Daily Archives: June 30, 2010


મૂંઝવણમાંથી માર્ગ – ઈ. એફ. શૂમાખર, અનુ. જયન્ત પંડ્યા

શ્રી શુમાખર આ જમાનાના પ્રાજ્ઞ પુરુષ હતા. પ્રાજ્ઞ એટલે દૂરનું જોઈ શકે એટલું જ નહિં પણ તેમાં રહેલા સારસારને આપણા હાથમાં મૂકી શકે. પોતે જાણીતા અર્થશાસ્ત્રી પણ તેમણે અર્થનો અનર્થ ન થઈ જાય એ માટે વૈજ્ઞાનિક વિચારણાઓ કરી. અમેરિકાના પ્રમુખ કાર્ટર તેમના પુસ્તક ‘નાનું તે રૂડું’ ઉપર ફિદા હતાં. શૂમાખરનું આ પુસ્તક જીવનદર્શનનું, બુધ્ધિપૂર્વકની તત્વચર્ચાનું પુસ્તક છે. આટલા નાના પુસ્તકમાં આટલું બધું અર્થવાહક સત્ય તે વળી કેમ સમાવી શક્યા તેનું આશ્ચર્ય થાય પણ તત્વદર્શી ઋષિઓને શું શક્ય નથી? ભાષા વિચાર તેમની પાસે બાલવત આવીને બેસે છે. તો નિરીક્ષકના પૂર્વ તંત્રી શ્રી જયંત પંડ્યાનો અનુવાદ ખૂબ સુંદર છે. અને એટલે જ આ પુસ્તક એક ગુરૂની ગરજ સુપેરે સારે છે. પ્રસ્તુત લેખ પુસ્તકના નિચોડ રૂપ અંત્યકથન છે અને લેખના અંતે તેની અંગ્રેજી આવૃત્તિ ઓનલાઈન વાંચી શકાય તેની લિંક આપી છે જે ઉપયોગી થશે.