સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : પરિભ્રમણ

‘પરિભ્રમણ’ કૉલમ અંતર્ગત શ્રી હીરલ વ્યાસ ‘વાસંતિફુલ’ ગુજરાતી સાહિત્ય વિશ્વના અનેરા મોતીરૂપ પુસ્તકો શોધી લાવે છે અને તેમનો વાચકોને પરિચય કરાવે છે. અનેકવિધ પુસ્તકોના વિશ્વમાં વિચરણ કરવાનો અને એનું રસપાન કરાવવાનો તેમનો આ પ્રયાસ ખૂબ પ્રસંશનીય છે.


અન્વીક્ષા : જિજ્ઞા પટેલ; પરિભ્રમણ – હીરલ વ્યાસ

જે છઠ્ઠા પગારપંચ અને બે વેકેશનની વચ્ચે ઘણું બધું કરી શકે એ જ શિક્ષક બની શકે. જે વાર્તાઓ કહી શકે અને બાળક્ને શાંતિથી સાંભળી શકે એ શિક્ષક.


બનારસ ડાયરી : વિવેક દેસાઈ; પરિભ્રમણ – હીરલ વ્યાસ 2

માણસ તરીકે આપણે ક્ષણમાં જીવવાનું હોય. વીતી ગયેલી કોઈપણ ક્ષણ પાછી ફરતી નથી. પણ, કોઈ ચોક્ક્સ ક્ષણને આપણે ‘સ્ટૅચ્યુ’ કહી શકીએ છીએ.


વાસાંસિ જીર્ણાનિ : દેવાંગી ભટ્ટ; પરિભ્રમણ – હીરલ વ્યાસ 4

નવલકથામાં ચાર સ્ત્રીઓની વાત છે. પોલોમા, ઓરોરા, રાબિયા અને મોંઘી. જુદા કાળખંડમાં, જુદા પ્રદેશમાં છે છતાં ચારેયમાં એક વાત સામાન્ય છે, એમની અધૂરી રહેલી ઈચ્છાઓ.

Vasansi Jirnani વાસાંસિ જીર્ણાનિ

એને મૃત્યુ ન કહો : ડૉ. નિમિત્ત ઓઝા; પરિભ્રમણ – હીરલ વ્યાસ 11

આપણે જીવન વિશેનું પુસ્તક વાંચ્યું હશે. સેલ્ફ હેલ્પનું પુસ્તક વાંચ્યું હશે. કવિતાનું પુસ્તક પણ વાંચ્યું હશે. પણ મૃત્યુના સહજ સ્વીકારનું આ પ્રથમ પુસ્તક છે. 


આશ્કા માંડલ : અશ્વિની ભટ્ટ, પરિભ્રમણ – હીરલ વ્યાસ 4

કથા વીસમી સદીના શરુઆતના દાયકાઓની છે. કથામાં સિગાવલ અને આશ્કા છે તો શૃંગારરસ છે. રણમાં આદરેલી સફરમાં આવતી મુશ્કેલીઓથી કરુણરસ સર્જાય છે.


કોરું આકાશ : અજય સોની, પરિભ્રમણ – હીરલ વ્યાસ 3

કેટલાક સંબંધો ઋણાનુબંધનથી મળતા હોય છે. દરેક સંબંધની પણ એક સીમા હોય છે. પણ ક્યારેક કોઈ સંબંધ સીમાની બહારનો પણ હોય છે. જે સમજવો દરેક માટે શક્ય નથી હોતો.


રેન્ડિયર્સ : પરિભ્રમણ – હીરલ વ્યાસ 10

બાળપણ, શાળાજીવન, હોસ્ટેલજીવન કોઈ પણ માણસ માટે યાદગાર હોય છે. બાળપણની ગળચટ્ટી યાદો હોય છે તો શાળાજીવનની ખાટ્ટી-મીઠ્ઠી યાદો. જોકે હોસ્ટેલજીવનની તો વાત જ સાવ નોખીં છે. ‘રેન્ડિયર્સ’ આવી જ હોસ્ટેલજીવનની રૉલર કૉસ્ટર રાઈડ છે.


ટકોરા મારું છું આકાશને : પરિભ્રમણ – હીરલ વ્યાસ 11

કવિતા એ નદી જેવી છે. જેમ નદી જુદા-જુદા ઘાટે જુદી-જુદી લાગે એમ કવિતા પણ દરેક વાચકે જુદી લાગે. કવિતાને માત્ર વાંચવાની નહીં કલ્પવાની પણ હોય! હાથમાં લઈને ઋજુતાથી પંપાળવાની હોય. ને પંપાળતા ક્યારેક એને પાંખો ફૂટે તો એ આપણા અંતરમન સુધી પહોંચી પણ જાય!


તોત્તો-ચાન : પરિભ્રમણ – હીરલ વ્યાસ 6

શાળા એ બાળકો માટેનું સ્વર્ગ હોય છે અને શિક્ષકો એમનાં દેવ! શાળા એવી હોવી જોઈએ જયાં બાળકોનો સ્વસ્થ રીતે વિકાસ થાય. નિષ્ફળતા અને સફળતા બન્ને એકબીજાનાં પૂરક છે એ વાત ફક્ત શાળામાં શીખી શકે નહીં પણ જીવનમાં ઊતારી પણ શકે. જીવન સુંદર રીતે જીવી શકે.


ઇકિગાઈ : પરિભ્રમણ – હીરલ વ્યાસ 13

“Everything is an art if you do it with heart”. એટલે કે કામ ગમે તે હોય, કે ગમે તેટલું નાનું કેમ ન હોય પણ જો એને પૂરી લગનથી કરવામાં આવે તો એમાં આનંદ અને સકારાત્મક પરિણામ બન્ને મળે જ! તમને તમારી ‘ઇકિગાઈ’ મળી ગઈ છે? શોધો અને લાંબુ, નીરોગી જીવન જીવો.


ગીતમલ્લિકા : સુરેશ દલાલ – હીરલ વ્યાસ 10

આ પુસ્તકમાં કુલ એકસો ચાળીસ (૧૪૦) ગીતો છે. વિષયનું વૈવિધ્ય તો છે જ પણ ભાવોની નવીનતા ઊડીને આંખે વળગે એવી છે. ગીતોના લયમાં ઝૂલવા આ પુસ્તક વાંચવું રહ્યું. હું પ્રયત્ન કરું કે થોડાં ગીતોના હીંચકાં અહી હું તમને પણ નાખું!


ધ રામબાઈ : જીતેશ દોંગા – હીરલ વ્યાસ 10

અક્ષરનાદના માધ્યમથી હું પુસ્તકોના દરિયામાં ડૂબકી લગાવું છું અને નવાં નવાં મોતી તમારા સૌ સાથે વહેંચી રહી છું એ અંતર્ગત આજે જે પુસ્તકની વાત કરું છું એ છે શ્રી જીતેશ દોંગાનું ‘ધ રામબાઈ’


ખરી પડે છે પીંછું : રીના મહેતા – હીરલ વ્યાસ 18

જેમ દરેક માણસને અલગ ચહેરો, અલગ ગંધ, અલગ સ્પર્શ હોય એમ દરેક પુસ્તકનું પણ હોય. પાઠ્યપુસ્તક વાંચતાં-વાંચતાં લાગે કે આ બે પૂઠાંની બહાર પણ દુનિયા છે. જ્યારે ગમતું પુસ્તક વાંચીએ ત્યારે લાગે કે આ બે પૂઠાંની વચ્ચે એક આખું નવું વિશ્વ ઊઘડે છે.