Daily Archives: July 29, 2012


(દ્વિતિય ઈ-સંસ્કરણ) ભગવદગીતા એટલે… – સુરેશ દલાલ (ઈ-પુસ્તક) 1

બે જ દિવસ પહેલા પ્રસ્તુત કરાયેલ શ્રી સુરેશભાઈ દલાલનું સુંદર ઈ-પુસ્તક ‘ભગવદગીતા એટલે..” ની ૨૫૦થી વધુ ડાઊનલોડ ક્લિક્સ નોંધાઈ છે જે સારા ઈ-પુસ્તકોની વધતી લોકપ્રિયતા દર્શાવે છે તો સામે પક્ષે તેના વાચકવર્ગની વાચનભૂખ પણ સંતોષાઈ રહી હોય એમ અનુભવાય છે. આ જ પુસ્તકમાં રહી ગયેલી જોડણી અને ફોર્મેટ વિષયક ક્ષતિઓને દૂર કરીને આપણા વડીલ વાચક શ્રી મહેન્દ્રભાઈ નાયકે મોકલી આપી છે, જેથી બે જ દિવસમાં તેની બીજી અને હવે લગભગ કોઈ પણ ક્ષતિ વગરની આવૃત્તિ પ્રસ્તુત કરી શકાઈ છે. આ વિશેષ મદદ બદલ શ્રી મહેન્દ્રભાઈ નાયકનો ખૂબ આભાર.