્ન છે. આ ઉમદા કાર્ય વિશે, એ માનવતાના યજ્ઞ વિશે આજે જાણો.


Act of Oblation to humanity – Jignesh Adhyaru 10

Hunger has a very horrible face, if not satisfied. Think about the mentally unfit people, have you ever observed them on roadside footpaths or such places? One strong effort from Madurai, to help them get their hunger satisfied, to grant them their respect and life, a person is trying die hard. Know about the Noble cause, Act of oblation to humanity.


માનવ સેવાનો મહાયજ્ઞ – જીગ્નેશ અધ્યારૂ 8

અક્ષરનાદ વેબસાઇટના વિષય વૈવિધ્યમાં આજથી મુલાકાતોના એક નવા વિભાગની શરૂઆત થઇ રહી છે. અને મને આનંદ છે કે ડો. પ્રફુલ્લભાઇ શાહ જેવા માનવ સેવાના સાક્ષાત મહાયજ્ઞ જેવી વ્યક્તિ સાથેની મુલાકાત તથા તેમની પ્રવૃત્તિઓ વિશેની જાણકારી સાથે આજે આ વિભાગ શરૂ થઇ રહ્યો છે. સાવરકુંડલાથી ઉઠેલી આ સેવા અને પરોપકારની અખંડ જ્યોત આજે ખૂબ મોટા સ્તરે વિસ્તરી છે. આજે અનુભવો આ સુંદર, હ્રદયંગમ અને પ્રેરણાદાયી મુલાકાતને.