સાહિત્યકાર મુજબ સંગ્રહ... : હરિશંકર પરસાઈ


સ્મરણકથા.. – હરિશંકર પરસાઈ, અનુ. શાંતિલાલ મેરાઈ 5

મારા ઘરમાં ઘણી ઘણી તકલીફો હતી જે વિશે હું આગળ લખી ગયો. આ તકલીફો હોવા છતાં હું બરાબર ખાતો, રમતો, વાંચતો તેમજ સામાજિક અને રાજકીય કાર્યોમાં ભાગ લેતો. ઘરે જવામાં અવશ્ય ડર લાગતો. ત્યાં બિમાર, દુઃખી અને ચિઢાયેલા રહેતા પિતાજી હતા અને ઉદાસ નાનાં ભાઈબહેનો હતાં. ફોઈ બનાપુરા ચાલી ગયાં હતાં અને ત્યાં તેમણે એક નાનકડું ઘર બનાવી લીધું હતું. મારા લાઠીઘારી કાકા મારા પિતાજી સાથે સતત રહેતા હતા અને તેમની સેવા કરતા હતા. આ બંને ભાઈઓ જેની આવકમાંથી છોકરાંઓ મોટાં થઈ જાય એવો કોઈ ધંધો શરૂ કરવા માટે આપસમાં ચર્ચાવિચારણા કરતા રહેતા. પણ કોઈ ધંધાની યોજના પાકી થતી નહીં અને પાસે હતા તે પૈસા ખવાતા જતા હતા. બધી ચર્ચાવિચારણાને અંતે એક જ પંચવર્ષીય દસવર્ષીય અથવા સ્થાયી યોજના પર તેઓ પહોંચતા અને તે યોજનાનું નામ હતું હરિશંકર. તેઓ વાતો કરતા કે થોડાક જ મહિનામાં શંકર મૅટ્રિક પાસ થઈ જશે. પ્રથમ વર્ગ આવશે અને તરત નોકરી મળી જશે.


વિકલાંગ શ્રદ્ધાનો સમય – હરિશંકર પરસાઈ, અનુ. જિજ્ઞેશ અધ્યારૂ 4

‘विकलांग श्रद्धा का दौर’ – એ નામનો એક હાસ્યલેખ હિન્દીના એક અદના હાસ્યકાર શ્રી હરિશંકર પરસાઈની કલમે લખાયેલો અને એ એટલો તો અચૂક રહ્યો કે આ કટાક્ષ લેખ માટે તેમને ઈ.સ. ૧૯૮૨નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળ્યું. હરિશંકર પરસાઈ તેમની સીધી અને ચોટદાર કટાક્ષભાષા માટે જાણીતા છે. તેમની આ જ રચનાનો અનુવાદ કરવાનો પ્રયત્ન અહીં કર્યો છે. જો કે હાસ્યલેખનો અનુવાદ કરવો ખૂબ અઘરો છે અને એવો પ્રયત્ન કર્યો હોવા છતાં પણ તેમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમા કરશો.