Daily Archives: March 23, 2020


અંધારી રાતે – કેતન મુનશી 12

નચિકેત દ્રુપદલાલ મુનસિફ ઉર્ફે “કેતન મુનશી” ત્રણ દમદાર વાર્તા સંગ્રહો, ‘અંધારી રાતે’ (૧૯૫૨), ‘સ્વપ્નનો ભંગાર’ (૧૯૫૩) અને મરણોત્તર પ્રકાશિત ‘રક્તદાન’ આપ્યાં, એક સામાન્ય ઓપરેશન દરમ્યાન ડૉક્ટરની બેદરકારીને લીધે શ્વાસમાંં ઓક્સિજનને બદલે નાઈટ્રોજન અપાઈ જતાં માત્ર ૨૬ વર્ષની ઉમરે અવસાન પામ્યા. વિષયવસ્તુની નવીનતા અને રચનાશૈલીના સફળ પ્રયોગોથી ધ્યાનપાત્ર બનેલા આ સર્જકની વાર્તા ‘અંધારી રાતે’ કુમાર માસિકમાં ૧૯૪૯ના વર્ષની શ્રેષ્ઠ વાર્તા તરીકે પુરસ્કારને પાત્ર ઠરી હતી.