Yearly Archives: 2016


અમો કાકા બાપાના પોરીયા રે.. : ઢોંસા અને પુડલાં – ગોપાલ ખેતાણી 24

“અમો કાકા બાપાના પોરીયા રે, કુંડલીયું ખેલાડુ
અમો જુલા જુલણ જાવા રે, કુંડલીયું ખેલાડુ”.

એયને ગરબા ઘુમીને આપણે “મદ્રાસ કાફે” ની રેસ્ટોરન્ટ, દુકાન કે લારીએ ભાઈબંધુની સાથે જમાવીએ. કાફેવાળા જાણીતાં હોય તો બુમ મારીએ “અન્નાઆઆઆ!!! એક મૈસુરી મસાલા. એય રિતીયા, તું શું ગરચીસ?”. રિતીયો ફરમાવે “આપણે એક મસાલા ઢોંસા અને એ પહેલા ઇડલી સંભારની પ્લેટ”.


મિત્રતાનાં સંભારણાં! – પરમ દેસાઈ 3

શિયાળાની એક બપોરે હું મારા ઘરની બાલ્કનીમાં ખુરશી નાખીને બેઠો હતો. ઠંડીને ઓગાળતો મંદ-મંદ તડકો પડી રહ્યો હતો. કાગડા-કોયલ તેમજ ઝાડ-પાનના ધીમા-ધીમા અવાજ સિવાય સાવ શાંતિ હતી. પણ આજે કોણ જાણે કેમ પણ હું મારા પાછલા દિવસો ભણી ભૂતકાળમાં સરી પડ્યો.

આજે મારા મિત્રોની શાળાનાં દિવસોની યાદોથી મારું મન ઘેરાઈ ગયું હતું. મેં મારા મનમાં રહેલી એ વખતની કંઈકેટલી ખાટી-મીઠી વાતો વાગોળવાનું શરૂ કર્યું.


યંગક્લબનું નાટક “આત્માના આંસુ”; લેખક – દિર્ગદર્શક : બાબુભાઇ વ્યાસ 4

એક આંગતુક ઘરે આવે છે અને બાપ અને દીકરીના શાંત પ્રવૃત્તિમય જીવનમાં ઝંઝાવાત પેદા કરી જાય છે અને નાટકને અંતે પ્રેક્ષકોને પણ એક આંચકો આપી જાય છે. પાત્રો છે : પ્રોફેસર અભિજિત, તેની દીકરી બિંદુ, ઘરકામમાં મદદ કરતો રામુ, દૈનિક “અભ્યુદય”, “તાજા સમાચાર” અને “નયા દિન” અખબારના પ્રતિનિધિઓ અને એક આગંતુક,

પડદો ખુલતાં મંચ પર એક ગ્રહસ્થ કુટુંબના દિવાનખાનામાં થોડી બેઠકોની વ્યવસ્થા થતી નજરે પડે છે. પ્રોફેસર અભિજિતના મરણ પછીના જીવન અને આત્મા ઓળખ પર કરેલા સંશોધન આધારિત પેપર તાજેતરમાં પ્રસિધ્ધ થયા છે. આજે પ્રેસ કૉન્ફ્રરન્સ છે. સમય સવારનાં સાડાઆઠ પછીનો, પડદો ખુલે છે ત્યારે બિંદુ મોટા અરીસા વાળા ડ્રેસિંગ ટેબલ પર ફ્લાવરવાઝ સરખું કરતી નજરે પડે છે. ઓરડો – દિવાનખાનું હોઈ જરૂર પ્રમાણે ફર્નીચર છે, પાછલી દિવાલમાં એક બારી છે, ડાબી બાજુ ઘરનાં બાજુના રૂમમાંથી દિવાનખાનામાં આવવાનું બારણું છે. જયારે જમણી બાજુનું બારણું ઘરનું પ્રવેશદ્વાર છે.


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૫) – નીલમ દોશી 3

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં ‘સર્જન’ 4

અમદાવાદ ખાતે આજે સાંજથી શરૂ થઈ રહેલા ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’માં આ વખતે ‘સર્જન’ના પ્રયત્નો અને માઈક્રોફિક્શનના ‘સર્જન’ દ્વારા થયેલા પ્રચાર તથા વાચકોને ખૂબ પસંદ આવી રહેલા આ વાર્તા સ્વરૂપને લઈને બે વિશેષ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. તા. ૧૫ ને ગુરુવારના રોજ વર્કશૉપ,

“માઈક્રોફિક્શન કઈ રીતે લખશો?” – માઈક્રોફિક્શન વાર્તાનો વર્કશૉપ – જીજ્ઞેશ અધ્યારૂ

અને

“બાપા હેમિઁગ્વેના ગુજરાતી પોયરા” – ગુજરાતી માઈક્રોફિક્શન વિશે વિશદ ચર્ચા – જીજ્ઞેશ અધ્યારૂ, હાર્દિક યાજ્ઞિક, ગૌરાંગ અમીન, નીલમ દોશી

આ બંને કાર્યક્રમોનો સમય, તારીખ અને વિગત શેડ્યૂલ આ મુજબ છે..


સોહાગરાત – કેશુભાઈ દેસાઈ 2

પુરુષોત્તમ મહિનાની એકાદશીનો ચંંદ્ર ભીના પવનમાંં ઝબોળાયેલી ચાંદની રેલાવી રહ્યો છે. આકાશ છેલ્લા ત્રણેક દિવસથી નિચોવાઈને જવલના બંદલાના બાથરૂમ જેવું ચોખ્ખું ચણાક જેવું બની ગયું છે. અઠવાડિયા અગાઉ એ જ આભલા સામે નજર માંડતાંય ધ્રુજી જવાતું. ચારે દિશામાં તડકા-ભડકા. ભૂવા ધૂણતા હોય એવા હાકલા – પડકારા. વીજળી સરરરર કરતીક સીધી બંગલાના ચોકમાં ખાબકતી. છેલ્લા એક વરસથી એકલી પડી ગયેલી જવલ જાળી વાસી દઈને ઓસરીમાં બેઠી બેઠી અદ્ધરજીવે આકાશી ધુધવાટા સાંભળતી રહેતી. ક્યારેક જોરૂકો કાટકો પડે ત્યારે એનાથી અનાયાસ જ બોલાઈ જતુંઃ તારી જવાંની છ બાપ, પણ હોંમો શકન વાળનારા તો જતા રહ્યા!


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૪) – નીલમ દોશી 3

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


ત્રણ કાવ્યો.. – રધુવીર ચૌધરી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, ડૉ. નિરંજન રાજ્યગુરુ 4

આજે પ્રસ્તુત છે ‘ગુજરાત’ સામયિકના દિપોત્સવી અંક ૨૦૧૬ માંથી સાભાર શ્રી રધુવીર ચૌધરી, શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ અને ડૉ. નિરંજન રાજ્યગુરુની પદ્યરચનાઓ…


માઈક્રોફિક્શન.. – સમયોચિત સાહિત્ય સ્વરૂપ.. – કલ્પેશ પટેલ. (‘સર્જન’ અંક ૪) 3

માઈક્રોફિક્શન સામયિક્ સર્જનનો ચોથ અંક પ્રસિદ્ધ થઈ ચૂક્યો છે.. અહીં ક્લિક કરીને ડાઊનલોડ કરો.. સાથેસાથે આજે માણીએ કલ્પેશભાઈ પટેલની કલમે લેખ.. ‘માઈક્રોફિક્શન.. – સમયોચિત સાહિત્ય સ્વરૂપ..’


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૩) – નીલમ દોશી 3

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


ત્રણ પદ્યરચનાઓ – ગુણવંત વૈદ્ય 3

શ્રી ગુણવંત વૈદ્યની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને શુભકામનાઓ.


પાંચ નવા ઈ-પુસ્તકો.. – સંપાદક 4

અક્ષરનાદના ઈ-પુસ્તક ડાઊનલોડ વિભાગમાં આજે પાંચ નવા ઈ-પુસ્તકો ઉમેરાઈ રહ્યા છે. પી કે દાવડા સંકલિત ‘મળવા જેવા માણસો’, ગૌરાંગભાઈ અમીનનું ‘૪૬૫ કટિંગ’, સન્ડે ઈ-મહેફિલનું ૧૪મું સંકલન પુસ્તક, સન્ડે ઈ-મહેફિલના જ વૃદ્ધાવસ્થાને લગતા લેખોનો સંગ્રહ ‘ગરવું ઘડપણ’ અને નાથુભાઈ ડોડિયા રચિત ઈ-પુસ્તક ‘દુઃખ નિવારણના ભ્રામક ઉપાયો’ આજથી અક્ષરનાદ ડાઊનલોડ વિભાગમાં નિ:શુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ કર્યા છે.


ગામડે પાછી વળી.. – સં. સુરેશ જાની 4

હું દિવ્યા – દિવ્યા રાવત. મારું વતન ઉત્તરાખંડના પર્વતોની ગોદમાં પોઢેલું, નાનકડું પણ રળિયામણું, સરિયાધર ગામ. અત્યારે મારા એ માદરે વતનમાં અમારું જૂનું મકાન તોડાવી પાયાથી ચણાવેલા નવા નક્કોર મકાનના મારા એરક્ન્ડિશન્ડ રૂમમાં નવા જ બનાવડાવેલા ટેબલની સામે, નવી જ ખરીદેલી એક્ઝિક્યુટિવ ખુરશીમાં આરામથી બેસીને હું આ લખી રહી છું.

આમ તો હું સરિયાધર, દહેરાદૂન અને દિલ્હી વચ્ચે ફરતી રહું છું. પણ દિલ્હીની મારી નાનકડી ઓરડીની તે રાતની યાદ હું કદી ભુલી નહીં શકું. આખા દિવસના રઝળપાટ પછી થાકી પાકી હું પલંગમાં પડી હતી. પણ નિંદર મારી વેરણ થઈ ગઈ


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૨) – નીલમ દોશી 7

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


રાવણ – રાજ્યમાં અખબારો હોત તો…! – વિનોદ ભટ્ટ 6

રામાયણ સીરિયલમાં લંકેશની ભૂમિકા ભજવનાર અભિનેતાએ છાપાના પ્રભાવનો મહિમા કરતાં જણાવ્યું છે કે રાવણના સમયમાં અખબાર હોત તો રાવણ ચોક્કસપણે દુષ્કૃત્યોથી અળગો રહ્યો હોત.

જોકે કોઈ એવી દલીલ કરી શકે કે હિટલરના સમયમાં છાપાં હતાં ને સદ્દામ હુસેનના વખતમાં પણ છાપાં હતાં પણ તે બન્ને પર છાપાં કોઈ અસર પાડી શક્યાં નહોતાં. અમારા એક પરિચિત પ્રધાન કહે છે કે, તે છાપામાં છપાતા પોતાના ફોટા રસપૂર્વક જુએ છે, ફોટાની સાથે શું લખાય છે એ વાચવાની ભાગ્યે જ દરકાર કરે છે.એ કામ માહિતી ખાતાનું છે, પ્રધાનો વિશે છાપાવાળા ને પ્રજા શું માને છે એ અંગેની માહિતી એકઠી કરવાનું કામ માહિતી ખાતાનું છે.


લીંબુડા ઝૂલે તારા બારણે છબીલારાજ… – રમેશ ચાંપાનેરી 2

લીંબુ-મરચાની પોટલીને હું જ્યારે જ્યારે કોઈની બારસાખે, લટકતી જોઉં છું, ત્યારે ત્યારે મને દયા આવે છે. શું જમાનો આવ્યો.. આટલી સરસ શાકભાજીને સાલુ ફાંસીએ લટકવાનું… માનવીને ત્યાં લીંબુ-મરચાંના દર્શન કરતાં સહેલાઈથી મા-બાપના દર્શન થતાં હોય, એમ ફોટા મૂક્યા હોય તો વડીલ ભૂતની પણ તાકાત નહીં કે મેલી નજરને એડમિશન આપે.


શૅર ધ લોડ – આરોહી શેઠ 8

હમણાં થોડા સમયથી ઍરિયલ ઈન્ડિયાની જાહેરાત આવે છે. શૅર ધ લોડ. ખૂબ જ સરસ અને પ્રેરણાદાયક જાહેરાત છે. એક પિતા પોતાની પુત્રીના ઘરે જાય છે અને જુએ કે પોતની લાડકવાયી કેટલી મોટી થઈ ગઈ છે. ઘરના બધા કામ સંભાળે છે સાથે નોકરી પણ કરે છે, તેનો પતિ પણ નોકરી કરે છે! ..ફક્ત નોકરી જ કરે છે.


વેકેશન.. – શૈલેશ પંડ્યા 6

આજથી વેકેશનનું હસતું રમતું છેલ્લાં દોઢ મહિનાથી ઊછળતું-કૂદતું, ખીલતું ને આંગણને ખીલાવતું ફૂલ હવે કરમાઈ જશે. મામાનું ઘર હવે ખાલી ખાલી લાગશે.. આપણા સૌરાષ્ટ્રમાં તો વેકેશનનો મહિનો એટલે મામાનો મહિનો.. ભાગ્યેજ કો’ક ઘર એવું હશે કે જેના બાળકો વેકેશનમાં મામાને ઘરે ના ગયા હોય..


કાશ્મીરની સમસ્યાની ભીતરમાં – પી. કે. દાવડા 20

બ્રિટનની એટલી સરકારે હિન્દુસ્તાનને આઝાદી આપવાનો નિર્ણય લીધા પછી, એની પુર્વ તૈયારી રૂપે ઓગસ્ટ ૧૯૪૬ માં વાઈસરોય લોર્ડ વેવલના વડપણ નીચે સંપૂર્ણપણે હિન્દુસ્તનીઓનું પ્રધાનમંડળ નિમ્યું. એ પ્રધાનમંડળમાં જવાહરલાલ નહેરૂ, લીયાકાતઅલીખાન, વલ્લભભાઈ પટેલ, આઈ. આઈ. ચુંદરીગર, ડો. રાજેન્દ્ર પ્રસાદ, અબ્દુર રબ નસ્તાર, મૌલાના આઝાદ, સી. રાજગોપાલાચારી, ડો. જહોન મથાઈ, ગઝનફરઅલી ખાન, સરદાર બલદેવસિંગ, જગજીવનરામ, સી. એચ. ભાભા. અને જોગેન્દ્રનાથ મંડલ મંત્રીઓ હતા. કુલ ૧૪ પ્રધાનોમાંથી ચાર મુસ્લીમ હતા.


આજ દિવાળી, કાલ દિવાળી – ગોપાલ ખેતાણી 20

“દિવાળી” – આ શબ્દ કાને પડતાં જ રંગબેરંગી આભાનું મનોવિશ્વ દરેકના મનમાં આકાર પામે છે. એ કલ્પના આબાલ-વૃદ્ધ, ગરીબ-તવંગર વચ્ચેના ભેદભાવ નથી જોતી.

અત્યારે દિવાળી એટલે ઓનલાઈન બજારોના સેલની જાહેરાતોથી ધમધમતું બજાર. અત્યારે દિવાળી એટલે શોપીંગ મોલમાં જ ઉઠાવાતો આનંદ. દિવાળી એટલે રજાઓ છે તો ઘરને તાળા મારી બહાર નીકળી જવાની તક. ઘરે હોય તો મહેમાન આવશે ને?!! કોણ નાસ્તા બનાવવાની અને પરોણાગત કરવાની લપ કરે. રજા આવી છે તો બહાર ફરી લઈએ, નિરાંત તો ખરી.


નવા વર્ષના સાલમુબારક, મનની અંતરંગ વાતો.. – સંપાદક 8

અક્ષરનાદના વિશ્વભરમાં વસતા સર્વે વાચકમિત્રો, સતત સહકાર અને પ્રોત્સાહન આપતા વડીલ સર્જકમિત્રો તથા ઉત્સાહસભર નવોદિત સર્જકમિત્રો અને ‘સર્જન’ વોટ્સએપ ગ્રૂપ તથા સામયિકના વિશાળ અક્ષરમય પરિવારને નવા વર્ષના સાલમુબારક, આ નવું વર્ષ આપ સર્વેને તથા આપના પરિવારજનોને સફળતા, જ્ઞાન, ઐશ્વર્ય, સંતોષ, સાહસ, હિંમત, ધગશ અને ઉત્સાહ આપે એવી ઈશ્વરને પ્રાર્થના. સાહિત્ય સાથેની આપણી આ સફર સતત અને સહજ રહે એવી ઈચ્છા ઈશ્વરના શ્રીચરણોમાં અર્પણ..


એકવીસ માઈક્રોફિક્શન વાર્તાઓ – ડૉ. હાર્દિક યાજ્ઞિક 14

આ એકવીસ વાર્તાઓ – ડ્રેબલ્સના શીર્ષક ‘સર્જન’ ગ્રૂપમાં જોડી બનાવીને થીમ તરીકે અપાયા હતા જેના આધારે મિત્રોએ માઈક્રોફિક્શન વાર્તાઓ લખી. હાર્દિકભાઈએ એ દરેક થીમ પર હાથ અજમાવ્યો.. અને પરિણામ સ્વરૂપ પ્રસ્તુત છે આ અનોખી એકવીસ વાર્તાઓ.. વોટ્સએપમાં આજકાલ જેમની માઈક્રોફિક્શન્સ વાયરલ થઈ નામ વગર કે અન્યોને નામે ફરે છે એવા હાર્દિકભાઈની આ વાર્તાઓ પણ તેમના નામ સાથે વાયરલ થાય એવી શુભેચ્છાઓ આપવી અસ્થાને તો નથી ને?


લશ્કરી ફસલ – સં. સુરેશ જાની 4

કોઈ લશ્કરના માણસે રિટાયર થઈને ખેતી કરી હોય, એની ફસલની આ વાત નથી! આ ગામમાં જન્મેલા મોટા ભાગના પુરૂષો લશ્કરમાં જોડાય છે. મજાની વાત તો એ છે કે, આ વીરભૂમિ પંજાબ, હરિયાણા કે રાજસ્થાનની વાત પણ નથી. આન્ધ્ર પ્રદેશના મોટા શહેર રાજામુન્દ્રીથી માંડ વીસ માઈલ દૂર, પશ્ચિમ ગોદાવરી જિલ્લાના તાડપલ્લીગુડમ પાસે આવેલા માધવરામ ગામમાં સૈકાંઓથી લશ્કરમાં કામ કરવાનો રિવાજ છે !

માંડ ૬,૫૦૦ માણસની વસ્તી ધરાવતા આ ગામના દરેક ઘરમાંથી કમ સે કમ એક જવાન તો લશ્કરમાં ભરતી થયેલો હોય જ. કોઈક ઘરમાં તો ચાર ચાર જણ. આજની તારીખમાં ૧૦૯ પુરૂષો લશ્કરમાં કામ કરે છે જેમાંના ૬૫ તો લશ્કરી જવાન છે. બાકીના વહીવટી કામમાં જોટાયેલા છે. ગામની ૭૦ ટકાથી વધારે વસ્તી શિક્ષિત છે


દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૧) – નીલમ દોશી 7

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


મિઠ્ઠુ – એન્જલ ધોળકિયા 14

નાનકડી પ્રાચી ઓફીસ કવાર્ટર્સના આંગણામાં હિંચકે બેઠી ‘લકડીકી કાઠી’ ગીત ગણગણી રહી હતી. ઓચિંતી એક આહટે એના ગુલાબી ચહેરાને વધુ ગુલાબી બનાવી દીધો!! આંખોમાં એક અદભુત ચમક અને ચહેરા પર નર્યા રોમાંચ સાથે પ્રાચી ઉભી થઇ અને બિલ્લીપગે રસોડામાંથી એક જામફળ લાવી પાળી પર મૂકીને ચૂપચાપ બેસી ગઈ. કરેણના ઝાડ અને છત વચ્ચે ઝૂલતા વાયર પર એક પોપટ આવીને બેઠો હતો. પ્રાચી મનોમન બસ ઇચ્છવા લાગી કે આ પોપટ એના ઘરનું મીઠઠું જામફળ ખાઈ ને અહીં જ રહી જાય. અને થયું પણ એવું જ! એ પોપટ જામફળ ખાઈ ત્યારે તો ઉડી ગયો. પણ બીજા દિવસે ફરી આવ્યો અને બેઠો. જાણે એની નાનકડી દોસ્ત પાસે ફરી જામફળની ઉઘરાણી કરતો હોય.


જંગલનો કોલ (કેન્યા) – પિન્કી દલાલ 8

કેન્યાની ઓળખ મસાઇમારાથી છે. મસાઇ છે જંગલમાં વસતી એક પ્રજાતિ, જેમના નામ પરથી મસાઇ નામ અસ્તિત્વમાં આવ્યું, મારા છે ત્યાંની નદી અને એ ઉપરાંત મસાઇ ભાષામાં મારાનો અર્થ છે જોવા મળવું, એ પછી ઝાડ હોય, પ્રાણી હોય, પંખી હોય, માણસો હોય, એટલે જંગલનું નામ મસાઇમારા.

મસાઇમારા નામના ઉચ્ચારણ સાથે નજર સામે આવે પીળા ખડ એટલે કે સૂકાયેલાં ઊંચા ઘાસના વન, એમાં જમ્બો થડ, પાંખા ડાળખી ને પાન ધરાવતાં વિશ્વમાં ક્યાંય ન જોવા મળે તેવા બાઓબાબ નામના વૃક્ષ અને બિગ ફાઈવ…

આ બિગ ફાઈવ એટલે જેનાથી મસાઇમારાની ઓળખ છે તે પાંચ મોટાં પ્રાણીઓ એટલે સિંહ, રહાઈનો, જિરાફ, હાથી અને ચિત્તા. આ ઉપરાંત ઝીબ્રા, જંગલી ભેંસ, બાઈસન, હરણાંની ગણતરી હમણાં નથી કરવી.


છોકરમત કોની? – ઈશ્વર પેટલીકર 7

અરૂણાએ માન્યું હતું કે નિરંજન સાથેના લગ્નની ઈચ્છાને મા બાપ વગર વિરોધે સ્વીકારી લેશે. પંદર વરસ ઉપર જે ઘરે મોટી બેનને પરણાવી હતી તે જ ઘરે એના દિયર સાથે પોતાના લગ્નનો વિરોધ કરવાનું કારણ ન હતું. વળી મોટીબેનને પરણાવી ત્યારે ભાવિ જમાઈની અંગત લાયકાત તરફ ધ્યાન આપ્યું ન હતું. ધરનો ધંધો છે એટલે ઓછું ભણતર જીવનની કારકિર્દીમાં અવરોધરૂપ બનવાનું ન હતું. મોટીબેન જેટલો એસ.એસ.સી. સુધીનો મૂરતિયાનો અભ્યાસ પૂરતો માન્યો હતો. જ્યારે નિરંજનનો અભ્યાસ એની અંગત શક્તિ પુરવાર કરતો એન્જિનિયરનો હતો. એન્જિનિયરોની બેકારી જાણીતી હોવા છતાં એની તેજસ્વિતાને લીધે પરિણામ બહાર પડતાં એ જાણીતી પેઢીમાં સારા પગારે નોકરી મેળવી શક્યો હતો.


જક્ષણી – સહિયારી વાર્તા (૨૨ સર્જકો) 12

એક ગ્રૂપ, સર્જન.. ૨૨ સર્જકો અને એક પછી એક આગળ ધપતી વાર્તા સાથે લખાયેલ બધાના ભાગ સાથેની આ સહિયારી વાર્તા ગ્રૂપમાં સર્જનનો ત્રીજો પ્રયત્ન હતો. પહેલા પ્રયત્નની ભવ્ય નિષ્ફળતા બાદ બીજો પ્રયત્ન સફળ રહ્યો હતો, અને પછી આ ત્રીજો પ્રયત્ન પણ મજેદાર રહ્યો.. આજે પ્રસ્તુત છે મિત્તલ પટેલ સંકલિત અમારી એ જ સહિયારી વાર્તા જેનું નામ તો જાણીતું જ છે.. ‘જક્ષણી’


ઋતુકલ્પ : પ્રેમની મોસમ બારેમાસ.. – દિનેશ દેસાઈ 5

કવિવર રવીન્દ્રનાથ ટાગોરે “ગીતાંજલિ” મહાકાવ્યમાં લખ્યું છે કે “પ્રકૃતિના વિવિધ રંગ-રૂપ આપણને પ્રેમ શીખવે છે. પ્રકૃતિને ચાહ્યા વિના આપણે નિતાંત પ્રેમની અનુભૂતિ કરી શકીએ નહીં.”

ખરેખર પ્રકૃતિ અને પ્રેમનો ગાઢ નાતો છે. વિક્રમ સંવત અનુસાર કાર્તિક – કારતક મહિનાથી આસો મહિના સુધીના બાર મહિના અનુસાર ઋતુકલ્પનો વૈભવ આપણને માણવા મળે છે. મોસમના આ ગુચ્છ પોતપોતાના અંદાજમાં આપણને જાણે પ્રેમનો સંદેશ આપે છે. પ્રકૃતિનું સૌંદર્ય આ દરેક મોસમમાં જુદો જુદો મિજાજ પ્રગટ કરે છે. પ્રેમની મોસમ તો બારે માસ જામતી હોય છે. પ્રકૃતિ સ્વયં પ્રેમનું પ્રતીક બની રહે છે.


અક્ષરનાદ ઈ-પુસ્તકોના પંદર લાખ ડાઊનલોડ.. – સંપાદક 11

અક્ષરનાદના ડાઊનલોડ વિભાગમાં મૂકેલા ઈ-પુસ્તકોનો આંકડો પંદર લાખ પંચોત્તેર હજાર ડાઊનલોડ ક્લિક્સને પાર કરી ગયો છે. અને આ ઉપરાંત અમારા ઈ-પુસ્તકોના ડેઈલીહન્ટ પરની ક્લિક્સ અહીં ગણી નથી. વળી ઈ-મેલ દ્વારા ફોરવર્ડ થતા, વોટ્સએપ દ્વારા ફોરવર્ડ થતા અને અનેક મોબાઈલ એપ્લિકેશન્સ દ્વારા અમને પૂછીને / પૂછ્યા વગર વહેંચાતા અક્ષરનાદના પુસ્તકોની ક્લિક્સ પણ અહીં ગણી નથી.. ગણવી શક્ય પણ નથી.

વધુ વિગતે જોઈએ તો, અક્ષરનાદ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા ૫૭ ઈ-પુસ્તકોના ચૌદ લાખથી વધુ, ઉત્તમભાઈ ગજ્જર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ સન્ડે ઈ-મહેફિલ ઈ-પુસ્તકોના દોઢલાખથી વધુ અને ગોવિંદભાઈ મારૂએ પાઠવેલા ઈ-પુસ્તકોના પચીસહજારથી વધુ ડાઊનલોડ થઈ ચૂક્યા છે.