Daily Archives: July 9, 2010


વાંચન અને તેના શક્ય વિવિધ સ્વરૂપો – પ્રા. વ્રજરાય દેસાઈ

ઈ.સ. ૧૯૭૨માં આંતરરાષ્ટ્રીય પુસ્તક વર્ષની ઉજવણી દરમ્યાન યુનેસ્કો તરફથી પ્રસિધ્ધ કરવામાં આવેલ પુસ્તક ‘ધ બુક હંગર’ નો અનુવાદ ‘વાંચનક્ષુધા’ એ નામે માર્ચ ૧૯૭૮માં ભાષાન્તર નિધિ, ભાવનગર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલો. મૂળ લેખક રોનાલ્ડ બાર્કર અને રોબર્ટ એસ્કાર્પીડના પુસ્તકનો અનુવાદ પ્રા. વ્રજરાય મુકુન્દરાય દેસાઈએ કર્યો છે. પુસ્તકોની જરૂરત, કૃતિની ઉત્પત્તિના વિવિધ આયામો, તેના ભાવિ વલણો, વિતરણકાર્ય તથા વાંચનની ટેવો વિશે અહીં વિશદ અને સાહિત્યિક છણાવટ થઈ છે. પ્રસ્તુત લેખ આ પુસ્તકના પ્રકરણ વાંચનની ટેવો માંથી લેવામાં આવ્યો છે. માણસની બીજી ટેવો કરતા વાંચનની ટેવોનો અભ્યાસ વધુ કઠિન છે. આ ક્રિયા સીધી અવલોકવી શક્ય નથી. કેટલીક વાર તો પુસ્તકો ફક્ત શોભા અર્થે ખરીદવામાં આવે છે. વાંચકોને પૂછીને કરેલ સર્વેક્ષણો પણ ઘણી વખત ભ્રામક હોય છે. પ્રસ્તુત લેખમાં આ ક્રિયાનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરવાનો અને તારણ મેળવવાનો યત્ન કરવામાં આવ્યો છે.