Daily Archives: November 22, 2009


જ્યોતિધામ – કરસનદાસ માણેક

જીવનપથ પર ચાલવાનું માર્ગદર્શન મેળવવા, અંધારામાં આશાનું એકાદ કિરણ પામવા, પોતાની ઓળખાણ મેળવવા કવિએ ખૂબ પ્રયત્નો કર્યા, પણ આ બધું કર્યા છતાં તેમનો હેતુ સિધ્ધ ન થયો. તેમને અંતે સમજ આવી કે માતાથી વધુ મહાન માર્ગદર્શક કે ગુરૂ અન્ય કોઇ હોઇ શકે નહીં, માતાના હૈયે સદાય પોતાના સંતાનને સનાતન માર્ગદર્શક જ્યોતિ મળે અને જીવનપથ પર તે સફળતાથી ચાલી શકે તેથી વધુ કોઇ મહેચ્છા હોતી નથી તે વર્ણવતી શ્રી કરસનદાસ માણેકની આ સુંદર રચના ખૂબ હ્રદયસ્પર્શી છે.