Daily Archives: October 8, 2009


ટૂ કપ ટી અને અન્ય હાસ્યપ્રસંગો – સ્વામી આનંદ 5

હિંમતલાલ દવેનો જન્મ લીંમડી પાસેના શિયાણી ગામે થયો હતો. ઘર છોડીને સન્યાસી બન્યા પછી ભારતભરમાં ખૂબ ભ્રમણ કર્યું. ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી સ્વામી આનંદ ‘નવજીવન’ ના પ્રકાશનમાં જોડાયા. તેમના પુસ્તકોમાં અનોખા અનુભવ પ્રસંગો આલેખાયા છે અને પ્રસ્તુત પ્રસંગો સ્વામી આનંદ લિખીત અને દિનકર જોશી સંપાદીત ‘આંબાવાડીયુ’ માંથી લેવામાં આવ્યા છે. ધોરણ 6ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પણ તેમને સ્થાન મળ્યું છે અને આ ખૂબ સરળ માનવસ્વભાવનો પરિચય કરાવતા પ્રસંગો ટૂચકાની જેમજ સહજ હાસ્ય પ્રેરે છે.