સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : વિચારોનું વન


ભક્તિ ચિંતન – હરસુખરાય જોષી 2

શ્રી હરસુખરાય જોશીની કૃતિઓ અક્ષરનાદ પર આ પહેલા પણ પ્રસ્તુત થઈ છે. તેઓ મહદંશે ચિંતનાત્મક લેખો લખે છે. આજે પ્રસ્તુત છે તેમનાં ભક્તિ વિશેના વિચારો સાથેનું ચિંતન. ભક્તિ એ એવી એક શક્તિ છે જેના આવ્યા બાદ પૂર્ણ પ્રાપ્તિનો અનુભવ થાય છે. હવે કશુ મેળવવાનું રહેતું નથી એવી અવસ્થા સુધીની સફર એટલે ભક્તિ, ભક્તિ વિશે વિચારીએ ત્યારે નારદ ઋષિનો ઉલ્લેખ અવશ્ય કરવો પડે, ભગવાન પ્રતિ સ્નેહ અને ભગવાનના સંતાનો તરફ પ્રેમ. આ ભાવના જાગે એટલે સમજવું ભક્તિના પ્રારંભની શરૂઆત થઈ. ભક્તિનું પ્રથમ લક્ષણ, માણસ દરેક પરિસ્થિતિમાં આત્મસંતુષ્ટ અને પ્રસન્ન નજરમાં આવશે. સમગ્ર લેખમાં તેમણે ઉદાહરણ સહિત સરસ રીતે ચિંતન આપ્યું છે.


પિતાની અંતિમ વિદાયવેળાએ એક દિકરી – પ્રતિભા ભટ્ટ અધ્યારૂ 14

કોઈ દૂરના સંબંધી અથવા અજાણ્યાના મૃત્યુ કરતાં આપણા સહ્રદયી અથવા અત્યંત નિકટના સ્વજનના મૃત્યુનું દુઃખ આપણને વધારે લાગે છે. એમાં પણ મૃત્યુ પામનાર આપણા કોઈ વિશેષ અથવા આપણને અતિ પ્રિય હોય તો તો દુઃખની સીમા જ રહેતી નથી. તેમના મૃત્યુના સમાચાર સાંભળતા જ આપણે મૂઢ જેવા થઈ જઈએ છીએ. અને એ પણ જો અકાળે અણધાર્યુ કોઈનું અવસાન થઈ જાય, આખી જીંદગી જેને સામાન્ય તાવ પણ ન આવ્યો હોય તે માણસ એક બે દિવસની નાનકડી બિમારીમાં મૃત્યુ પામે તો તો આપણા ઉપર આભ તુટી પડે છે

આવી જ એક ઘટના મારી સાથે પણ થઈ… દિવસ હતો ૧૦ એપ્રિલ ૨૦૧૦.


મંદિરના નિયમમાં શું ફેરફાર ન થઇ શકે ? – રૂપેન પટેલ 32

રૂપેનભાઈ પટેલની આ કૃતિ, તેમણે વર્ણવેલા પ્રસંગ દ્વારા આપણા સામાજીક રૂઢીગત નિયમો પર એક કટાક્ષ છે. મંદિરમાં દર્શન કરવા માંગતા કોઈક ભક્ત પર તેની અક્ષમતાને લઈને જે નિયમોના પાલન માટે ફરજ પડાય છે તે આપણા સમાજના જડ નિયમોની એક તદ્દન ઝાંખી ઝલક છે. ક્યાંક આવા નિયમોનું પાલન શું માણસની શ્રધ્ધા અને ભક્તિની લાગણીઓથી ઉપરવટ જઈને કરવું જરૂરી છે એમ વિચારતા કરી દે એવો આ પ્રસંગ અક્ષરનાદ સાથે વહેંચવા બદલ શ્રી રૂપેનભાઈનો ખૂબ ખૂબ આભાર.


લોકસાહિત્યના કોપીરાઇટ – ઝવેરચંદ મેઘાણી 1

લોકસાહિત્યના કોપીરાઈટ પ્રશ્ને આજથી અડધી સદીથીય વધારે સમય પહેલા શ્રી ઝવેરચંદ મેઘાણીએ ગ્રામોફોન કંપનીઓ સામે કરેલી લડતની વાત અહીં તેમણે આલેખી છે. જન્મભૂમીમાં તેમણે ૨૯ જુલાઈ ૧૯૩૭, આજથી બરાબર ૭૩ વર્ષ પહેલા આ લેખ લખેલો. જો કે સાહિત્યના અનેક પ્રકારો વચ્ચે આ પ્રસંગ એક અલગ વાત લઈને આજે પ્રસ્તુત કર્યો છે છતાં એક અનોખો પ્રસંગ છે, લોકસાહિત્યની તેમની રચનાઓ વિશે શ્રી મેઘાણી લખે છે, ‘જોગીદાસ ખુમાણ જ્યારે તમે વાંચતા હશો ત્યારે તમને થતું હશે કે અંકોડાબંધ કોઈએ ઉતરાવી આપી હશે. એ કથાને નાટક લેખે વાપરનારાઓ, વૃતાંતોને રેડીઓ ઉપર કથનારાઓ, બીજી-ત્રીજી રીતે જાહેર મૂકનારાઓ, સહુ એવો સંતોષ અને દાવો ધરાવતાં કે આ તો પ્રચલિત સાહિત્ય છે, એ સર્વકોઈના અધિકારની સામગ્રી છે. તમને ભાગ્યે જ એ સત્ય સમજાશે કે એ સમગ્ર કથા વણવા મારે વાણાતાણા કરવા પડ્યાં છે, ગઢવી માધવદાને, પીંગળશી પાતાભાઈ, ગઢવી દાદાભાઈ, ખોજા વાલજી ઠક્કરે, ડુંગરના સ્ંધી પસાયતાએ – નામો જેનાં નથી એવા બીજા કેટકેટલાએ અક્કેક અસ્થિ આપ્યું. આખું કલેવર એ અસ્થિઓને બંધબેસતાં કરી કરીને ઘડવું પડ્યું, અને તેના ઉપર ઉર્મિની અંજલી છાંટીને પ્રાણ જગાડ્યો છે.”


અધ્યાપક માટે ઉપાસના-મૂર્તિ – કાકા કાલેલકર 2

લાગણી અને પ્રેમસૂત્રમાં પરોવાયેલા ગુરૂ શિષ્યના સંબંધો વિશેનો એક લેખ શ્રી ક્ષિતિમોહન સેનની કલમે હમણાં જ માણ્યો. ગુરૂ શિષ્ય પરંપરા અને એ આખીય શિક્ષણ પધ્ધતિ વિશે ઘણુંય લખાયું છે. એક શિષ્ય માટે ગુરૂ તેની ઉપાસનામૂર્તી હોઈ શકે, પરંતુ એક અધ્યાપક માટે તેની ઉપાસના મૂર્તી કોણ હોવું જોઈએ એ વિષય પર શ્રી કાકા કાલેલકરના વિચારો અત્રે પ્રસ્તુત કર્યા છે. ગુરૂપૂર્ણિમા આવી રહી છે ત્યારે શિષ્યના ધર્મને એક ગુરૂની નજરોથી નિહાળવાની અને સન્માન આપવાની ઉચ્ચભાવના અહીં પ્રસ્તુત વાતમાં વર્ણવાઈ છે. ગુરૂપૂર્ણિમા આવી રહી છે ત્યારે આશા છે પ્રસ્તુત પ્રસંગ સમયોચિત બની રહેશે.


વાંચન અને તેના શક્ય વિવિધ સ્વરૂપો – પ્રા. વ્રજરાય દેસાઈ

ઈ.સ. ૧૯૭૨માં આંતરરાષ્ટ્રીય પુસ્તક વર્ષની ઉજવણી દરમ્યાન યુનેસ્કો તરફથી પ્રસિધ્ધ કરવામાં આવેલ પુસ્તક ‘ધ બુક હંગર’ નો અનુવાદ ‘વાંચનક્ષુધા’ એ નામે માર્ચ ૧૯૭૮માં ભાષાન્તર નિધિ, ભાવનગર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલો. મૂળ લેખક રોનાલ્ડ બાર્કર અને રોબર્ટ એસ્કાર્પીડના પુસ્તકનો અનુવાદ પ્રા. વ્રજરાય મુકુન્દરાય દેસાઈએ કર્યો છે. પુસ્તકોની જરૂરત, કૃતિની ઉત્પત્તિના વિવિધ આયામો, તેના ભાવિ વલણો, વિતરણકાર્ય તથા વાંચનની ટેવો વિશે અહીં વિશદ અને સાહિત્યિક છણાવટ થઈ છે. પ્રસ્તુત લેખ આ પુસ્તકના પ્રકરણ વાંચનની ટેવો માંથી લેવામાં આવ્યો છે. માણસની બીજી ટેવો કરતા વાંચનની ટેવોનો અભ્યાસ વધુ કઠિન છે. આ ક્રિયા સીધી અવલોકવી શક્ય નથી. કેટલીક વાર તો પુસ્તકો ફક્ત શોભા અર્થે ખરીદવામાં આવે છે. વાંચકોને પૂછીને કરેલ સર્વેક્ષણો પણ ઘણી વખત ભ્રામક હોય છે. પ્રસ્તુત લેખમાં આ ક્રિયાનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરવાનો અને તારણ મેળવવાનો યત્ન કરવામાં આવ્યો છે.


મહામૃત્યુની સંજીવની વિદ્યા – મીરાબેન ભટ્ટ 5

૧૯૮૨માં પ્રકાશિત શ્રીમતી મીરાબેન ભટ્ટનું અદભુત પુસ્તક એટલે “જીવન સંધ્યાનું સ્વાગત.” આ પુસ્તિકામાં તેમણે વૃધ્ધત્વને સાચા અર્થમાં જાજરમાન બનાવી શકાય તે માટેનું ચિંતન પ્રસ્તુત કર્યું છે. સામે આવેલી ક્ષણોને પૂરેપૂરી, સમગ્રતાપૂર્વક જીવવી, તેમાં યથાશક્ય પાવિત્ર્ય તથા સૌંદર્ય ભરવું એ છે જીવનસાધના. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૧૯૮૪નું ભગિનિ નિવેદિતા પારિતોષિક આ પુસ્તકને પ્રાપ્ત થયું છે. પ્રસ્તાવનામાં તેઓ કહે છે, “જીવનસંધ્યા એટલે ઈન્દ્રિયોના વ્યાપારને સંકેલવાનું ટાણું. ઈન્દ્રિયોનો ભોગવટો નહીં, તેના પર વિજય. સાંજ પડ્યા પછીનું જે કાંઈ જીવન વહે, તેની દિશા નિશ્ચિત હોય, પ્રભુ ! જો કે પ્રીત પરાણે ન થાય. આપણી તેને પામવાની ઝંખનાનો સૂરજ દિવસભર પ્રજ્વળ્યો હશે તો જ તે એક સરસ જીવન સંધ્યા આપણને આપશે તે વાત મનમાં રાખીએ. મૃત્યુને પણ સંજીવની વિદ્યા કહેવાની હિંમત દાખવનાર મીરાબેન જેવા માર્ગદર્શકોજ આવો એક ઉત્તમ વિચાર વિકસાવી શકે.


પુસ્તકાલય એટલે મહાશાળા – ગિજુભાઈ બધેકા 1

આપણા દેહને ટકાવવા અને તેનો ઉપયોગ કરવા દરરોજ તેને અન્ન આપીએ છીએ તે જ રીતે આપણાં ચિત્તને વાચન રૂપે રોજ પોષણ આપવાની જરૂર છે. અને આ વાંચનક્ષુધા છીપાવવાની પરબો એટલે પુસ્તકાલયો, પુસ્તકાલયોનું મહત્વ આપણે ત્યાં હજી જોઈએ એટલું સમજાયું નથી. ગિજુભાઈ પ્રસ્તુત લેખમાં એ છતું કરે છે. ગુજરાત ઉપર સ્વ. ગિજુભાઈ બધેકાનું અમીટ ઋણ છે. વીસમી સદીના ત્રીશીના દાયકા અગાઊના અને એ પછીના શિક્ષણ અને અધ્યાપનની પધ્ધતિઓમાં ક્રાંતિકારી પરિવર્તનનો બધો યશ તેમને ફાળે જાય છે. આ યુગપરિવર્તનકારી ફેરફારો સાથે, એના વિશે એમને ઘણું લખવાનું થયું છે, એમના લખાણો સચોટ અને ઉપદેશોથી દૂર, સમજ આપનારા બની રહ્યાં છે. એમનાથી સ્થળ કાળથી દૂર અનેકોને તેનો લાભ મળ્યા કરે છે એ ખૂબ મહત્વની વાત છે. વાંચે ગુજરાત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આ લેખ પ્રસ્તુત બની રહેશે એમાં કોઈ શંકા નથી.


વખત વાવણીનો…. – જીજ્ઞેશ અધ્યારૂ 8

વરસાદની શરૂઆત થઈ રહી ગઈ છે, અને ધરતીપુત્રો ખેતરને ખેડીને વાવણી માટે તૈયાર થઈ ગયાં છે. બાકી રહી ગયેલા ખેડુતો પણ અત્યારે હળ કે ટ્રેક્ટર સાથે ખેતરોને ખેડી રહ્યાં છે, પહેલા વરસાદમાં ખેડાતા કે વાવણી પામતા ખેતરોમાં ખેડુતોના આખાંય પરિવાર મહેનત કરવા મંડી પડે, વાવણીના ગીતો ગૂંજે અને માટીની સુગંધ ચોમેર ફેલાય એથી આહલાદક દ્રશ્ય શું હોઈ શકે? વખત ખરેખર મારા માટે પણ વાવણીનો જ છે… વિચારોની વાવણી માટેનો


શબ્દનું સામર્થ્ય – જીજ્ઞેશ ચાવડા (ચિંતનાત્મક લેખ) 12

આપણે રોજબરોજના જીવનમાં અસંખ્ય શબ્દો સાંભળીએ છીએ. પણ એમાંથી કેટલા શબ્દો ખરેખર સાંભળીએ છીએ એમ કહી શકાય? સાંભળેલા બધાંય શબ્દો કાંઈ ઉપયોગી કે જીવન પરિવર્તન કરી શકે એવા હોતા નથી. પણ એ અનેક શબ્દોના મહાસાગરમાં કાંઈક એવા મોતી તો હોય જ છે જે જીવનની દિશા બદલી શકે. કહે છે કે જ્યાં સુધી શબ્દરૂપી હથોડીની ચોટ આપણા મન પર નથી લાગતી ત્યાં સુધી તેની કોઈ અસર આપણા વર્તન પર કે વિચારો પર થતી નથી. શબ્દોના સામર્થ્યને દર્શાવતા આવા જ વિચારો સાથેનો શ્રી જીજ્ઞેશ ચાવડાનો આ ચિંતનાત્મક લેખ મનનીય છે.


ડૂબેલા સૂરજનું અજવાળું – સ્વ. શ્રી જાતુષ શેઠ નો અક્ષરદેહ 2

વડોદરાની મ. સ. યુનિ. માંથી ન્યુક્લીયર ફિઝિક્સ વિષયમાં ગોલ્ડ મેડલ, પૂનાની ઈન્ટર યુનિ. સેન્ટર ઓફ એસ્ટ્રો ફિઝિક્સમાંથી મરણોત્તર પી. એચ ડી., જર્મનીના મેક્સ પ્લાન્ક ઈન્સ્ટિટ્યૂટ ફોર ફેલોશિપ માટે આખા વિશ્વના દોઢસો ઉમેદવારોમાંથી પસંદગી પામનાર એક માત્ર ઉમેદવાર, કોસ્મોલોજીના ક્ષેત્રે ડો. જયંત નારલીકર જેવા પ્રતિભાશાળી વૈજ્ઞાનિકના શિષ્ય એવા શ્રી જાતુષ શેઠ જર્મનીની મેક્સ પ્લાન્ક યુનિવર્સિટીમાંથી સંશોધનકાર્યના પ્રારંભના દોઢેક માસ પછી સાપ્તાહિક રજાઓ ગાળવા ઈટાલીના પ્રવાસે જતા અકસ્માત મૃત્યુને ભેટ્યા. તેમના મૃત્યુના પાંચ વર્ષ પછી તેમણે મિત્રોને, સ્નેહીઓને લખેલાં પત્રો, તેમની ડાયરીના અંશો વગેરેનું સુંદર સંકલન કરી તેમના પિતા અને ભાઈએ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કર્યું. આ પત્રો કે વિચારોનો સંચય સ્પષ્ટ રીતે તેમની અધ્યાત્મ દ્રષ્ટિ, મનનાં ઉર્ધ્વગામી વિચારો અને લોકોને મદદરૂપ થવાની તેમની ભાવનાનો સુંદર પડઘો પડે છે. આ જ પુસ્તકમાંથી તેમની ડાયરીના અંશો માંથી બે અંકો અત્રે પ્રસ્તુત છે.


Pirated Software જેવી જીંદગી – જીજ્ઞેશ અધ્યારૂ 13

જીવનને કોમ્પ્યુટર સિસ્ટમ સાથે સરખાવતાં આવું વિચારાઈ ગયું, કેટકેટલી વાતો સરખી ને તોય કેટલી અલગ? કી બોર્ડ જે છાપે એ સ્ક્રીન બતાવે, પણ મનના કી બોર્ડ અને આપણા ચહેરાના સ્ક્રીનનું શું? કેટલાક તો એક સાથે બે ત્રણ જીંદગી જીવી શકે છે, મહોરામાં જીવી શકે છે. કોમ્પ્યુટર માં જેમ My Computer, My Documents એમ જીવનમાંય મારું ઘર, મારા મિત્રો, મારા પૈસા……. પણ એ ક્યાં સુધી? બીજાની માન્યતાઓ અને ઈચ્છાઓ પર જીવતા આપણે કોઈકના બનાવેલા નિયમો પર જીવીએ છીએ તો આપણે Pirated Software જેવા નથી શું? આવી ઘણી વિચારધારાઓને અહીં વહેવા દીધી છે ને રહેવા દીધી છે…..


નહીં માફ નીચું નિશાન – ઈશ્વર પરમાર 4

જીવન વ્યવહાર ચલાવવા માટે કંઈ ને કંઈ લક્ષ્ય નજર સમક્ષ રાખવાનું થાય ત્યારે, નિષ્ફળ જવાનો ભય ન રહે તે અનુભવીએ છીએ ! આપણને એ ખ્યાલ નથી રહેતો કે આપણે મેળવી તેથી અનેકગણી સિધ્ધિ મેળવી શકવાની ક્ષમતા આપણે ધરાવતા હોઈએ છીએ. વ્યક્તિ પોતાનું લક્ષ્ય ઉંચુ રાખી, સંકલ્પ પૂર્વક વિચારે તો અનેક સિધ્ધિઓ હાસલ કરી શકે. આ લેખના લેખક પોતે જ આવી સિધ્ધિઓ મેળવનાર એક સફળ પ્રશિક્ષક છે. આવો સુંદર અને પ્રેરણાદાયક લેખ માણવો એ એક લહાવો છે. અક્ષરનાદને આ કૃતિ પ્રસિધ્ધ કરવાની પરવાનગી આપવા બદલ શ્રી ઈશ્વરભાઈ પરમાર (દ્વારકા) નો ખૂબ ખૂબ આભાર. આ લેખ સમણું સામયિકના જૂન ૨૦૦૮ ના અંકમાંથી સાભાર લેવામાં આવ્યો છે.


પ્રેરક પ્રસંગો – સંકલિત 16

પ્રેરક પ્રસંગો એ નાનકડી ખાટી મીઠી ગોળી જેવા છે, પ્રસંગની સાથે તેની પાછળનો અર્થ સમજવાનો આનંદ એ સ્વાદમાં અનેકગણો વધારો કરી જાય છે. ક્યારેક સમય મળે, મન નવરાશમાં હોય ત્યારે આવા પ્રસંગોનું વાંચન અને મનન તથા એ પ્રસંગો વડે પ્રસ્તુત થતો તેમની પાછળનો ભાવ, ભાવક માટે એક આગવો અનુભવ આપનારી સ્થિતિ બની રહે છે. આ સાતેય પ્રસંગોની પોતાની આગવી વાત છે અને સ્પષ્ટ સંદેશ પણ છે.


એ તો એની સાથે હોય જ – દોલતભાઈ દેસાઈ 1

કુદરતે ઘણી વસ્તુઓ અવશ્યંભાવી રીતે આપેલી છે, અમુક વસ્તુની સાથે તેના વિરોધાભાસી ગુણધર્મો પણ આવે જ છે. સખત નાળીયેર ના કોચલાની અંદર તેનું મીઠું પાણી અને નરમ મીઠું નાળીયેર મળી રહે છે. આવી જ કાંઈક વાત કહેતો આ નાનકડો પ્રસંગ છે. અરધી સદીની વાંચનયાત્રા ભાગ ૨ માંથી સાભાર લેવાયેલો આ પ્રસંગ ખૂબ સુંદર અને મનનીય છે.


એક પુસ્તકની જાદુઈ અસર – મહાત્મા ગાંધી 5

વિનોબા ભાવે કહે છે તેમ, “સર્વોદય એટલે સહુનું ભલું. કોઈનું ઓછું અને કોઈનું વધુ ભલું નહીં, સહુની સમાન ચિંતા અને સમાન પ્રેમ. સ્વચ્છ રાજકારણની રચના માટે તેના ભાગરૂપ રાષ્ટ્રીય નેતાઓની કોઈ એક વિશેષ બાજુ નહીં, સર્વગામી વિકાસ થવો જોઈએ, એ સત્યાગ્રહ હોય કે નિસર્ગોપચાર, બ્રહ્મચર્યપાલન કે કરકસર, ગાંધીજીએ બધાંને સરખું મહત્વ આપ્યું. સમાજરચનામાં સામાજીક, ધાર્મિક, આર્થિક અને રાજકીય એમ બધાંજ ક્ષેત્રે પ્રભાવી અને પારદર્શક કાર્યપધ્ધતિનું પાલન એટલે ‘સર્વોદય’. બાપુને રસ્કિનના પુસ્તકમાંથી આ વિશેની પ્રેરણા મળી હતી તે જાણીતી વાત છે. એ પ્રસંગ અત્રે પ્રસ્તુત છે.


બ્લોગ એટલે પ્રસિધ્ધિનો મોહ નહીં, સર્જનનો આનંદ – જીજ્ઞેશ અધ્યારૂ 20

અક્ષરનાદ આજે ૨,૦૦,૦૦૦ ક્લિક્સ પૂર્ણ કરી રહ્યું છે. હમણાં ઘણાં વેબ મિત્રોએ સંપર્ક કરતાં પૂછ્યું કે “મારે બ્લોગ શરૂ કરવો છે, પણ શું લખું?” તેઓ કહે છે કે જો હું કોઈ મનગમતી કવિતા કે વાર્તા મૂકવાનું વિચારું તો એ કોઈક ને કોઈકની વેબસાઈટ પર મળી જ આવે, અને જે ઉપલબ્ધ છે એને મૂકવાનો અર્થ નથી. જો કે એ બધાં મિત્ર ઓનલાઈન મિત્રો હતાં, તેમના કદી ન જોયેલા ચહેરાની પાછળ પણ એક સુંદર ભાવનાશીલ હ્રદય ધબકે છે એ સત્તત તેમના ઈ-મેલ અને પ્રતિભાવોથી પ્રતીત થયાં કરે, પણ “શું લખું?” એ સવાલનો જવાબ આપવો કદાચ અશક્ય છે. ઘણાં દિવસથી આ વિષય પર લખવાની ઈચ્છા હતી, પરંતુ આ વિષય પર સલાહ આપવાની મારી યોગ્યતા પર મને પોતાને પ્રશ્નાર્થ હોય ત્યાં બીજાને મારે શું સમજાવવું. પરંતુ એવા મિત્રો જેમણે મને કે બીજા અનેક બ્લોગર મિત્રોને આ સવાલ પૂછેલો, “શું લખું?” તેમને જવાબ આપવો પણ જરૂરી લાગ્યો, એટલે આ લખ્યું.


( દિકરીઓ વિશે ) સમાજને એક પત્ર – કવિત પંડ્યા 4

પ્રસ્તુત કૃતિ દિકરીઓ વિશે સમાજને એક ખુલ્લો પત્ર છે, અહીં સ્ત્રીઓને લગતાં પ્રશ્નો વિશે તેમની ચિંતા સ્પષ્ટપણે ઝળકે છે, ખાસ કરીને તેઓ સમાજને સ્ત્રીભ્રૂણ હત્યા અને તેમને મળતા અસમાન અધિકારો અને તેમના સામાજિક દરજ્જાની સમાનતા વિશેની ચિંતાઓ સમાજને ઉદ્દેશીને લખે છે. વિકાસ અને પરિવર્તનની સદીમાં આજે સ્ત્રીજાતિનો અસ્તિત્વગત સળગતો પ્રશ્ન આપણને દસ્તક દઈ રહ્યો છે. આગવી સાંસ્કૃતિક પરંપરાઓ, રીતરિવાજો, માન્યતાઓ અને મૂલ્યો ધરાવતાં તારા આ પુરૂષપ્રધાન સમાજમાં કુટુંબજીવનની મહત્વની ધરી સમાન નારીની સલામતી, ઉત્તરોતર ચિંતાનો વિષય બની ગઈ છે. તેઓ આ પત્ર મારફત સમાજને આ વિષય પરત્વે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા કટીબદ્ધ થવાની વાત કરે છે.


દોસ્તીના રંગે રંગાયેલો ઉત્સવ એટલે જીંદગી – જીજ્ઞેશ અધ્યારૂ 11

હોળીના, રંગોના આ પવિત્ર તહેવારમાં જીવનમાં સંબંધોના અનેકવિધ રંગોની વચ્ચે એક અનોખો, સુંદર રંગ એટલે મિત્રતા. રંગોનો તહેવાર ઉજવાય છે હૈયાની નજીક રહેલી વ્યક્તિઓ સાથે, એવા લોકો સાથે જેમના સુખ દુઃખના રંગો આપણા જીવનમાં પણ ભળે છે. ઘણા સંબંધોના રંગો હોય છે, ઘણાં બિનહાનીકારક કુદરતી રંગો પણ હોય છે, મિત્રતા કદાચ આવો જ રંગ છે. મિત્રતા એક રંગ નથી, એ એક ઈન્દ્રધનુષ છે. તેમાં સુખમાં મહાલવાનો રંગ છે, તો એક મિત્રના દુઃખમાં સાથ આપવાનો, આધાર આપવાનો રંગ પણ છે, તેનાથી દૂર રહીને તેને સતત યાદ રાખવાનો રંગ છે તો તેની સાથે જીવનને એક અવસર બનાવીને ઉજવવાનો રંગ પણ છે. કઈ એવી ધુળેટી તમે ઉજવી છે જે મિત્રો વગર સંપૂર્ણ હોય?


વર્તન વાતો કરે……. – જીજ્ઞેશ ચાવડા 10

આપણું વર્તન આપણા ચારિત્ર્યનું દર્પણ છે. જેવું વર્તન તેવું સમ્માન. નાના પ્રસંગો પણ માણસની છાપ એવી સજ્જડ બેસાડી શકે છે જે લાંબી વાતો કરી શક્તી નથી. દુર્ગુણોને માખણ માંથી વાળ કાઢે તેમ દુર કરી, ચારિત્ર્યવાન બનીએ અને પશ્ચિમી ભોગ વિલાસના ચક્કરમાં ના આવી ચારિત્ર્યવાન સમાજનું નિર્માણ કરીએ એમ સુંદર ઉદાહરણોના માધ્યમથી સૂચવતો શ્રી જીજ્ઞેશ ચાવડાનો ઉપરોક્ત લેખ ખૂબ સમયાનુચિત છે.


શ્રદ્ધા અને અંધશ્રદ્ધા નો ભેદ – જીજ્ઞેશ ચાવડા 19

લગભગ ચોક્કસ સમયાંતરે મળતી રહેતી શ્રી જીજ્ઞેશ ચાવડાની ગદ્ય પદ્ય રચનાઓ અક્ષરનાદ પર આપણે પહેલા પણ માણી છે, આજે તેમના તરફથી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વિશે, તેમના સૂક્ષ્મ ભેદ વિશેની થોડીક વાત. આ મહત્વપૂર્ણ પરંતુ અછૂતા વિષય પર સામયિકોમાં – બ્લોગજગતમાં સમયાંતરે ચર્ચાઓ થતી રહે છે. શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધાના તફાવત અને તેની સૂક્ષ્મ ભેદરેખા વિશે અહીં તેમણે વિશદ છણાવટ કરી છે. તેમના વિચારોની સ્પષ્ટતા અને ચિંતનનું ઊંડાણ ખરેખર વિષયને રસમય બનાવી દે છે.


Gandhiji and Vinoba Bhave at Vardha 1934

જે ગાંધીને મેં જાણ્યા – વિનોબા ભાવે 7

મહાત્મા ગાંધીજીને યાદ કરવા કોઈ વિશેષ દિવસની જરૂરત ન હોય, જો કે તેમના વિચારો અથવા સિધ્ધાંતો વિશે વાંચવાની જેટલી મજા આવે છે એથી વધુ મજા તેને સમજવાની કસરત કરવાની આવે છે. વિનોબા ભાવેના આપણા રાષ્ટ્રપિતા વિશેના વિચારોનું આ સંકલન થોડાક દિવસ ઉપર વાંચવા મળ્યું. વિવિધ વિષયો અને સિધ્ધાંતો પર ગાંધીજી વિશે શ્રી વિનોબાના આ સુંદર વિચારો મનનીય અને એથીય વધુ સરળતાથી સમજી અને અનુસરી શકાય તેવી ભાવનાઓ છે.એ મહાત્મા વિશે વિનોબાથી વધુ સારી સમજણ કોઈ ન આપી શકે, આજે ગાંધી નિર્વાણ દિવસે, ગાંધીજી વિશે વિનોબાના વિચારો પ્રસ્તુત છે.


ભારતીય કવિતાઓમાં મૃત્યુ ચિઁતન – સંકલન : જીગ્નેશ અધ્યારૂ 6

મૃત્યુ વિશેની કવિતાઓ અને એ વિશેનું ચિંતન આપણા સાહિત્યમાં અઢળક જોવા મળે છે. મૃત્યુ એ દૈહિક રીતે મર્ત્યાવસ્થા છે, સર્જકો મૃત્યુને જીવનની સફરનો કિનારો, છેડો કે અંત તરીકે નિરૂપતા આવ્યા છે, પરંતુ આ સર્વમાન્ય સ્વરૂપો સિવાય પણ ભારતીય સાહિત્યમાં મૃત્યુ વિશેનું ચિંતન ખૂબ સુંદર અને ભિન્ન સ્વરૂપોમાં જોવા મળે છે. મૃત્યુ વિશે અક્ષરનાદ પર આ પહેલા ઘણી વખત ચિંતન કરેલું છે, કદાચ એ એક વિષય એવો બચ્યો છે જેના માટે આપણા બધાંનો અનુભવ સરખો છે, બનવા જોગ છે કે પ્રેમ વિશે, લાગણીઓ વિશે કે અનુભૂતીઓની અભિવ્યક્તિ વિશે અનુભવો અને આવડત ઓછી વધુ હોય, પરંતુ જીવન પછીના જીવન વિશે વિચારો જ માત્ર સાધન છે, એ ઘટનાને ડરથી જોવાની બદલે અભિભૂત થઈને, આવકારીને જોવાની જરૂરત છે. આજે પ્રસ્તુત છે ભારતીય ભાષાઓમાં આ વિષય પરત્વે ચિઁતનના કેટલાક અંશો.


ઓપરેશન દરમ્યાનનો અનુભવ – જીગ્નેશ અધ્યારૂ 5

કહે છે કે સમય ક્યારે અને કેવો આવે, કોઇ કહી શક્તુ નથી. ક્યારેક અચાનક હસતા રમતા કેટલીક એવી હકીકત જાણવા મળે કે અવકાશો સર્જાઈ જાય્, એવું પણ જણાય્ કે માણસ પર કુદરત હસતી હોય. ક્યારેક અણધારી આપત્તિઓ આવે તો ક્યારેક અણધાર્યા આનંદની પળો મળે, કાંઇક આવું જ થયું જ્યારે અચાનક એક રુટીન ચેકઅપ દરમ્યાન જાણવા મળ્યું કે મારે એક ટ્યુમર (ગાંઠ) છે અને તેને તરતજ કઢાવવી ખૂબ જ જરૂરી છે. પ્રસ્તુત છે એ અનુભવનું થોડુંક વિશ્લેષણ.


સુખ કે સબ સાથી દુ:ખ કે ન કોઇ – પ્રફુલ ઠાર 8

કાંદીવલી, મુંબઇના રહેવાસી એવા શ્રી પ્રફુલભાઇ ઠાર સંબંધો વિશેના તેમના વિશ્લેષણને આજે બીજીવાર આપણી સૌની સાથે વહેંચી રહ્યા છે. દુન્યવી અનેક સંબંધોમાં માણસ માટે સરળ અને નિખાલસ બનવું સહુથી જરૂરી છે તેવું સમજાવતી તેમની આ વાત અત્રે પ્રસ્તુત છે. અક્ષરનાદ.કોમને આ રચના મોકલવા અને પ્રકાશિત કરવાની તક આપવા બદલ તથા આવા સુંદર વિચારો સર્વ સાથે વહેંચવા બદલ શ્રી પ્રફુલભાઇ ઠારનો આભાર તથા શુભકામનાઓ.


સ્ત્રીઓને ક્યાં સુધી રડાવશો – ભૂપેન્દ્રસિંહ રાઓલ 4

અક્ષરનાદના વાંચક મિત્ર શ્રી ભૂપેન્દ્રસિંહ રાઓલની આ કૃતિ તેમના ઉદારમતવાદી વિચારોનો આયનો છે. તેમના દ્રષ્ટિકોણ પ્રમાણે અંધશ્રધ્ધા, શ્રધ્ધા અને અશ્રધ્ધા વચ્ચે થોડોક તફાવત આવશ્યક છે, અને એજ તેમની આ કૃતિનો પડઘો છે. આધુનિક સમયમાં સ્ત્રીઓના સમાજમાં સ્થાન પર તેમનું ચિંતન મનનીય છે. અક્ષરનાદને આ કૃતિ મોકલવા અને પ્રસિધ્ધ કરવાની તક આપવા બદલા તેમનો ખૂબ ખૂબ આભાર.


સંબંધોનો છેડો – પ્રફુલ ઠાર 1

કાંદીવલી, મુંબઇના રહેવાસી એવા શ્રી પ્રફુલભાઇ ઠાર સંબંધો વિશેના તેમના વિશ્લેષણને આજે આપણી સૌની સાથે વહેંચી રહ્યા છે. દુન્યવી અનેક સંબંધોમાં ક્યારેક સારા, ક્યારેક નરસા અનુભવો થતાં જ રહેવાનાં, પણ એ દરેક સંજોગોમાં આપણે આપણા ‘સ્વત્વ’ ને જાળવી રાખવું એવો સુંદર બોધ આપતી તેમની આ વાત અત્રે પ્રસ્તુત છે. અક્ષરનાદ.કોમને આ રચના મોકલવા અને પ્રકાશિત કરવાની તક આપવા બદલ તથા આવા સુંદર વિચારો સર્વ સાથે વહેંચવા બદલ શ્રી પ્રફુલભાઇ ઠારનો આભાર તથા શુભકામનાઓ.


બાબો કે બેબી? – પ્રતિભા અધ્યારૂ 9

21મી સદીમાં પણ હજી એવા ઘણાં મુદ્દાઓ છે જે 18મી સદીમાં સ્થિર થઇ ગયા છે. દીકરી કે દીકરો એ ચર્ચા અને એ વિશેની વાતો ખૂબ થાય છે પણ એ વિષય પર હજી સમાજમાં સુધારાનું પ્રમાણ ખૂબ ઓછું છે. લોકોની વિચારસરણીને બદલાંતા વર્ષો લાગ્યાં છે, સદીઓ લાગી છે, અને છતાંય હજી એ જ જરીપુરાણી માન્યતાઓ, એ જ જડ રૂઢીઓ ચાલી રહી છે. પ્રસ્તુત છે દીકરો કે દીકરી એ વિષય પર મારા થોડાક વિચારો – મંતવ્યો.


વંદે માતરમ ગાવું નહીં, અનુભવવું – જીગ્નેશ ચાવડા 6

“વંદે માતરમ” આપણી આઝાદીનો મહામંત્ર છે. દેશની સ્વતંત્રતા માટે એ મંત્ર પર કેટલાયે પોતાના ધર્મને વચ્ચે લાવ્યા વગર બલિદાન આપ્યા છે, પછી એ હિંદુ હોય, મુસ્લિમ હોય, શિખ કે ઇસાઇ. વંદે માતરમ ગાઓ કે ન ગાઓ, કોઇ ફરક પડતો નથી, કારણકે એ ગાવાની વસ્તુ નથી, અનુભવવાની વસ્તુ છે, મનમાં સંઘરવાની ને સતત ઉચ્ચારવાની વસ્તુ છે. સાંપ્રત આ જ વિષય પર શ્રી જીગ્નેશ ચાવડાના કેટલાક વિચારો. અક્ષરનાદને આ કૃતિ મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.


સપનાનાં વાવેતર વાસ્તવિકતાની ધરતી ઉપર.. – રાજેશ ટાંક 1

સપના જોવા અને તેને હકીકતમાં બદલવામાં ખૂબ અંતર છે. સ્વપ્નોની દુનિયામાં જીવવું એ શરૂઆત છે અને એ સ્વપ્નોને સત્ય કરવા મચી પડવું એ સફળતાનુ પહેલું સોપાન છે. અક્ષરનાદના વાચકમિત્ર શ્રી રાજેશ ટાંક હકીકતની ધરતી પર સ્વપ્નોના વાવેતરની આવીજ કેટલીક ચિંતનાત્મક વાત લઇને આવ્યા છે. અક્ષરનાદને આ લેખ પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તથા આવા સુંદર હકારાત્મક વિચારો વહેંચવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર.