સાહિત્યકાર મુજબ સંગ્રહ... : ભરત કાપડીઆ


તારા જન્મદિન પર – ભરત કાપડીઆ 1

શું ખપે આ વરસગાંઠે?
શુભકામનાની મઘમઘતી મજૂસ,
જોઈ સર્વ લોક થાય ખુશ.

ભરી તેમાં થોડી મોજમઝા ને ઝાઝો બધો રાજીપો,
ચપટીક સૌન્દર્ય ને કુલ નંગ ગપતાલીશ ચમત્કારો.
થોડી થોડી છટા ને ખોબલે ખોબલે પ્રેમ,
આંખો ભરાય એટલી સફળતા,


વિશ્વ માતૃભાષા દિવસ – ભરત કાપડીઆ 10

વિશ્વ માતૃભાષા દિવસ ગઈકાલે હતો, એના ઉપલક્ષમાં શ્રી ભરતભાઈ કાપડીઆનો આજનો લેખ વિચારતા કરી મૂકે એવો છે.


શરબતમાંના વધારાના લીંબુને દૂર કરો – અનુ. ભરત કાપડીઆ 7

મને હજીયે એ દિવસ યાદ છે, જયારે મેં પહેલી વાર લીંબુ શરબત બનાવ્યું હતું. મેં તેમાં જરૂર કરતાં પાંચગણું લીંબુ નીચોવી નાખ્યું હતું. બહુ મોટો ધબડકો થયો. મારે ગમે તેમ કરી એમાં સુધારો લાવવો હતો.

હવે એ ખાટા પ્રવાહીમાંથી લીંબુનો રસ ઓછો કરવો હતો. તો જ એનો સ્વાદ પીવા લાયક થાય. પણ, આહ, એ તે કેમ બને ! કેટલીયે બાબતો ક્યારેય થઇ ન થવાની નથી.


અપરાજેય – વિલિયમ અર્નેસ્ટ હેનલી, અનુ. ભરત કાપડીઆ 2

Out of the night that covers me,
Black as the pit from pole to pole,
I thank whatever gods may be
For my unconquerable soul.

મને નખશિખ આવરી લેતી
ગહન ગર્ત સમ કાજળ કાળી રાત્રિ,
રહ્યો અજેય અંતરાત્મા આ મારો,
પાડ પ્રભુનો તે ઘણો-અતિઘણો.


ચાહત – ભરત કાપડીઆ 4

નિયતિ કેવી અજબ, કેવી નિતનિરાળી છે, એ અલગ અલગ સમયે અલગ અલગ સ્થાનેથી કાંઇક ને કાંઇક અચરજ ઉછાળતી રહેતી હોય છે. ક્યારેક તાતાથૈયા કરતી ખુશીની બૌછાર, ક્યારેક ઠંડા બરફ જેવી સ્થિર પણ સતત ઝમતી રહેતી ગમગીની, તો ક્યારેક still photograph જેવી શિલાની માફક ચોંટી રહેતી શૂન્યમનસ્કતા.


સામાજિક રમૂજ – ભરત કાપડીઆ 8

રમૂજ આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે. જો હાસ્ય-વિનોદ આપણા રૂટીન જીવનમાં ન હોત તો આપણી શું દુર્ગતિ થાત, એ કલ્પના પણ મુશ્કેલ છે. વિનોદવૃત્તિના કેટલાય પ્રકાર છે. નિર્દોષ, નિર્ભેળ, નિર્દંશ હાસ્ય હવે બહુ ઓછું જોવા મળે છે. ટીવી પર જોવા મળતી કોમેડીમાં હવે બ્લેક કોમેડી (જેમાં મૃત્યુ, આતંકવાદ, રેપ, યુદ્ધ, વગેરે પ્રકારના વર્જ્ય વિષયો પર કોમેડી કરવામાં આવે છે.), બ્લૂ કોમેડી (જેમાં સેક્સ જેવા વિષય પર વિનોદ થાય છે), સટાયર, વિટ, વ. કેટલાય પ્રકારે દર્શક-શ્રોતા-વાચકનું મનોરંજન થતું હોય છે. આજકાલ ટીવીના માધ્યમથી સ્ટેન્ડ અપ કોમેડી દ્વારા લોકોને હસાવવાની પ્રવૃત્તિ પૂરબહારમાં ચાલે છે. એમાં ક્યારેક તો લોકોને ગલગલિયાં કરીને હસાવવાની ફરજ પડાતી હોય તેમ ગમે તેવી ભદ્દી કોમેડીનો પણ આશરો લેવાતો હોય છે. આ જ વિષય પરનો ભરતભાઈ કાપડીઆનો સરળ સુંદર લેખ આજે પ્રસ્તુત છે. અક્ષરનાદને આ રચના પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ભરતભાઈ કાપડીઆનો આભાર અને શુભકામનાઓ.


આયના માંહ્યલો માણસ.. – ડેલ વિમ્બ્રો, અનુ. ભરત કાપડીઆ 4

સંપત્તિ, સત્તા અને પૈસો કોઈને પણ સાનભાન ભૂલવવા માટે પૂરતા અનિષ્ટો છે, એવા સમયે જ્યારે તમારા પ્રભાવને લીધે અનેક લોકો તમારી આગળ પાછળ ફરતા હોય, પ્રસંશાના પુષ્પો વેરતા હોય અને બદલામાં તમારી સત્તા, સંપત્તિનો ઉપયોગ કરવાનો યત્ન કરે ત્યારે તમારા સગા વહાલા, મિત્રો વગેરેમાંથી કોઈ તમને પૂર્ણપણે ઓળખી શક્શે નહીં, તમને તમારા મનના દરેક પ્રશ્નનો સાચો જવાબ આપી શક્શે અરીસામાં દેખાતો એ માંહ્યલા માંહેનો માણસ. ૧૯૩૪માં ડેલ વિમ્ર્બો દ્વારા મૂળે અંગ્રેજીમાં લખાયેલી આ રચના તે પછી ખૂબ પ્રચલિત થઈ અને શબ્દોના ફેરફાર કરીને અનેક લોકોએ આ રચના સાથે પોતાનું નામ જોડ્યું. મૂળ રચનાનો એકે એક શબ્દ ખૂબ સૂચક છે અને એવો જ સુંદર અનુવાદ શ્રી ભરતભાઈ કાપડીઆની કલમે આપણને મળ્યો છે.


નવજીવન – ભરત કાપડીઆ 10

મારો ગઈકાલનો દિવસ અત્યંત ખરાબ રહ્યો. થક્વીને ચૂર ચૂર કરી નાખનારો. મારી બધી જ યોજનાઓ નિષ્ફળ ગઈ. એકે સંકલ્પ પાર ન પડ્યો. ફક્ત ગઈ કાલ જ કેમ, છેલ્લા કેટલાય દિવસોથી આમ જ બને છે. દિવસે ને દિવસે હું વધુ ને વધુ હતાશ થતો જાઉં છું. જાણે મારું જીવન non-happening એટલે કે ઘટના-વિહીન બની ગયું છે. કાંઈ પણ નવું સારું બનતું નથી. માણસો ખરાબ મળે, ઘટનાઓ ખરાબ બને, લોકો મારી સાથે ખરાબ વર્તાવ પણ કરે. જાણે પથરા સાથે માથા પછાડતો હોઉં એવું લાગે. હવે બધી જ બાબતો ઉપર ગુસ્સો આવે છે. ઉપરવાળા પર પણ ગુસ્સો આવે. બધી જ તકલીફો મારા પર જ કેમ આવે છે, સમજાતું નથી. ચારે કોર નિષ્ફળતા, નિરાશા અને મારી સામે કટાક્ષમાં તાકતી આંખો જોવા મળે છે. હું શા માટે હવે કોઈ કોશિશ કરું? કોના માટે, શાના માટે ?


અન્વેષણ – જે. કૃષ્ણમૂર્તિ, અનુવાદ : હર્ષદ દવે / ભરત કાપડીઆ 1

જે. કૃષ્ણમૂર્તિના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. થિયોસોફીકલ સોસાયટીના એન્ની બેસન્ટે કૃષ્ણમૂર્તિના વિકાસમાં અગત્યનો ભાગ ભજવ્યો, જેમના મતે શ્રી કૃણમૂર્તિ વિશ્વ સમક્ષ સાચા જ્ઞાનનો પ્રચાર કરનાર વાહક બનવાના હતાં. વિશ્વભરમાં કૃષ્ણમૂર્તિ એક મહાન વિચારક અને ધાર્મિક શિક્ષક તરીકે આદર પામ્યા છે. તેમણે કોઈ પણ ધર્મ કે ફિલસૂફીને સવિસ્તાર સમજાવવાનો યત્ન નથી કર્યો, પરંતુ આપણને રોજીંદા જીવનમાં લાગૂ પડતી વાતો, હિંસા અને ભ્રષ્ટાચારના વ્યાપ સાથે જીવન જીવવા આડે આવતા વિઘ્નો અંગે તેમણે વાતો કરી. માનવજાતને ડર, ગુસ્સો અને દુઃખોથી મુક્ત થઈને જીવવાની જરૂરત પર ભાર મૂક્યો. કોઈ પણ ધર્મ કે રાજકીય ક્ષેત્રની વાત ન કરતા તેમણે એવા તત્વોને માણસજાતને વિભાજીત કરતા પરિબળો ગણાવ્યા. બહુ ઓછા વાચકો જે. કૃષ્ણમૂર્તિથી કે તેમના બોધથી પરિચિત હશે અને તેથી પણ ઓછા લોકોને એ ખબર હશે કે તેમણે એક સમયે કાવ્યો પણ લખ્યા હતાં. આજે તેમનું એક કાવ્ય – શાશ્વતીનું – સમજીએ. આ કાવ્યનો અનુવાદ શ્રી હર્ષદ દવે અને શ્રી ભારત કાપડિયાએ કર્યો છે જે ‘નવનીત સમર્પણ’ એપ્રિલ ૧૯૮૯ માં પ્રકાશિત થયો હતો.


ત્રણ લઘુનિબંધો – ભરત કાપડીઆ 6

૧૯૭૫ થી ૧૯૮૫ ના ગાળામાં જેમની રચનાઓ જન્મભૂમિ પ્રવાસી, નવનીત, નવનીત સમર્પણ, ચાંદની, અભિષેક, કવિતા, વગેરે ખ્યાતિપ્રાપ્ત સામયિકોમાં પ્રકાશિત થયેલ તેવા શ્રી ભરતભાઈ કાપડીઆ તે પછી નોકરીના ભારણને લઈને લેખન ક્ષેત્રમાં નિષ્ક્રિય થઇ ગયેલા. હવે તેમણે ફરી વાર કલમનો સંગાથ કર્યો છે. આશા રાખીએ કે તેમની કલમની પહેલા જેવી જ, કદાચ તેથીય વધુ ચમત્કૃતિ આપણને માણવા મળે. તેમની સર્જનયાત્રા પહેલાથી ખૂબ વધારે સફળતા સાથે આગળ વધે તેવી શુભકામનાઓ. પ્રસ્તુત ત્રણ લધુનિબંધોમાં વિષયોની વિવિધતા છે. મિત્રતા, વિન્ડો શોપિંગ અને પ્રતિક્રિયા જેવા ત્રણ ભિન્ન વિષયો વિશે તેમણે ટૂંકમાં વિચારમોતી આપ્યા છે, આશા છે વાચકોને આ નવીન પ્રસ્તુતિ ગમશે.