Daily Archives: April 29, 2011


બે ઉર્દુ ગઝલો – ધ્રુવ ભટ્ટ 3

શ્રી ધ્રુવ ભટ્ટ સાહેબ આપણી ભાષાના આગવા લેખક છે, તેમની નવલકથાઓથી અજાણ વાચક શોધવો અઘરો છે, તો સાથે સાથે તેમના ગીતો પણ મનમાં ગૂંજારવ પ્રેરતા રહે છે. તેમની નવલકથાઓ સમુદ્રાન્તિકે, તત્વમસી, અતરાપી, અકૂપાર, કર્ણલોક, અગ્નિકન્યા હોય કે તેમના ગીતોનો સંચય ‘ગાય તેના ગીત’, લેખન પ્રત્યેની આગવી સૂઝ, ઉંડાણ અને નિરાળી પદ્ધતિ તેમની વિશેષતાઓ રહી છે. આજે એ બધાથી કાંઈક અલગ એવી બે ઉર્દુ ગઝલો તેમણે અક્ષરનાદને પાઠવી છે. આશા છે આ નવા પદાર્પણમાં પણ તેઓ સદાની જેમ શ્રેષ્ઠ અને અનોખું આપશે. અક્ષરનાદને આ કૃતિઓ પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.