મંદિરના નિયમમાં શું ફેરફાર ન થઇ શકે ? – રૂપેન પટેલ 32
રૂપેનભાઈ પટેલની આ કૃતિ, તેમણે વર્ણવેલા પ્રસંગ દ્વારા આપણા સામાજીક રૂઢીગત નિયમો પર એક કટાક્ષ છે. મંદિરમાં દર્શન કરવા માંગતા કોઈક ભક્ત પર તેની અક્ષમતાને લઈને જે નિયમોના પાલન માટે ફરજ પડાય છે તે આપણા સમાજના જડ નિયમોની એક તદ્દન ઝાંખી ઝલક છે. ક્યાંક આવા નિયમોનું પાલન શું માણસની શ્રધ્ધા અને ભક્તિની લાગણીઓથી ઉપરવટ જઈને કરવું જરૂરી છે એમ વિચારતા કરી દે એવો આ પ્રસંગ અક્ષરનાદ સાથે વહેંચવા બદલ શ્રી રૂપેનભાઈનો ખૂબ ખૂબ આભાર.