Daily Archives: November 13, 2009


વેદ કાળની સપ્તપદી – મકરન્દ દવે 1

લગ્નની વિધિમાં સપ્તપદી એ અતિ મહત્વનું અંગ છે. વેદકાળની સપ્તપદીમાં સાત શ્લોકો છે, જેમાં વર કન્યાને ઉદ્દેશીને બોલે છે કે વિષ્ણુ તને દોરે અને તારા થકી આપણને ઐશ્વર્ય પુત્ર આદિની સંપ્રાપ્તિ થાય. આદેશ આપનારા અધિપતિ તરીકે પુરુષને સ્થાપતા હજારો વર્ષો પૂર્વેના આ વચનો આજના યુગમાં અસ્વિકાર્ય તો છે જ, અનુપયોગી પણ છે. બને જોડાજોડ ચાલનારા સહયોગી બની રહે એવાં આશિર્વચન ઉચ્ચારતા શ્લોકોની નવી સપ્તપદી રચાવી જોઇએ, અથવા તો વેદકાળની સપ્તપદીનું નવા સંદર્ભમાં નવેસરથી અર્થઘટન કરાવું જોઇએ. આવું એક અર્થઘટન અહીં આપ્યું છે.