સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : વિચારોનું વન


ઇસ્લામનો પર્યાય….!! એક વાર્તાલાપ 16

ઇસ્લામ એટલે શું. અરેબિક શબ્દ સલેમા પરથી ઉતરી આવેલ શબ્દ ઇસ્લામનો અર્થ થાય છે શાંતિ, શરણાગતિ અને ખુદાઇ કાયદાઓનું ચુસ્તપણે પાલન, તો પછી સાંપ્રત સમયમાં ઇસ્લામનું નામ કેમ આતંકવાદની સાથે જોડાઇ રહ્યું છે. જગતના બીજા ધર્મો કરતા ઇસ્લામ કેમ અલગ પડી રહ્યો છે? ટ્રેનમાં બાંદ્રાથી વડોદરા આવતા એક મુસ્લિમ વૃધ્ધ શિક્ષક સાથે થયેલા વાર્તાલાપના કેટલાક અંશોમાં કદાચ આ સવાલના જવાબ મળી આવે.


સગા કેટલા વહાલા? – જીગ્નેશ અધ્યારૂ 7

આપણે ત્યાં સગા વહાલા શબ્દ એક સાથે બોલાય છે. લોહીનો સંબંધ એટલે સગાં અને સગા વહાલા હોવા જોઇએ એવી જ કોઇ માન્યતાને લીધે સગા વહાલા શબ્દ સાથે બોલાતો હશે. સુખ વહેંચવાથી વધે અને દુ:ખ વહેંચવાથી ઘટે, એટલે એ વહેંચણી માટેના પાત્રો એટલે સગા વહાલા. આવા વિવિધ સંબંધો અને તેમની ઉપયોગીતાના આધારે આવા સંબંધોનું થોડુંક વિશ્લેશણ કરવાનો અત્રે પ્રયત્ન કર્યો છે.


સંતોષની વ્યાખ્યા…. – જીગ્નેશ અધ્યારૂ 6

મહુવાથી વડોદરા આવતા બસમાં પ્રવાસ દરમ્યાન ઉદભવેલા એક વિચારે લાંબા સમયથી ઘેરી રાખ્યો, વિચારનો દિવસ ઉગ્યો, મધ્યાહને તપ્યો પણ આથમ્યો નહીં. વિચાર હતો કે માણસને સંતોષ ક્યારે થાય? કઇ વસ્તુથી થાય? કઇ રીતે થાય? અને ખરેખર થાય કે નહીં? સંતોષનો અર્થ વસ્તુલક્ષી છે કે અનુભૂતીલક્ષી? સંતોષ વિશેના આવા જ કેટલાક વિચારો અહીં મૂક્યા છે. તમારો સંતોષ વિશે શું વિચાર છે?


ગુજરાતી ભાષાની ઉન્નતિ – પ્રિયંવદા માસિક (મે, 1889) 2

ચાળીશ વર્ષના અલ્પ આયુષ્ય છતાં મણિલાલ નભુભાઇ દ્વિવેદી જથ્થો તેમજ ગુણવત્તા બેઉ પરત્વે ગુજરાતી જ નહિં પરંતુ હરકોઇ દેશના ભાષાસાહિત્યને સમૃધ્ધ કરે તેવો સત્વશાળી અક્ષરવારસો આપી ગયા છે. પ્રસ્તુત લેખ પ્રિયંવદા માસિકના મે, 1889ના અંકમાંથી લેવામાં આવ્યો છે. આજથી લગભગ 120 વર્ષ પહેલાની શ્રી મણિલાલ દ્વિવેદીની ગુજરાતી ભાષાની ઉન્નતિ પરત્વેની વિચારસરણી આ લેખમાં ઝળકે છે.


“હું” અને ગુજરાતી પદ્ય સમૃધ્ધિ – જીગ્નેશ અધ્યારૂ 5

“હું” એ શબ્દ સાથે સંકળાયેલી સમૃધ્ધ ગુજરાતી પદ્ય સાહિત્યની કેટલીક સુંદર રચનાઓ અને સાથે “હું” શબ્દ વિશે કેટલાક વિચારો તથા એ વિવિધ શે’રોની અને પદ્ય રચનાઓની થોડીક વિશદ ચર્ચા. ફક્ત “હું” ને ધ્યાનમાં રાખીને લખાયેલી કૃતિ.


અંતકાળ એટલે શું? – શ્રી ગીતાજી (અધ્યાય 8 ના આધારે) 14

અર્જુને પ્રભુ શ્રી કૃષ્ણને આ અધ્યાયમાં સાત પ્રશ્નો પૂછે છે. તેને પૂછવો હોય છે એક જ પ્રશ્ન પણ જો તે સીધે સીધું જે પૂછવાનું છે તે પૂછી લે તો પ્રભુને લાગે કે હજી તેનો મોહ ગયો નથી, એટલે તે આડા અવળા પ્રશ્નો પૂછીને છેલ્લે સાતમો મુખ્ય પ્રશ્ન પૂછે છે. . . . प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः ॥८- २॥ જેઁમણે પોતાનું ચિત્ત વશ કર્યું છે તેઓ મરણકાળે આપને કેવી રીતે જાણે છે? જવાબમાં પ્રભુ કહે છે કે …. अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते। भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः ॥८- ३॥ જે અંતકાળે મારૂ સ્મરણ કરતો શરીર છોડી જાય છે તે મારો ભાવ પામે છે, એમાં શંશય નથી. અંતકાળ એટલે શું? દૈનિક મૃત્યુ, અવસ્થાંતર મૃત્યુ, અજ્ઞાનનું મૃત્યુ અને દેહનું મૃત્યુ. મૃત્યુના આ વિવિધ પ્રકારો છે. દૈનિક મૃત્યુ એટલે ઉંઘ, એમાં બધુંજ છૂટી જાય છે. ઉંઘમાં પડ્યા એટલે વિદ્યા નહીં, પૈસા નહીં, મોહ, માયા, ગાડી, બંગલો, પત્ની, છોકરા બધાં ક્યાં જતા રહે છે? પણ જેવા સવારે ઉઠ્યા એટલે એ બધાં છે. કહે છે કે શરીર મૃત્યુ પામે છે, આત્મા નહીં. આત્મા અમર છે. अजो नित्यं शाश्वतोऽयं पुराळो, न हन्यते हन्यमाने शरीरे ॥ અવસ્થાંત્તર મૃત્યુ એટલે कौमारं, यौवनं, जरा એવી અવસ્થાઓ આવે અને જાય તે. યુવાની આવે અને જાય, કુમારાવસ્થા આવે અને જાય, વૃધ્ધાવસ્થા પણ એમ જ આવે અને જાય, એ કોઇ લાખ પ્રયત્ન કરે તો પણ રોકી શકાય તેમ નથી, એટલે કુમારાવસ્થાનું મૃત્યુ એટલે યુવાની અને યુવાની નું મૃત્યુ એટલે વૃધ્ધાવસ્થા. આ અવસ્થાનું મૃત્યુ છે. ત્રીજું મૃત્યુ એટલે અજ્ઞાનનું મૃત્યુ. દરેક ઉગતા – આથમતા  દિવસ્ સાથે જીવન કાંઇકને કાંઇક શીખવે છે. બાળક જન્મે ત્યારથી લઇને મૃત્યુ […]


દુ:ખ એટલે ખુમારી બતાવવાનું ચોઘડીયું – જીગ્નેશ અધ્યારૂ 9

સિવિલ – જીયોટેકનીકલ એંન્જીનીયરીંગમાઁ એક શબ્દ આવે છે, “Bearing capacity”, જમીન પર વજન વધારતા જાઓ અને જો તે કોઇક એક ક્ષણે જમીનમાં ઉતરવાનું શરૂ કરી દે તો એ વજનને કહેવાય એ જમીનની ધારણ ક્ષમતા. પહેલા કોઇ ચોક્કસ જમીનનો તેની ધારણ ક્ષમતા ચકાસવા માટે પ્રયોગ કરવામાં આવે અને જો તે સફળ થાય તો જ તેના પર કોઇ બાંધકામ થાય નહીંતો તેને એ વજન સહન કરી શકવા માટેની ક્ષમતા લઇ શકે તે માટે તેને જરૂરી સારવાર, કહો કે સહાયતા કે સાથ આપવામાં આવે અને પછીજ તેને જરૂરી વજન મૂકીને, તેના પર બાંધકામ કરીને ઉપયોગમાં લઈ શકાય. આ વાત અહીં લખવાનું પ્રયોજન એટલું જ છે કારણકે મને લાગે છે કે ભગવાને માનવજીવન માટે પણ આવા જ કાંઇક માપદંડો બનાવ્યા હશે. દુ:ખના સમયમાં પ્રભુ આપણી ક્ષમતાની, આપણી હિંમતની અને તેના પરની શ્રધ્ધાની કસોટી કરતા હોય, જાણે તે ચકાસતા હોય કે આપણી દુ:ખ પચાવવાની કેપેસીટી કેટલી. માણસ દુ:ખના સમયમાજં તૂટી પડે છે, પ્રભુ કે ઇષ્ટ પરની તેની શ્રધ્ધા ડગી જાય છે, જીવન અકારૂ લાગે છે અને થોડુંક દુ:ખ, થોડીક તકલીફ પણ આપણને પહાડ જેટલી મોટી લાગે છે. હિંમત જવાબ આપી જાય છે, પણ આવા સમયે મારા મતે આપણો ટેસ્ટ થઇ રહ્યો હોય છે, પ્રભુ આપણને કોઇક મોટા કામ માટે, કોઇ મોટી જવાબદારી માટે ચકાસી રહ્યા હોય તેમ ન બને? જો પ્રયોગમાંજ આપણે નાપાસ થઇ જઇશું તો જવાબદારીનું વહન કેમ કરી શકીશું? જીવનમાં દુ:ખ અને તકલીફો સહન કરવા ધીરજ જોઇએ, શ્રધ્ધા જોઇએ અને પોતાના પર વિશ્વાસ જોઇએ, મધ દરીયે તોફાન જોઇ નાવિકો હોડીને મૂકીને કૂદી પડતા નથી, કે હિંમત હારીને, હાથ જોડીને બેસી જતા નથી, પણ સઢને કઇ […]


સાચો જવાબ જિંદગી – સ્લમડોગ કરોડપતિ 13

Slumdog Millionaire ના હિન્દી ડબિંગ પામેલા ચલચિત્રનું નામ છે સ્લમડોગ કરોડપતિ. મુંબઇની ગરીબ વસ્તીમાં ઉછરેલ એક છોકરો વસ્તીના તેના જીવન દરમ્યાનના અનુભવો અને જીવને તેને આપેલા વિવિધ બોધપાઠોને લઈને, કૌન બનેગા કરોડપતિ રમત દરમ્યાન એકે એક પ્રશ્નોના જવાબ કઇ રીતે આપે છે તેનું તેના અનુભવો સાથેનું ખૂબ સહજ અને તાદ્શ ચિત્રણ આ ચલચિત્રમાં છે. ફિલ્મ પૂરી થાય ત્યારે દિગ્દર્શકના અને અન્ય કસબીઓના નામ જુઓ ત્યારે ખબર પડે કે આ વિદેશી લોકોએ બનાવેલ ચલચિત્ર છે. બાકી મુંબઈની ધારાવીની ગંદી વસ્તીનું એ અદ્દલ સ્વરૂપ છે. વસ્તીઓનું જીવન, તેની કાળી બાજુઓ, ભારતીય સમાજવ્યવસ્થાના આ જોવા ન ગમે તેવા પાસાઓને ફિલ્માંકિત કર્યા છે. ફિલ્મ જોતા હોવ ત્યારે લાગે કે જાણે ૧૯૮૦-૮૫ના સમયની સલીમ – જાવેદની જોડીએ લખેલી બે ભાઈઓના ઝઘડા અને તેવી મસાલા બોલીવુડ કથાવસ્તુ વાળી કોઈ ફિલ્મ જોઈએ છીએ. વિકાસ સ્વરૂપની નવલકથા ક્વેશ્ચન એન્ડ આન્સર ની પ્રેરણા લઈને બનેલી આ ફિલ્મ નું પ્રથમ દ્રશ્ય છે એક સવાલથી શરૂઆત થતી વાર્તા, કૌન બનેગા કરોડપતિનો એક સવાલ જેમાં પૂછાય છે કે જમાલ મલિક (વસ્તીનો એક નાનકડો છોકરો જે હવે યુવાન થઈ ગયો છે) બે કરોડ રૂપીયા જીતવાથી એક સવાલ જ દૂર છે, આ તે કઈ રીતે કરી શક્યો?” A). તેણે છેતર્યા, B). તે નસીબદાર હતો,  C). તે મહાન જાણકાર હતો કે D). એવું તેના નસીબમાં લખેલું હતું….. ફિલ્મની વાર્તા રોચક છે, અમિતાભ બચ્ચનની સહી મેળવવા માટેના જમાલ ના ધમપછાડા, હીંદુ મુસ્લિમ રમખાણો, લત્તિકા, તેમનું એક ગુંડાના હાથમાં પકડાવું….છટકવું, છૂટા પડવું, મળવું, દુશ્મની, અંડરવર્લ્ડ, અને છેલ્લે જમાલને મળતો તેનો સાચો પ્રેમ અને સાથે બે કરોડ રૂપિયા …. આ સમગ્ર ઘટનાક્રમ આપણને બાંધી રાખે છે અને સાથે એ વિચાર કરવા પણ પ્રેરે છે […]


હોળી એટલે ? – જીગ્નેશ અધ્યારૂ 6

હમણાં હોળીના દિવસે મહુવા થી વડોદરા આવવાનું થયું. બસમાં બેઠા બેઠા વિવિધ જગ્યાઓ પર થતી ચહલ પહલ જોઈ. મહુવામાં હોળીકા દહન માટે કરાયેલા રસ્તા વચ્ચેના ખાડાઓ જોયા તો સોસાયટીના કોમન પ્લોટમાં જાત મહેનતનો પહેલો પાઠ ભણતા નાના ભૂલકાં પણ જોયા જે હોળીકા દહનમાં મેં પણ કાંઈક કર્યું છે તેવી ભાવનાથી ખાડો ખોદવા ને લાકડા ગોઠવવા મચી પડ્યા હતાં. હોળી આ નાનકડા ભૂલકાઓ માટે કેટકેટલા પાઠ શીખવે છે??? કદી વિચાર્યું નહોતું પણ જેમ જેમ વિચારતો ગયો, વિચાર વલોણું ફરતું ગયું તેમ તેમ માખણ નીકળતું ગયું. હોળી એટલે અશ્રધ્ધા પર શ્રધ્ધાના વિજયનો ઉત્સવ, એક બાળકની અખંડ શ્રધ્ધાનો, ગમે તેવા વિઘ્નો વચ્ચે અડીખમ રહેવાનો, ગમે તેવી મુશ્કેલીમાંય ધીરજ નહીં ખોવાનો ઉત્સવ. ગંગા સતી કહે છે તેમ “મેરૂ તો ડગે પણ જેના મન નો ડગે પાનબાઈ, ભાંગી રે પડે ભરમાંડ રે……” આમ જુઓ તો આ આખુંય ભજન પ્રહલાદ માટે કેટલું બંધબેસતું આવે? એ હિસાબે તો પ્રહલાદ પણ હરિજન કહેવાય.  ગાંધીજીએ એક વખત સરસ વાત કહી હતી કે હરીજન એટલે હરીની નજીકના, હરીના “ખાસ” માણસો અને ખાસ માણસો પાસે “આમ” ન ફરકે…… જો કે આ આડવાત થઈ ગઈ. વાત નીકળી હતી કે હોળીનો ઉત્સવ શું શીખવે છે….. મને થાય છે કે આપણા ઉત્સવો કેટલા સાયન્સ ઓથેન્ટીકેટેડ છે, ગીરના વનમાંથી લીધેલા કેસૂડાના ફૂલ હજીય મારા ઘરમાં છે અને તેનો રંગ અમે આ વખતે જાતે બનાવ્યો છે, ભલે બધાને ફક્ત ચાંદલો જ થાય, પણ એની મજા અલગ જ હશે. કેરોસીનની ગંધ વાળા ગુલાલ કે ઓઈલ પેઈન્ટથી ખેલાતી ધૂળેટી અને કેસૂડાના ફૂલોની ધૂળેટી ….. કેમ સરખામણી થાય? પણ આ ઉજવણીનો ઉત્સવ ફક્ત રંગો સાથેની રમત પૂરતો સીમીત ન હોઈ શકે. તાજા પરણેલા યુગલો માટે કે/અને પ્રેમીઓ માટે […]


ઉત્સવ વિશેષ ( મહાશિવરાત્રિ ) – જીગ્નેશ અધ્યારૂ 9

મહા વદ ચૌદસને દીવસે આવતું મહાશિવરાત્રિનું વ્રત માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. સકલ સૃષ્ટિને તે શિવત્વનો સંદેશ સુણાવે છે. શુભ ચિંતન અને સતત જાગૃતિપૂર્વક આ વ્રતનું પાલન કરવામાં આવે તો એક જ રાતમાં માનવ શિવત્વને પામી શકે, અલબત્ત એ રાત્રિ કેટલી લાંબી હશે એ માણસના મનમાં શિવત્વ પામવાની ઈચ્છા પર નિર્ભર કરે છે અને સાચી ઈચ્છા, સમર્પણ અને વિશુધ્ધ ભાવના હોય તો શિવત્વ મેળવી શકાય એ નિઃશંસય વાત છે. શિવરાત્રિના દિવસે એક પારધિના થયેલા હ્રદય પરિવર્તનની પૌરાણિક કથા તો આપણને જાણ છે જ. હરણાંઓના વચન પર વિશ્વાસ રાખીને પારધી તેમને તેમના બાળકોને મળવા જવાની રજા આપે છે. માંડ મળેલા એક શિકાર રૂપી હરણાંની રાહ જોઈ પારધી આખી રાત બીલીના વૃક્ષની નીચે બેસી રહે છે અને બીલીના પાંદડા તોડી તોડીને નીચે નાખ્યા કરે છે. આખા દિવસનો ઉપવાસ, રાત્રી જાગરણ અને બીલીપૂજા અને વૃક્ષની નીચે રહેલા શિવલિંગનું અનાયાસ થયેલું પૂજન, આ બધી વાતો તેનામાં એક વિશિષ્ટ મનોભૂમિકા સર્જે છે. અને તેમાંય સવાર થતાંજ બચ્ચાઓ સાથે મરવા માટે પાછા આવેલા હરણ પરિવારનું વાત્સલ્ય અને વચનપાલન જોઈને તેનું મન દ્રવિત થઈ જાય છે. માનવ ચાર પગવાળા પ્રાણીઓને તેમની મહાનતા, સચ્ચાઈ અને વચનપાલન માટે વંદન કરે છે. અને તેનામાં શિવત્વ પ્રગટ કરે છે. “शिवो भूत्वा शिवं यजेत” શિવ ઉપાસના કરવા શિવ જેવા બનવુ જોઈએ. શિવ જ્ઞાનના દેવ છે, ત્યાગના દેવ છે, સમર્પણના દેવ છે. તેમના મસ્તક પર ચંદ્ર વિરાજે છે, જ્ઞાનના આ સ્તોત્રમાંથી સતત જ્ઞાનગંગા વહેતી રહે છે. શિવજીની ઉપાસના કરનારો પણ જ્ઞાનપિપાસુ હોવો જોઈએ. શિવજીની જટાઓમાંથી જેમ ગંગા વહે છે તેમ જ્ઞાનપિપાસુ માણસને પણ ગમે તેવી વિટંબણાઓ, જીવનના જટિલ કોયડાઓમાંથી આરપાર જવાની હિંમત રાખવી જોઈએ. […]


સ્નેહ અઠવાડીયું – શરૂઆત વસંતની 5

ગઈકાલે વિકાસભાઈ બેલાણીની કૃતિ સાથે હાસ્ય અઠવાડીયાનું સમાપન થયું છે. આ પ્રયત્નમાં મદદ કરવા બદલ તમામ મિત્રો, વાચકો અને ખાસ તો આ માટે સમય ફાળવી પોતાના લેખ સમય બંધનમાં રહીને અધ્યારૂ નું જગત સુધી પહોંચાડવા બદલ લેખક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. મેં પ્રસ્તાવનામાં કહ્યું હતું તેમ “પસંદગી એ મતભેદની માતા છે” એ ન્યાયે આમાંના કેટલાક લેખો કદાચ કોઈકને ન ગમે પણ આ અઠવાડીયામાં મૂકેલી રચના માત્રથી જે તે હાસ્યકારની યોગ્યતા નક્કી કરવાની નથી તે સમજી શકાય તેવી વાત છે. તક મળ્યે નવોદિત લેખકો પણ પોતાના જ્ઞાનનું પ્રદર્શન સુપેરે કરી શકે છે તે વાત અહીંથી સિધ્ધ થઈ શકે. આ સાથે આવતીકાલે સ્નેહ અઠવાડીયું શરૂ કરી રહ્યો છું. સ્નેહ પ્રેમ એ કોઈ સંબંધના બંધનમાં બંધાયેલા હોતા નથી, અને પ્રેમ એટલે ફક્ત પતિ પત્નીના કે પ્રેમી-પ્રેમીકાના એક જ સંબંધની વાત નથી, તે હોઈ શકે પિતાનો પુત્રી પ્રત્યે, ભક્તનો ભગવાન પ્રત્યે કે માનવનો માનવ પ્રત્યે. પ્રેમને કોઈ સંબંધના ચોકઠામાં પૂરી શકાય નહીં, અને કદાચ એટલે જ આ સ્નેહ અઠવાડીયાની શરૂઆત વિકાસભાઈ બેલાણીના તેમની પુત્રીને લક્ષ્યમાં રાખીને લખાયેલા કાવ્ય થી થઈ રહી છે. વસંત એ પ્રેમીઓનો ઉત્સવ છે, કબૂલ, પરંતુ એ પ્રેમ ફક્ત એક જ પરિમાણમાં ન હોઈ શકે, અને પ્રેમની અભિવ્યક્તિમાં આળસ કે શરમાળપણું ન હોવું જોઈએ, એ તો અભિવ્યક્ત થવો જ જોઈએ. એટલે જ આ અઠવાડીયાનું સંબોધન “સ્નેહ અઠવાડીયું” કર્યું છે. મંદમંદ આ મહેક ઉઠી છે, ચાલો રસભર થઈએ, એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ ક્યાંક ગાઢ પ્રેમની શરમાળ અભિવ્યક્તિ એટલે વસંત તો ક્યાંક વર્ષો પહેલાના, હવે જે સ્મૃતિના ભંડકીયામાં ક્યાંક ખૂણે ખાંચરે ધૂળ ખાતા પડ્યા છે, તેવા તાજા ઝખ્મો જેવા તીખા, પ્રેમના સ્મરણોની અભિવ્યક્તિ એટલે વસંત, […]


કર્તવ્ય વિષે વેદોની રત્નકણિકાઓ 2

મનુષ્ય પ્રત્યેક પરિસ્થિતિમાં પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે. કર્તવ્યનું યથાર્થ સ્વરૂપ એ સેવા, અર્થાત સંસારથી મળેલાં શરીર વગેરે પદાર્થોને સંસારનાં હિતમાં લગાડવાં. પોતાનાં કર્તવ્યનું પાલન કરનાર મનુષ્યના ચિત્તમાં સ્વાભાવિક પ્રસન્નતા રહે છે, આનાથી વિપરીત પોતાના કર્તવ્યનું પાલન ન કરવામાં મનુષ્યનાં ચિત્તમાં ખિન્નતા રહે છે. સાધક આસક્તિરહિત ત્યારે થઈ શકે છે જ્યારે તે શરીર – ઈન્દ્રિયો – મન – બુધ્ધિને મારા અથવા મારા માટે નહીં માનીને સંસારના અને સંસારને માટે જ માનીને સર્વના હિતને માટે તત્પરતાપૂર્વક કર્તવ્ય કર્મનું આચરણ કરવામાં લાગી જાય. હાલના સમયમાં ઘરોમાં અને સમાજમાં જે અશાંતિ, કલહ અને સંઘર્ષ જોવામાં આવે છે તેનું મૂળ કારણ એ છે કે લોકો પોતાના અધિકારની તો માંગણી કરે છે પણ પોતાના કર્તવ્યનું પાલન કરતાં નથી. કોઈ પણ કર્તવ્ય – કર્મ નાનું કે મોટું નથી હોતું, નાનામાં નાનું અને મોટામાં મોટું કર્મ કર્તવ્યમાત્ર સમજીને સેવાભાવથી કરવાથી સરખું જ રહે છે. જેનાથી બીજાંઓનું હિત થાય છે તે જ કર્તવ્ય હોય છે. જેનાથી કોઈનું પણ અહિત થાય તે અકર્તવ્ય હોય છે. રાગ દ્વેષને કારણે મનુષ્યને કર્તવ્યપાલનમાં પરિશ્રમ યા કઠણાઈ પ્રતીત થાય છે. જે કરવું જોઈએ અને જે કરી શકાય છે તેનું નામ કર્તવ્ય છે. કર્તવ્યનું પાલન ન કરવું તે પ્રમાદ. પ્રમાદ તમોગુણ છે અને તમોગુણ નર્કનો રસ્તે દોરે છે. પોતાના સુખ સગવડ માટે કરેલું કર્મ અસત હોય છે અને બીજાઓના હિતને માટે કરેલું કર્મ સત હોય છે. અસત કર્મનું પરિણામ જન્મ મરણની પ્રાપ્તિ અને સત્કર્મનું પરિણામ પરમાત્માની પ્રાપ્તિ છે. જે નિષ્કામ હોય છે તે તત્પરતાપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરી શકે છે. ગૃહસ્થ હોય અથવા સાધુ હોય, જે પોતાના કર્તવ્યનું પાલન બરાબર કરે છે, તે […]


વીણેલા મોતી (ગદ્યખંડો) – સંકલિત

વર્તમાનનો આનંદ માણો માનવીના દુઃખ નું સૌથી મોટું કારણ એની મનોદશા છે. એના મનને જે છે એનો આનંદ નથી; પણ જે નથી તેનો અસંતોષ છે. માનવીનું મન કાં તો ભૂતકાળનાં કારાગૃહમાં કેદ છે અથવા તો ભવિષ્યના દીવાસ્વપ્નોની ભૂલભૂલામણીમાં ભટકતું હોય છે. મનની આવી દશા માનવીને વર્તમાનના આનંદથી વંચિત રાખે છે. માનવીની મનોદશા આશાને સહારે જીવતી રહેવા ટેવાયેલી છે. જે કામનાથી ગઈ કાલે સુખ ન મળ્યું તે આજે મળશે તેમ માનવીનું મૂરખ મન માની લે છે. વર્ષો થિ વલવલતી વાસનાનાં મૃગજળ કદાચ કાલે સાચાં ઠરશે, જે હજીસુધી નથી થયું તે હવે થશે, જે કોઈકને જ મળ્યું છે તે સુખ મને પણ મળશે એવી અટપટી આશાભરી મનોદશાથી માનવી અતૃપ્ત અને અસંતુષ્ટ જીવી રહ્યો છે. યાદ રાખો કે આનંદ માનવા માટેની સાચી ક્ષણ તો વર્તમાન ક્ષણ જ છે. જેઓ ગઈકાલની ભૂલો વિષે અને આવતી કાલની ગૂંચવણો વિષે સતત વિચાર્યા કરે છે તેઓ પોતાની સન્મુખ પડેલા આજના આનંદને માણી શક્તા નથી.  – સ્વામી ભગવદાચાર્યજી અધ્યાત્મના અધિકારી યુવાનો આ દેશનું આધ્યાત્મ વૃધ્ધોની નહીં, જુવાનોની ચીજ રહી છે. શ્રીકૃષ્ણે જીવનના કુરુક્ષેત્રમાં અપૂર્વ આધ્યાત્મનો પાંચજન્ય શંખ ફૂંક્યો ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. તે હતા ભારતની તરુંણાઈના રથના સારથી. પોતાની પ્રિયાની ગોદમાં નવજાત રાહુલને સૂતેલો છોડીને સિધ્ધાર્થ અદ્વિતિય ક્રાંતિના પથ પર ચાલી નિકળ્યા હતા ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. અદ્વૈતના અનન્ય શોધક શંકર (શંકરાચાર્ય) જ્યારે દિગ્વિજય યાત્રા કરી ત્યારે તે વૃધ્ધ નહીં, યુવાન હતા. શિકાગોના રંગમંચ પર વિવેકાનંદે વેદાંતના સાર્વભૌમ ધર્મનો ઉદઘોષ કર્યો ત્યારે તેઓ વૃધ્ધ નહીં, યુવાન હતા. દક્ષિણ આફ્રિકાના રંગભેદના દાવાનળમાં કૂદીને અધ્યાત્મનો આગ્નેય પ્રયોગ ગાંધીએ કર્યો ત્યારે તેઓ વૃધ્ધ નહીં, યુવાન હતા. મિત્રો, […]


મુંબઈ મેરી જાન – હવે શું?

મુંબઈ આતંકવાદી હુમલાઓને દિવસો પર દિવસો જઈ રહ્યા છે. આપણે તેમાં શહીદ થયેલા ભારતના સાચા તારલાઓને, ભારતના સાચા સપૂતોને શ્રધ્ધાંજલી આપી ચૂક્યા છીએ. પણ હવે શું? તેમની કુરબાની પરથી આપણે શું શીખ્યા? તેમની કુરબાનીની આપણે શું કદર કરી? આપણે ઉપકારને ભૂલી જનારા લોકો છીએ, ગેંડા જેવી ચામડી વાળા આપણે ( જેમાં હું પણ છું) કઈ રીતે સાબિત કરીશું કે આપણે ખરેખર તેમનો ઉપકાર માનીએ છીએ. ઈનફ ઈઝ ઈનફના પોસ્ટર લઈને રેલી કાઢીને કે હ્યુમન ચેઈન બનાવીને આ થઈ શક્શે? આપણે નફ્ફટ અને નપુંસક લોકો છીએ. કોઈક આવીને આપણા જ ઘરમાં આપણા જ લોકોને મારીને, આપણા જ અસ્તિત્વને હચમચાવીને જાય છે અને આપણે તે પછી થોડાક દિવસ ફુરસદે તેમને યાદ કરીએ છીએ અને ભૂલી જઈએ છીએ. એક નહીં અનેક વખત આપણે આમ કરી ચૂક્યા છીએ. આપણે સિસ્ટમને ગાળો ભાંડીએ છીએ, રાજકારણીઓને બન્ચ ઓફ બાસ્ટર્ડ્સ કહીએ છીએ, શહીદો માટે બે મિનિટનું મૌન પાળીએ છીએ અને પછી પાછા કામે ચડી જઈએ છીએ. થોડાક દેશભક્તિના ગીતો યાદ કરીએ છીએ અને બસ ? આ જ આપણી દેશભક્તિ? મુંબઈને આપણે ગમે તેવા હુમલાઓ, ગમે તેવી આપત્તિઓ પછી પૂર્વવત થઈ જતી નગરી કહીએ છીએ, કે આપણે મુંબઈને ગાળ આપીએ છીએ, મુંબઈ પૂર્વવત થઈ જતી નથી અમુક લોકો એવા રહી જાય છે જેમના માટે બધું પહેલા જેવું રહી જતું નથી. શું તે મુંબઈ નથી? મુંબઈ જ કેમ, અમદાવાદ, દિલ્હી, કે ભારતનું એક પણ નાનામાં નાનું નગર કેમ ન હોય …… પૂર્વવત કાંઈ રહેતું નથી. બસ જેમણે પોતાના ખોયા હોય એ જ યાદ રાખે છે બાકી આપણે પાંચ દિવસ તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી ભૂલી જઈએ છીએ. આપણા સાચા […]


બાળકનું માનસ – ભગવાનદીન

કુદરત બાળકને એક એવી તાકાત આપે છે કે છ માસનું થાય ત્યાં સૂધીમાં તો તે  ભયંકર કીટાણુઓનો પણ સામનો કરી શકે છે. તેથી જ તો બાળક કોઇ પણ ચીજ નચિંતપણે મોઢામાં નાખી શકે છે અને તેની ઉપર લાગેલાં કીટાણુઓ છતાં સુરક્ષિત રહે છે. સૌથી મોટાં પશુઓ કરતાં પણ માનવબાળ વધારે બુધ્ધિશાળી હોય છે. બાળકને શ્રમ પસંદ હોય છે. જો માવતર ટોકે નહીં તો સાવ નાનું બાળક હાથે દાઝીને પણ રોટલી બનવવાની કોશિશ કરે છે, પોતાના કપડાં જાતે ધુવે છે. બાળક એક એવું પ્રાણી છે જેને કોઇ પોતાને મદદ કરે તે ગમતું નથી. તંદુરસ્ત બાળક હસતાં હસતાં જાગવું જોઇએ અને રમતાં રમતાં સૂઇ જવું જોઇએ. જેને ગમે ત્યાં ઊંધ આવી જાય તેનું નામ તંદુરસ્ત બાળક. બાળક મૂળથી હઠીલું નથી હોતું, પણ આપણે તેને એવું બનાવીએ છીએ. ક્યારેક બાળક આપણા કરતાં પણ વધુ સારું વિચારી શકે છે, એ વાતનો સ્વીકાર કરવો જોઇએ. એટ્લે બાળક કોઇ સૂચન કરે તો ધ્યાનથી સાંભળીને, યોગ્ય લાગે તો તેનો અમલ કરવો જોઇએ. નાનામાં નાનું બાળક પણ દરેક પ્રસંગે આપણી પાસેથી કંઇક શીખતું હોય છે. તેથી બાળક અમૂક કામ કરતાં ન શીખે તેવું આપણને ઇચ્છતાં હોઇએ, તો એવું કામ તેની સામે કદી કરવું નહીં. – ભગવાનદીન


માનસ નવરાત્રી અને મોહની પાતળી ભેદરેખા

બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. ઓફિસની રજા હોઈ પૂજ્ય શ્રી મોરારીબાપુની માનસ નવરાત્રી અંતર્ગત ચાલતી રામકથામાં પહોંચી ગયો. મારા મહુવાના ઘરથી માંડ બે કિલોમીટર પર આ કથા ચાલે છે. એક સ્નેહી વડીલે મને પાસ આપ્યો, તેથી સ્ટેજથી ખૂબ જ નજીક બેસવા મળ્યું પણ આ માટે એક કલાક વહેલા જવુ પડ્યું. આ કથામાં ઘણુંય એવું જોવા મળે જે તમને “લાઈવ કવરેજ” નહીં બતાવી શકે, કારણકે એ તેની મર્યાદા છે. આસપાસના ઘણાંય ગામડાઓથી જાણે કોઈ ઉત્સવ ઉજવવા આવતા હોય તેવી હોંશ અને તૈયારીથી અને પૂજ્ય બાપુએ પહેલા દિવસે કહ્યું હતું તેમ “બાપનું ગામ છે” એટલે આવવું જ જોઈએ તેમ માની ટ્રેક્ટર, ગાડાં, છકડાં કે જે મળ્યું તે સાધનમાં અહીં પહોંચનારા લોકોનો તોટો નથી. આબાલ વૃધ્ધ સૌ અહીં જોવા મળે. નાસ્તાના ડબ્બા, પાણીની બોટલો અને સંતરા ની ચીરના આકારવાળી ચોકલેટ ગોળીઓ સાથે નાના બાળકો અને હાથમાં માળા, આસન અને મનમાં શ્રધ્ધા લઈ આવેલા યુવાનો અને વૃધ્ધો…..ઉત્સાહ અને આનંદનો કોઈ તોટો નથી. જાણે હોંશ છલકાઈ રહી છે. અને આટલી બધી વસ્તી છતાંય ક્યાંય અવ્યવસ્થા નહીં. બધુંય જાણે ગોઠવાયેલું. નવ વાગીને દસ મિનિટે બાપુ આવ્યા. એક ભાઈએ તેમને વંદન કર્યા, ગાંધી જયંતિ ને અનુલક્ષીને અને અત્યારના સમયમાં ગાંધીની રાજકારણીઓ માટેની ઉપયોગીતા પર માર્મિક કટાક્ષો કર્યા. શેખાદમ આબુવાલાનો આ શેર તેમણે ટાંક્યો કેઃ કેવો તું કીમતી હતો, સસ્તો બની ગયો, બનવું હતું નહીં ને અમસ્તો બની ગયો, ગાંધી તને ખબર છે તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો. પણ આ એક સત્તાલોલુપ વર્ગને બાદ કરતા સમગ્ર વિશ્વમાં એક એવો સમુદાય છે જે તેમના મૂલ્યો અને તેમના વિચારોને આદર આપે છે. તેમણે પૂજ્ય મોરારીબાપુ પણ ગાંધીજીને આદર અને ભાવથી […]


એક સિવિલ એન્જીનીયરની જિંદગી

સૃષ્ટીના દરેકે દરેક કણમાં જેનું અસ્તિત્વ છે અને છતાંય જે સદંતર અવ્યક્ત છે તે પરમ પરમેશ્વર પરમાત્માએ સર્જન પછી જેવો નિરાંતનો શ્વાસ લીધો હશે, સંતોષનો ઓડકાર અનુભવ્યો હશે તેવો જ સંતોષ એક સિવિલ એન્જીનીયરને પોતાના સર્જન પછી તેના વપરાશને જોઈને આવે છે. હું પોર્ટ પીપાવાવમાં આ પહેલા એક જેટી બનાવવાના કામમાં હતો, દોઢ વર્ષની મહેનતના અંતે જ્યારે એ મહાકાય પ્લેટફોર્મ પર પહેલુ શીપ લાંગર્યું ત્યારે જે અનુભવ, આનંદ થયો તે શબ્દો દ્વારા વ્યક્ત થઈ શકે તેમ નથી. એ આનંદ એવા લોકો જ જાણી શકે જેણે તેમાં સીમેન્ટ કોન્ક્રીટ માં મહેનતનો પરસેવો રેડ્યો હોય…..(પછી ભલે w:c ratio વધી જાય). મેં એક વાર મારા CRE ને કહ્યું હતું કે “A Civil engineer comes to an uncivilized place, makes it civilized for civilians and then gets out from there “, કારણકે અવિકસિત વિસ્તારોને સુવિધાઓ આપી એ કદી પોતે ભોગવવા રહેતો નથી, તેના નસીબમાં તો સતત છે નવા વિસ્તારો, નવા પ્રોજેક્ટસ અને નવા સર્જનનો આનંદ, ઓફીસમાં બેસી ડીઝાઈન કરતા સિવિલ એન્જીનીયરોની આ વાત નથી, અને એટલે મને સંતોષ છે કે સાઈટ પર આટલી નાની ઉંમર હોવા છતા આટલા સંતોષ સુધી પહોચી શક્યો છું. સર્જન અને વિનાશ એ તો પ્રભુરચિત એક સર્વસામાન્ય પ્રવૃતિ છે, અને એક મનુષ્ય પોતાના જીવનકાળ દરમ્યાન જે કાંઈ સર્જન કે રચના કરે છે તે જ તેને અમર બનાવે છે, કે તેના નામને અમર બનાવે છે…….હું જ્યારે અમે સાત એન્જીનીયરોની કન્સલ્ટન્સીમાં બનાવેલી આ કન્ટેઈનર બર્થ જોઈએ છીએ ત્યારે લાગે છે કે હા, હવે મહેનત રંગ લાવી રહી છે. જીવન પોતાના રંગ, પોતાની મજબૂરી અને પોતાની સદા સર્વદા આગળ વધવાની કળા આમ જ ચાલતી રહે છે. […]


વડોદરા આજકાલ

વડોદરામાં આ ત્રણ દિવસ વીકએન્ડ રજા ગાળ્યા પછી ખૂબ જ મજા આવી. આઈનોક્સ મલ્ટીપ્લેક્ષમાં બચના એ હસીનો જોયું, સાથે રીલીઝ થયેલા મૂવીઝ માં આ સૌથી વધારે જોવાતુ હતું ..મજા પડી પણ સ્ટોરી ના નામ પર ખૂબ નબળી કડીઓ છે, રણબીર પ્રભાવશાળી છે….બાકી બધુ ઠીક છે… તો બિગ બઝારમાં ૧૩ થી ૧૭ ઓગસ્ટના મહાબચત અભિયાનને ય જોયું, લેન્ડમાર્ક બુકસ્ટોરની અને મ્યુઝિક સેક્શન ની મુલાકાત લીધી, તો નવા બનેલા શોપીંગ મોલ એમ ક્યૂબ અને વડોદરા સેન્ટ્રલ સામે આવેલા સેન્ટ્રલ સ્ક્વેર ની મુલાકાત લીધી. પંદરમી ઓગસ્ટે સેન્ટ્રલ સ્ક્વેરની મુલાકાત લીધી, ધ્વજવંદન અહીં થયુ હતુ એટલે તિરંગાને ફરકતો જોવાની મજા આવી. ખૂબ મોટા સફેદ કલરના જાહેરમા મૂકેલા મેસેજ બોર્ડ પર પંદરમી ઓગસ્ટ માટે ઘણા લોકોએ મેસેજ લખ્યા, મેં ય લખ્યું…અહીં રીબોક, નાઈકી, વુડલેન્ડ જેવી નામી કંપનીઓના શોરૂમ્સ છે, બીજા માળે ક્રોમા નો વિશાળ ઈલેક્ટ્રોનીક્સ શો રૂમ છે….ફરવાની અને અનેક વેરાઈટી જોવાની મજા પડી. એક દિવસ સૂરત પણ આંટો મારી આવ્યો. ભૂલથી બરોડા થી સૂરત જતા એસ ટી માં ચડી ગયો, છ કલાક થયા, કારણ કે બરોડા થી ભરૂચ વચ્ચે રોડ છ લેન નો થાય છે, એક સિવિલ એન્જીનીયર હોવાના લીધે રોડ કન્સ્ટ્રક્શન જોવાની મજા પડી પણ એક મુસાફર તરીકે ખૂબ કંટાળ્યો. ખરાબ રસ્તો અને વારે વારે ટ્રાફીક જામ….રસ્તો તો બનશે ત્યારે વપરાશે પણ અત્યારે તો ૩૦૦ કીમી માં ત્રણ વાર ટોલ ટેક્સ આપીને ખરાબ રસ્તો ભોગવવો પડે છે. વડોદરા અને સૂરતમાં એક વસ્તુ ઉડીને આંખે વળગી, તે હતી હોર્ડીંગસ પરની એડ, બોમ્બ બ્લાસ્ટ પછીના દિવસોમાં એનડીટીવી ઈમેજીન પર આવતી જસુબેન જયંતિલાલ જોશીની જોઈન્ટ ફેમિલિ વાળી સીરિયલ તરફથી આ એડ હતી, તો અમૂલની પણ એક એડ […]


બે પ્રસંગો – સારૂ છે હું બદલાયો નહીં

પ્રસંગ એક હું છું દિલ્હીના એક પોશ વિસ્તારમાં, અહીં ઘણા બધા એમપી અને રાજનેતાઓ રહે છે. હું અહીં છું કારણકે મારી ઓફીસ આ વિસ્તારમાં છે અને કંપનીએ આપેલુ મકાન પણ આ વિસ્તારમાં છે. રોજ ઘરેથી ઓફીસ ચાલીને જતા અડધો કલાક જાય છે. સાંજે એ જ રસ્તો પાછો ઘરે જવા માટે વાપરૂં છું. એક દિવસ બે કાઠીયાવાડી વસ્ત્રોમાં સજ્જ યુગલ મને દેખાય છે. તેઓ વૃધ્ધાવસ્થાના ઉંબરે છે. મને જોઈને તે પહેલા પૂછે છે કે મને ગુજરાતી આવડે છે કે નહીં. અને મારા હા પાડ્યા પછી મને કહે છે કે તેઓ સૂરતના છે અને તેમનો સામાન અને બધા પૈસા અહીં કોઈ ઉપાડી ગયુ છે કે ચોરી ગયું છે. બંનેની આંખમાં આંસુ છે, મને પણ એમ થાય છે કે મારા લોકો આ અજાણી જગ્યાએ પોતાના ધરથી હજારો કિલોમીટર દૂર મુસીબતમાં હોય તો મારે મદદ કરવી જ જોઈએ.મેં તેમને બસો રૂપીયા આપ્યા અને ત્યાંથિ ઘરે જવા નીકળ્યો. બીજા દિવસે ફરી એ લોકો ત્યાં તે જ સમયે, તે જ અવસ્થામાં ઉભા હતા. આજે મને તેમણે ન બોલાવ્યો, આ વિસ્તારમાં ગુજરાત ભવન આવેલુ છે, તે અન્ય ગુજરાતીઓને શોધતા હતા, અને થોડાક વખત પછી તે બંને ત્યાં પાસેના કાર પાર્કિંગની પાછળથી જુગાર – પત્તા રમતા ઝડપાયા. પ્રસંગ બે હું પીપાવાવ હાઈવે ક્રોસિંગ પર છું. એક મિત્ર ત્યાં ગાડી લઈને આવવાના છે, તેથી તેમની રાહ જોઈ રહ્યો છું. એક મહારાષ્ટ્રીયન ભાઈ ત્યાં આવે છે. તે મને પૂછે છે કે હું મરાઠી સમજું છું કે નહીં? અને મેં હા પાડી એટલે તે કહે છે કે તે સોમનાથ ગયા હતા, જ્યાં તેમનો સામાન અને પાકીટ ચોરાઈ ગયું. એક ટ્રકવાળા પાસે […]


મધર ટેરેસા – મિશનરીઝ ઓફ ચેરીટી 2

ગ્રીનવુડ બાયોગ્રાફીઝ …..એ હેઠળ પ્રસ્તુત થયેલી અનેક બાયોગ્રાફી પૈકી અચાનક નેટ પરથી મારા હાથમાં મધર ટેરેસાની બાયોગ્રાફી આવી. મેગ ગ્રીન દ્વારા લખાયેલી મધર ટેરેસા – અ બાયોગ્રાફી, ૨૬ ઓગસ્ટ ૧૯૧૦ ના રોજ જન્મેલ એન્ક્સેશ ગોન્ક્સા બોજાક્સીહુ (મધર નું બાળપણનું નામ)ની મધર ટેરેસા બનવાની યાત્રા બતાવી છે. વાંચવાની ખૂબ જ મજા પડી. તેના થોડાક અંશો અહીં ભાષાંતરીત કરી મૂકી રહ્યો છું. ——–> ઈ.સ. ૧૯૫૩ માં મધરહાઊસમાં સ્થાનાંતરીત થવાથી મિશનરીઝ ઓફ ચેરીટીને તેમના કાર્યો કરવા માટેની કાયમી જગ્યા મળી. નવા ઘરમાં ફક્ત નવા આવવા વાળા લોકો માટે વધારે જગ્યા જ ન હતી, તેમાં મોટો ભોજનકક્ષ પણ હતો. મધર ટેરેસા પાસે ઘણાનવા લોકો મિશનરીઝ ઓફ ચેરીટી માં જોડાવા માટે રોજ આવતા. તેમના નવા અને ખૂબ મોટી જગ્યા વાળા ઘર છતાં, મધર ટેરેસા એ વાતની ખાત્રી રાખતા કે તેમની પોતાની સગવડો વધી ન જાય અને તેમના જીવનનો આકાર અને પ્રભાવ અત્યંત ગરીબી થી ઘેરાયેલ રહે. તેઓ ઘણી વાર ખૂબ જ નમ્રતા પૂર્વક પરંતુ ખૂબજ મક્કમતાથી કોઈ પણ એવા સામાન કે વસ્તુઓ લેવાની ના પાડી દેતા, જે તેમને વધારે પડતા આરામદાયક કે બીનજરૂરી લાગતા. તેમણે એક વખત કહ્યું હતું ‘આપણી અત્યંત ગરીબી એ જ આપણા માટે બચાવનું હથીયાર છે.” તેમણે પછી સમજાવ્યુ હતું કે મિશનરીઝ ઓફ ચેરીટી ને તેઓ બીજા ધાર્મિક સંસ્થાનો ની જેમ અને તેમણે ભૂતકાળમાં જેવા કાર્યો કર્યા તેવા કામ કરવા માટે બનાવવા ન માંગતા હતા, એવા સંસ્થાનો જે બનાવવામાં આવ્યા હતા ગરીબોની સેવા માટે પણ અંતમાં તે પૈસાદાર લોકોની સેવા તથા તેમની પોતાની જ ખ્યાતિમાં રચ્યા પચ્યા રહેતા. તેઓ કહેતા કે “જે લોકો પાસે ખાવા પીવા ઓઢવા માટે કાંઈ નથી તેવા લોકોની સેવા […]


વડોદરા આજકાલ

રવિવાર અને સોમવારે વડોદરામાં ઘણા વખત પછી કાંઈ પણ કારણ વગર પરિભ્રમણ કર્યું. ખૂબ જ મજા પડી. આઈનોક્સમાં જોયું જાને તું યા જાને ના …. અને એ મને ખૂબજ ગમ્યુ. અમારૂ પણ કોલેજ માં એક ગ્રૃપ હતુ, ભલે આવુ નહીં પણ તો ય, અને બીજી વાત ગમી નવા નિશાળીયાઓની એક્ટીંગની … બધાની એક્ટિંગ સરસ છે. ઈમરાન ક્યૂટ લાગે છે તો જેનીલીયા સુંદર .. સ્ટોરી સારી છે અને વચ્ચે વચ્ચે કોમીક સીન્સ મૂકી ફિલ્મને સુંદર બનાવી છે. બધા મિત્રો કહેતા હતા કે લવસ્ટોરી ૨૦૫૦ ઠીક છે પણ આ સારૂ છે …. આ પહેલાની વડોદરા આજકાલ વાળી પોસ્ટમાં બુક્સ વિષે હરસુખભાઈ એ મને લેન્ડમાર્ક નો બુકસ્ટોર સૂચવ્યો હતો, તો મૂવી પૂરી કરી ત્યાં ગયો. અત્યંત પ્રભાવશાળી કલેક્શન્સ. પણ એક વાત ખૂંચી કે જેટલી ચીવટથી અંગ્રેજી પુસ્તકો ગોઠવીને રાખ્યા છે એટલી કાળજી ગુજરાતી પુસ્તકોની નથી લેવાઈ. ગુજરાતી પુસ્તકોને ચાર પાંચ વિભાગો માં વહેંચી બે લાઈનમાં અલગ અલગ કબાટોમાં મૂક્યા છે.  પણ કેટલાક સારા ગુજરાતી પુસ્તકો ત્યાં ઉપલબ્ધ છે … એટલે આપણે તો ગાયને ચારો મળ્યા જેવુ થયું … સાત પુસ્તકો ખરીદ્યા. …. ગ્રાઊન્ડફ્લોર પર સીડીઝ અને ડીવીડીનું કલેક્શન પણ જબરદસ્ત છે, એટલે ત્યાં પણ કાર્ડ બરાબર ઘસ્યુ … વડોદરા સેન્ટ્રલ, જે ગેંડા સર્કલથી રેસકોર્સ વાળા રોડ પર આવે છે તેની સામે તૈયાર થાય છે સેન્ટ્રલ સ્ક્વેર, જ્યાં ઘણી બ્રાન્ડસની એસેસરીઝ, ફર્નીચર, ઈલેક્ટ્રોનીક આઈટમ્સનો શો રૂમ વગેરે બની રહ્યા છે. સારૂ છે … આ એરીયા બીજો અલકાપુરી થઈ રહ્યો છે. તો સંગમ ચાર રસ્તા પર અચાનક ક્યાંકથી ત્રણ ટ્રાફીક પોલીસ અંકલોએ દેખા દીધી, અને ઉભો રાખી ને કહે લાઈસન્સ અને પી યુ સી આપો, મારી પાસે પી […]


આરૂષિ – પ્રભુને એ જ પ્રાર્થના કે …

આરૂષિ અને હેમરાજ હત્યાકાંડ, ઘટના પછીની પ્રતિક્રિયાઓ, પોલીસ ના નિવેદનો, વિવિધ લોકોની ધરપકડ, ચેનલ્સ, ન્યૂઝ મસાલા અને ગોસિપ ……અને મજાક બનતી એક દુર્ઘટના …. આ આખુંય પ્રકરણ દેશના લોકોને માટે રોજ સવારના પેપરની હેડલાઈન બની ગયું. છેલ્લા પંચાવન દિવસમાં આરૂષિને ન ઓળખતા નોઈડાના જ નહીં, આખા ભારતના લોકોને તેની સાથે સહાનુભૂતી થઈ ગઈ. પણ હજીય એક ચૌદ વરસની બાળકીના મનોજગતની અને તેના મૃત્યુ પહેલાના સંઘર્ષની કલ્પના ધ્રુજાવી દે તેમ છે. ન્યૂઝ ચેનલ્સ વિશે મેં એક વાર આ પહેલા પોસ્ટ લખી હતી. તેમને મસાલા આપવા સિવાય બીજા કોઈ સીરીયસ પ્રયત્નમાં કે કોઈના દર્દમાં સહભાગી થવાના કોઈ પ્રયત્ન કરવા નથી. તેમને જોઈએ છે ફક્ત ગરમ મસાલેદાર ન્યૂઝ, ટી આર પી, એડવર્ટાઈઝ અને બે ત્રણ બેસ્ટ ન્યૂઝ ચેનલના એવોર્ડ ….આવા સમયે મને ખૂબજ સંતુલિત અને કદી ઉતેજીત નહીં થતા દૂરદર્શનને શાબાશી આપવનું મન થાય છે. પોલીસના બેફામ નિવેદનો, ચેનલ્સનું આડેધડ કવરેજ, શોકગ્રસ્ત અને ટેન્શનમાં જીવતા એક પરિવાર, માતા પિતાની ઉડાવાતી ખુલ્લે આમ મજાક અને આબરૂના લીરેલીરા ઉડાડતા અધિકારીઓ …. જેટલુ બીનજવાબદાર મીડીયા દેખાય છે એટલાજ બીનજવાબદાર પોલીસ અને સૌથી વધારે બીનજવાબદાર આપણે ….સમાજના મૂલ્યોનું પ્રતિબિંબ જો આવુ હોય તો એ સમાજ કયા રસ્તે છે? હું દિલ્હી માં એક વર્ષ થી વધારે નોકરી કરી ચૂક્યો છું અને મને ત્યાંના નોકરો, મોટા પૈસાદાર લોકો, તેમની ઉંચી ઊઠબેસ અને ઉંચા શોખ, તેમનાથી દૂર થતા તેમના બાળકો અને વિખેરાતો સમાજ દેખાય છે. ક્યાંક પૈસાની ભાગદોડ અને ક્યાંક વિચારોના પતનના રસ્તા દેખાય છે. … મને આ સમગ્ર પ્રકરણમાં આરૂષિ પ્રત્યે જોરદાર સહાનુભૂતી છે … એક બાળકીના પિતા હોવાના નાતે મને એટલો તો વિશ્વાસ છે કે તેના પિતા તેની […]


અમરનાથ યાત્રા અને રાજકારણ

બપોરે ઘરનાં ડ્રોઈંગરૂમમાં બેઠા બેઠા જ્યારે એ સમાચાર સાંભળ્યા કે હવે કોંગ્રેસની સરકાર ને જમ્મુ કાશ્મીરમાં અમરનાથ શ્રાઈન બોર્ડ મુદ્દે પીપલ્સ ડેમોક્રેટીક પાર્ટીએ આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે, અને છતાંય કોંગ્રેસ પોતાના વલણ પર અડગ છે, ત્યારે મને બે ઘડી થઈ ગયુ કે કદાચ સત્ય અને અસત્ય વચ્ચેની આ લડાઈમાં કોનો સાથ આપવો તે કોંગ્રેસે નક્કી કરી લીધું છે. અમરનાથ શ્રાઈન બોર્ડ ને ગુલામ નબી આઝાદની સરકારે અમરનાથ યાત્રિઓની સુવિધા અને સગવડ વધારવાના હેતુસર ૩૯.૮૮ એકર જમીન આપવાની વાત કર્યા પછી ત્યાં મોટા સ્તર પર તોફાનો ફાટી નીકળ્યા હતા. આ વિરોધ જમીન આપવા અને જંગલના વિનાશ વિરોધનો હતો કે યાત્રાધામને આપવા સામે હતો તે હજી મને સ્પષ્ટ નથી થયું. લખવા વાળાઓ તો આ વિશે ઘણું લખી શકે. મુદ્દઓને ઓપરેશન માટે શોધતી “કહેવાતી” ન્યૂઝ ચેનલ્સ આના પર ખૂબ લાંબા સમય સુધી ચર્ચા કરી શકે, પણ તમને કોઈ હલચલ દેખાઈ? હું ધર્મ નિરપેક્ષતાનો વિરોધ નથી કરતો, પણ જો તમે મુસ્લિમ સમાજને તેમની હજ યાત્રા માટે મદદ કરતા હોવ તો આ દેશમાં જેમની વસ્તી બહુમતીમાં છે તેવા હિન્દુઓને કોઈ મદદ કેમ નહીં? આ કદાચ સાંભળવામાં સારૂ ના લાગે પણ લઘુમતી….લઘુમતી અને આરક્ષણનો રાગ આલાપતી બધી સરકારો બહુમતી પ્રજા વિશે કાંઈ વિચારે છે કે નહીં તે વિષે મને શંકા થવા લાગી છે. આ જમીન આપવાનો વિરોધ મારા મતે ગેરવ્યાજબી હતો, જો આ જ પ્રકારનો વિરોધ કોઈ અન્ય ધર્મ વિરૂધ્ધ હિંદુઓ એ કર્યો હોત તો કહેવાતા ધર્મનિરપેક્ષ લોકો તલવાર લઈને લડી લેત, પણ કારણ કે તેઓ જો આ મુદ્દે હિંદુઓનો સાથ આપશે તો ધર્મ જનૂનીઓમાં ખપી જશે, જેનો તેઓ વિરોધ કરી રહ્યા છે, તેઓ કાંઇ બોલ્યા […]


એક ખોવાયેલુ બાળક – આપણી જવાબદારી

હું એક પુત્રી નો પિતા છું અને એના જન્મ થી આજ દિવસ સુધી અમારા ઘરના લોકો નો એક દિવસ એવો નથી ગયો કે જ્યારે અમે તેના વગર રહી શકીએ…તેના કલબલાટ અને તેના તોતડા શબ્દો ને સાંભળ્યા વગર ચલાવી શકીએ. બાળક ના જન્મ થી તેના અસ્તિત્વની આસપાસ પોતાના સ્વપ્નો અને મહેચ્છાઓનું જગત બનાવનારા માતાપિતા ને કોઈ એક દિવસે અચાનક જ તેમના બાળક થી છુંટું પડી જવાય તો શું થાય? શું તમે કોઈ એવા માતા પિતા ની કલ્પના કરી શકો છો જેમનો લાડલો કે લાડલી આ દુનિયાની અથાગ ભીડ માં ક્યાંક ખોવાઈ ગયા હોય? મને મારી પુત્રી થી છુટા પડવાના વિચારે જ કંપારી અપાવી દીધી. હું એવા માતાપિતાના દર્દ અને મનઃસ્થિતિ ની કલ્પના નથી કરી શક્તો. અને એ બાળક જે આ મતલબી સ્વાર્થી દુનિયામાં ખોવાઈ ગયુ છે, જેને હજી દુનિયાની રીત રસમોનો કોઈ પરિચય નથી….કોઈના બદ ઈરાદા જે પારખી શક્તુ નથી એ બાળકની આ દુનિયા શું વલે કરશે??? આવા ખોવાયેલા બાળકોને શોધવા માટેની એક લડત કહો કે પ્રયત્ન એટલે નેશનલ સેન્ટર ફોર મિસિંગ કિડ્સ. એક મિત્રના ઈ મેઈલ થી મને આ સંસ્થા અને તેની પ્રવૃતિઓ વિશે જાણ થઈ. આ પ્રયત્નો ને બિરદાવવા સાથે આપણે તેમને હાથ આપવાની જરૂર છે. બાળકો ને શોધવા અઘરી વસ્તુ છે….પણ અશક્ય નથી. એવા માતા પિતાના મન થી વિચારો જેમનું બાળક ખોવાયું છે….. સુરેશ દાદાએ મારા બ્લોગની પોસ્ટ ગુજરાતી બ્લોગ જગત – પ્રસિધ્ધિ & વ્યાપ, ના કોમેન્ટ માં લખ્યુ હતુ કે “ઈન્ટરનેટના વધતા જતા ઉપયોગ અને તેની સરળતાને લક્ષ્યમાં રાખીને એટલું જરુર ઉમેરીશ કે, ‘નીજાનંદ’ અને ‘ ગમતાંનો ગુલાલ’ કરવાના બે કદમ પછીનું કદમ સમાજના પ્રશ્નોને વાચા આપવાનું છે. […]


શું કહો છો? પલળવુ છે? – જીગ્નેશ અધ્યારૂ

“આવ રે વરસાદ, ઢેબરીયો પરસાદ…….ઉની ઉની રોટલી ને કારેલાનું શાક….” આ જોડકણા ગાવા માટેના દિવસો હવે પાછા આવી ગયા છે. આજે તારીખ પાંચમી જૂન આખો દિવસ અહીં પીપાવાવ પોર્ટ માં વાતાવરણ વાદળછાયુ રહ્યું, સાંભળ્યુ હતુ કે રાજકોટમાં તારીખ ૪ ના રોજ ધમધોકાર ઝાપટું પડી ગયું છે, પણ અહીં, મહુવા રાજુલા, પીપાવાવ વિસ્તારમાં ખૂબ બફારો અને ગરમી હતી. હું મારી સાઈટ પર ઉભો હતો કે વાદળાની જમાવટ થવા માંડી, મેં મારા મોબાઈલ કેમેરાને સજીવન કર્યો અને તરતજ તે દ્રશ્યો ઝડપવા માંડ્યો, દૂર ક્યાંક વરસાદ વરસતો હતો તે ઘાટ્ટુ કાળુ ધાબુ દેખાતું હતુ. અને એ ઝડપથી અમારી તરફ જ આવી રહ્યું હતુ. અને હું હજી તો અમારી સાઈટની ગાડી સુધી પહોંચુ એ પહેલાતો છાંટા શરૂ થઈ ગયા અને હું જેવો ગાડીમાં બેઠો કે ધમધોકાર બેટીંગ કરી ને જાણે યુવરાજ દસ જ મિનિટ માં આઊટ થઈ જાય તેમ મેઘરાજ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચની નાનકડી પણ ધમાકેદાર ઈનીંગ્સ રમી પેવેલીયન માં પાછા ફર્યા. અને હું….મજબૂર યે હાલાત ઈધરભી હૈ…વાળી પોઝીશન માં આ પહેલા વરસાદમાં પલળવાની ભૂતકાળની યાદો વાગોળતો વાગોળતો બેસી રહ્યો. એ યાદો જ્યારે મારે ન હતી મોબાઈલ સાચવવાની ચિંતા કે ન હતી ઓફીસની મજબૂરી, બસ કોઈક અલગારી ની જેમ પહેલા વરસાદમાં નહાવા દોડી જતા. આજે મને આ પેન્ટ જરૂરતથી મોટુ થઈ જતુ લાગ્યુ. જાણે કે પગની બેડીઓ….મન થયુ લાવ મોબાઈલ પૈસા બધુંય મૂકી ગાડીમાં, ને આ વરસાદમાં દોડી જાઉં પણ હવે કોઈક જોશે તો શું કહેશે વાળી બીક અને ઓન ડ્યૂટી હોવાની મજબૂરી, બંને એ મને પકડી રાખ્યો. દરમ્યાનમાં ભગવાને તો તેમની લીલા ચાલુ જ રાખી. વરસાદ પૂરો થયા પછી મેઘધનુષ્ય દેખાયા, અર્ધ વર્તુંળાકારે ઉપસેલા […]


ગુર્જર લડત – આરક્ષણ આપો છો કે પછી…?

આજકાલ રાજસ્થાનનો ગુર્જર સમાજ છવાયેલો છે, …..કોઈ પણ સભ્ય સમાજમાં અવિકસિત લોકોને સમાન તક મળે અને તે સમાજના અન્ય પ્રગતિશીલ લોકો સાથે સુમેળ સાધીને રહી શકે એ જ દરેક દેશ, દરેક જાતિ અને દરેક સમાજના લોકોનું ધ્યેય હોવુ ઘટે. પણ આરક્ષણ માટેની આ લડત એ ખરેખર સાચા રસ્તે છે? પછાત વર્ગ માં ગણના માટે તેમની આ લડત તદન બ્લેકમેઈલીંગ કરનારી અને અસ્થાને છે…..હોઈ શકે કે ભારતમાં વર્ણ વ્યવસ્થાને લીધે અમુક લોકો વિકાસ અને સમાજની મુખ્ય ધારા થી દૂર રહી ગયા છે અને તેમને આગળ આવવા માટે તક મળે એ આપણા સૌની ઈચ્છા હોય, પણ શું અત્યારે રાજસ્થાન જે વાતની સાક્ષી પૂરાવી રહ્યું છે એ લડત ખરેખર સાથ આપવા લાયક છે? કોઈપણ સભ્ય સમાજ માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને હાથમાં લઈને અમારી ફલાણી માંગ પૂરી ના કરો ત્યાં સુધી ફલાણા ફલાણા કામ અને શહેર બંધ રહેશે એ રીત શું યોગ્ય છે? વળી ગુર્જર સમાજના છ થી સાત સભ્યો વિધાન સભામાં છે જ્યારે તેમને આરક્ષણ ન આપવાની હિમાયત કરનારા મીણા સમુદાયના લગભગ એકવીસ સભ્યો વિધાનસભા માં છે એટલે ગુર્જરોની માંગ સ્વીકારવી એ વસુંધરા રાજે સરકાર માટે રાજકીય આપઘાત છે….જેથી તે કોઈ પણ પગલા લેતા ખચકાય છે. ગુર્જર સમાજ ફક્ત રાજસ્થાન પૂરતો સિમીત નથી અને અન્ય ઘણા રાજ્યો માં તેમને આરક્ષણ મળેલુ છે, તેઓ એસ ટી દરજ્જા માટે આ લડત આપી રહ્યા છે એ ફક્ત ભાજપ કે વસુંધરા રાજે માટે જ નહીં પણ ભારતના ભવિષ્ય માટે પણ લાલ બત્તી છે, કાલે સવારે બીજી દસ આવી જાતીઓ ઉભી થશે અને કહેશે કે અમેય પછાત છીએ, અમને ય આરક્ષણ આપો…..તો આપણી સરકાર કે સમાજ પાસે […]


ચેનલોની પારાયણ 5

આજ કાલ ધમધોકાર ચાલતો ધંધો હોય તો એ એક જ છે અને એ છે ક્રિકેટ, જ્યાં જુઓ ત્યાં બસ ક્રિકેટ, ક્રિકેટ અને ક્રિકેટ….અને એમાંય શાહરૂખભાઈ અને પ્રિતી ….(સોરી…. બહેન નથી લખતો) એ ક્રિકેટની ટીમ લીધી ત્યારથી તો જોનારા બમણા થઈ ગયા. સૌરવના છગ્ગા પર (જો એ મારે તો….) તાળી નહીં પાડવા વાળા શાહરૂખ હાથ હલાવે તો આખા ઉંચા થઈ જાય છે. આઈ પી એલ ચાલુ થયુ ત્યારથી તો સમાચાર ની ચેનલ જુઓ તો ક્રિકેટ, વળી મૂવી ચેનલ તો ક્રિકેટ લાઈવ જ બતાવે છે, કારણકે આમેય હવે આઈપીએલ ના લફડાઓ અને મૂવીના ટ્વીસ્ટસ અને ટર્નસ માં કોઈ ફરક નથી. !! તો એન્ટરટેઈનમેન્ટ ચેનલો તો ગૃહલક્ષમીના કબ્જા માં જ હોય છે જ્યાં થી તેમને સાસુને કે નણંદને કેમ હેરાન પરેશાન કરવી તેના લેટેસ્ટ નુસખા બતાવવામાં આવે છે, ન કરાય તેવા ચાંદલા કેમ કપાળમાં સ્થિર કરવા કે સમાવવા, એક સાડીના ત્રણ ડ્રેસ કેમ બનાવવા, ડોલ્બી ડીજીટલ સાઊન્ડટ્રેકમાં કેમ રડવું, વગેરે વગેરે કાર્યોની પરોક્ષ ટ્રેનીંગ પણ ત્યાં અપાય છે. તેમના પતિદેવો બિચારા તો ક્યાંય બીજે લફરાં કરવામાં બીઝી હોય છે, એટલે આ બીચારીઓ બીજુ શું કરી શકે? એક સીરીયલ છે જેમાં ૪૦૦ વર્ષનું પાત્ર જીવે છે….તો એક અન્ય સીરીયલ માં હીરોઈન ત્રણવાર પ્લાસ્ટીક સર્જરી કરાવી ચુકી છે, કોઈકે ત્રણ વાર મેરેજ કર્યા છે તો કોઈકે ચાર પત્ની, આ લોકો ને આ સિવાય બીજુ કાંઈ કામ નથી? કોઈક ચિદમ્બરમ સાહેબને જઈને કહે કે આમાં તમને ક્યાં ફુગાવો દેખાય છે? આમના માથે ટેક્સ મારો તો અમારૂ નોકરીયાતોનું કાંઈક ભલુ થાય કારણકે મિહિર કદી બજારમાં શાક લેતો કે તુલસી કપડા ધોતી બતાવાઈ નથી, આ લોકો પાસે બહુ પૈસા છે. […]


કોલેજના એ દિવસો – વિકાસ બેલાણી

કોલેજના એ દિવસો જ્યારે પણ યાદ આવે ત્યારે મનમાં ને મનમાં હસી પડાય છે……..એવા કેટલાક પ્રસંગો અહીં રજુ કરવા માંગુ છું. મારા શહેરથી ૪૦ કિમી દુર બીજા શહેરમાં મારી કોલેજ હતી. સવારના ૧૦.૩૦ થી સાંજના ૬.૧૫ નું અમારું ટાઇમ-ટેબલ. ઊંઘ પ્રત્યે એ દિવસોમાં પણ મને આટ્લો જ લગાવ હતો,સવારે ૮.૪૫ ની બસ પકડું તો હું ૧૦.૧૫ વાગતા પહોંચી જાઊં…પણ મારી ઊંઘ મારા પર પોતાનું આધીપત્ય સાબીત કરવા માંગતી હોય એમ હું ઘણી વાર પહોંચી ગયા પછી પણ બસમાં ઊંઘતો જ રહી જાઊં અને બસ ઉપડી જાય, છેલ્લે હું આગળના કોઇ સ્ટોપે ઉતરી જાઉં…અને પાછો કન્ડક્ટર અકબરભાઇને ટકોર કરતો આવું કે બિચારા સ્ટૂડન્ટસને ઊંઘમાંથી ઉઠાડવા એ એમની નૈતીક ફરજ છે. આટલેથી જ મારી ઊંઘ મારો પીછો છોડી દેતી એવું નહોતું….પહેલા લેક્ચરમાં પણ હું મોટાભાગે એ અવસ્થામાં રહેતો. અમે ત્રણ મિત્રો, હું, મીતેષ ને પારસ હંમેશા સાથે જ બીજા નંબરની બેન્ચ પર બેસતા અને મસ્તી કરતા. મને યાદ છે કે અમારે એક જોશી સાહેબનો લેક્ચર આવતો અને મારો એક ખાસ મિત્ર ડિકે (દિવ્યકાન્ત) પગની બે આંગળીઓની વચ્ચે લેઝર ગન રાખી સાહેબના કપાળ પર ફેંકતો તો એવું લાગતુ કે જાણે ધિંગાણે ચડવા જતા રાજપુતના ભાલે કોઇએ કંકુથી તિલક કર્યું હોય! બીજો એક દોસ્ત હતો રવિ, એને જુદી આદત ! એ જ્યારે પણ જોશી સાહેબનું લેક્ચર હોય ત્યારે પહેલા આગળના દરવાજેથી ડોકાય અને કહે “ગુડ મોર્નીંગ સર” પછી ક્લાસમાં આવવાના બદલે પાછળના દરવાજેથી ડોકાય અને કહે “ગુડ મોર્નીંગ સર” અને બધા હસી પડતા. મીતેષ તો વળી અલગારી સંત જેવો એને મન કોઇ પણ વિષય, કોઇ પણ સાહેબ, કોઇ પણ લેક્ચર, બાજુની હરોળની છોકરીઓ, એમની અદાઓ,એમની […]


હોળી – ધુળેટી ની શુભ કામનાઓ…

હોળી – ધુળેટી ની શુભ કામનાઓ… પ્રભુ તમારા જીવનને સદા રંગો થી ભરેલુ રાખે અને તમારા દુઃખો અને તકલીફો હોળીની અગ્નિમાં બળી ને ભસ્મ થઈ જાય એવી પ્રાર્થના….  – જીગ્નેશ અધ્યારૂ


શ્રી હનુમંત ચિરત્ર – મારી નજરૅ 3

વાલ્મીકી રામાયણ માં થી …. શ્રી હનુમાનજી નાનપણ થી મારુ િપ્ર્ય પાત્ર છૅ. રામ ભક્ત હનુમાન ની વારતાઑ સાંભળીનૅ લગભગ બધા બાળકૉ મૉટા થાય છે. તૅમની વીરતા, બહાદુરી, ઍકનિનષ્ઠા અનૅ છતાં પણ તૅમણૅ બતાવૅલી નમ્તા ખૂબજ પ્ભાિવત કરૅ છૅ. વાલી વધ અનૅ સુગ્રીવ સાથૅ િમત્રતા પછી પ્ભુ રામ ઋસિષમુખ પર્વત પર ચાતુર્માસ કરવા જાય છૅ. સુગ્રીવ ત્યારૅ મૉજ શૉખ માં પડી રામનૅ આપૅલ વચન ભુલી જાય છે. ચાતુર્માસ પછી જ્યારૅ લક્ષમણ તૅનૅ ડરાવૅ છૅ ત્યારૅ તૅ બધી િદશઑ માં સીતા શૉધવા ટુકડીઑ મૉકલૅ છૅ. પણ તૅનૉ સહુથી વધુ વિવશ્વાશ શ્રી હનુમાનજી પર હૉય છૅ, જૅથી તૅ શ્રી હનુમાનજી નૅ દ્ક્ષીણ િદશામાં મૉકલૅ છૅ. સુગ્રીવ નૉ શ્રી હનુમાનજી પરનૉ આ િવશ્વાશ તૅનું સૌથી મૉટુ જમાપાસુ છૅ. મનૅ યાદ છૅ કે શ્રી મૉરારી બાપુ ઍ તૅમની કથામાં ઍક વાર કહૅલું કે સુગ્રીવ માં બધા દુરગુણૉ છૅ….તૅ વિષયી છૅ, કામી છૅ, પાપી છૅ, પણ ઍક જ જમા પાસુ જૅ ઍનૅ રામનૉ મિત્ર બનાવૅ છૅ ઍ શ્રી હનુમાનજીનૉ સાથ. આમ હનુમાનજી તારક છૅ, ઉધ્ધારક છૅ. બધા દુરગુણ છતાં શ્રી હનુમાનજીનૉ સાથ રામ કૃપા તરફ દૉરી જાય છૅ. શ્રી હનુમાનજીની ઉપર પ્ભુ રામ નૉ િવશ્વાશ પણ અકારણ નથી, તૅ રામનૅ પૂર્ણપણૅ સમર્િપત છૅ. રામ કાર્ય કરવા દરીયા કીનારૅ આખી ટૉળકી તૅમની વંદના કરૅ છૅ. રામકાજનૅ પૂર્ણપણૅ કરવા તત્પર અનૅ સમર્થ હૉવા છતાં તૅ અિભ્માન નથી કરતા, પણ બધાનૅ વંદન કરી નૅ દરીયૉ કૂદૅ છૅ. આમ તૅઑ સમર્થ હૉવા છતાં નમ્ર છૅ, જૅ તૅમનૉ સહુથી મૉટૉ ગુણ છે. બધા કાર્યૉ પૉતૅ કરતા હૉવા છતાં પણ ક્યાંય તૅ “હું” પણું બતાવતા નથી. આમ રામાયણ માં બધા પાત્રૉ […]