સાહિત્યકાર મુજબ સંગ્રહ... : લોકગીત


આવ્યો મેહુલો રે! – લોકગીત 4

ગઈકાલથી, તા. ૧૧ જુલાઈથી અહીં રાજુલા – પીપાવાવ – મહુવા પંથકમાં મૂશળધાર – ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે, વાવણીની મૌસમ ફરી દસ્તક દઈ ચૂકી છે, અને આમેય મને સદાય આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવાનો અને મહેનત કરવાનો એ શ્રેષ્ઠ સમય લાગ્યો છે. ધરતીનો ધબકાર સર્જતો, અંગેઅંગમાં ઉમંગની અને ‘હાશ’ની હેલીઓ વરસાવતો મેહુલો આવી પહોંચ્યો છે તેની જડ-ચેતન સૃષ્ટિમાં કેવી અસર થાય છે તે દર્શાવતું પ્રસ્તુત લોકગીત ખરેખર આપણી ગ્રામ્યસંસ્કૃતિનો આવિર્ભાવ કરાવી જાય છે. મેહુલાને ધરતીનો ધણી કહીને ધરતી માટેના તેના પ્રેમ, ઉપકાર અને લાગણીના સંબંધોને દર્શાવતું આ લોકગીત તરત હોઠે ચઢી જાય તેવું સરળ અને સરસ છે.


ગોરમા, ગોરમા રે… – લોકગીત 4

ગૌરીવ્રત – ગોરમાની પૂજામાં માત્ર સુંદર વર જ નહીં, સ્વર્ગ સમું સાસરું પણ મંગાય છે, સંયુક્ત કુટુંબ અને તેના સંવાદની ચાહના કન્યાના વ્રત પાછળ છે. સસરો સવાદિયો હોય તો જ ઘરમાં સારી ખાદ્ય વસ્તુઓ બને અને સાસુ ભુખાળવાં હોય તો જ વહુને ખાવાનો આગ્રહ કરે ને? કહ્યાગરો કંથ, દેર દેરાણી, જેઠ જેઠાણી, નણંદ, અને આંગણે દૂઝતી ભગરી ભેંસથી ભર્યો ભાદર્યો સંસાર આપણા મલકની કોડીલી કન્યાઓને જોઈએ છે. ગૌરીવ્રતની પાછળ રહેલી સુંદર ભાવના આ લોકગીતમાં સરળ રીતે અભિવ્યક્ત થાય છે.


જીવન થોડું રહ્યું… (ભજન)

જીવનને અંતે મૃત્યુ એ નકારી ન શકાય એવી નક્કર હકીકત છે. આપણા સાહિત્યમાં એવી ઘણી રચનાઓ છે જે જીવનની ક્ષણભંગુરતા વિશે સાનમાં સમજાવવાનો યત્ન કરે છે. અનિશ્ચિત્ત જીવનનો અંત ગમે ત્યારે આવી શકે તેવી વાત સમજાવતા પ્રસ્તુત ભજનમાં પ્રભુભક્તિ અને આત્માના કલ્યાણના માર્ગે ચાલવાનું અને દુન્યવી લોભ લાલસાઓ ત્યજવાનું ભજનકાર ખૂબ સુંદર અને સરળ પણ ધારદાર રીતે કહી જાય છે.


એ કે લાલ દરવાજે તંબુ… 4

એ કે લાલ દરવાજે તંબુ તોણિયા રે લોલ” એ લોકબોલીમાં ગવાતું અને મહદંશે ત્રણ તાળી નામના ગરબા પ્રકારમાં ગવાતું સુંદર લોકગીત છે. વહુને માણેકચોક, ભદ્રકાળી, સીદી સૈયદની જાળી જેવા અમદાવાદના વિવિધ સ્થળોએ ગુજરી જોવા જવું છે અને તેના સાસુ તેમને બાદશાહના મિજાજની વાત કહી રોકવાનો પ્રયત્ન કરે છે.