Daily Archives: July 5, 2010


અંગ્રેજી અનુવાદ નરસિંહ મહેતાની ભક્તિરચનાઓનો 5

એક મિત્રએ પુસ્તક ભેટમાં આપ્યું, નામ હતું “અખિલ બ્રહ્માંડમાં”, સંત કવિ નરસિંહ મહેતાની ભક્તિરચનાઓનો અંગ્રેજી અનુવાદ અહીં પ્રસ્તુત થયો છે. ખૂબ સુંદર અને એક નવા પ્રયત્નરૂપ આ પુસ્તકના પ્રકાશક છે શ્રી કમલનયન ન. જોષીપુરા, નવેમ્બર ૨૦૦૨ માં પ્રકાશિત આ પુસ્તક આદ્યકવિ નરસિંહ મહેતાની ૩૧ ભક્તિરચનાઓ અને તેનો અંગ્રેજી અનુવાદ પ્રસ્તુત કરે છે. આ અનુવાદ ભાવનાસભર છે અને છતાંય પ્રભાવી અને સાહિત્યિક તથા કલાત્મક છે. પુસ્તક વાંચતા અનેરા સંતોષની લાગણી થાય છે. આપણી ભાષામાંથી પરભાષામાં અનુવાદો થતા જોવા એ અનોખી લાગણી છે, આપણી મૂડીના વ્યાપને વધારતો એ રાજમાર્ગ છે તો આ સર્વસામાન્ય તત્વજ્ઞાનને વિશ્વસમક્ષ મૂકવાનો અનુભવ પણ છે. આ પુસ્તકમાંથી ત્રણ મૂળ રચનાઓ અને તેના અનુવાદો સાભાર અત્રે મૂક્યા છે.