સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : અનુદીત


પુત્રના શિક્ષક પર અબ્રાહમ લિંકનનો પત્ર – અનુ. હર્ષદ દવે 10

અબ્રાહમ લિંકન અમેરીકાના ૧૬માં રાષ્ટ્રપતિ હતા, પણ એથી વિશેષ તેઓ એક અગ્રગણ્ય વિચારક અને સમાજ સુધારણાના પ્રખર હિમાયતી હતા. તેમના પુત્રના શાળા પ્રવેશ વખતે તેના શિક્ષકને તેમણે લખેલો પત્ર એક અનોખો દસ્તાવેજ છે. આ પત્રનો અનુવાદ શ્રી હર્ષદભાઈ દવેએ કર્યો છે અને અક્ષરનાદને પ્રસિદ્ધ કરવા પાઠવ્યો છે. અક્ષરનાદ પર જેમની મહદંશે કાવ્યરચનાઓ જ આવી છે તેવા શ્રી હર્ષદભાઈએ કરેલ કેટલાક સુંદર અનુવાદોને આપણે સમયાંતરે માણી શકીશું. આ અંતર્ગત આજે માણીએ તેમની પ્રસ્તુત અનુવાદિત કૃતિ.


વિકલાંગ શ્રદ્ધાનો સમય – હરિશંકર પરસાઈ, અનુ. જિજ્ઞેશ અધ્યારૂ 4

‘विकलांग श्रद्धा का दौर’ – એ નામનો એક હાસ્યલેખ હિન્દીના એક અદના હાસ્યકાર શ્રી હરિશંકર પરસાઈની કલમે લખાયેલો અને એ એટલો તો અચૂક રહ્યો કે આ કટાક્ષ લેખ માટે તેમને ઈ.સ. ૧૯૮૨નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળ્યું. હરિશંકર પરસાઈ તેમની સીધી અને ચોટદાર કટાક્ષભાષા માટે જાણીતા છે. તેમની આ જ રચનાનો અનુવાદ કરવાનો પ્રયત્ન અહીં કર્યો છે. જો કે હાસ્યલેખનો અનુવાદ કરવો ખૂબ અઘરો છે અને એવો પ્રયત્ન કર્યો હોવા છતાં પણ તેમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો.


સાદુ જીવન જીવવાના મહામંત્રો – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 14

‘જીવન’ એ એક શબ્દના જ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ માટે ભિન્ન ભિન્ન અર્થો અને અલગ અલગ કિંમત હોય છે. મારા માટે તેનો અર્થ છે ખૂબ જ જરૂરી હોય તે સિવાયના બંધનોને, વધારાની જરૂરતોને ફગાવી દેવી, શાંતિ માટે બધી જ ગૂંચવણોને ફગાવીને જીવવું, અને જે તમારા માટે ખરેખર અગત્યનું છે તેના માટે જ જીવવું. ઝેનહેબિટ્સના સર્જક લિઓ બબૌતાના બ્લોગ પરની યાદીને સરળ કરીને અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે જે જીવનને સરળ કરવાની કેટલીક રીતો બતાવે છે.


કર્ણ વૃષાલી મિલન – શિવાજી સાવંત, અનુ. પ્રતિભા દવે 7

શ્રી શિવાજી સાવંત (૩૧ ઓગસ્ટ, ૧૯૪૦ – ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૨) રચિત મરાઠી નવલકથા ‘મૃત્યુંજય’ પોતે એક સદાબહાર મહાકાવ્યસમ બની ચૂકી છે. દાનવીર અંગરાજ કર્ણના જીવન વિશે ખૂબ જ ઉંડાણપૂર્વક સંશોધન પછી લખાયેલી મૃત્યુંજય વાંચવી એક લહાવો છે. તેમની આ કૃતિનો અનેક ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે, જેમાં હિન્દી, કન્નડ, મલયાલમ, અંગ્રેજી વગેરે ભાષાઓ સહિત ગુજરાતીમાં ૧૯૯૧માં આ અનુવાદ પ્રસિદ્ધ થયો જે પ્રતિભા દવેની કલમે લખાયો છે. મૃત્યુંજય જેવી જ તેમની અન્ય સદાબહાર કૃતિઓ ‘યુગાન્ધર’ જે કૃષ્ણના જીવન પર આધારિત છે અને બીજી છે છાવા, જે છત્રપતિ શિવાજીના પુત્ર સંભાજી પર આધારિત છે. દરેક સાહિત્યપ્રેમીના પુસ્તકસંગ્રહમાં અવશ્ય હોવી જ જોઈએ એવી આ નવલકથાનો એક નાનકડો ભાગ આજે અહીં પ્રસ્તુત છે.


૧૭મી સદીના અગ્રગણ્ય વિચારક બેનેડિક્ટ સ્પિનોઝાની કલમે…

બારૂચ સ્પિનોઝા (૧૬૩૨-૧૬૭૭) અથવા બેનેડિક્ટ સ્પિનોઝા નેધરલેન્ડ મૂળના યહુદી તત્વચિંતક હતાં. આજથી સાડા ત્રણસો વર્ષ પહેલાના એ સમયમાં તેમણે ચર્ચનો, પાદરીઓની અમર્યાદ સત્તાનો અને ઈશ્વરના દૂત બની બેઠેલા કહેવાતા ગુરૂઓનો ભારે વિરોધ કર્યો. તેમના વિચારો અન્ય લોકોને પચાવવા મુશ્કેલ હતાં. ઈશ્વર સિવાય બીજા કોઈની પણ સત્તા સ્વીકારવાનો તેમણે ઈનકાર કર્યો. વૈજ્ઞાનિક તથ્યોથી ભરપૂર તેમના રેશનાલિસ્ટ વિચારોનો આજથી લગભગ સાડા ત્રણસો વર્ષ પહેલાના રૂઢિચુસ્ત અને બંધીયાર સમાજજીવનવાળા એ સમયમાં ભરપૂર વિરોધ થયો, યહૂદીઓએ તેમના વિરુદ્ધ ફરમાન જાહેર કરી તેમને અલગ કર્યા તો કેથલિક ધર્મપંથે તેમના પુસ્તકોને પ્રતિબંધિત કર્યા. તેમના વિચારો તલસ્પર્શી, માર્ગદર્શક અને વિવેચનાત્મક તથા સંશોધનાત્મક તથ્યોથી ભરપૂર રેશનાલિસ્ટ વિચારો હતાં. ડચ વિરોધીઓએ તેમના કેટલાક પુસ્તકોને બાળી મૂકેલા, તેમના મૃત્યુ પછીના કેટલાય વર્ષો સુધી પણ તેમના લખાણોનો જોઈએ તેવો પ્રચાર થયો નહીં. આજે તેમને ૧૭મી સદીના રેશનાલિસ્ટોમાં અગ્રગણ્ય માનવામાં આવે છે. આજે તેમના પુસ્તક ‘એથિક્સ’ ના અંશોના ભાવાનુવાદનો પ્રયત્ન કર્યો છે.


સદગત કોઠાડાહ્યો – સિરાજ પટેલ ‘પગુથનવી’ 2

કોઠાડાહ્યો એટલે સામાન્ય બુદ્ધિ ધરાવતો સામાન્ય માણસ, સાવ સાધારણ અર્થમાં ‘કોમન મેન’, ભારતના, વિશ્વના કોઈપણ અર્થતંત્રનો પ્રબુદ્ધ નાગરીક. જો કે પ્રબુદ્ધની વ્યાખ્યા થોડીક અલગ છે. સમાજ આજે આવી તદ્દન સામાન્ય બુદ્ધિને દફનાવી ચૂક્યો છે, આજની વાતો સાંભળીએ તો ક્યારેક સમાજની સ્થિતિ પર અફસોસ વ્યક્ત કરવા સીવાય કાંઈ થઈ શકે તેમ નથી. પ્રામાણિક, નિષ્પક્ષ, તાટસ્થપૂર્ણ વ્યવહાર, સંયમ, કોઠાસૂઝ પ્રેરિત અભિગમ આદી અંગ્રેજી પ્રજાનાં વ્યાવર્તક લક્ષણો ગણાય છે. અંગ્રેજ સમસ્યા સંદર્ભે સહજ કોઠાસૂઝથી ઉકેલ શોધે છે. પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે. સમસ્યાના હલ માટે કોઠાડાહ્યા લોકોએ ચીંધેલી પ્રણાલિઓને વિસારે પાડી અમેરિકાદત્ત પ્રવિધિઓ પ્રયોજાય છે. સમાજે કોઠાડાહ્યાને દફનાવી દીધો, તેનો વિષાદ પ્રગટ કરતાં “લંડન ટાઈમ્સે” એક મૃત્યુનોંધ છાપી છે, જેનો ભાવાનુવાદ પ્રસ્તુત છે.


દસ વાતો જે દરેક બાળકને હું કહેવા ઈચ્છું છું – માનલ ઘોસેંન, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 7

નવી ઉગતી દરેક પેઢી સાથે માનવજાત જ્ઞાન અને જીવનની ગુણવતા સુધારતી આવી છે, સુધરી રહી છે. પ્રગતિની સૌથી ઉત્તમ તકોને સૌથી કપરો સમય કે સૌથી ભયાનક પડકારો તરીકે જોવામાં આવે છે. આપણામાંના દરેકે, આપણા જીવનમાં જે તકલીફો કે યાતનાઓ વેઠી છે, એ ન આવી હોત તો આજે જ્યાં છીએ ત્યાં પહોંચી શક્યા હોત ખરાં? નવી પેઢી વિશે આપણું તારણ શું છે? શું આપણે એવું ઈચ્છીશું કે નવી પેઢીને આપણે ભોગવેલી તકલીફો અને કપરો સમય અનુભવવા દેવો જોઈએ? કે પછી આપણા સંગ્રહિત સારા-નરસા અનુભવોમાંથી તેઓ કાંઈક પદાર્થ પાઠ શીખે તેમ થવું જોઈએ? જો તમે કદાચ એકાદ મિનિટ પૂરતું પણ થોભો, અને તમારા જીવનના સારા-ખરાબ અનુભવો, જે પાઠ જીવને તમને અત્યાર સુધી ભણાવ્યા તે વિશે વિચારો તો એવી કઈ વાત છે જે તમે એમની ઊંમરે જાણતા નહોતા પણ જાણી હોત તો ઘણી ઉપયોગ થઈ પડી હોત એવું તમને લાગે છે? હું તેમને આ વાતો અવશ્ય કહેવા માગું.


કેમ રહેવુ શાંત એક સંતની જેમ.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 8

હકારાત્મક સાહિત્ય કે પ્રેરણાદાયી સાહિત્યથી આજના પુસ્તકભંડારો ઉભરાય છે અને એ વિષય પર કેટલીય વાતો લખાયા કરે છે, પરંતુ એ વાતોમાંથી ક્યાંય કોઈ તારણ નીકળી શકે એવું બનતું નથી. ઈન્ટરનેટ પર કેટલીક સુંદર અને ખૂબ વંચાવી વેબસાઈટસમાંની એક એટલે લીયો બબૂતાનો બ્લોગ “ઝેનહેબિટ્સ”, ટાઈમ મેગેઝીન દ્વારા શ્રેષ્ઠ પચાસ બ્લોગમાં જેને પ્રથમ સ્થાન અપાયું હતું એવા આ બ્લોગનું નામ તેના કામ જેટલું જ અનોખું છે. જીવનને વધુ સરળતાથી જીવવા અને પૂર્ણ સ્વરૂપે માણવાની વાતો કહેતો આ બ્લોગ કોપીરાઈટથી તદ્દન મુક્ત છે. પ્રતિભાવો પણ અહીં તમને જોવા નહીં મળે, જે કહેવું છે એ સચોટ કહેવાની ક્ષમતા અને તેની પૂરતી સમજણ સાથેનો આ બ્લોગ મારા વાંચનક્રમમાં અગ્રસ્થાને છે. આજે પ્રસ્તુત છે એમાંથી જ એક લેખનો ભાવાનુવાદ, આ સંપૂર્ણ અનુવાદ નથી, ઘણો ઉમેરો અને બાદબાકી કરી છે, પરંતુ વિભાવના એ જ રાખી છે.


1984 કોમી રમખાણોની સ્મૃતિઓ – ભક્તિ કૌર, અનુ. વિનોદ મેઘાણી 3

વિકૃત માનસ કેટલું નુકસાન કરી શકે તેનાથી આપણને સતત ચેતતાં રાખવા માટે કેટલીક સ્મૃતિઓ ધબકતા ઝખ્મોની જેમ મગજમાં સદા સળવળતી રહેવી જ જોઈએ. શ્રી વિનોદ મેઘાણી દ્વારા અનુવાદિત અને સંપાદિત પુસ્તક “તેજોમયી” મૌખિક ઈતિહાસને લગતી કાર્યશિબિરોમાં રજૂ કરાયેલી મહિલાઓની કેફિયતો પર આધારિત વૃત્તાંતોનું ધ્રૃજાવી દેનારું સંકલન છે. એકે એક પાને, એકે એક શબ્દે આપણા સમાજે સ્ત્રિઓને આપેલા હ્રદયદ્રાવક ઝખ્મોનો ચિતાર તેમાં છે. ૧૯૮૪ માં દિલ્હીમાં થયેલા શિખ વિરોધી હુલ્લડો દરમ્યાન ઘણાં શીખ બાળકો અને પુરૂષોને રહેંસી નાખવામાં આવેલા. આવી નિર્મમતાનો, આવી અમાનવીય હીનતાનો દાખલો ઈતિહાસમાં જડવો મુશ્કેલ છે. આ ઘટના ભોગવનારા શ્રી ભક્તિ કૌરની જે કેફિયત એ પુસ્તકમાં આપેલી છે તેનો એક ભાગ અહીં લીધો છે. સમાજને એક સુઘડ અને સ્વસ્થ વ્યવસ્થાતંત્રથી ચલાવવા આવી અમાનવીય ઘટનાઓ ન સર્જાય એ જ સૌના હિતમાં છે એ આ વૃતાંત પરથી સ્પષ્ટ જોઈ શકાય છે.


અંગ્રેજી અનુવાદ નરસિંહ મહેતાની ભક્તિરચનાઓનો 5

એક મિત્રએ પુસ્તક ભેટમાં આપ્યું, નામ હતું “અખિલ બ્રહ્માંડમાં”, સંત કવિ નરસિંહ મહેતાની ભક્તિરચનાઓનો અંગ્રેજી અનુવાદ અહીં પ્રસ્તુત થયો છે. ખૂબ સુંદર અને એક નવા પ્રયત્નરૂપ આ પુસ્તકના પ્રકાશક છે શ્રી કમલનયન ન. જોષીપુરા, નવેમ્બર ૨૦૦૨ માં પ્રકાશિત આ પુસ્તક આદ્યકવિ નરસિંહ મહેતાની ૩૧ ભક્તિરચનાઓ અને તેનો અંગ્રેજી અનુવાદ પ્રસ્તુત કરે છે. આ અનુવાદ ભાવનાસભર છે અને છતાંય પ્રભાવી અને સાહિત્યિક તથા કલાત્મક છે. પુસ્તક વાંચતા અનેરા સંતોષની લાગણી થાય છે. આપણી ભાષામાંથી પરભાષામાં અનુવાદો થતા જોવા એ અનોખી લાગણી છે, આપણી મૂડીના વ્યાપને વધારતો એ રાજમાર્ગ છે તો આ સર્વસામાન્ય તત્વજ્ઞાનને વિશ્વસમક્ષ મૂકવાનો અનુભવ પણ છે. આ પુસ્તકમાંથી ત્રણ મૂળ રચનાઓ અને તેના અનુવાદો સાભાર અત્રે મૂક્યા છે.


તરાપાથી ૪૩૦૦ માઈલની દરિયાઈ ‘કોન-ટિકિ’ સફર – જીજ્ઞેશ અધ્યારૂ 9

પંદર સૈકાઓ પહેલા દક્ષિણ અમેરિકાના આદિવાસીઓ વાપરતા તેવા વાંસના તરાપા પર ચઢીને વીસમી સદીના મધ્યમાં પેસિફિક મહાસાગરનો ૪,૩૦૦ માઈલનો પટ ઓળંગનારા છ યુરોપી જવાંમર્દોની આ આપવીતી આપણા જમાનાની શ્રેષ્ઠ સાહસકથા બની રહી છે. પંદરથી વધુ ભાષાઓમાં તેના અનુવાદો થયા છે તો લાખો નકલો વેચાઈ ગઈ છે. વાત મૂળ તો લગનની છે. લેખક નોર્વેના વતની છે અને દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આવેલા ટાપુઓમાં વસતા લોકોના પૂર્વજો ક્યાંથી ત્યાં પહોંચ્યા એ વિશે મતમતાંતરો હતાં, શ્રી હાયરડાલે સાબિત કરવાનો યત્ન કર્યો કે તેઓ દક્ષિણ અમેરીકાથી જ ત્યાં જઈને વસ્યા હોવા જોઈએ. જો કે તેમના આ દાવાને સજ્જડ ફગાવી દેવાયો. દક્ષિણ અમેરીકાથી મધ્ય પેસિફિકનો આ ૪૩૦૦ માઈલનો પંથ ૧૫૦૦ વર્ષ પહેલા કઈ રીતે પાર કરી શકાય એ પ્રશ્નનો ઉત્તર આપવા તેમણે વાંસના તરાપા પર આ આખોય પ્રવાસ ખેડ્યો. પ્રસ્તુત છે આ પુસ્તક વિશે કેટલીક વાત અને થોડાક અંશો.

raft in museum

મૂંઝવણમાંથી માર્ગ – ઈ. એફ. શૂમાખર, અનુ. જયન્ત પંડ્યા

શ્રી શુમાખર આ જમાનાના પ્રાજ્ઞ પુરુષ હતા. પ્રાજ્ઞ એટલે દૂરનું જોઈ શકે એટલું જ નહિં પણ તેમાં રહેલા સારસારને આપણા હાથમાં મૂકી શકે. પોતે જાણીતા અર્થશાસ્ત્રી પણ તેમણે અર્થનો અનર્થ ન થઈ જાય એ માટે વૈજ્ઞાનિક વિચારણાઓ કરી. અમેરિકાના પ્રમુખ કાર્ટર તેમના પુસ્તક ‘નાનું તે રૂડું’ ઉપર ફિદા હતાં. શૂમાખરનું આ પુસ્તક જીવનદર્શનનું, બુધ્ધિપૂર્વકની તત્વચર્ચાનું પુસ્તક છે. આટલા નાના પુસ્તકમાં આટલું બધું અર્થવાહક સત્ય તે વળી કેમ સમાવી શક્યા તેનું આશ્ચર્ય થાય પણ તત્વદર્શી ઋષિઓને શું શક્ય નથી? ભાષા વિચાર તેમની પાસે બાલવત આવીને બેસે છે. તો નિરીક્ષકના પૂર્વ તંત્રી શ્રી જયંત પંડ્યાનો અનુવાદ ખૂબ સુંદર છે. અને એટલે જ આ પુસ્તક એક ગુરૂની ગરજ સુપેરે સારે છે. પ્રસ્તુત લેખ પુસ્તકના નિચોડ રૂપ અંત્યકથન છે અને લેખના અંતે તેની અંગ્રેજી આવૃત્તિ ઓનલાઈન વાંચી શકાય તેની લિંક આપી છે જે ઉપયોગી થશે.


દાખલો કેમ ગણાય? – નિકોલાઈ નોસોવ (અનુ. મહેન્દ્ર મેઘાણી) 12

પશ્ચિમના કેટલાક દેશોમાં બાળકો અને કિશોરો, યુવાનો માટે અપરંપાર વિવિધતા ધરાવતા સાહિત્યનો ખજાનો પડેલો છે, ને સમયની સાથે સમૃધ્ધ થતો જાય છે. મૂળ રશિયન લેખક રોઝ પ્રોકોફીવાની કૃતિ “School boys” ના નિકોલાઈ નોસોવના અંગ્રેજી અનુવાદ પરથી શ્રી મહેન્દ્ર મેઘાણીએ કરેલા અનુવાદ “ભાઈબંધ” માંથી લેવામાં આવ્યો છે. રશિયન કિશોર સાહિત્યની આ કૃતિ ખૂબ સુંદર, બાળ માનસને સમજતી સમજાવતી આનંદ કરાવતી વાંચતા વાંચતા ક્યારે પૂરી થઈ ગઈ, ખબર જ ન પડી. શાળાના દિવસો અચૂક યાદ કરાવતી, એ સફર પર લઈ જતી અનેરી વાત છે. તોતો ચાન પછી આ બીજી પુસ્તિકા છે જે આ ક્ષેત્રમાં નોંધપાત્ર છે, જો કે “ભાઈબંધ” એટલી પ્રચલિત નથી. રશિયન નિશાળીયાઓની આ વાતમાં આપણા કિશોરોને પોતાનું પ્રતિબિઁબ અચૂક દેખાશે. લોકમિલાપ ટ્રસ્ટનું પ્રકાશન એવું આ પુસ્તક 160 પાનાનું છે અને 2000ની સાલના પુનર્મુદ્રણ વખતે તેની કિઁમત 30 રૂપિયા હતી. ટૂંક સમયમાં અક્ષરનાદ પર આ પુસ્તકની સમીક્ષા અને પુસ્તક પરિચય પણ વાંચી શક્શો.


નો અને યસ – કૃષ્ણચંદર (વાર્તા) 2

ગુજરાતી ભાષામાં આવી સુંદર વિજ્ઞાનકથાઓ (સાયન્સ ફિક્શન) ખૂબ જૂજ છે; શોધી ન મળે. વર્ષો પહેલાં શાળામાં કોઈક ધોરણમાં આ વાર્તા ભણ્યા હતાં, કદાચ ધોરણ આઠમાં. જોકે ત્યારે વાર્તાને સમજવાનો દ્રષ્ટિકોણ અપરિપક્વ હતો. મને આવી વાર્તાઓ વાંચવી ખૂબ ગમે છે. જોકે કાલ્પનિક હોવા છતાં વાર્તાનો અંત ખૂબ અદ્ભુત થયો છે. પૃથ્વી પર પ્રેમનું સામ્રાજ્ય મનુષ્યના અંત પછી પણ સતત રહેશે એ વાતની અનુભૂતિ અહીં ખૂબ સુંદર(અનુભૂતિ સુંદર ન હોય ) રીતે થાય છે. વૈજ્ઞાનિક પરિકલ્પના દ્વારા લેખકે ભાવનાત્મક હેતુ સિદ્ધ કરવાના વાતાવરણનું નિરૂપણ કર્યું છે. માનવજાતને બચાવવા પ્રેમથી મોટું પરિબળ બીજું કોઈ નથી એ વાત પણ સુંદર રીતે પ્રતિપાદિત થાય છે.


એક હિંદુને પત્ર – લીઓ ટોલ્સટોય (અનુ. જીગ્નેશ અધ્યારૂ) 2

શ્રી લિઓ ટોલ્સટોય દ્વારા લખાયેલ પુસ્તક ” લેટર ટુ અ હિન્દુ ” નો ગુજરાતી અનુવાદ કરી રહ્યો છું. તેની પ્રસ્તાવના શ્રી ગાંધીજી દ્વારા લખાઇ છે, ભારતની પરાઘીનતા – તેન કારણો અને ઉપાય વિષયને કેન્દ્રમાં રાખીને શ્રી મોહનદાસ કરમચંદ ગાંઘીના વિચારોનો ગુજરાતી અનુવાદ કરવાનો અત્રે પ્રયત્ન કર્યો છે. અને તેમના ટોલ્સટોયના લેખન વિશેના વિચારો વાંચીને ખૂબ પ્રભાવિત થવાયું. આજે તે પુસ્તકની પ્રસ્તાવના આપ સૌ સાથે વહેંચી રહ્યો છું.


એક ઓંકાર ગુરૂબાની : પંજાબી પ્રાર્થના (ભાષાંતર સાથે) – જીગ્નેશ અધ્યારૂ 9

વર્ષો પહેલા દિલ્હીમાં રહેતો ત્યારે એક બે વખત આ ગુરબાની મેં ગુરુદ્વારા નાનકાના સાહિબ, દિલ્હીમાં સાંભળી હતી. પણ તેનો અર્થ ખબર ન હતો, પછી સમય સાથે તે ભૂલાતું ગયું પણ ફિલ્મ રંગ દે બસંતી મારફત ફરીથી તેની યાદો તાજી થઈ ગઈ, આજે પ્રસ્તુત છે આ ગુરબાની અને તેનું મેં મારી સમજ મુજબ કરેલ ગુજરાતી ભાષાંતર. એક ઓંકાર સતનામ કર્તા પૂરખ નિરભા-ઓ-નિરવૈર અકાલ મૂરત, અજૂની સૈભાન ગુર પરસાદ એ એક સાર્વત્રિક સર્જક પરમેશ્વર, તેનું નામ સત્ય છે, જન્મો માટે સર્જક, કોઇ ડર નહીં, નફરત નહીં, જન્મ મૃત્યુથી પર અમિટ જીવનની છાપ, સદભાવના સભર જીવન – ગુરુના પ્રસાદ રૂપ આશિર્વાદ છે. જપ, આદ સચ, જુગાદ સચ, હૈ ભી સચ, નાનક હોસૈ ભી સચ, સોચૈ સોચ ન હોવૈ, જે સોચે લખ વાર, મંત્ર અને સાધના, પ્રથમારંભે સત્ય, અનંત અંત સુધી સત્ય, સત્ય અહીં અને હમણા, સદા અને સર્વદા સત્ય, ગુરુ નાનક ચુપ્પઇ ચુપ ન હોવૈ જે લાય રહા લિવ તાર ચૂપ રહેવાથી મનની શાંતિ મળતી નહીં, હજારો અને લાખો વખત વિચારવાથી પણ શાંતિ મળતી નથી. ભૂખીયા ભૂખ ન ઉતરી, જય બન્ના પુરીઆ બહાર, સહસ સી આનપા લખ હોહી તા ઇક ના ચલૈ નાલ ભૂખ્યાઓની ભૂખ છૂપાતી નથી, ભલે તમે જગત શબ્દોરૂપી ભોજનોનો ખડકલો કરી દે… હજારો અને લાખો ચતુરાઇઓ ભલે હોય, પણ તેમાંથી એક પણ અંતમાં સાથે નહીં આવે. કિવ સાચી આરા હો ઇ ઐ કિવ કૂરહૈ ટૂટે પાલ તો તમે વિશ્વાસપાત્ર કઇ રીતે બની શકો? અને જે નાશવંત છે તેનું સાચું જ્ઞાન કઈ રીતે મેળવી શકો? હુકુમ રજા ઇ ચલના નાનક લિખી આ નાલ નાનક દેવે લખેલું છે કે તમે પ્રભુના હુકમનું પાલન કરો […]


કલ્ચર મોતી – હરિશ્ચંદ્ર 2

‘કેમ, બહેનને સ્ટેશન પર તેડવા ન ગયાં?’ ‘ના પ્રેસ્ટિજ ને પોઝિશનનો તો ખ્યાલ કરવો પડે ને! નોકર-ડ્રાઈવર સામે એને થર્ડ ક્લાસમાંથી ઊતરતી જોઉં…….મને તો બહુ ઑકવર્ડ લાગે.’ ‘તમારા પપ્પા તો માજી દિવાન હતા ને! તમારી બહેનને સારું ઘર ન મળ્યું ?’ ‘અરે, મોટાં મોટાં રજવાડાંમાંથી માગાં આવ્યાં હતાં. પણ બહેનબાએ પસંદ કર્યો પંતુજીને ! ૫૦૦ રૂપિયા તો પપ્પા પાસેથી હાથ ખરચીના લેતી. હવે એટલામાં આખો સંસાર ચલાવવાનો. તાંબાની તોલડી તેર વાના માંગે. કેમ ચલાવતી હશે બઘું?’ એટલામાં મોટર આવી અને ઇન્દુ દોડતી વસંતને વળગી પડતાં બોલી, ‘જીજાજી ક્યારે આવશે, દીદી?’ ‘એ તો ઘરમાં જ ક્યાં રહે છે? હમણાં એક નવી મિલ ખોલી છે તે મદ્રાસ ગયા છે. પણ હા, તારા માસ્તરજી શું કરે છે?’ વસંતની પૂછવાની રીતભાત એવી હ્તી કે ઇન્દુ ખોટું લગાડી શકે. પણ એને જતું કર્યું. ‘સારા છે. પણ તું આવી ફિક્કી ને દુબળી કાં?’ ‘દૂબળી ? ના રે ના. આખો દિ’ ફળોનો રસ પીઉં છું. ટૉનિક લઉં છું.’ વસંત બોલી. બહેનને ઓરડે ઓરડે ફેરવી હજારો રૂપિયાનું ફર્નિચર, કારપેટ્સ, પડદા વગેરે બતાવી રહી હતી. ‘તું તો મારે ત્યાં પહેલી જ વાર આવી, નહીં? અને જો, ભોજનમાં તને જે પસંદ હોય તે કહી દે.’ ‘મને તો બઘું જ પસંદ છે.’ ઇન્દુની આ લાપરવાહી વસંતને સારી ન લાગી. ‘કેમ, હવે એ બઘાં નખરાં નથી રહ્યાં? પહેલાં તો ખાસ્સો મિજાજ હતો ખાવાની બાબતમાં.’ ‘એ તો બચપણની વાતો. હવે શું?’ વસંત ના મોઢેથી સરી પડ્યું ; ‘હા નખરાં નિભાવવા સાઘન પણ જોઇએ ને!’ કોણ જાણે કેમ એના મનમાં થોડી કડવાશ આવી ગઈ. એ ઇચ્છતી હતી કે ઇન્દુ એનો બંગલો જુએ, બગીચો જુએ, […]


જાણવા જેવી વાતો – જીગ્નેશ અધ્યારૂ 14

વિશ્વનુ સૌથી સામાન્ય નામ છે મહમ્મદ કોકાકોલા પહેલા લીલા રંગની હતી. દરેક ખંડના અંગ્રેજી નામો જે મૂળાક્ષરથી શરૂ થાય છે તે જ મૂળાક્ષરથી પૂરા થાય છે. શરીરનું સૌથી મજબૂત સ્નાયુ છે જીભ તમે છીંક ખાઓ ત્યારે લોકો તમને ‘જીવન’ કે ‘ગોડ બ્લેસ’ કહે છે કારણકે છીંક ખાઓ ત્યારે તમારું હ્રદય એક મિલિસેકન્ડ જેટલું ધબકાર ગુમાવી દે છે. કોણીએ કદી જીભ પહોંચાડી શકાતી નથી. 111,111,111 x 111,111,111 =  12,345,678,987,654,321 મોટા ભાગની લિપસ્ટીકમાં માછલીના હાડકાં હોય છે. સ્ત્રિઓની આંખ પુરૂષો કરતા બમણી વખત ફરકે છે. ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસનો પોતાનો રેકોર્ડ છે પબ્લિક લાઈબ્રેરીમાંથી સૌથી વધુ વખત ચોરાઈ જવાનો. વાલની દાળ અવકાશયાત્રીઓને ખવડાવાતી નથી કારણકે ચાલુ મુસાફરીએ હવા છોડવી તેમના પોષાકને યોગ્ય નથી. મૂર્તિ માં યોધ્ધાનો ઘોડો જો બંને પગ ઉંચા રાખેલ દર્શાવેલ હોય તો તે યોધ્ધા યુધ્ધમાં મૃત્યુ પામ્યો હશે, જો ઘોડાનો એક પગ અધ્ધર હોય તો તે યોધ્ધા યુધ્ધમાં મળેલા ઘા ના લીધે મૃત્યુ પામ્યો હશે, અને જો ઘોડાના ચારેય પગ જમીન પર હોય તો તે કુદરતી રીતે મૃત્યુ પામ્યો હશે. ફર્સ્ટ ક્લાસના યાત્રીઓના ગ્રીન સલાડમાંથી એક સલાડમાંથી એક ઓલિવ કાઢીને અમેરીકન એરલાઈન્સે ૧૯૮૭ માં ૪૦,૦૦૦ ડોલર બચાવ્યા. Stewardesses ડાબા હાથે ટાઈપ કરી શકાતો લાંબામાં લાંબો શબ્દ છે. ઈંગ્લેન્ડમાં હાઉસના સ્પીકરને બોલવાની સત્તા નથી હોતી અમેરીકનો રોજીંદી રીતે ૧૮ એકર જેટલા પીઝા ખાઈ જાય છે. મહત્વની બધી બાસ્કેટબોલ લીગ મેચમાં અમ્પાયરોએ કાળા અંતઃવસ્ત્રો પહેરવા જરૂરી છે. અબ્રાહમ લીંકન ના કૂતરા ફીડોની પણ હત્યા કરવામાં આવી હતી. કેલીફોર્નિયા ડીપાર્ટમેન્ટ ઓફ મોટર વ્હિકલ “જીસસ ક્રાઈસ્ટ” ના નામે છ ડ્રાઈવીંગ લાઈસન્સ ઈશ્યુ કરી ચૂક્યું છે. દર સેકન્ડે ઈ-બે પર લગભગ ૬૮૦ ડોલરની લેવડદેવડ થાય છે. દુખાવાને […]


વારિસ શાહને – અમૃતા પ્રીતમ 6

અમૃતા પ્રીતમને ભાગ્યેજ કોઈ સાહિત્યરસિક વાચક ન ઓળખે. તેમની ઘણી કવિતાઓ મેં હિન્દીમાં અનુવાદિત થયેલી વાંચી છે. મને ખ્યાલ નથી કે ગુજરાતીમાં તેનો અનુવાદ થયો હોય. હમણાં તેમની જીવનકથા રેવન્યુ સ્ટેમ્પ વાંચવાનો અવસર મળ્યો. એક લેખિકા અને એક કવિયત્રી જેમને ફક્ત “પીંજર” (તેમની નવલકથા પરથી બનેલી ફિલ્મ ) ને લીધે ઓળખતો હતો તેમની ઘણી રચનાઓ વિશે, જીવનના વિવિધ પડાવો વિશે અને તેમના જીવનનાં પ્રેરકબળો વિશે વાંચવા મળ્યું. તેમની જીવનકથામાં તેમની અનેક રચનાઓ માંથી વારિસ શાહને સંબોધીને લખાયેલી એક કવિતાનો ખાસ ઉલ્લેખ આવે છે. પંજાબી જાણતા એક મિત્ર મારફત એ કવિતાનો હિન્દી ભાવ મેળવ્યો અને તેનો અનુવાદ કરવાનો નાનકડો પ્રયત્ન અત્રે કર્યો છે. એક થી બીજી ભાષામાં સમજતા તેનો ભાવ “વાયા” થઈને આવ્યો છે એટલે કદાચ શરતચૂક હોય પણ ખરી,  તેનો હેતુ વૈશ્વિક જાગૃતિનો છે, એક એવી તકલીફનો એમાં નિર્દેશ છે જે બધાને ક્યાંકને ક્યાંક અડે છે, પૂરી હોય કે અછડતી….. આશા છે આપને ગમશે… અમૃતા પ્રીતમ તેમની જીવનકથામાં કહે છે, ” પ્રાચીન ઈતિહાસમાં ભીષણ અત્યાચારી કાંડ આપણે ભલે વાંચ્યા હોય, પણ તોયે આપણા દેશના ભાગલા વખતે જે થયું એના જેવો ખૂની, બર્બર કાંડ કોની કલ્પનામાં આવે? દુઃખની વાતો કહી કહીને લોકો થાકી ગયા હતા, પણ આ વાતો જિંદગીની પહેલા પૂરી થાય એવી નહોતી. લાશ જેવા લોકો જોયા હતા, અને જ્યારે લાહોરથી આવીને દેહરાદૂનમાં આશરો લીધો, ત્યારે નોકરીની અને દિલ્હીમાં રહેવા માટેની જગા શોધવા ત્યાં આવી અને પાછી ફરી રહી હતી, ચાલતી ગાડીમાં ઉંઘ આંખની પાસે પણ ફરકતી નહોતી. ગાડીની બહારનું ઘોર અંધારૂ સમયના ઈતિહાસના જેવુ હતું. હવા એ રીતે સૂસવાતી હતી કે જાણે ઈતિહાસની લગોલગ બેસીને રડી રહી હોય. બહાર ઉંચા […]


કાળો ફુગ્ગો આકાશમાં ઉડે? 8

એક મેળામાં ફુગ્ગાવાળો ફુગ્ગાઓ વેચી રહ્યો હતો. રંગબેરંગી ફુગ્ગાઓ વેચવા માટે લોકોનું ધ્યાન ખેંચવા તે થોડા થોડા સમયે એકાદ ફુગ્ગો આકાશમાં છોડી દેતો હતો. તેને જોઈને બાળકો કિકિયારીઓ કરતા અને ફુગ્ગો ખરીદવા આકર્ષાતા. આ પ્રમાણે ફુગ્ગાવાળો ફુગ્ગા વેચવામાં વ્યસ્ત હતો. ત્યાં તેને કોઈ તેનો ઝભ્ભો ખેંચી રહ્યો છે તેવું જણાયું. પાછું વળીને તેણે જોયું તો એક નાનકડો આદિવાસી બાળક હતો. નજર મળતા જ આદિવાસી છોકરાએ તેને પૂછ્યું, “તમે કાળા રંગનો ફુગ્ગો આકાશમાં છોડશો તો તે પણ આકાશમાં ઉડશે ….. ?” ફુગ્ગાવાળો ક્ષણભર વિચારમાં પડી ગયો. આ છોકરો આમ કેમ પૂછે છે તેની નજર છોકરાની શ્યામ ત્વચા પર ગઈ, અને તેના મગજમાં ઝબકારો થયો. ફુગ્ગાવાળાએ વાત્સલ્ય પૂર્વક આદિવાસી છોકરાના માથે હાથ પસારીને ઉત્તર વાળ્યો, “બેટા ફુગ્ગાઓ તેમનો રંગ લઈને નહીં પણ તેમની ભીતરમાં જે હોય તેના બળે જ ઉપર જતા હોય છે, રંગ ભલે કોઈ પણ હોય, કોઈ ફરક પડતો નથી…” ચારિત્ર્ય અને સફળતા મનુષ્યના હ્રદયમાંથી પ્રગટે છે. ******************** એક વૃધ્ધો શાણો મનુષ્ય પોતાના ગામની ભાગોળે બેઠો હતો. એક પ્રવાસીએ આવીને તેને પૂછ્યું, ” આ ગામમાં માણસો કેવા છે? હું અત્યારે જે ગામમાં જાઉં છું તે છોડીને મારે બીજે ગામ રહેવા જવું છે” વૃધ્ધ મનુષ્યે સામે પૂછ્યું, “તમે અત્યારે જે ગામમાં રહો છો ત્યાં માણસો કેવા છે?” પેલા પ્રવાસીએ કહ્યું, “લુચ્ચા, જડ અને સ્વાર્થી”, શાણા માણસે કહ્યું “અહીં પણ લુચ્ચા, જડ અને સ્વાર્થી માણસો જ રહે છે.” થોડા વખત પછી બીજા પ્રવાસી એ આવીને પેલા વૃધ્ધને એજ પ્રશ્ન પૂછ્યો, વૃધ્ધે તેને સામું પૂછ્યું, “તમે અત્યારે જે ગામમાં રહો છો ત્યાં માણસો કેવા છે?” પેલા પ્રવાસીએ કહ્યું “અમારા ગામના માણસો તો ખૂબ […]


હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે – અબ્રાહમ લિંકન 16

હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે; આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે. અત્યાર સુધી એ પોતાનો રાજા હતો, આજુબાજુનાં આંગણાંનો સરદાર હતો; વળી એની ઈચ્છાઓ સંતોષવા હું હાથવગો હતો. પણ….હવે બધું બદલાઈ જશે. આજે સવારે એ ઘરનાં પગથિયાં ઊતરશે, હાથ હલાવશે અને મહાન સાહસનો આરંભ કરશે. એ સાહસમાં કદાચ યુધ્ધો, કરુણ ઘટનાઓ અને વેદનાઓનો પણ સમાવેશ હશે. આ જગતમાં વસવા માટે શ્રધ્ધા, પ્રેમ અને હિંમત જોઇએ. એથી હે જગત, તું તેની કુમળી આંગળી પકડીને દોરજે અને જાણવા જેવું બધું જ શીખવજે. બની શકે તો આ બધા પાઠ મૃદુતાથી શીખવજે. એણે બધું શીખવું તો પડશે. હું જાણે છું કે દુનિયામાં બઘા જ માણસો ન્યાયી નથી હોતા કે સાચા નથી હોતા. પણ એને શીખવજે કે એક બાજુ દુષ્ટ લોકો છે, તો બીજી બાજુ સંત લોકો પણ છે. પ્રપંચી રાજકારણીઓ છે, તો સેવાભાવી સજ્જ્નો પણ છે, જે જગતની સમતુલા જાળવી રાખે છે; અને દુશ્મનો પણ મિત્રો બને છે ખરા, ભલે તેમાં વાર લાગે. એને એ પણ શીખવજે કે મહેનતથી કમાયેલો એક ડોલર મફત મળેલા પાંચ ડોલર કરતાં વધારે મૂલ્યવાન છે. હાર જીરવવાનું એને શીખવજે, પણ જીતવામાં કેવી મજા છે તે પણ એને શીખવજે. અદેખાઈથી એને અળગો રાખજે, સ્મિતનું મૂલ્ય એને સમજાવજે. પુસ્તકોની અદભૂત દુનિયાનાં એને દર્શન કરાવજે. આકાશમાં ઊડતાં પંખીઓ, સૂર્યના પ્રકાશમાં ગુંજરાવ કરતી મધમાખીઓ, લીલા ડુંગરા પર ખીલેલાં પુષ્પોનું સનાતન રહસ્ય શોઘવા એને થોડોક નિરાંતનો સમય આપજે. એને શીખવજે કે ચોરી કરીને પાસ થવા કરતાં નાપાસ થવામાં વઘારે પ્રતિષ્ઠા છે. ભલે બીજા બઘા એને ખોટો કહે તોપણ એને પોતાના વિચારો પર વિશ્વાસ રાખવાનું શીખવજે. સજ્જ્ન સાથે સજ્જ્ન અને દુર્જન સામે અણમન રહેતાં શીખવજે. સૌનું ભલે […]


હ્રદયની પ્રાર્થના – રવિન્દ્રનાથ ટાગોર ( ગીતાંજલી માંથી ) 2

મારી તને આ પ્રાર્થના છે હે મારા પ્રભુ! મારા હ્રદયની પામરતાને જડમૂળથી ઘા કરીને ઉખેડી નાખ, મારા આનંદને તેમજ શોકને હું તદન સહેલાઈથી સહી શકું, એટલું બળ મને દે. શોક સહેવાનું જેને માટે શક્ય છે એને માટે પણ આ આનંદ સહેવાનું અઘરું છે, મારા નાથ, એટલે હું પ્રાર્થું છું કે આ આનંદને હું સહી શકું, એ બળ મને દે ! મારો પ્રેમ, મને કોઈ ને કોઈ સેવાના સફળ કાર્ય તરફ પ્રેરનાર બને, એવી શક્તિ મને આપ મને, હે નાથ! આ બળ આપ, કે હું કોઈ પણ ગરીબને કદી પણ તિરસ્કારું નહીં અને મોટા ચમરબંધી, ગર્વિષ્ઠ ઉધ્ધતને ચરણે મારું માથું નમાવું નહીં. નિત્યની નિર્માલ્ય વાતોને પણ, હું મારા મન માટેની ઉન્નતિનું એક સોપાન બનાવી શકું, એવી શક્તિ તું મને આપ ! અને છેવટે મને તું એ શક્તિ આપ સ્વામી ! કે મારું સામર્થ્ય, તારી ઈચ્છાને પ્રેમથી આધીન થવામાં, પોતાની શક્તિની પરાકાષ્ઠા જુઓ. શ્રી રવિન્દ્રનાથ ટાગોર (ગીતાંજલી માંથી) શાંત તોમાર છંદ (સંકલિત રચનાઓ માંથી સાભાર)


તજ લવિંગ એલચી – પ્રેમનો મુખવાસ (સંકલિત) 9

તારાઓ આગના તણખા હોવાનો શક કરજો, પૃથ્વી ફરતી નથી, શક કરજો, સત્યને જૂઠાંણુ હોવાનો શક પણ કરજો, પરંતુ મારા પ્રેમ પર શંકા ન કરશો – વિલિયમ શેક્સપીયર (હેમલેટ) પ્રેમની ક્ષણોને સંઘરી લો, પ્રેમ કરો અને પ્રેમ પામો, આ જ જીવનનું શાશ્વત સત્ય છે, બાકી બધુંય જૂઠાણું છે. – લીયો ટોલ્સટોય (વોર એન્ડ પીસ) પ્રેમના વિકાસમાં જટિલતાઓ અને નિરાશા અવગણી ન શકાય એવા હોય છે પણ તે ઘણી વાર પ્રેમ માટે બહુ સબળ પ્રેરકબળ બની રહે છે. – ચાર્લ્સ ડિકન્સ (નિકોલસ નિકલાય) મારા હ્રદય, હે મારા હ્રદય, સંપૂર્ણ અને મુક્ત બન, બસ, ફક્ત પ્રેમ જ તારો એકમાત્ર શત્રુ છે. – જ્યોર્જ બર્નાર્ડ શો (સીઝર અને ક્લિયોપેટ્રા) પ્રેમ આપણા સ્વપ્નો, ઈચ્છાઓને પાંખો આપે છે. – એલેક્ઝાન્ડર ડુમસ (ધ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો) ઉંમરલાયક થયેલો પ્રેમ એ ક્યારેકનો નવો પ્રેમ નથી. – જ્યોફ્રી ચૌસર (ધ કેન્ટબરી ટેલ્સ) ઓહ હું! એ ક્યાંક બધેય વાંચ્યુ છે, અને ઈતિહાસ પણ એ જ કહે છે કે સાચા પ્રેમનો રસ્તો કદી સરળ હોતો નથી – વિલિયમ શેક્સપીયર ( મીડસમર નાઈટસ ડ્રીમ ) નરક શું છે?, મારા મતે પ્રેમ ન કરી શકવાના લીધે થતી તકલીફ એટલે નરક – ફયોદર દોસ્તોવસ્કી (ધ બ્રધર્સ કારઝોવ) પ્રેમ, પ્રેમીઓ માટે ધરતી પર બધું જ એ છે, પ્રેમ જે સમય અને સ્થળથી પર છે. પ્રેમ જે દિવસ અને રાત છે, પ્રેમ જે સૂર્ય ચંદ્ર અને તારાઓ છે. પ્રેમ જે આદત છે, અને એવી સુગંધી બીમારી છે, બીજા કોઈ શબ્દો નહીં, ફક્ત પ્રેમના, બીજો કોઈ વિચાર નહીં પરંતુ ફક્ત પ્રેમ. – વોલ્ટ વ્હીટમેન (લીવ્સ ઓફ ગ્રાસ) પુરૂષ અને સ્ત્રિ પ્રેમના કાર્યમાં એક બીજામાં પૂરેપૂરા મળી જાય, કે પછી લગ્ન કરીને […]


મારો હાથ પકડો, હે વહાલા પ્રભુ (પ્રાર્થના ઈતિહાસ) – જીગ્નેશ અધ્યારૂ 8

ઓગસ્ટ ૧૯૩૨માં થોમસ એ ડોર્સી (૧૮૯૯ – ૧૯૯૩) એ આ ગોસ્ફેલ ગીત ( ખ્રિસ્તિઓનું પ્રાર્થના ગીત) લખ્યું હતું. આ ગીતને અત્યાર સુધીના ગોસ્ફેલ ગીતોમાં સહુથી મહાન સર્જનોમાંનું એક માનવામાં આવે છે. વિશ્વભરના લોકો તે ગાય છે, જાણે છે અને પ્રેમ કરે છે કારણ છે તેનો ઉંડો સંદેશ, શાંતિનો, આશાનો અને શ્રધ્ધાનો. યુવાન આફ્રીકન અમેરીકન પિયાનીસ્ટ વડે લખાયેલું આ ગીત માર્ટીન લ્યૂથર કીંગને ખૂબ ગમતું અને તેમનું અંતિમ વાક્ય પણ એ જ હતું કે આ ગીત તેમના મરણોપરાંત વગાડવામાં આવે અને તેમની એ ઈચ્છા મુજબ મહાલીયા જેક્સને એપ્રિલ ૧૯૬૮માં તેમની અંતિમ વિધિમાં આ ગીત ગાયું હતું. ૧૯૨૫માં ડોર્સી ના લગ્ન નેટલી હાર્પર સાથે થયા હતાં, લગ્નના એક વર્ષ પછી તેને નર્વસ બ્રેકડાઉન થયું અને તે બે વર્ષ સુધી કોઈ પણ કાર્ય કરવા અસમર્થ હતો. તેની પત્ની તેને મદદ કરવા કપડા ધોવાનું કાર્ય કરતી. તેની સાળીના કહેવાથી ડોર્સીએ ચર્ચમાં ગીતો ગાવાનું શરૂ કર્યુ અને ત્યાં તેને આધ્યાત્મિક આનંદ મળવા માંડ્યો. તેને આંતરીક શાંતિના અનુભવો થવા લાગ્યા હતાં. ૧૯૩૨માં તેણે શિકાગોના પિલગીમ બાપ્ટીસ્ટ ચર્ચના દિગ્દર્શક ગીતકાર તરીકેનું કામ સ્વીકાર્યું. એક ખૂબ મોટા મેળાવડામાં તેણે ગાવાનું હતું. તેની પત્ની ગર્ભવતી હતી. તેણે પત્નીના કપાળે ચુંબન કર્યું અને મેળાવડામાં ગાવા માટે જવા નીકળ્યો. ગીત હજી પૂરું જ થયું હતું ત્યારે તેને ખબર મળી કે તેની પત્નીનું પુત્રને જન્મ આપતા મૃત્યુ થયું છે. તે રડી પડ્યો, લોકોને લાગ્યું કે તે ખુશીના આંસુ છે… તે દોડતો ઘરે આવ્યો અને બાળકને ખોળામાં લઈ લીધો, ખુશી અને દુઃખ વચ્ચે તે ઝુલતો હતો. પણ તે રાત્રે તે બાળક પણ મરી ગયું. ડોર્સી ભાંગી પડ્યો, અને તે પછી જગતથી અલગ થઈ ગયો. […]


જૂના સામયિકો અને નવા લેખકો (સંકલિત) – જીગ્નેશ અધ્યારૂ 4

ઘણાં મિત્રો કહે છે કે ગુજરાતી સામયિકો અને માસિકોમાં તેઓ પોતાની રચનાઓ ઘણી વખત મોકલી ચૂક્યા છે પરંતુ ઘણી વાર કોઈ જવાબ મળતો નથી, ઘણી વાર “કવિતા હજી કાચી છે, તેને થોડાક વધુ શણગારની જરૂર છે” તેવા જવાબ સાથે પાછી આવે છે અને ઘણી વખત “પ્રયત્ન સારો  છે પરંતુ તેનો મૂળભૂત સાદ આ માસિકના પ્રકાશનના વર્તુળમાં બંધબેસતો નથી” એવો જવાબ પણ મળે છે. કવિતા કે કોઈ પણ રચના પ્રકાશનાર્થ મોકલવી તે આપણી નમ્ર ફરજ છે પરંતુ તે પ્રકાશિત થાય કે ન થાય તે માટે પ્રકાશકની મુનસફી પર આધાર રાખવો જોઈએ. કવિતા કે લેખની ગુણવત્તા સાથે તેમણે અન્ય ઘણાંય પાસાનું ધ્યાન રાખવાનું હોય છે. અને તેમના અનુભવના આધારે તેમના સૂચનો કદાચ માનવાયોગ્ય હોય તે બનવાપાત્ર છે. એટલે પ્રયત્ન કર્યા કરવા. આ વિષય પર કેટલાક વિચારો મળ્યા છે જે અત્રે મૂકી રહ્યો છું. જો કે, એ વાતનો ઉલ્લેખ કરવો અત્રે અસ્થાને નહીં ગણાય કે મેં હાલમાં જોયેલા એક અગ્ર ગુજરાતી માસિકમાં સમ ખાવા પૂરતો એક પણ રસપ્રદ લેખ હતો નહીં. વેચાણ, કાયમી ગ્રાહકો જવા દઈએ તો આ જોઈને કોણ તેને ખરીદે? લેખોની પસંદગી તદન તટસ્થ ભાવે થવી ઘટે અને ઉગતી પ્રતિભાઓને ક્યાંક સ્થાન આપવું અને તેમને યથાયોગ્ય રીતે લખવા માટે પ્રેરણા આપવા જેવું કાર્ય પણ માસિકોએ જ કરવાનું છે અને તેમની આશાએ જ ગુજરાતી સાહિત્ય ભવિષ્ય તરફ જોઈ શકે છે.  તમિલ અને મલયાલમમાં જ્યાં માસિકોની નકલ લાખોમાં ખપે છે ત્યારે એ આંકડો ગુજરાતી માસિકો માટે તેના દસમાં ભાગ જેટલો પણ નથી એ શું સૂચવે છે? વાચકોની ઉદાસીનતા અને આપણી અવગણના. આ સંજોગો દૂર કરવા જ રહ્યાં. નવોદિતો માટે અમૂક પાના ફાળવી શકાય, કે નવોદિત વિશેષાંક જેવા […]


શ્રી જવાહરલાલ નહેરૂનું પ્રવચન – ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ 8

પ્રિય દેશવાસીઓ, ભારતની સેવા કરવાની અને તેની સ્વતંત્રતાનો હિસ્સો બનવાની મને તક મળી તે માટે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી ગણું છું. આજે સૌપ્રથમ વખત ભારતીયોના સેવક તરીકે આધિકારીક રીતે હું તમને સંબોધન કરી રહ્યો છું, તમારી સેવા અને વિકાસ માટે પ્રતિજ્ઞાબધ્ધ. હું અહીં છું કારણકે તમે એમ ઈચ્છતા હતા અને જ્યાં સુધી તમે મને તમારા વિશ્વાસથી ઉપકૃત કરશો ત્યાં સુધી એમ જ રહીશ. આપણે આજે મુક્ત અને સાર્વભૌમ લોકો છીએ અને ભૂતકાળના બોજો થી મુક્ત થયા છીએ.આપણે વિશ્વ તરફ સમાન અને મિત્રતાભરી આંખોથી અને આત્મવિશ્વાસ ભરેલા ભવિષ્ય તરફ જોઈ રહ્યા છીએ. વિદેશીઓની હકૂમત જતી રહી છે. તો ચાલો હવે આપણે એકનિષ્ઠતા અને ધ્યેય પ્રાપ્તિની ઝંખના સાથે આપણાં નવા કાર્યો તરફ વળીએ, જે આપણા મહાન નેતાએ આપણને શીખવ્યા છે. ગાંધીજી આપણા સદનસીબે આપણને પ્રેરણા આપવા અને સાચા રસ્તે દોરવા અને મહાનતમ સત્ય તરફ આપણને લઈ જવા આપણી સાથે છે. તેમણે ઘણાં વખત પહેલેથી આપણને શીખવ્યું છે કે ધ્યેય અને આદર્શોને મેળવવાના રસ્તાઓ માટે તેમને કદી છોડી શકાય નહીં, અને એ કે ધ્યેય પ્રાપ્તિ માટેના સાધનો પણ શુધ્ધ હોવા ઘટે. જો આપણે જીવનમાં ઉંચા આદર્શો લક્ષ્યમાં રાખીશું, જો આપણે એક એવા મહાન દેશ તરીકે ભારતની કલ્પનાને સાકાર કરવા પ્રયત્ન કરીશુ જે તેના સદીઓ જૂના શાંતિ અને સ્વતંત્રતાના સંદેશને બીજાઓ સુધી પહોંચાડશે, તો આપણે પોતે મહાન બનવું પડશે અને ભારતમાતાના સાચા સપૂત બનવુ પડશે. આખાય વિશ્વની આંખો આજે આપણા ઉપર છે, અને પૂર્વમાં થયેલા આ સ્વતંત્રતાના સૂર્યોદયને જોઈ રહી છે, એ સમજવા માંગે છે કે આ શું છે? આપણું તાત્કાલીક અને પ્રથમ કર્તવ્ય હોવું જોઈએ બધા આંતરીક મતભેદો અને હિંસા રોકવી. જે આપણને સમગ્ર […]


બરાક ઓબામા અને અમેરીકન સ્વપ્ન 4

ચાર વર્ષ પહેલા હું તમારી સમક્ષ ઉભો રહ્યો અને મેં તમને મારી વાત કહી, વાત કહી એ મેળાપની જે કેન્યાથી આવેલા એક યુવાન અને કાન્સાસની એક યુવતિ વચ્ચે પાંગર્યો. તેઓ બહુ સધ્ધર ન હતા, પ્રખ્યાત ન હતા, પણ એક વાત એ બંને માનતા, કે અમેરીકામાં તેમનો પુત્ર તેના હ્રદયમાં, મનમાં જે ઈચ્છે તે મેળવી શકે છે. આ એક એવું વચન છે જે અમેરીકાને અન્ય દેશોથી અલગ પાડે છે, કે આકરી મહેનત અને ત્યાગથી આપણામાંના દરેક આપણા પોતાના વ્યક્તિગત સ્વપ્નો મેળવી શકીએ છીએ, અને છતાં એક સાથે એક અમેરીકન પરિવાર બનીને ઉભા રહીએ, એ જોવા કે આપણી આવતી પેઢી પણ તેમના સ્વપ્નો પૂરા કરી શકે. અને એ જ કારણ છે કે હું આજે અહીં ઉભો છું. કારણકે ૨૩૨ વર્ષો થી, એવા દરેક સમયે જ્યારે આ વચન તકલીફમાં મૂકાય છે, સામાન્ય પુરૂષો અને સ્ત્રિઓ, વિદ્યાર્થીઓ અને સૈનિકો, ખેડુતો અને શિક્ષકો, સફાઈ કામદાર કે પરિચારીકા દરેકમાં તેને જીવંત રાખવાની ધીરજ છે. આપણે એક નિર્ણયાત્મક સમયે મળ્યા છે, એક એવો સમય જ્યારે આપણું રાષ્ટ્ર યુધ્ધમાં છે, અર્થતંત્ર ખાડે ગયું છે અને આ અમેરીકન વચનને ફરી એક વખત પડકાર લેવાનો વખત આવ્યો છે. આજે ઘણા વધારે અમેરીકનો બેકાર છે, અને બીજા ઘણાં ઓછા વેતનમાં કામ કરી રહ્યા છે, તમારામાંથી ઘણાએ પોતાના ઘર ખોયાં છે, અને ઘણા પોતાના ઘરની કિંમતોને પડતી જોઈ રહ્યા છે. ઘણા પાસે કાર છે પણ તેને ચલાવવાનું પરવડે તેમ નથી, ક્રેડીટકાર્ડના બિલ ભરવાનું પણ હવે તમને પરવડે તેમ નથી. આ બધા પડકારો સરકારી બનાવટ નથી. પણ તેમની તરફ પગલાં લેવામાં મોડું કરવું એ વોશિંગ્ટનમાં તૂટેલી રાજકારણીય ઈચ્છા અને જ્યોર્જ બુશની ખોટી રીતરસમો છે. […]


બહાઈ ઉપાસના મંદિર (લોટસ ટેમ્પલ) 3

હવે હું મૂકી રહ્યો છું દિલ્હી દર્શન તથા મથુરા આગરા યાત્રા દરમ્યાન જોયેલા અગત્યના સ્થળો અને કેટલાક વિશિષ્ટ અનુભવોની વિશદ માહિતિ. આ અંતર્ગત આજે બહાઈ ઉપાસના મંદિર કે લોટસ ટેમ્પલ તરીકે જાણીતા થયેલા મંદિર વિશે મારા અનુભવો અને જાણકારી. હે પ્રભુ! એવુ વરદાન આપો કે એક્તાની જ્યોત આખીય પૃથ્વીને આપ્લવિત કરી લે અને “સામ્રાજ્ય પ્રભુનું છે” એ ભાવ સમસ્ત જનમાનસ અને રાષ્ટ્રોના લલાટ પર અંકિત થઈ જાય. – બહાઉલ્લાહ ભારતઈય ઉપ મહાદ્વિપમાં આવેલુ આ બહાઈ ઉપાસના મંદીર વિશ્વના વિભિન્ન દેશોમાં બનેલા સાત બહાઈ ઉપાસના મંદિરોમાંનુ એક અને સૌથી નવીનતમ છે. બનાવટની દ્રષ્ટીએ સાતેય મંદિરો પોતાનામાં અનન્ય બનાવટનાં છે. પ્રત્યેક ભવન સૃષ્ટીના રચયિતા નાં સ્મરણ માટે તથા મનુષ્ય અને ઈશ્વર વચ્ચે અનન્ય પ્રેમની અભિવ્યક્તિ માટે બધાંય ધર્મો, જાતિઓ અને રાષ્ટ્રોના લોકોને આમંત્રિત કરે છે. નવી દિલ્હીમાં આવેલુ બહાઈ ઉપાસના મંદિર કમળના ફૂલ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલું છે. કમળનું ફૂલ ઉપાસના તથા પવિત્રતાનું પ્રતીક છે અને ભારતીય ધર્મો અને જીવન સાથે અતૂટ રીતે જોડાયેલું છે. આ ઉપાસના મંદિર પાણીના નવ તળાવોથી ઘેરાયેલું છે જે મંદિરના દેખાવમાં તો વધારો કરે જ છે પણ અંદરનાં તાપમાનને પણ નીચું રાખે છે. મુખ્ય ભવન સાથે જોડાયેલ એક અન્ય ભવન પણ છે જેમાં પ્રશાસન કાર્યાલય, પુસ્તકાલય તથા દ્રશ્ય – શ્રાવ્ય કાર્યક્રમો માટે એક હોલ છે. બધાંજ બહાઈ ઉપાસના મંદિરોની સામાન્ય વિશેષતા એ જ છે કે બધાંના નવ ખૂણા કે કિનારા છે. નવ એકલો સૌથી મોટો અંક છે અને તે વ્યાપકતા અને અભિન્નતા તથા એકતાનું પ્રતીક છે. બહાઈ મંદિરોમાં બહાઈ ધર્મ ગ્રંથ તથા અન્ય ધર્મોના પાવન ગ્રંથોનું પઠન અથવા ગાન થાય છે. શેષ સમયમાં શાંતિપૂર્વક પ્રાર્થના કે ધ્યાન માટે […]


વણ-ખેડાયેલ રસ્તો – રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. જીગ્નેશ અધ્યારૂ) 7

સૂકાઈ ગયેલ વન તરફ ફંટાતા બે રસ્તાઓ જોઈને, અફસોસ થાય છે કે હું બંને પર સફર નથી કરી શક્તો, અને , એક પ્રવાસી તરીકે, ઘણી વાર ત્યાં ઉભો રહ્યો, અને જ્યાં સુધી નજર પહોંચી ત્યાં સુધી જોયું જ્યાંથી તે જંગલમાં વળી જતા હતાં મેં એક રસ્તા તરફ જોયું, જવા માટે કદાચ એ જ સાચી પસંદગી નો રસ્તો હતો કારણકે તે હરીયાળો હતો અને જાણે સ્પર્શ માંગતો હતો જો કે પ્રવાસીઓએ તેને ધસી દીધો હતો બંને રસ્તે સવાર સરખી વહેંચાયેલી હતી પાંદડાઓમાં ક્યાંય કોઈપણ પગલાં નો વર્તારો ન હતો અરે, મેં પહેલો રસ્તો બીજા દિવસ માટે રાખી દીધો હતો અને આશંકા, કે ક્યારેય પાછો તે રસ્તે ફરીશ? મારે આ એક ખામોશી સાથે કહેવુ જોઈએ ક્યાંક કેટલાય જન્મારાઓ વીતી જાય છે બે રસ્તાઓ એક નિર્જિવ વનમાં ફંટાય છે, અને હું હું એવા રસ્તે ચાલી નીકળ્યો છું જ્યાં ખૂબ ઓછા લોકો ગયા છે પરંતુ એ જ, અને એ જ સાચો ફરક છે.  – વણખેડાયેલ રસ્તો – રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. જીગ્નેશ અધ્યારૂ)   The road Not Taken Two roads diverged in a  yellow wood, And sorry I could not travel both And be one traveler, long I stood And looked down one as far as I could To where it bent in the undergrowth; Then took the other, as just as fair, And having perhaps the better claim, Because it was grassy and wanted wear; Though as for that the passing there Had worn them really about the same, And both that morning equally lay In leaves no step had trodden black, Oh, I kept the first for […]


ગાંધી ટોપી છે ને, એટલે ! 3

સત્યાગ્રહના દિવસો હતા. મુંબઈના લેમિંગ્ટન રોડ પર પોલીસની સ્ટેશન પાસે સત્યાગ્રહીઓનું એક ટોળું આવ્યું હતું. પોલીસની ગાડીમાં નીડરતાથી ઘૂસીને લોકો પોતાની ધરપકડ કરાવી લેતા હતા. એ ભીડમાં એક યુવતી હતી. પોતાના શરીર પરનાં ઘરેણાં એણે ઉતાર્યા. બાજુવાળા એક ભાઇના હાથમાં મૂક્યાં, પોતાનું નામ સરનામું આપ્યું અને કહ્યું ; “આટલા ઘરેણાં મારે ઘેર પહોંચાડી દેજો અને કહેજો કે હું સત્યાગ્રહમાં જાઉં છું!” પેલા ભાઈએ સવાલ કર્યો, “બહેન, આપણે તો કોઇ ઓળખાણ પણ નથી, ને આ ઘરેણાં હું તમારે ઘરે પહોંચાડી દઈશ એવો ભરોસો કેવી રીતે રાખો છો?” “તમારા શરીર પર ખાદી ને માથે ગાંઘી ટોપી છે ને, એટલે! *********** પંદરમી ઑગસ્ટની મધરાતે સત્તાની ફેરબદલીનો હેવાલ રેડિયો પરથી સાંભળતા હતા. પણ ભાગલાને લીધે થયેલા ક્રુર અત્યાચારોની કથનીઓ બીજા જ દિવસથી છાપાંમાં આવવા લાગી હતી. મુક્તિનું પરોઢ ઊગ્યાની ઘોષણા કાને પડી હતી, પણ આંખ સામે અંધારું લાગતું હતું. સ્વતંત્રતા માટે જેમણે મોટો ત્યાગ કર્યો હતો એવા લોકો રાજ્યકર્તા થતાં ખાદીનો સંબંધ હવે ગાદી સાથે જોડાયો હતો. દરિદ્ર્નારાયણની ચાર આનાવાળી જે ગાંધીટોપી માથા પર હોય તો એક બીડી અમથી ફૂંકવાની હિંમત ચાલતી નહિ, અ ટોપી નીચેનું માથું સત્તાના મદમાં ઝૂમવા લાગ્યું હતું. “સત્તાના લોહીનો ચટકો લાગતાં શું થાય છે, એનાં દર્શન મને થયાં છે,”એવા ઉદગાર ખુદ ગાંધીજીએ કાઢયા હતાં. બાપુએ જેની વાત કરેલી તે કાંઈ આ સ્વરાજ નહોતું, એમ સ્વરાજનાં અજવાળાંની રાહ જોઇને બેઠેલાં ગામડાંનાં દીનદલિતોને લાગતું હતું. સ્વરાજ કઈ રીતે આવ્યું, એનું એક લોકગીત મેં સાંભળ્યું હતું. એમાં પેલો ગ્રામકવિ ગાતો હતો કે, ‘સ્વરાજ આવ્યું હાથી પર મહાલતું મહાલતું. અંબાડી પર બઠેલા રાજેન્દ્ર્બાબુના હાથમાં કળશ હતો. ઘોડા પર બેસીને મોખરે આવતા હતા જવાહરલાલ. ફક્ત […]