અક્ષરનાદ


About અક્ષરનાદ

સિવિલ (જીયોટેકનીકલ) એન્જીનીયર અને મરીન બાંધકામ ક્ષેત્રમાં પાછલા દસ વર્ષથી સતત કાર્યરત,૨૦૦૭ થી અક્ષરનાદ.કોમ વેબસાઈટ પર લેખન / સંપાદન તથા બ્લોગ અધ્યારૂ નું જગત પર લેખન

એક સંપાદકની અનુભવકથા – ગુલાબદાસ બ્રોકર 3

આપણી ભાષાના ઉત્તમ વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, અનુવાદક અને વિવેચક એવા શ્રી ગુલાબદાસ બ્રોકર (૧૯૦૯) ઘણાં અગ્રણી સામયિકોમાં તંત્રી તરીકે કાર્યરત રહેલાં, જેમ કે એકાંકી (૧૯૫૧-૫૩), ગુજરાતી નાટ્ય (૧૯૬૦) અને પરબ (૧૯૬૪-૭૪). સાહિત્ય સામયિકોના સંપાદકો – તંત્રીઓની અનુભવકથા વિગતે વર્ણવતા પ્રત્યક્ષ સામયિકના વિશેષાંક ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ (૧૯૯૬) માંથી પ્રસ્તુત અનુભવગાથા લેવામાં આવી છે.


વિચારમોતીઓ, અમૃતબિંદુઓ – મહાત્મા ગાંધી 5

શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી સંપાદિત ગાંધી ગંગાના બંને ભાગ હંમેશા મારા ડેસ્ક પર રહે છે. ગાંધી વિચારોની પારદર્શી, પ્રાયોગીક અને સ્પષ્ટ સરળતા અને વિષયોની વિવિધતા મને સદાય આકર્ષે છે, અને એવા જ સરસ વિચારો અને પ્રસંગોનો સંચય શ્રી મહેન્દ્રભાઈએ આપ્યો છે. આ જ ગાંધીગંગાના કેટલાક અમૃતબિંદુઓ આજે અહીં સંકલિત કર્યા છે. ગાંધી ચીંધ્યા પથ પર ચાલનાર અન્ના હઝારેનું અનશન ચાલી રહ્યું છે ત્યારે મમળાવવા જેવા આ વિચારો આજના સમયની તાતી જરૂરીયાત છે.


સાદુ જીવન જીવવાના મહામંત્રો – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 14

‘જીવન’ એ એક શબ્દના જ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ માટે ભિન્ન ભિન્ન અર્થો અને અલગ અલગ કિંમત હોય છે. મારા માટે તેનો અર્થ છે ખૂબ જ જરૂરી હોય તે સિવાયના બંધનોને, વધારાની જરૂરતોને ફગાવી દેવી, શાંતિ માટે બધી જ ગૂંચવણોને ફગાવીને જીવવું, અને જે તમારા માટે ખરેખર અગત્યનું છે તેના માટે જ જીવવું. ઝેનહેબિટ્સના સર્જક લિઓ બબૌતાના બ્લોગ પરની યાદીને સરળ કરીને અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે જે જીવનને સરળ કરવાની કેટલીક રીતો બતાવે છે.


બે પદ્યરચનાઓ – સંકલિત 7

અક્ષરનાદના વાંચકમિત્રો શ્રી હર્ષદ દવે અને શ્રી ધવલભાઈ સોની દ્વારા પાઠવવામાં આવેલી આ સુંદર રચનાઓ આજે પ્રસ્તુત કરી છે. બંને રચનાઓ મૌલિક છે અને અનોખા વિચારો લઈને આવે છે. શેરબજારના વ્યવસાયી એવા શ્રી ધવલભાઈ સોની જ્યાં ઈશ્વરની ઉપસ્થિતિ વિશેની એક સરસ રચના લઈને આવે છે તો હર્ષદભાઈ દવે એ જ ઈશ્વરને પામવાના દુન્યવી પ્રયત્નોની વ્યર્થતા સમજાવવાનો પ્રયત્ન કરતા જણાય છે. આ રચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર.


ગજેન્દ્રમોક્ષ – કરસનદાસ માણેક 5

આપણી પુરાણકથાઓ રસસંપન્ન, બોધપ્રદ અને માહિતિસભર હોય છે. આવી જ એક કથા એટલે ગજેન્દ્રમોક્ષ. શ્રી કરસનદાસ માણેકની નીવડેલી કલમે આજે માણીએ ગજેન્દ્રમોક્ષ. હૂહૂ નામે એક ગંધર્વ પોતાની કળાસિદ્ધિને કારણે મદોન્મત્ત બનીને, તપસ્વી પુરુષોનું અપમાન કરતો કરતો જગતમાં ફરી રહ્યો હતો. એવામાં એકવાર તેને ધૌમ્ય માનમા એક મહામુનિનો ભેટો થઇ ગયો. ધૌમ્ય પોતાની ફકીરીની મસ્તીમાં જ મશગૂલ હતા. પણ ગર્વથી ચકચૂર બનેલા ગંધર્વને, એ મસ્તી શી રીતે સમજાય? એણે તો એ મસ્તીને જડતા જ સમજી લીધી અને ઉપહાસ અને અપમાનથી નવાજી. ઋષિએ એને શાપ આપ્યો:’તારો દેહ ગંધર્વનો છે,’ તેમણે કહ્યું.’પણ તારો આત્મા એક હિંસક મગરમચ્છ જેવો છે; માટે જા, તું મગરમચ્છ થઇ ને પડ.’…


જ્યારે વિધાતાએ દીકરી સરજી – અજ્ઞાત, અનુ. મકરન્દ દવે 9

પ્રસ્તુત મૂળ કવિતા અંગ્રેજીની ખૂબ પ્રચલિત રચના છે અને શ્રી મકરન્દ દવે દ્વારા કરાયેલો તેનો અનુવાદ પણ એટલો જ મનોહર અને સુંદર છે. બંનેના ભાવ સામિપ્યને જોઈ શકાય તે હેતુથી અહીં મૂળ કૃતિ પણ પ્રસ્તુત કરી છે. દીકરીઓ વિશેની અનુવાદિત કૃતિઓમાં આ રચનાનું સ્થાન અદ્વિતિય છે અને અનુવાદની સૌથી સરસ વાત એ છે કે પ્રસ્તુત રચના આપણી ભાષામાં જ રચાઈ હોય એટલી જ અસરકારક અને પોતીકી લાગે છે.


આપણું પ્રતિજ્ઞાપત્ર (Audiocast) 9

ભારતીય ગણતંત્રની આ પ્રતિજ્ઞા છે, સંવિધાનમાં આ પ્રતિજ્ઞાપત્ર સમાવિષ્ટ છે. આ પ્રતિજ્ઞા સ્વામી વિવેકાનંદ દ્વારા રચાઈ હોવાનું માનવામાં આવે છે. શાળામાઁ રોજ પ્રાર્થનાને અંતે, ૧૫મી ઓગસ્ટ અને ૨૬મી જાન્યુઆરી જેવા દિવસોએ આ પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ દ્વારા લેવામાં આવે છે. શ્રી માર્કંડભાઈ દવે દ્વારા પ્રસ્તુત ઑડીયો અક્ષરનાદ સાથે વહેંચવામાં આવ્યો છે, એ બદલ તેમનો ખૂબ આભાર.


થોડા માટે તાલ ન બગડે… – રંભાબહેન ગાંધી 7

સન્માર્ગે જવાની પ્રેરણા આપનાર કે અંધકારભર્યા રસ્તે પ્રકાશના એક જ કિરણે મંઝિલ દેખાડનાર પ્રસંગો, વાક્યો કે પ્રેરણાદાયી જીવનચરિત્રો એવા તે અનોખા હોય છે કે તેમની અસર સજ્જડ છાપ મૂકી જાય છે. એક જ દુહાની ભૂમિકા કેટકેટલા લોકોને પોતપોતાની નબળાઈઓ સ્વીકારીને સાચા રસ્તે લઈ જવામાં ભાગ ભજવે છે તે ઉપરોક્ત સુંદર દ્રષ્ટાંતકથા પરથી સુંદર રીતે ફલિત થાય છે. આવા નાનકડા અને ટૂંકા પ્રસંગો પણ કેટલા મહત્વના ઉપદેશના વાહક બની શકે છે તે પ્રસ્તુત વાત પરથી સ્પષ્ટ થાય છે.


‘કૃષ્ણાયન’ પુસ્તક પરિચય – કાજલ ઓઝા વૈદ્ય (Audiocast) 7

શ્રી કાજલ ઓઝા વૈદ્યનું પુસ્તક “કૃષ્ણાયન”, કૃષ્ણ તરફી વિવિધ પાત્રોના અવલંબન કે પ્રેમનું, તેમના પ્રત્યે સમર્પણનું અને તેમના સંસર્ગથી અભિભૂત થતાં લોકોના મનોભાવોનું મનોરમ્ય આલેખન છે. “કૃષ્ણાયન” માનવ થઈને જન્મેલા ઈશ્વરની વાત છે. એ સર્વાંગસંપૂર્ણ યુગપુરૂષની માનવીય ભાવનાઓના અનુભવની વાત છે. અક્ષરનાદ પર આ પુસ્તક વિશેના મારા વિચારો ગતવર્ષે મૂક્યા હતાં. હવે આ સમગ્ર પુસ્તક કાજલબહેનના સ્વરમાં ઑડીયો સીડી સ્વરૂપે પણ ઉપલબ્ધ છે. આ પુસ્તકનો ઑડીયો પરિચય કાજલબહેનના સ્વરમાં આજે અહીં મૂક્યો છે. અક્ષરનાદને આ પરિચય ઑડીયો પાઠવવા બદલ સી.ડીના પ્રકાશક સ્કેડ કન્સલ્ટન્ટ પ્રા. લિ. નો ખૂબ ખૂબ આભાર.


અમરતાનું વસિયતનામું – રોબર્ટ એન ટેસ્ટ, અનુ. ડૉ. વસંત પરીખ 11

એક આદર્શ વસિયતનામું કેવું હોય? એમાં મને જે ઉપયોગી મળ્યું છે, જે શ્રેષ્ઠ મળ્યું છે, તેની જરૂરતમંદોને વહેંચણીની વાત હોય, એમાં ‘મારું છે’ તેમાં ભાગ પાડવાની નહીં, જે ‘મને મળ્યું છે’ તેને યોગ્ય પાત્રને અર્પવાની વાત હોય. મૃત્યુ એટલે તો ‘હું’પણાથી મુક્તિ, તો એ મુક્તિ વખતે ‘મારું’ મટીને સઘળું વિશ્વમય થઈ જાય એવી સરસ વાત અહીઁ ડૉ. વસંતભાઈ પરીખે ભાવાનુવાદ દ્વારા સમજાવી છે. નેત્રદાન અને શરીરદાનના આ સમયમાં પ્રસ્તુત વસિયતનામું એથી પણ એક કદમ આગળ જઈને પોતાની વાત કહે છે.


એહવા આગેવાનને – ઝવેરચંદ મેઘાણી 3

આજે મધ્યમવર્ગ તથા ગરીબીની રેખા નીચે જીવનારો વર્ગ અનેક વિષમતાઓ અને પડકારો વચ્ચે જીવે છે. મોઁઘવારી, અસુરક્ષા, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને વધતી જતી ગરીબી, વિકાસના નામે ગણ્યાગાંઠ્યા લોકોની અઢળક સમૃદ્ધિમાં વધારો અને સરેરાશ લોકોની વધી રહેલી કંગાલીયત. આવા બધા સમવિષમ વિરોધાભાસોની વચ્ચે યાદ આવે ગાંધીજી અને તેમના માટે શ્રી ઝવેરચંદ મેઘાણીની પ્રસ્તુત રચના. એક અચ્છા આગેવાનની, એના લક્ષણોની તેમણે કરેલી વાત આજે ક્યાંય બંધબેસતી હોય એમ લાગે છે ખરું? જો કે એમણે અહીં મહદંશે સારા આગેવાનના લક્ષણો જ વર્ણવ્યા છે, તેની સામે કુ-નેતાઓ, પ્રજાને ખોટા રસ્તે દોરનારા અને પોતાના ખિસ્સા ભરનારા નેતાઓ વિશે તેમણે લખેલું એક પંક્તિયુગ્મ જ થોડામાં ઘણું કહી જાય છે!


ઝૂંપડાનુ વાસ્તુ – હાર્દિક યાજ્ઞિક 20

કહાની આમ તો સાવ સરળ અને સીધી સાદી છે. હજારો લોકોની જિંદગીમાં આ રોજની વાત છે, પણ એનાથી કોને ફરક પડે છે? બીજાઓની પીડાને સમજવાની ચિંતા કરવા જેટલો સમય સંકુચિત અર્થમાં આપણી પાસે અને બૃહદ અર્થમાં સમાજ પાસે વધ્યો છે ખરો? સમાજને આવી કહાનીઓથી કોઈ ફરક પડતો નથી. આવો જ એક રોજીંદો પ્રસંગ થોડીક અનોખી પશ્ચાદભૂમીમાં હાર્દિકભાઈ યાજ્ઞિકે અહીં આલેખ્યો છે. હાર્દિકભાઈની કલમ એક પછી એક કૃતિઓ સાથે નિખરતી જાય છે અને અક્ષરનાદને આવી સુંદર કૃતિઓ મોકલવા બદલ હવે તેમનો આભાર માનવા જેટલી ઔપચારિકતા હવે રહી નથી.


હે શારદે માં, હે શારદે માં.. (શાળાની પ્રાર્થનાઓ) 7

શાળાની પ્રાર્થનાઓ સાથે એક અનોખી લાગણીનો સેતુ સદાય હોય છે. આ પહેલા શાળાની પ્રાર્થનાઓનું એક સંકલન કરવાનો અસફળ પ્રયત્ન કર્યો હતો, જે સદનસીબે હવે ફરી એક વખત શરૂ થયો છે અને ટૂંક સમયમાં અક્ષરનાદ પર ઈ-પુસ્તક તરીકે ઉપલબ્ધ થશે. આવી જ એક, મને ખૂબ જ ગમતી પ્રાર્થના આજે પ્રસ્તુત કરી છે. મારા આશ્ચર્ય વચ્ચે ગૂગલમાં આ પ્રાર્થનાની પહેલી પંક્તિના શબ્દો નાંખતા અનેકો શાળાની વેબસાઈટ પર તે મળી આવી, અને મોટાભાગની વેબસાઈટ્સમાં ક્યાંક કોઈક ફરક તો રહે જ છે. મારી યાદશક્તિને આધારે અમે જેવી ગાતા તેવી જ પ્રાર્થના અહીં મૂકવાનો પ્રયત્ન કર્યો છે.


ગુજરાતી લોકસંગીત : થોડું ચિંતન થોડી ચિંતા – ડૉ. નિરંજન રાજ્યગુરુ 2

લોકસંગીતના, લોકસાહિત્યના અભ્યાસુ અને મર્મજ્ઞ એવા ડૉ. શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ પ્રસ્તુત ચિંતનલેખમાં ગુજરાતી લોકસંગીત વિશે પોતાના વિચારો અભિવ્યક્ત કરે છે. લોકસંગીતના ઉદભવ અને વિશેષતાઓ દર્શાવવા સાથે પ્રસ્તુત સમયમાં ગુજરાતી લોકગીત-સંગીતના થઈ રહેલા હ્રાસ સામે તેઓ લાલબત્તી ધરે છે. આપણી આ આગવી ધરોહરને સંકલન – સંમાર્જન – સંપાદન અને તેમાં સંશોધન કરી શકાય અને તેની પૂર્ણપણે મૂળ સ્વરૂપમાં જાળવણી કરી શકાય તે માટે નિરંજનભાઈ સતત કાર્યરત છે, એ માટેની તેમની ચિંતા પણ પ્રસ્તુત લેખમાં દેખાઈ આવે છે.


સત્યવ્રત – ઉમાશંકર જોશી 8

ગુજરાતી સાહિત્યક્ષેત્રના અગ્રણી સાહિત્યકાર ઉમાશંકર જોશીએ કવિતા, વાર્તા, એકાંકી, નવલકથા, નિબંધ, ચરિત્ર, પ્રવાસ, વિવેચન જેવા અનેક સાહિત્યપ્રકારો ખેડ્યા છે. દારૂ, જુગાર અને ચોરીમાં પડેલો માણસ એક સાધુના માત્ર થોડાક સમયના સંપર્કે કેવો સુધરે છે, સાચું બોલવાના વ્રતથી તેના જીવનમાં અને ભાગ્યમાં કેવો પલટો આવે છે તે આ કથામાં બતાવ્યું છે. ચોર અને રાજા વચ્ચેના સંવાદો પ્રભાવશાળી છે તો ચોરની સાથે ક્યાંક પ્રધાનની સરખામણી અનાયાસ થઈ જ જાય! સરળ, સુઘડ અને બોધપ્રદ આ વાર્તા સાદ્યાંત અર્થગહન છે.


નવોદિત કવિમિત્રો માટે એક સરસ તક… 4

નવોદિત કવિમિત્રો માટે પોતાની રચનાઓને એક અનોખા સંકલનમાં સમાવિષ્ટ કરાવવા માટેની એક સરસ તક ઉપલબ્ધ થઈ રહી છે તે વિશેના સમાચાર અત્રે પ્રસ્તુત છે.


ત્રણ લઘુનિબંધો – ભરત કાપડીઆ 6

૧૯૭૫ થી ૧૯૮૫ ના ગાળામાં જેમની રચનાઓ જન્મભૂમિ પ્રવાસી, નવનીત, નવનીત સમર્પણ, ચાંદની, અભિષેક, કવિતા, વગેરે ખ્યાતિપ્રાપ્ત સામયિકોમાં પ્રકાશિત થયેલ તેવા શ્રી ભરતભાઈ કાપડીઆ તે પછી નોકરીના ભારણને લઈને લેખન ક્ષેત્રમાં નિષ્ક્રિય થઇ ગયેલા. હવે તેમણે ફરી વાર કલમનો સંગાથ કર્યો છે. આશા રાખીએ કે તેમની કલમની પહેલા જેવી જ, કદાચ તેથીય વધુ ચમત્કૃતિ આપણને માણવા મળે. તેમની સર્જનયાત્રા પહેલાથી ખૂબ વધારે સફળતા સાથે આગળ વધે તેવી શુભકામનાઓ. પ્રસ્તુત ત્રણ લધુનિબંધોમાં વિષયોની વિવિધતા છે. મિત્રતા, વિન્ડો શોપિંગ અને પ્રતિક્રિયા જેવા ત્રણ ભિન્ન વિષયો વિશે તેમણે ટૂંકમાં વિચારમોતી આપ્યા છે, આશા છે વાચકોને આ નવીન પ્રસ્તુતિ ગમશે.


બે અર્થસભર ગઝલો – જિતેન્દ્ર પ્રજાપતિ 8

મૂળ મહેસાણાના અને હાલ બગદાણા, તા. મહુવા પાસેના સરા ગામમાં પ્રાથમિક શિક્ષક એવા શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિ અત્યારની પેઢીના તરોતાઝા ગઝલકાર છે. અનેક સામયિકોમાં તેમની રચનાઓ છપાઈ રહી છે, સ્વીકારાઈ રહી છે. ગત મહીને ‘કવિતા’માં તેમની ગઝલ પ્રસ્તુત થઈ હતી. આજે ફરી તેમની બે સુંદર ગઝલ અહીં પ્રસ્તુત છે. આ પહેલા પણ તેઓની ઘણી રચનાઓ અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ ચૂકી છે. પ્રથમ ગઝલમાં જ્યાં તેઓ જોષી પાસે જવાની વાતની ભૂમિકા સાથે અનેક અર્થગહન વાતો કહે છે, કઈ કઈ બાબતોના નસીબની જિજ્ઞાસા તેમને છે! જ્યારે બીજી ગઝલ અપ્રાપ્ય શક્યતાઓનો વિષય છે. બંને અર્થસભર ગઝલ ખૂબ સુંદર થઈ છે. અક્ષરનાદને પ્રસ્તુત ગઝલ પાઠવવા બદલ શ્રી જિતેન્દ્રભાઈનો ખૂબ આભાર.


કેટલીક ઉપયોગી વેબસાઈટ્સ – ૧૯ (નવોદિત લેખકો માટે) 6

અવનવી વેબસાઈટ્સ વિશે જણાવવાની આ શૃંખલા ઘણી વાર સમયની પ્રતિકૂળતાઓ વચ્ચે અટકી પડતી, પણ સમયાંતરે તેમાં નવા ઉમેરાઓ થતા રહે છે તે વાતનો આનંદ છે. નવોદિત લેખકોને માર્ગદર્શન મળી રહે તેવી કેટલીક ઉપયોગી અને સરસ વેબસાઈટ્સ વિશે આજે થોડીક માહિતિ પ્રસ્તુત છે. આ વેબસાઈટ્સ વેબવિશ્વની અગ્રણી છે અને સાથે સાથે તેમના લાખો વાંચકો તેમના અસરકારક હોવાની ખાત્રી આપે છે, પ્રાયોગીક અને ઉપયોગી સૂચનો સાથેનો એ ભંડાર આજે અહીં મૂક્યો છે. આપને આવી અન્ય કોઈ વેબસાઈટ વિશે માહિતિ હોય તો પ્રતિભાવ વિભાગમાં અવશ્ય વહેંચશો.


હું નથી પૂછતો, ઓ સમય કે હજી… – શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં (Audiocast) 11

આજે સાંભળીએ છે શ્રી શૂન્ય પાલનપુરી સાહેબના સ્વરમાં તેમની જ એક ગઝલ, ‘હું નથી પૂછતો ઓ સમય કે હજી…’ આ સદાબહાર ગઝલના અનેકવિધ રેકોર્ડીંગ થયેલ છે, અને અનેક લોકપ્રિય ગાયકો દ્વારા તેને સ્વર મળ્યો છે. પણ રચયિતાના પોતાના સ્વરમાં, તેમના આગવા અંદાઝમાં આ ગઝલ સાંભળવાનો લહાવો અનોખો જ છે. શ્રી શૂન્ય પાલનપુરી સાહેબનો પ્રભાવશાળી અવાજ અને આગવી પદ્ધતિ ગઝલપઠનની તેમની હથોટી અહિં સુંદર રીતે ઉપસે છે.


ગુજરાતી ઈ-પુસ્તકના ક્ષેત્રમાં નવી પહેલ 8

ગુજરાતી ઈ-પુસ્તક પ્રકાશનના ક્ષેત્રમાં એક નવી શરૂઆત થઈ રહી છે ત્યારે આજે આપની સાથે હમણાં જ ઉપલબ્ધ થયેલી અને સતત વિકાસ પામવા તત્પર એવી એક સરસ સુવિધા વિશે જાણકારી વહેંચવા ઈચ્છું છું. આશા છે ગુજરાતી ઈ-પુસ્તકોનો આ નવો ખજાનો આપ સૌને ઉપયોગી થશે અને આપણી સંસ્કૃતિ – સંત પરંપરાને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થશે.


ત્રણ કાવ્યરચનાઓ – સંકલિત 3

અક્ષરનાદના ત્રણ વાચકમિત્રો, શ્રી ધવલભાઈ સોની, શ્રી જનકભાઈ ઝીંઝુવાડિયા તથા શ્રી હર્ષદભાઈ દવેએ પાઠવેલી તેમની મૌલિક રચનાઓ આજે પ્રસ્તુત છે. ત્રણેય રચનાઓના વિષયોની વિવિધતા અને રચનાનું અનોખું ભાવવિશ્વ એ રચનાઓની વિશેષતા છે. ત્રણેય મિત્રો – વડીલોનો આ રચનાઓ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ રચનાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ.


થીગડું – સુરેશ જોષી 17

પ્રસ્તુત વાર્તા ‘થીગડું’માં પ્રભાશંકરના જીવનની સમાંતરે ચિરાયુની કથા દ્વારા સ્મૃતિ અને અપેક્ષા વચ્ચે મૂકાયેલા માનવીનું જીવન કેવું હોય એ પ્રશ્ન ગૂંથાયો છે. ‘થીગડું’ના અભિધાયુક્ત અર્થથી લઈ વ્યંજનાપૂર્ણ અર્થ સુધીનો વિસ્તાર આ વાર્તામાં છે. ચિરાયુ તથા પ્રભાશંકરના સમય વાર્તાને અંતે એકબીજામાં ભળી જતા લાગે છે, જીવનસંધ્યાએ પોતાના કોટના રંગ સાથે મેળ ન ખાતું કપડું લઈને થીગડું મારવાનો વ્યર્થ પ્રયત્ન પ્રભાશંકર કરે છે. ચિરાયુ થીગડું મરાવવા બારણે બારણે ભટકે છે. એને માટે પેલું કપડું એના અસ્તિત્વનો અનિવાર્ય અને દૂર ન કરી શકાય એવો અંશ છે. કોઈકને તેનું વસ્ત્ર ફેંકીને તેને મુક્ત કરવો છે, પણ ચિરાયુને તો તેને સંધાવીને વધુ જીવવું છે, માનવમાત્રનો આ અમર વિષાદ છે. એની પૂર્ણતાની ખોજ કે સુંદર રહેવાની ઝંખના ભાગ્યે જ ટકાઊ રહે છે. બે સમાંતર કથાનકોમાં એકબીજાને ‘ઑવરલેપ’ કરતી ઝંખનાઓ, એકની અમરતાની ઝંખના અને બીજાની નાનકડી જિંદગીના વિષાદ અને એકલતાની વાત આ વાર્તાના અર્થઘટનને અનેક શક્યતાઓ આપે છે.


આધુનિક વિશ્વના અનોખા દુઃખ – સંકલિત 10

આમ તો અહીં દર્શાવેલી કોઈ પણ વાત ખરેખર દુ:ખદાયક નથી, હળવા હ્રદયે માણી શકાય એવી છે, પરંતુ ટ્વિટર અને ફેસબુક પરથી એકઠાં કરેલા આ વાક્યો આધુનિક સમયના અફસોસ દર્શાવવાનો પ્રયત્ન છે. સુવિધાઓની ભરમાર વચ્ચે એ બધાં અસુવિધાનો અહેસાસ કઈ રીતે કરાવી શકે એ દર્શાવવાનો એક પ્રયત્ન છે. આજની આ અનોખી પોસ્ટ સમર્પિત છે ટ્વિટર, +1 અને ફેસબુકની આપણી આ પેઢીને.


બે કાવ્ય રચનાઓ – ધ્રુવ ભટ્ટ 1

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબની પ્રસ્તુત બંને રચનાઓ અનોખા ભાવવિશ્વની નિપજ છે, પ્રથમ રચનામાં ક્ષણની – સમયની વાત કરતાં તેઓ સાધુવાદ તરફ ગતિ કરતા જણાય છે, એક ફિલસૂફની અદાથી તેઓ જ્યાં કાવ્યમાં ક્ષણ સ્વરૂપે જીવનકાળને કલ્પી બતાવે છે, ‘પળના દિવાલ બારી પળની રવેશ છે’ કહીને તેઓ જીવનની ક્ષણભંગુરતા દર્શાવે છે, અને અંતે ‘મેં એટલે સમયને એ રીત પારખ્યો છે’ કહીને જીવનની વ્યાખ્યા કરવાનો યત્ન પણ કરતા જણાય છે, તો બીજી રચના પ્રેમીઓના માનસજગતમાં ડોકીયું કરાવે છે, લાંબા સમયના સંગાથ છતાં પ્રેમીને મનમાં એક સવાલ, ‘મને પરણશો?’ ન પૂછી શકાયાનો વસવસો ઉગતો જણાય છે, પણ પછીની પંક્તિઓમાં પ્રેમની પરિભાષા સહજતાથી સમજાય એવી સુંદર રીતે કવિ આલેખે છે, ઉત્તરની નિરર્થકતા સમજાઇ જાય એવી સરળ વાત કહે છે. આ બંને રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબનો ખૂબ ખૂબ આભાર.


મારી નોકરી… – તેજસ જોશી 12

ચિત્રલેખા દીપોત્સવી, નવનીત સમર્પણ, આરપાર દીપોત્સવી અને મુબઈ સમાચાર જેવા પ્રકાશનોમાં જેમની ટૂંકી વાર્તાઓ છપાઈ ચૂકી છે તેવા શ્રી તેજસભાઈ જોશીની પ્રસ્તુત વાર્તા ભગવાન કૃષ્ણની પૃથ્વી પર કૃષ્ણલાલ તરીકે નોકરી મેળવવા આપેલા ઈન્ટરરવ્યુની – સાક્ષાત્કારની ઝલક દર્શાવે છે. પ્રસ્તુત રચના અક્ષરનાદને મોકલવા બદલ અને પ્રકાશિત કરવાની તક આપવા બદલ શ્રી તેજસભાઈ જોશીનો ખૂબ ખૂબ આભાર. તેમની કલમે આવી વધુ રચનાઓ આપણને મળતી રહે તેવી શુભેચ્છાઓ.


શ્રી જગદીપ ઉપાધ્યાય દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૧૨ (Audiocast) 5

અક્ષરનાદ અક્ષરપર્વની શોભામાં અભિવૃદ્ધિ કરવા તદ્દન સહજતાથી અને મિત્રભાવે કાવ્યપઠન માટે સંમતિ આપનાર શ્રી જગદીપભાઈ ઉપાધ્યાયની કલમને, તેમના જ સ્વરોમાં આજે આપ સૌની સાથે વહેચી રહ્યો છું. તેમણે અક્ષરપર્વમાં પ્રસ્તુત કરેલી ત્રણેય રચનાઓ વિષય વિવિધતાને લીધે તો વિશેષ ખરી જ, પણ એ ત્રણેય પોતાના વિષયાનુગત ક્ષેત્રમાં પણ એટલીજ સજ્જડ અને શ્રેષ્ઠ પુરવાર થાય તેવી સુંદર થઈ છે. ‘છાલક’ સામયિકને ખૂબ જ ટૂંક સમયમાં એક પ્રતિષ્ઠિત સામયિકને છાજે એવી સરસ રીતે માવજત આપનાર જગદીપભાઈનો અક્ષરનાદના આ પર્વમાં ઉપસ્થિત રહેવા બદલ અને સુંદર રચનાઓ વડે શ્રોતાઓને તરબતર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આજે પ્રસ્તુત છે એ દિવસે તેમણે પ્રસ્તુત કરેલી ત્રણ રચનાઓ અક્ષરદેહે તેમજ તેમના સ્વરમાં.


માતા પિતા પોતાનો ગ્રેડ નક્કી કરે ! 8

‘કિલ્લોલ’ એક એવું શૈક્ષણિક સંકુલ કે જ્યાં બાળક કોળાઈ શકે – ખીલી શકે – મહેકી શકે – ઉંચી ઉડાન ભરી શકે તે માટેની બધી જ સુવિધાઓ અને સ્વતંત્રતાઓ આપવાનો એક આદર્શ પ્રયત્ન થાય છે. સૂક્ષ્મ સુચારુ અને છતાં ધારદાર મનોવૈજ્ઞાનિક અભિગમ સાથે બાળકોને તમામ પ્રકારની સજ્જતા અપાવવા પુરુષાર્થ કરતી ગુજરાતની એક અનોખી શાળા એટલે ‘કિલ્લોલ’ બાળશિક્ષણની એક સમાજશાળા એટલે કિલ્લોલ. ‘કિલ્લોલ’ સંસ્થાનું મુખપત્ર એટલે ‘સખ્યમ’, ગત મહીને શ્રી ગોપાલભાઈ ભરાડ મહુવા આવ્યા ત્યારે તેમને મારા ઘરે અલપઝલપ મળવાનો અવસર પ્રાપ્ત થયેલો. તેમણે મને ‘કિલ્લોલ’ નામની નાનકડી પુસ્તિકા અને ‘સખ્યમ’ ના થોડાક અંકો ભેટ કરેલા. કિલ્લોલ પુસ્તિકામાંથી માતા પિતા પોતાને ગુણ આપી શકે તેવી એક પ્રાથમિક નાનકડી પ્રશ્નોત્તરી આજે અહીં મૂકી છે.


દીકરી મોટી કેમ થઈ જતી હશે? – હાર્દિક યાજ્ઞિક 21

અમેરીકાની સફરે પોતાના સ્વર અને કૌશલનો પરિચય આપી રહેલા હાર્દિકભાઈ યાજ્ઞિકની કલમનો ચમત્કાર અક્ષરનાદના વાંચકો માટે પરિચિત જ છે. આજે તેમની એક વધુ રચના અહીં પ્રસ્તુત છે. દીકરીઓ મોટી કેમ થઈ જતી હશે એ પ્રશ્ન સાથે ઉપસ્થિત થયેલ હાર્દિકભાઈની આ પદ્ય રચના સાદ્યાંત માણવાલાયક થઈ છે. દીકરીની વિવિધ વાતોને, તેના દ્વારા લેવાતી કાળજીને, તેના નિઃસ્વાર્થ પ્રેમને અને અંતે પારકા ઘરે તેની વિદાયને – આ બધી વાતોને અહીં તેઓ એક અનોખા પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. આમાં કોઈ ઉપદેશની વાત નથી, સહજ ઘટનાઓની, જીવનની અને સંબંધોની જરૂરતોની વાત છે. રચના ખૂબ જ સરસ અને સુંદર થઈ છે. અક્ષરનાદને આ રચનાઓ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ શ્રી હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર.


એ આવશે! – જ્હોન લ્યૂથર લોંગ, ઝવેરચંદ મેઘાણી (ભાગ ૨) 6

પ્રસ્તુત વાર્તા ‘એ આવશે!’ મૂળે અમેરીકન લેખક જ્હોન લ્યૂથર લોંગ દ્વારા લખાયેલ અને ૧૮૯૮માં સેન્ચ્યુરી સામયિકમાં પ્રકાશિત થયેલી. આ વાર્તા જ્હોનની બહેન જેની કોરલ અને તેના પતિની જાપાનની મુલાકાત બાદની કેટલીક વાતોમાંથી ઉપસી આવેલી. એ પછી આ વાર્તા ખૂબ જ પ્રસિદ્ધ થઈ. તેના હ્રદયસ્પર્શી કથાવસ્તુને આધારે તે પછી નાટક, ઑપેરા અને અંતે એ જ નામની ત્રણ ફિલ્મો પણ બની, જેમાંથી બે મૂંગી ફિલ્મ હતી. જાપાની ગેઈશાના કથાનક પર આધારિત આ વાર્તા પ્રેમની અને સામાજીક રૂઢીઓની એક અનોખી સફરે લઈ જાય છે. ‘પ્રતિમાઓ’ અને ‘પલકારા’ એ બે અનોખાં પુસ્તકો શ્રી ઝવેરચંદ મેઘાણીની રસદર્શનકલાનો અનૂઠો નમૂનો છે. તેના નિવેદનમાં કહેવાયું છે કે, ‘સાહિત્ય અને ચિત્રપટની કલાઓનો જ્યાં હસ્તમેળાપ થઈ રહેલ છે ત્યાંથી પકડેલી આ કથાઓ છે. આ વાર્તાઓમાં તો કેવળ ચિત્રપટોમાં જે જોયું તેનું જ ઝીલણ છે.’ મૅડમ બટરફ્લાય નામના ચલચિત્રને આધારે શ્રી મેઘાણીએ પ્રસ્તુત વાર્તા લખેલી, એ જેમાંથી લેવામાં આવી છે તે ‘પ્રતિમાઓ’ પુસ્તકની, ફિલ્મકથાઓને વાર્તાઓમાં નિરૂપતા પુસ્તકની પ્રથમ આવૃત્તિ ૧૯૩૪માં થયેલી, તે પછી અનેક આવૃત્તિઓ થઈ.