સાહિત્યકાર મુજબ સંગ્રહ... : અનિલ જોશી


જનક ની જાનકી (કન્યાવિદાય) – ડો. પ્રવીણ સેદાની 10

દિકરી વહાલનો દરીયો એ ફક્ત કહેવાની કે સાંભળવાની કોઈ વાત નથી, એ તો અનુભવવાની એક અનંત લાગણી છે. અક્ષરનાદના વાચક મિત્ર ડો. પ્રવીણ સેદાની કન્યાવિદાયની કપરી ક્ષણોને શબ્દોમાં, ભાવમાં કાંઈક આમ વર્ણવે છે. તેમનો ભાવ અને સુર શુધ્ધ સ્નેહ અને પુત્રી પ્રત્યેના પ્રેમથી છલોછલ છે. જીવથીય વધુ જાળવીને ઉછેરેલી, આંખના રતન સમી એ દિકરી જ્યારે પળમાં પારકી થઈ વિદાય માંગે છે ત્યારે ગમે તેવા કઠણ હૈયાનો પિતા પણ રડી ઉઠે છે. પ્રસંગની કરુણતા અને દિકરીના સુખી ભવિષ્યની વાંછનાની મિશ્ર લાગણીએથી ભીંજાયેલી પ્રસ્તુત રચના આપને પણ અવશ્ય સ્પર્શી જશે જ એવી ખાતરી સહ આ કૃતિ અક્ષરનાદને મોકલવા બદલ ડો. પ્રવીણ સેદાનીનો ખૂબ આભાર.


કન્યા વિદાય – અનિલ જોશી 17

કવિ શ્રી અનિલ જોશી દ્વારા રચિત આ સુંદર અને ભાવસભર ગીત લગ્નની સાથે જોડાયેલી વસ્તુઓ જેવી કે ઢોલ, ઘરચોળું, દિવડો, શેરી, સાફો વગેરેના માધ્યમથી કન્યા વિદાય પછી વ્યાપેલા સૂનકારને ખૂબ અચૂક રીતે પ્રસ્તુત કરે છે.


બાણશૈયા ઉપર – શ્રી અનિલભાઈ જોશી 2

ઊંધ ન સ્વપ્નની સાવ વચ્ચે સૂતો ના જીવું, નામરું, બાણશૈયા ઉપર આમતો સાવ પડખે ઊભા છો તમે કેમ પડખું ફરું બાણશૈયા ઉપર? લો હવે બંદગીનો સમય થઈ ગયો કેમ સજદા કરું બાણશૈયા ઉપર? શોષ પડ્તો હતો એટલો તો મને ઝાંઝવા સંધરું બાણશૈયા ઉપર પાયને પાયલાગણથી દૂર રાખજો ખૂંચશે ગોખરું બાણશૈયા ઉપર લોહીનાં સગપણો યાદ આવ્યા કરે ક્યાંથી કરવાં શરૂ બાણશૈયા ઉપર આમતો દાખલો સાવ ખોટો હતો શું ગણતરી કરું બાણશૈયા ઉપર – શ્રી અનિલભાઈ જોશી