Daily Archives: August 23, 2011


એક સંપાદકની અનુભવકથા – ગુલાબદાસ બ્રોકર 3

આપણી ભાષાના ઉત્તમ વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, અનુવાદક અને વિવેચક એવા શ્રી ગુલાબદાસ બ્રોકર (૧૯૦૯) ઘણાં અગ્રણી સામયિકોમાં તંત્રી તરીકે કાર્યરત રહેલાં, જેમ કે એકાંકી (૧૯૫૧-૫૩), ગુજરાતી નાટ્ય (૧૯૬૦) અને પરબ (૧૯૬૪-૭૪). સાહિત્ય સામયિકોના સંપાદકો – તંત્રીઓની અનુભવકથા વિગતે વર્ણવતા પ્રત્યક્ષ સામયિકના વિશેષાંક ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ (૧૯૯૬) માંથી પ્રસ્તુત અનુભવગાથા લેવામાં આવી છે.