મૃત્યુ વખતના પાંચ અફસોસ અને તેનાથી બચવાની રીત.. – જીજ્ઞેશ અધ્યારૂ 5
પોતાની નોકરી અને ઘરેડમાં બંધાયેલા જીવનથી ત્રસ્ત અને નિરાશ બ્રોની વેર એવું કાંઈક કરવા માંગતી હતી જે તેને કાંઈક ઉપયોગી કર્યાનો અહેસાસ અને આત્મસંતોષ આપી શકે. તેણે મૃત્યુશય્યા પર પોતાના આખરી દિવસો વીતાવી રહેલા લોકોને જ્યાં સારવાર મળી રહી હોય એવી એક હોસ્પિટલમાં તેમની કાળજી લેવાનું શરૂ કર્યું. અનેક દર્દીઓની અંગત કાળજી લેતાં તેણે એ દર્દીઓના જીવનને, તેમની આશાઓ અપેક્ષાઓ અને નિરાશાઓને, મૃત્યુ વખતના તેમના રંજ અને અફસોસને ખૂબ નજીકથી અવલોકવાની તક મળી. આાવા દર્દીઓની સાથે તેમના જીવનના છેલ્લા ત્રણથી બાર અઠવાડીયા વીતાવવાનો અવસર તેને મળ્યો, અને આ દરમ્યાનમાં તેણે જે નોંધ્યું એ હતું એ દર્દીઓને મૃત્યુશય્યા પર થયેલ જીવનમાં કાંઈક ન કર્યાનો અફસોસ કે રંજ…